લેન્ડિગના બે દિવસ પહેલા ચંદ્રયાન-3એ ચંદ્રની ખૂબ જ નજીકની તસવીરો મોકલી, ખાસ કેમેરાનો થયો ઉપયોગ


  • Published By :
  • Published Date : 2023-08-21 11:02:37

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન  (ISRO)ના બહુપ્રતિક્ષિત મિશન ચંદ્રયાન-3ને ઈતિહાસ રચવાથી થોડું અંતર બાકી રહ્યું છે. ચંદ્રયાન-3નું લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર ઉતરવા માટે સંપુર્ણપણે તૈયાર છે અને તે 23 ઓગસ્ટે સુરક્ષિત ઉતરાણ કરશે. આના બે દિવસ પહેલા લેન્ડરે ચંદ્રની અદભૂત તસવીરો મોકલી છે.


દક્ષિણ ધ્રુવની તસવીરો


ચંદ્રયાન-3 એ લેન્ડિંગ પહેલા લેન્ડર હેઝર્ડ ડિટેક્શન એન્ડ એવોઈડેન્સ કેમેરા (LHDAC) નો ઉપયોગ કરીને આ તસવીરો કેપ્ચર કરી હતી. આ તસવીરો ચંદ્રની સપાટીના દક્ષિણ ધ્રુવ પરની તે જગ્યાની છે, જ્યાં ચંદ્રયાન-3નું લેન્ડર વિક્રમ લેન્ડ થવા જઈ રહ્યું છે.


ઈસરોએ આ તસવીર શેર કરી 


સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર તસવીરો શેર કરતાં ઈસરોએ લખ્યું, 'આ ચંદ્રની દૂરના વિસ્તારની તસવીરો છે, જે લેન્ડરના થ્રેટ ડિટેક્શન એન્ડ રેસ્ક્યૂ કેમેરા (LHDAC) દ્વારા કેપ્ચર કરવામાં આવી છે.' સ્પેશિયલ કેમેરા વિશે જણાવતા ISROએ કહ્યું, 'આ કેમેરા (લેન્ડર)ને ઉતરતા સમયે સુરક્ષિત લેન્ડિંગ એરિયા (પથ્થર કે ઊંડા ખાડા વિનાનો વિસ્તાર) શોધવામાં મદદ કરે છે. તેને સ્પેસ એપ્લિકેશન સેન્ટર, ઈસરોમાં વિકસાવવામાં આવ્યું છે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.