ISROની મોટી સફળતા, ચંદ્રયાન 3થી અલગ થયું વિક્રમ લેન્ડર, 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર કરશે લેન્ડિંગ


  • Published By :
  • Published Date : 2023-08-17 17:52:44

ભારતના મૂન મિશનને વધુ એક સફળતા મળી છે. વિક્રમ લેન્ડર ગુરુવારે બપોરે 1.15 વાગ્યે ચંદ્રયાન 3થી અલગ થઈ ગયું. હવે આગળની સફર આ લેન્ડરે જ નક્કી કરવાની છે. પ્રોપલ્શન મોડ્યુલ અને લેન્ડર મોડ્યુલ 100 કિમી x 100 કિમીની ભ્રમણકક્ષામાં અલગ થઈને ભ્રમણ કરવા જઈ રહ્યા છે. વિક્રમ લેન્ડર 23 ઓગસ્ટે સાંજે 5.25 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. વૈજ્ઞાનિક ટી.વી. વેંકટેશ્વરને જણાવ્યું કે રોવર લેન્ડરના પેટની અંદર જ છે.


ચંદ્રયાન-3 ધીમે ધીમે ઝડપ ઘટાડશે


ચંદ્રયાન-3એ લગભગ પોણા ચાર લાખ કિલોમીટરનું અંતર કાપવાનું છે. હવે માત્ર 100 કિમીની સફર બાકી છે. ચંદ્રયાન-3 ધીમે ધીમે તેની ઝડપ ઘટાડશે. આ માટે ચંદ્રયાનને તેના એન્જિન એટલે કે થ્રસ્ટર્સનો ઉપયોગ કરીને તેની ગતિ ધીમી કરવી પડશે. ઈસરોએ જણાવ્યું કે વિક્રમ લેન્ડરને 18 ઓગસ્ટના રોજ સાંજે 4 વાગ્યે ડીઓર્બીટીંગ દ્વારા 30 કિમીવાળા પેરીલ્યુન અને 100 કિમી એપોલ્યૂન ઓર્બિટમાં મૂકવામાં આવશે. પેરીલ્યુન એટલે ચંદ્રની સપાટીથી ઓછું અંતર. એપોલ્યુન એટલે ચંદ્રની સપાટીથી વધુ અંતર. અત્યાર સુધીની યાત્રા પ્રોપલ્શન મોડ્યૂલ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. 


20 ઓગસ્ટ પછીની યાત્રા મુશ્કેલ  


હવે ચંદ્રયાન-3 માટે આ યાત્રા ખૂબ જ મુશ્કેલ બનવાની છે. સૌથી મુશ્કેલ કામ ચંદ્રયાનની ઝડપ ઘટાડવાનું છે. એકવાર વિક્રમ લેન્ડર 30 કિમી x 100 કિમીની ભ્રમણકક્ષા મેળવે પછી સોફ્ટ લેન્ડિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ચંદ્રયાન-2 દરમિયાન તેની સ્પીડ ઓછી કરતી વખતે તે અકસ્માતનો ભોગ બન્યું હતું.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.