ચંદ્રયાન-3: આજે સાંજે 6.04 કલાકે ચંદ્ર પર લેન્ડિગ, PM મોદી વર્ચ્યુઅલી જોડાશે, જાણો ઈસરોએ શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-08-23 14:37:22

ચંદ્રયાન-3 આજે સાંજે 6 વાગ્યાને 4 મિનિટ પર  ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર લેંડ કરશે. આ 14 જુલાઈએ 3.35 મિનિટે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. લેન્ડિંગ થતાં જ આ 41 દિવસમાં 3.84 લાખ કિમીની સફર પુરી કરીને ઈતિહાસ રચશે. ISROએ કહ્યું છે કે તમામ સિસ્ટમ નોર્મલ છે. બેંગલુરૂ ઓફિસમાં મિશન ઓપરેશન ટીમની તૈયારી પુરી થઈ છે. 5:44 લાગ્યે જેવી જ લેંન્ડર તેની પૂર્વનિર્ધારીત પોઝિશન પર આવશે. ટીમ ઓટોમેટિક લેડિંગ સિક્વન્સ (ALS) લોન્ચ કરી દેશે. લેન્ડરના ચંદ્ર પર ઉતરતા જ રેપ ખુલશે અને પ્રજ્ઞાન રોવર તેનાથી ચંદ્રની સપાટી પર જશે. વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન એકબીજાના ફોટો ખેંચશે અને ભારતમાં ઈસરોને મોકલશે.  જો ભારતનું આ મિશન સફળ રહેશે તો સાઉથ પોલ પર બીજો દેશ બનશે. 


કેવો છે કમાન્ડ સેન્ટરનો માહોલ?


બેંગલુરુમાં ISROના ટેલિમેટ્રી એન્ડ કમાન્ડ સેન્ટર (ISTRAC) ના મિશન ઓપરેશન કોમ્પ્લેક્સ (MOX) માં, 50 થી વધુ વૈજ્ઞાનિકોએ આખી રાત ચંદ્રયાન-3 થી મળેલા ડેટાનું કમ્પ્યુટર્સ પર વિશ્લેષણ કરવામાં વિતાવી. તેઓ લેન્ડરને ઈનપુટ મોકલી રહ્યા છે, જેથી લેન્ડિંગ સમયે ખોટા નિર્ણયો લેવાનો દરેક અવકાશ સમાપ્ત થઈ જાય.


દરેક વ્યક્તિ સાંકેતિક ભાષામાં વાત કરે છે. કમાન્ડ સેન્ટરમાં ઉત્તેજના અને ચિંતાનું મિશ્ર વાતાવરણ છે. ISROના વૈજ્ઞાનિકો બેંગલુરુમાં ISRO ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક (ISTRAC) અને બ્યાલાલુ ગામમાં ઈન્ડિયન ડીપ સ્પેસ નેટવર્ક તેમજ જર્મની, ઓસ્ટ્રેલિયામાં યુરોપિયન સ્પેસ એજન્સીના સ્ટેશન અને નાસાના ડીપ સ્પેસ નેટવર્કમાંથી રીઅલ-ટાઇમ ડેટા મેળવી રહ્યા છે, ચકાસણી કરી રહ્યા છે.


PM મોદી વર્ચ્યુઅલી જોડાશે


લેડિંગની લાઈવ ઈવેન્ટ સાંજે 5.20 વાગ્યે થશે. આ ઈવેન્ટમાં પીએમ મોદી પણ વર્ચ્યુઅલી જોડાશે. હાલ તો તે આફ્રિકામાં છે, એટલા માટે જ વર્ચ્યુઅલી જોડાશે. ત્યાં જ મિશનની સફળતા માટે ભારતમાં જ નહીં પણ વિદેશમાં વિવિધ સ્થળો પર ધાર્મિક કાર્યક્રમો તથા યજ્ઞ કરવામાં આવી રહ્યા છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.