Patanના ચાણસ્માના ધારાસભ્ય Dinesh Thakorએ Shaktisinh Gohilને પત્ર લખીને એવી રજૂઆત કરી કે તમને પણ થશે કે..


  • Published By :
  • Published Date : 2024-06-11 18:14:18

લોકસભા ચૂંટણી પૂર્ણ થઇ ચૂકી છે, કેન્દ્રમાં નવી સરકારની રચના અને મંત્રીમંડળ પણ રચાઇ ગયુ છે...  પરંતુ હજુ પણ હાર જીતના પડઘા નેતાઓના મનમાં પડી રહ્યાં છે. હાલમાં જ પાટણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસને નજીકના અંતરેથી મળેલી હાર પર મંથન અટકવાનું નામ નથી લઇ રહ્યું. ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોરે હવે દુઃખ સાથે પત્ર લખીને હારની જવાબદારી સ્વીકારી છે. કોંગ્રેસમાં પરિવર્તનની શરુઆત પાટણથી થઈ... લોકસભા બેઠકના જ્યારે પરિણામ આવ્યા હતા ત્યારે પાટણ તેમજ બનાસકાંઠા બેઠક પર રસાકસી જોવા મળી હતી. 



અનેક રાઉન્ડ સુધી ચંદનજી ઠાકોર આગળ હતા પરંતુ... 

પાટણ લોકસભ પર કાઉન્ટિંગ ડેના દિવસે જબરદસ્ત રસાકસી જામી હતી, સતત 16 રાઉન્ડમાં આગળ હતા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર અને અચાનક પરિણામ આવ્યું અને ભાજપની જીત થઈ..... કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર અને ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી લીડ લેવામાં આગળ પાછળ થતાં હતા. પરંતુ અંતે ભાજપના ભરતસિંહ ડાભીએ કુલ 5,91,947 મતો સાથે એટલે કે માત્ર 31,876ના મતોની લીડથી જીત્યા હતા. વળી, કોંગ્રેસના ચંદનજી ઠાકોરને 5,60,071 મત મળ્યા હતા. 


કોંગ્રેસના ધારાસભ્યએ કોંગ્રેસના અધ્યક્ષને લખ્યો પત્ર.. 

પાટણ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બરાબરીનો જંગ જામ્યો હતો, પરંતુ કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે હારની જવાબદારી ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોરે સ્વીકારી છે. ચાણસ્માના કોંગ્રેસના MLA દિનેશ ઠાકોરે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષને એક પત્ર લખ્યો છે, અને પત્રમાં દુઃખ સાથે હારની જવાબદારી સ્વિકારી છે. ધારાસભ્ય દિનેશ ઠાકોરે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહને પત્ર લખ્યો જેમાં ચાણસ્મા વિધાનસભા મતવિસ્તારમાંથી ઓછા મત મળવાની વાત સ્વિકારી છે. 


આવા દ્રશ્યો ભાજપમાં જોવા મળતા જ્યાં... 

તેમણે સ્વિકાર્યુ છે કે, હું અહીંથી લીડ ના અપાવી શક્યો અને પાર્ટીને બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે, તેનું મને દુઃખ છે. લોકસભા ઉમેદવાર ચંદનજી ઠાકોરે અમને પૂરતો સહકાર આપ્યો હતો, ચંદનજી તરફથી કોઈ પણ ઉણપ ના રહી હતી. પક્ષે મારા પર જે કાર્યવાહી કરવી હોય તે કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, ચાણસ્મા વિધાનસભાથી ભાજપને 27,269 મતોની લીડ મળી હતી, જે હારનું કારણ બની હતી. અત્યાર સુધી આવા દ્રશ્યો આપણે ભારતીય જનતા પાર્ટીમાં જોતા હતા. કે હારની જવાબદારી સ્વીકારે ..


હારની જવાબદારી સ્વીકારી હતી કે... 

દાખલા તરીકે મહારાષ્ટ્રમાં હાર થઈ તો દેવેન્દ્ર ફડણવીસે જવાબદારી સ્વીકારી,તેમ હવે આ શરુઆત કોંગ્રેસમાં પણ થઈ રહી છે...જે રીતે દેશમાં કોંગ્રેસે પૂરી મહેનત કરી અને ગુજરાતમાં પણ 8થી 10 બેઠકો પર રસાકસી હતી. આ વખતે એક ચર્ચા તો ચોક્કસ કરવામાં આવી કે કોંગ્રેસે ઉમેદવારોના ચયનમાં ખુબ ધ્યાન રાખ્યું.... કોંગ્રેસના ઉમેદરવારોએ ભાજપના ઉમેદવારોને ફાઈટ પણ ટફ  આપી.. હંમેશા હાર માટે એક ચહેરાની શોધ હોય... પણ હવે કોંગ્રેસના નેતાઓ સામે આવીને કહી રહ્યાં છે કે મારા કારણે આ થયું... 



ગ્રાઉન્ડ લેવલ પર કોંગ્રેસને મજબૂત કરવાના પ્રયાસ

સજા માટે પણ તૈયાર છે. કોંગ્રેસના અચ્છે દિનની શરુઆત થઈ ગઈ છે. સંગઠનમાં પણ હવે કામગીરી સારી રીતે કરવાના પ્રયાસો  શરુ થયા છે... ગ્રાઉન્ડ લેવલ પર કોંગ્રેસને મજબૂત કરવા માટે મહેનત કરવામાં આવી રહી છે.. એટલે કોંગ્રેસનું ભવિષ્ય અત્યારે તો સારુ દેખાય રહ્યું છે.....અને શરુઆત બનાસકાંઠા. પાટણથી થઈ છે...



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.