પ્રજ્ઞાન રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર 8 મીટર આગળ વધ્યું, ISROએ ચંદ્રયાન 3 અંગે આપ્યું અપડેટ


  • Published By :
  • Published Date : 2023-08-25 20:20:04

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)નું ચંદ્રયાન-3નું રોવર પ્રજ્ઞાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર આગળ વધી રહ્યું છે. ઈસરોએ શુક્રવારે (25 ઓગસ્ટ) ટ્વીટ કરીને (X) આ અંગેની માહિતી આપી હતી. ISRO એ લખ્યું, "રોવરે લગભગ 8 મીટરનું અંતર સફળતાપૂર્વક પુરૂ કર્યું છે. રોવર પેલોડ્સ LIBS અને APXS કાર્યરત છે. પ્રોપલ્શન મોડ્યુલ, લેન્ડર મોડ્યુલ અને રોવર પરના તમામ પેલોડ્સ પણ રાબેતા મુજબ રીતે કાર્ય કરી રહ્યા છે."


રોવર પ્રજ્ઞાનનો વીડિયો પણ શેર કર્યો હતો


અગાઉ ISROએ આજે સવારે ચંદ્રયાન-3 મિશનના રોવર પ્રજ્ઞાનના લેન્ડર વિક્રમ બહાર નીકળતા અને તેમાં ચંદ્રમાની સપાટી પર ચાલતો એક શાનદાર વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો લેન્ડરના ઈમેજર કેમેરાએ બનાવ્યા છે. ISROએ સોશિયલ મીડિયા મંચ એક્સ પર આ વીડિયો શેર કરતા મેસેજમાં લખ્યું- અને ચંદ્રયાન 3નું રોવર, લેન્ડરમાંથી નીકળીને આ રીતે ચંદ્રમાની સપાટી પર ચાલ્યું. ISROએ કહ્યું હતું- તમામ પ્રવૃત્તિઓ નિર્ધારિત કાર્યક્રમ મુજબ ચાલે છે. તમામ પ્રણાલીઓ સામાન્ય છે. લેન્ડર મૉડ્યૂલમાં રહેલા ઈલ્સા (ઈન્સ્ટ્રૂમેન્ટ ફોર લૂનર સીસ્મિક એક્ટિવિટી), રંભા (રેડિયો એનાટોમી ઓફ મૂન બાઉન્ડ હાઈપરસેન્સેટિવ આયનોસ્ફિયર એન્ડ એટમોસ્ફિયર) અન ચેસ્ટ શરુ થઈ ગયા છે. રોવરે ચાલવાનું શરુ કરી દીધું છે. પ્રોપલ્શન મોડ્યૂલમાં રહેલા શેપ (સ્પેક્ટ્રો પોલરિમેટ્રી ઓફ હેબિટેબલ પ્લાનેટ અર્થ) પેલોડનું સંચાલન રવિવારે શરુ થઈ ગયું હતું.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .