લેન્ડિગના બે દિવસ પહેલા ચંદ્રયાન-3એ ચંદ્રની ખૂબ જ નજીકની તસવીરો મોકલી, ખાસ કેમેરાનો થયો ઉપયોગ


  • Published By :
  • Published Date : 2023-08-21 11:02:37

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન  (ISRO)ના બહુપ્રતિક્ષિત મિશન ચંદ્રયાન-3ને ઈતિહાસ રચવાથી થોડું અંતર બાકી રહ્યું છે. ચંદ્રયાન-3નું લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર ઉતરવા માટે સંપુર્ણપણે તૈયાર છે અને તે 23 ઓગસ્ટે સુરક્ષિત ઉતરાણ કરશે. આના બે દિવસ પહેલા લેન્ડરે ચંદ્રની અદભૂત તસવીરો મોકલી છે.


દક્ષિણ ધ્રુવની તસવીરો


ચંદ્રયાન-3 એ લેન્ડિંગ પહેલા લેન્ડર હેઝર્ડ ડિટેક્શન એન્ડ એવોઈડેન્સ કેમેરા (LHDAC) નો ઉપયોગ કરીને આ તસવીરો કેપ્ચર કરી હતી. આ તસવીરો ચંદ્રની સપાટીના દક્ષિણ ધ્રુવ પરની તે જગ્યાની છે, જ્યાં ચંદ્રયાન-3નું લેન્ડર વિક્રમ લેન્ડ થવા જઈ રહ્યું છે.


ઈસરોએ આ તસવીર શેર કરી 


સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર તસવીરો શેર કરતાં ઈસરોએ લખ્યું, 'આ ચંદ્રની દૂરના વિસ્તારની તસવીરો છે, જે લેન્ડરના થ્રેટ ડિટેક્શન એન્ડ રેસ્ક્યૂ કેમેરા (LHDAC) દ્વારા કેપ્ચર કરવામાં આવી છે.' સ્પેશિયલ કેમેરા વિશે જણાવતા ISROએ કહ્યું, 'આ કેમેરા (લેન્ડર)ને ઉતરતા સમયે સુરક્ષિત લેન્ડિંગ એરિયા (પથ્થર કે ઊંડા ખાડા વિનાનો વિસ્તાર) શોધવામાં મદદ કરે છે. તેને સ્પેસ એપ્લિકેશન સેન્ટર, ઈસરોમાં વિકસાવવામાં આવ્યું છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.