ચંદ્રયાન-3: આજે સાંજે 6.04 કલાકે ચંદ્ર પર લેન્ડિગ, PM મોદી વર્ચ્યુઅલી જોડાશે, જાણો ઈસરોએ શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-08-23 14:37:22

ચંદ્રયાન-3 આજે સાંજે 6 વાગ્યાને 4 મિનિટ પર  ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર લેંડ કરશે. આ 14 જુલાઈએ 3.35 મિનિટે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. લેન્ડિંગ થતાં જ આ 41 દિવસમાં 3.84 લાખ કિમીની સફર પુરી કરીને ઈતિહાસ રચશે. ISROએ કહ્યું છે કે તમામ સિસ્ટમ નોર્મલ છે. બેંગલુરૂ ઓફિસમાં મિશન ઓપરેશન ટીમની તૈયારી પુરી થઈ છે. 5:44 લાગ્યે જેવી જ લેંન્ડર તેની પૂર્વનિર્ધારીત પોઝિશન પર આવશે. ટીમ ઓટોમેટિક લેડિંગ સિક્વન્સ (ALS) લોન્ચ કરી દેશે. લેન્ડરના ચંદ્ર પર ઉતરતા જ રેપ ખુલશે અને પ્રજ્ઞાન રોવર તેનાથી ચંદ્રની સપાટી પર જશે. વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન એકબીજાના ફોટો ખેંચશે અને ભારતમાં ઈસરોને મોકલશે.  જો ભારતનું આ મિશન સફળ રહેશે તો સાઉથ પોલ પર બીજો દેશ બનશે. 


કેવો છે કમાન્ડ સેન્ટરનો માહોલ?


બેંગલુરુમાં ISROના ટેલિમેટ્રી એન્ડ કમાન્ડ સેન્ટર (ISTRAC) ના મિશન ઓપરેશન કોમ્પ્લેક્સ (MOX) માં, 50 થી વધુ વૈજ્ઞાનિકોએ આખી રાત ચંદ્રયાન-3 થી મળેલા ડેટાનું કમ્પ્યુટર્સ પર વિશ્લેષણ કરવામાં વિતાવી. તેઓ લેન્ડરને ઈનપુટ મોકલી રહ્યા છે, જેથી લેન્ડિંગ સમયે ખોટા નિર્ણયો લેવાનો દરેક અવકાશ સમાપ્ત થઈ જાય.


દરેક વ્યક્તિ સાંકેતિક ભાષામાં વાત કરે છે. કમાન્ડ સેન્ટરમાં ઉત્તેજના અને ચિંતાનું મિશ્ર વાતાવરણ છે. ISROના વૈજ્ઞાનિકો બેંગલુરુમાં ISRO ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક (ISTRAC) અને બ્યાલાલુ ગામમાં ઈન્ડિયન ડીપ સ્પેસ નેટવર્ક તેમજ જર્મની, ઓસ્ટ્રેલિયામાં યુરોપિયન સ્પેસ એજન્સીના સ્ટેશન અને નાસાના ડીપ સ્પેસ નેટવર્કમાંથી રીઅલ-ટાઇમ ડેટા મેળવી રહ્યા છે, ચકાસણી કરી રહ્યા છે.


PM મોદી વર્ચ્યુઅલી જોડાશે


લેડિંગની લાઈવ ઈવેન્ટ સાંજે 5.20 વાગ્યે થશે. આ ઈવેન્ટમાં પીએમ મોદી પણ વર્ચ્યુઅલી જોડાશે. હાલ તો તે આફ્રિકામાં છે, એટલા માટે જ વર્ચ્યુઅલી જોડાશે. ત્યાં જ મિશનની સફળતા માટે ભારતમાં જ નહીં પણ વિદેશમાં વિવિધ સ્થળો પર ધાર્મિક કાર્યક્રમો તથા યજ્ઞ કરવામાં આવી રહ્યા છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.