Indigo Flightમાં થઈ બબાલ! Flight Delay થતાં ભડક્યો પેસેન્જર, રોષે ભરાયેલા પેસેન્જરે પાઈલટને લાફો માર્યો, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-15 18:38:47

અત્યાર સુધી આપણે અનેક એવા વીડિયો જોયા છે જેમાં ફ્લાઈટમાં પેસેન્જર ઝઘડતા હોય છે, એરહોસ્ટેસ્ટને મરજી પડે એમ બોલતા હોય છે, ઘણી વાર ધીરજ ગુમાવીને લોકો કંઈ પણ કરતાં હોય છે ફરી એક વાર ઈન્ડિગો ફ્લાઈટથી એવા દ્રશ્યો સામે આવ્યા છે. 

ઈન્ડિગો ફ્લાઈટનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે ઈન્ડિગો ફ્લાઇટનો છે. ઈન્ડિગો ફ્લાઈટ ડિલે થઈ તો પેસેન્જરનું મગજ ગયું અને પછી ઊભા થઈને પાઈલોટને લાફો મારી દીધો. ફ્લાઈટના વિલંબને કારણે ગુસ્સે થયેલા મુસાફરે જ્યારે પાઈલોટને લાફો માર્યો ત્યારે કોઈએ એ વીડિયો ઉતારી લીધો હતો જે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.   



ધુમ્મસને કારણે ફ્લાઈટમાં થઈ રહ્યો હતો ડિલે 

ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E-2175 સવારે 7.40 વાગ્યે દિલ્હીથી ગોવા માટે ટેકઓફ કરવાની હતી. દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે ફ્લાઈટ્સમાં સતત મોડું થઈ રહ્યું હતું. આ સિવાય મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે પાયલટ બદલવાના કારણે પણ ફ્લાઈટમાં થોડું મોડું થયું હતું. એટલે મુસાફરો અકડાય હતા.

સાહિલ કટારિયાને પ્લેનમાંથી નીચે ઉતાર્યો 

માણસ ફ્લાઇટમાં જાય કેમ કેમ પૈસા કેમ ખર્ચે ટાઈમ બચ્ચાવવા ક્યાંય જલ્દી પહોંચવું હોય એટલે પણ જો સતત આવી રીતે ફ્લાઇટ ડિલે થાય તો માણસને ગુસ્સો આવે એ સ્વભાવિક છે પણ કોઈ પણ કારણે આવી રીતે સયંમ ન ગુમાવો જોઈએ. આ વીડિયો બાદ ઘણા બધા લોકોએ આની ટીકા પણ કરી છે. મુસાફરની ઓળખ સાહિલ કટારિયા તરીકે થઈ છે. ઈન્ડિગોએ પેસેન્જર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ઘટના બાદ તરત જ સાહિલ કટારિયાને પ્લેનમાંથી બહાર કાઢીને અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો.

પવન ખેડાએ સોશિયલ મીડિયા પર લખ્યું...

કોંગ્રેસના નેતા પવન ખેડાએ X પર લખ્યું- સોશિયલ મીડિયા ગુસ્સે ભરાયેલા મુસાફરોની ફરિયાદોથી ભરેલું છે, જેઓ પ્લેન, એરપોર્ટ અને એરોબ્રિજની અંદર કલાકો સુધી ફસાયેલા છે. વધુ પડતું મોડું થવું, નબળી ગ્રાહક સેવા અને એરલાઇન્સની બેજવાબદારી મુસાફરોને પરેશાન કરી રહી છે. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.