લેન્ડિગના બે દિવસ પહેલા ચંદ્રયાન-3એ ચંદ્રની ખૂબ જ નજીકની તસવીરો મોકલી, ખાસ કેમેરાનો થયો ઉપયોગ


  • Published By :
  • Published Date : 2023-08-21 11:02:37

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન  (ISRO)ના બહુપ્રતિક્ષિત મિશન ચંદ્રયાન-3ને ઈતિહાસ રચવાથી થોડું અંતર બાકી રહ્યું છે. ચંદ્રયાન-3નું લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર ઉતરવા માટે સંપુર્ણપણે તૈયાર છે અને તે 23 ઓગસ્ટે સુરક્ષિત ઉતરાણ કરશે. આના બે દિવસ પહેલા લેન્ડરે ચંદ્રની અદભૂત તસવીરો મોકલી છે.


દક્ષિણ ધ્રુવની તસવીરો


ચંદ્રયાન-3 એ લેન્ડિંગ પહેલા લેન્ડર હેઝર્ડ ડિટેક્શન એન્ડ એવોઈડેન્સ કેમેરા (LHDAC) નો ઉપયોગ કરીને આ તસવીરો કેપ્ચર કરી હતી. આ તસવીરો ચંદ્રની સપાટીના દક્ષિણ ધ્રુવ પરની તે જગ્યાની છે, જ્યાં ચંદ્રયાન-3નું લેન્ડર વિક્રમ લેન્ડ થવા જઈ રહ્યું છે.


ઈસરોએ આ તસવીર શેર કરી 


સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર તસવીરો શેર કરતાં ઈસરોએ લખ્યું, 'આ ચંદ્રની દૂરના વિસ્તારની તસવીરો છે, જે લેન્ડરના થ્રેટ ડિટેક્શન એન્ડ રેસ્ક્યૂ કેમેરા (LHDAC) દ્વારા કેપ્ચર કરવામાં આવી છે.' સ્પેશિયલ કેમેરા વિશે જણાવતા ISROએ કહ્યું, 'આ કેમેરા (લેન્ડર)ને ઉતરતા સમયે સુરક્ષિત લેન્ડિંગ એરિયા (પથ્થર કે ઊંડા ખાડા વિનાનો વિસ્તાર) શોધવામાં મદદ કરે છે. તેને સ્પેસ એપ્લિકેશન સેન્ટર, ઈસરોમાં વિકસાવવામાં આવ્યું છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે