Patanના ચાણસ્માના ધારાસભ્ય Dinesh Thakorએ Shaktisinh Gohilને પત્ર લખીને એવી રજૂઆત કરી કે તમને પણ થશે કે..


  • Published By :
  • Published Date : 2024-06-11 18:14:18

લોકસભા ચૂંટણી પૂર્ણ થઇ ચૂકી છે, કેન્દ્રમાં નવી સરકારની રચના અને મંત્રીમંડળ પણ રચાઇ ગયુ છે...  પરંતુ હજુ પણ હાર જીતના પડઘા નેતાઓના મનમાં પડી રહ્યાં છે. હાલમાં જ પાટણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસને નજીકના અંતરેથી મળેલી હાર પર મંથન અટકવાનું નામ નથી લઇ રહ્યું. ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોરે હવે દુઃખ સાથે પત્ર લખીને હારની જવાબદારી સ્વીકારી છે. કોંગ્રેસમાં પરિવર્તનની શરુઆત પાટણથી થઈ... લોકસભા બેઠકના જ્યારે પરિણામ આવ્યા હતા ત્યારે પાટણ તેમજ બનાસકાંઠા બેઠક પર રસાકસી જોવા મળી હતી. 



અનેક રાઉન્ડ સુધી ચંદનજી ઠાકોર આગળ હતા પરંતુ... 

પાટણ લોકસભ પર કાઉન્ટિંગ ડેના દિવસે જબરદસ્ત રસાકસી જામી હતી, સતત 16 રાઉન્ડમાં આગળ હતા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર અને અચાનક પરિણામ આવ્યું અને ભાજપની જીત થઈ..... કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર અને ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી લીડ લેવામાં આગળ પાછળ થતાં હતા. પરંતુ અંતે ભાજપના ભરતસિંહ ડાભીએ કુલ 5,91,947 મતો સાથે એટલે કે માત્ર 31,876ના મતોની લીડથી જીત્યા હતા. વળી, કોંગ્રેસના ચંદનજી ઠાકોરને 5,60,071 મત મળ્યા હતા. 


કોંગ્રેસના ધારાસભ્યએ કોંગ્રેસના અધ્યક્ષને લખ્યો પત્ર.. 

પાટણ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બરાબરીનો જંગ જામ્યો હતો, પરંતુ કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે હારની જવાબદારી ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોરે સ્વીકારી છે. ચાણસ્માના કોંગ્રેસના MLA દિનેશ ઠાકોરે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષને એક પત્ર લખ્યો છે, અને પત્રમાં દુઃખ સાથે હારની જવાબદારી સ્વિકારી છે. ધારાસભ્ય દિનેશ ઠાકોરે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહને પત્ર લખ્યો જેમાં ચાણસ્મા વિધાનસભા મતવિસ્તારમાંથી ઓછા મત મળવાની વાત સ્વિકારી છે. 


આવા દ્રશ્યો ભાજપમાં જોવા મળતા જ્યાં... 

તેમણે સ્વિકાર્યુ છે કે, હું અહીંથી લીડ ના અપાવી શક્યો અને પાર્ટીને બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે, તેનું મને દુઃખ છે. લોકસભા ઉમેદવાર ચંદનજી ઠાકોરે અમને પૂરતો સહકાર આપ્યો હતો, ચંદનજી તરફથી કોઈ પણ ઉણપ ના રહી હતી. પક્ષે મારા પર જે કાર્યવાહી કરવી હોય તે કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, ચાણસ્મા વિધાનસભાથી ભાજપને 27,269 મતોની લીડ મળી હતી, જે હારનું કારણ બની હતી. અત્યાર સુધી આવા દ્રશ્યો આપણે ભારતીય જનતા પાર્ટીમાં જોતા હતા. કે હારની જવાબદારી સ્વીકારે ..


હારની જવાબદારી સ્વીકારી હતી કે... 

દાખલા તરીકે મહારાષ્ટ્રમાં હાર થઈ તો દેવેન્દ્ર ફડણવીસે જવાબદારી સ્વીકારી,તેમ હવે આ શરુઆત કોંગ્રેસમાં પણ થઈ રહી છે...જે રીતે દેશમાં કોંગ્રેસે પૂરી મહેનત કરી અને ગુજરાતમાં પણ 8થી 10 બેઠકો પર રસાકસી હતી. આ વખતે એક ચર્ચા તો ચોક્કસ કરવામાં આવી કે કોંગ્રેસે ઉમેદવારોના ચયનમાં ખુબ ધ્યાન રાખ્યું.... કોંગ્રેસના ઉમેદરવારોએ ભાજપના ઉમેદવારોને ફાઈટ પણ ટફ  આપી.. હંમેશા હાર માટે એક ચહેરાની શોધ હોય... પણ હવે કોંગ્રેસના નેતાઓ સામે આવીને કહી રહ્યાં છે કે મારા કારણે આ થયું... 



ગ્રાઉન્ડ લેવલ પર કોંગ્રેસને મજબૂત કરવાના પ્રયાસ

સજા માટે પણ તૈયાર છે. કોંગ્રેસના અચ્છે દિનની શરુઆત થઈ ગઈ છે. સંગઠનમાં પણ હવે કામગીરી સારી રીતે કરવાના પ્રયાસો  શરુ થયા છે... ગ્રાઉન્ડ લેવલ પર કોંગ્રેસને મજબૂત કરવા માટે મહેનત કરવામાં આવી રહી છે.. એટલે કોંગ્રેસનું ભવિષ્ય અત્યારે તો સારુ દેખાય રહ્યું છે.....અને શરુઆત બનાસકાંઠા. પાટણથી થઈ છે...



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.