Patanના ચાણસ્માના ધારાસભ્ય Dinesh Thakorએ Shaktisinh Gohilને પત્ર લખીને એવી રજૂઆત કરી કે તમને પણ થશે કે..


  • Published By :
  • Published Date : 2024-06-11 18:14:18

લોકસભા ચૂંટણી પૂર્ણ થઇ ચૂકી છે, કેન્દ્રમાં નવી સરકારની રચના અને મંત્રીમંડળ પણ રચાઇ ગયુ છે...  પરંતુ હજુ પણ હાર જીતના પડઘા નેતાઓના મનમાં પડી રહ્યાં છે. હાલમાં જ પાટણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસને નજીકના અંતરેથી મળેલી હાર પર મંથન અટકવાનું નામ નથી લઇ રહ્યું. ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોરે હવે દુઃખ સાથે પત્ર લખીને હારની જવાબદારી સ્વીકારી છે. કોંગ્રેસમાં પરિવર્તનની શરુઆત પાટણથી થઈ... લોકસભા બેઠકના જ્યારે પરિણામ આવ્યા હતા ત્યારે પાટણ તેમજ બનાસકાંઠા બેઠક પર રસાકસી જોવા મળી હતી. 



અનેક રાઉન્ડ સુધી ચંદનજી ઠાકોર આગળ હતા પરંતુ... 

પાટણ લોકસભ પર કાઉન્ટિંગ ડેના દિવસે જબરદસ્ત રસાકસી જામી હતી, સતત 16 રાઉન્ડમાં આગળ હતા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર અને અચાનક પરિણામ આવ્યું અને ભાજપની જીત થઈ..... કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર અને ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી લીડ લેવામાં આગળ પાછળ થતાં હતા. પરંતુ અંતે ભાજપના ભરતસિંહ ડાભીએ કુલ 5,91,947 મતો સાથે એટલે કે માત્ર 31,876ના મતોની લીડથી જીત્યા હતા. વળી, કોંગ્રેસના ચંદનજી ઠાકોરને 5,60,071 મત મળ્યા હતા. 


કોંગ્રેસના ધારાસભ્યએ કોંગ્રેસના અધ્યક્ષને લખ્યો પત્ર.. 

પાટણ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બરાબરીનો જંગ જામ્યો હતો, પરંતુ કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે હારની જવાબદારી ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોરે સ્વીકારી છે. ચાણસ્માના કોંગ્રેસના MLA દિનેશ ઠાકોરે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષને એક પત્ર લખ્યો છે, અને પત્રમાં દુઃખ સાથે હારની જવાબદારી સ્વિકારી છે. ધારાસભ્ય દિનેશ ઠાકોરે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહને પત્ર લખ્યો જેમાં ચાણસ્મા વિધાનસભા મતવિસ્તારમાંથી ઓછા મત મળવાની વાત સ્વિકારી છે. 


આવા દ્રશ્યો ભાજપમાં જોવા મળતા જ્યાં... 

તેમણે સ્વિકાર્યુ છે કે, હું અહીંથી લીડ ના અપાવી શક્યો અને પાર્ટીને બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે, તેનું મને દુઃખ છે. લોકસભા ઉમેદવાર ચંદનજી ઠાકોરે અમને પૂરતો સહકાર આપ્યો હતો, ચંદનજી તરફથી કોઈ પણ ઉણપ ના રહી હતી. પક્ષે મારા પર જે કાર્યવાહી કરવી હોય તે કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, ચાણસ્મા વિધાનસભાથી ભાજપને 27,269 મતોની લીડ મળી હતી, જે હારનું કારણ બની હતી. અત્યાર સુધી આવા દ્રશ્યો આપણે ભારતીય જનતા પાર્ટીમાં જોતા હતા. કે હારની જવાબદારી સ્વીકારે ..


હારની જવાબદારી સ્વીકારી હતી કે... 

દાખલા તરીકે મહારાષ્ટ્રમાં હાર થઈ તો દેવેન્દ્ર ફડણવીસે જવાબદારી સ્વીકારી,તેમ હવે આ શરુઆત કોંગ્રેસમાં પણ થઈ રહી છે...જે રીતે દેશમાં કોંગ્રેસે પૂરી મહેનત કરી અને ગુજરાતમાં પણ 8થી 10 બેઠકો પર રસાકસી હતી. આ વખતે એક ચર્ચા તો ચોક્કસ કરવામાં આવી કે કોંગ્રેસે ઉમેદવારોના ચયનમાં ખુબ ધ્યાન રાખ્યું.... કોંગ્રેસના ઉમેદરવારોએ ભાજપના ઉમેદવારોને ફાઈટ પણ ટફ  આપી.. હંમેશા હાર માટે એક ચહેરાની શોધ હોય... પણ હવે કોંગ્રેસના નેતાઓ સામે આવીને કહી રહ્યાં છે કે મારા કારણે આ થયું... 



ગ્રાઉન્ડ લેવલ પર કોંગ્રેસને મજબૂત કરવાના પ્રયાસ

સજા માટે પણ તૈયાર છે. કોંગ્રેસના અચ્છે દિનની શરુઆત થઈ ગઈ છે. સંગઠનમાં પણ હવે કામગીરી સારી રીતે કરવાના પ્રયાસો  શરુ થયા છે... ગ્રાઉન્ડ લેવલ પર કોંગ્રેસને મજબૂત કરવા માટે મહેનત કરવામાં આવી રહી છે.. એટલે કોંગ્રેસનું ભવિષ્ય અત્યારે તો સારુ દેખાય રહ્યું છે.....અને શરુઆત બનાસકાંઠા. પાટણથી થઈ છે...



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .