ISROની મોટી સફળતા, ચંદ્રયાન 3થી અલગ થયું વિક્રમ લેન્ડર, 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર કરશે લેન્ડિંગ


  • Published By :
  • Published Date : 2023-08-17 17:52:44

ભારતના મૂન મિશનને વધુ એક સફળતા મળી છે. વિક્રમ લેન્ડર ગુરુવારે બપોરે 1.15 વાગ્યે ચંદ્રયાન 3થી અલગ થઈ ગયું. હવે આગળની સફર આ લેન્ડરે જ નક્કી કરવાની છે. પ્રોપલ્શન મોડ્યુલ અને લેન્ડર મોડ્યુલ 100 કિમી x 100 કિમીની ભ્રમણકક્ષામાં અલગ થઈને ભ્રમણ કરવા જઈ રહ્યા છે. વિક્રમ લેન્ડર 23 ઓગસ્ટે સાંજે 5.25 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. વૈજ્ઞાનિક ટી.વી. વેંકટેશ્વરને જણાવ્યું કે રોવર લેન્ડરના પેટની અંદર જ છે.


ચંદ્રયાન-3 ધીમે ધીમે ઝડપ ઘટાડશે


ચંદ્રયાન-3એ લગભગ પોણા ચાર લાખ કિલોમીટરનું અંતર કાપવાનું છે. હવે માત્ર 100 કિમીની સફર બાકી છે. ચંદ્રયાન-3 ધીમે ધીમે તેની ઝડપ ઘટાડશે. આ માટે ચંદ્રયાનને તેના એન્જિન એટલે કે થ્રસ્ટર્સનો ઉપયોગ કરીને તેની ગતિ ધીમી કરવી પડશે. ઈસરોએ જણાવ્યું કે વિક્રમ લેન્ડરને 18 ઓગસ્ટના રોજ સાંજે 4 વાગ્યે ડીઓર્બીટીંગ દ્વારા 30 કિમીવાળા પેરીલ્યુન અને 100 કિમી એપોલ્યૂન ઓર્બિટમાં મૂકવામાં આવશે. પેરીલ્યુન એટલે ચંદ્રની સપાટીથી ઓછું અંતર. એપોલ્યુન એટલે ચંદ્રની સપાટીથી વધુ અંતર. અત્યાર સુધીની યાત્રા પ્રોપલ્શન મોડ્યૂલ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. 


20 ઓગસ્ટ પછીની યાત્રા મુશ્કેલ  


હવે ચંદ્રયાન-3 માટે આ યાત્રા ખૂબ જ મુશ્કેલ બનવાની છે. સૌથી મુશ્કેલ કામ ચંદ્રયાનની ઝડપ ઘટાડવાનું છે. એકવાર વિક્રમ લેન્ડર 30 કિમી x 100 કિમીની ભ્રમણકક્ષા મેળવે પછી સોફ્ટ લેન્ડિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ચંદ્રયાન-2 દરમિયાન તેની સ્પીડ ઓછી કરતી વખતે તે અકસ્માતનો ભોગ બન્યું હતું.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.