Indigo Flightમાં થઈ બબાલ! Flight Delay થતાં ભડક્યો પેસેન્જર, રોષે ભરાયેલા પેસેન્જરે પાઈલટને લાફો માર્યો, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-15 18:38:47

અત્યાર સુધી આપણે અનેક એવા વીડિયો જોયા છે જેમાં ફ્લાઈટમાં પેસેન્જર ઝઘડતા હોય છે, એરહોસ્ટેસ્ટને મરજી પડે એમ બોલતા હોય છે, ઘણી વાર ધીરજ ગુમાવીને લોકો કંઈ પણ કરતાં હોય છે ફરી એક વાર ઈન્ડિગો ફ્લાઈટથી એવા દ્રશ્યો સામે આવ્યા છે. 

ઈન્ડિગો ફ્લાઈટનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે ઈન્ડિગો ફ્લાઇટનો છે. ઈન્ડિગો ફ્લાઈટ ડિલે થઈ તો પેસેન્જરનું મગજ ગયું અને પછી ઊભા થઈને પાઈલોટને લાફો મારી દીધો. ફ્લાઈટના વિલંબને કારણે ગુસ્સે થયેલા મુસાફરે જ્યારે પાઈલોટને લાફો માર્યો ત્યારે કોઈએ એ વીડિયો ઉતારી લીધો હતો જે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.   



ધુમ્મસને કારણે ફ્લાઈટમાં થઈ રહ્યો હતો ડિલે 

ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E-2175 સવારે 7.40 વાગ્યે દિલ્હીથી ગોવા માટે ટેકઓફ કરવાની હતી. દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે ફ્લાઈટ્સમાં સતત મોડું થઈ રહ્યું હતું. આ સિવાય મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે પાયલટ બદલવાના કારણે પણ ફ્લાઈટમાં થોડું મોડું થયું હતું. એટલે મુસાફરો અકડાય હતા.

સાહિલ કટારિયાને પ્લેનમાંથી નીચે ઉતાર્યો 

માણસ ફ્લાઇટમાં જાય કેમ કેમ પૈસા કેમ ખર્ચે ટાઈમ બચ્ચાવવા ક્યાંય જલ્દી પહોંચવું હોય એટલે પણ જો સતત આવી રીતે ફ્લાઇટ ડિલે થાય તો માણસને ગુસ્સો આવે એ સ્વભાવિક છે પણ કોઈ પણ કારણે આવી રીતે સયંમ ન ગુમાવો જોઈએ. આ વીડિયો બાદ ઘણા બધા લોકોએ આની ટીકા પણ કરી છે. મુસાફરની ઓળખ સાહિલ કટારિયા તરીકે થઈ છે. ઈન્ડિગોએ પેસેન્જર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ઘટના બાદ તરત જ સાહિલ કટારિયાને પ્લેનમાંથી બહાર કાઢીને અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો.

પવન ખેડાએ સોશિયલ મીડિયા પર લખ્યું...

કોંગ્રેસના નેતા પવન ખેડાએ X પર લખ્યું- સોશિયલ મીડિયા ગુસ્સે ભરાયેલા મુસાફરોની ફરિયાદોથી ભરેલું છે, જેઓ પ્લેન, એરપોર્ટ અને એરોબ્રિજની અંદર કલાકો સુધી ફસાયેલા છે. વધુ પડતું મોડું થવું, નબળી ગ્રાહક સેવા અને એરલાઇન્સની બેજવાબદારી મુસાફરોને પરેશાન કરી રહી છે. 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.