ISROની મોટી સફળતા, ચંદ્રયાન 3થી અલગ થયું વિક્રમ લેન્ડર, 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર કરશે લેન્ડિંગ


  • Published By :
  • Published Date : 2023-08-17 17:52:44

ભારતના મૂન મિશનને વધુ એક સફળતા મળી છે. વિક્રમ લેન્ડર ગુરુવારે બપોરે 1.15 વાગ્યે ચંદ્રયાન 3થી અલગ થઈ ગયું. હવે આગળની સફર આ લેન્ડરે જ નક્કી કરવાની છે. પ્રોપલ્શન મોડ્યુલ અને લેન્ડર મોડ્યુલ 100 કિમી x 100 કિમીની ભ્રમણકક્ષામાં અલગ થઈને ભ્રમણ કરવા જઈ રહ્યા છે. વિક્રમ લેન્ડર 23 ઓગસ્ટે સાંજે 5.25 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. વૈજ્ઞાનિક ટી.વી. વેંકટેશ્વરને જણાવ્યું કે રોવર લેન્ડરના પેટની અંદર જ છે.


ચંદ્રયાન-3 ધીમે ધીમે ઝડપ ઘટાડશે


ચંદ્રયાન-3એ લગભગ પોણા ચાર લાખ કિલોમીટરનું અંતર કાપવાનું છે. હવે માત્ર 100 કિમીની સફર બાકી છે. ચંદ્રયાન-3 ધીમે ધીમે તેની ઝડપ ઘટાડશે. આ માટે ચંદ્રયાનને તેના એન્જિન એટલે કે થ્રસ્ટર્સનો ઉપયોગ કરીને તેની ગતિ ધીમી કરવી પડશે. ઈસરોએ જણાવ્યું કે વિક્રમ લેન્ડરને 18 ઓગસ્ટના રોજ સાંજે 4 વાગ્યે ડીઓર્બીટીંગ દ્વારા 30 કિમીવાળા પેરીલ્યુન અને 100 કિમી એપોલ્યૂન ઓર્બિટમાં મૂકવામાં આવશે. પેરીલ્યુન એટલે ચંદ્રની સપાટીથી ઓછું અંતર. એપોલ્યુન એટલે ચંદ્રની સપાટીથી વધુ અંતર. અત્યાર સુધીની યાત્રા પ્રોપલ્શન મોડ્યૂલ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. 


20 ઓગસ્ટ પછીની યાત્રા મુશ્કેલ  


હવે ચંદ્રયાન-3 માટે આ યાત્રા ખૂબ જ મુશ્કેલ બનવાની છે. સૌથી મુશ્કેલ કામ ચંદ્રયાનની ઝડપ ઘટાડવાનું છે. એકવાર વિક્રમ લેન્ડર 30 કિમી x 100 કિમીની ભ્રમણકક્ષા મેળવે પછી સોફ્ટ લેન્ડિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ચંદ્રયાન-2 દરમિયાન તેની સ્પીડ ઓછી કરતી વખતે તે અકસ્માતનો ભોગ બન્યું હતું.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે