Indigo Flightમાં થઈ બબાલ! Flight Delay થતાં ભડક્યો પેસેન્જર, રોષે ભરાયેલા પેસેન્જરે પાઈલટને લાફો માર્યો, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-15 18:38:47

અત્યાર સુધી આપણે અનેક એવા વીડિયો જોયા છે જેમાં ફ્લાઈટમાં પેસેન્જર ઝઘડતા હોય છે, એરહોસ્ટેસ્ટને મરજી પડે એમ બોલતા હોય છે, ઘણી વાર ધીરજ ગુમાવીને લોકો કંઈ પણ કરતાં હોય છે ફરી એક વાર ઈન્ડિગો ફ્લાઈટથી એવા દ્રશ્યો સામે આવ્યા છે. 

ઈન્ડિગો ફ્લાઈટનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે ઈન્ડિગો ફ્લાઇટનો છે. ઈન્ડિગો ફ્લાઈટ ડિલે થઈ તો પેસેન્જરનું મગજ ગયું અને પછી ઊભા થઈને પાઈલોટને લાફો મારી દીધો. ફ્લાઈટના વિલંબને કારણે ગુસ્સે થયેલા મુસાફરે જ્યારે પાઈલોટને લાફો માર્યો ત્યારે કોઈએ એ વીડિયો ઉતારી લીધો હતો જે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.   



ધુમ્મસને કારણે ફ્લાઈટમાં થઈ રહ્યો હતો ડિલે 

ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E-2175 સવારે 7.40 વાગ્યે દિલ્હીથી ગોવા માટે ટેકઓફ કરવાની હતી. દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે ફ્લાઈટ્સમાં સતત મોડું થઈ રહ્યું હતું. આ સિવાય મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે પાયલટ બદલવાના કારણે પણ ફ્લાઈટમાં થોડું મોડું થયું હતું. એટલે મુસાફરો અકડાય હતા.

સાહિલ કટારિયાને પ્લેનમાંથી નીચે ઉતાર્યો 

માણસ ફ્લાઇટમાં જાય કેમ કેમ પૈસા કેમ ખર્ચે ટાઈમ બચ્ચાવવા ક્યાંય જલ્દી પહોંચવું હોય એટલે પણ જો સતત આવી રીતે ફ્લાઇટ ડિલે થાય તો માણસને ગુસ્સો આવે એ સ્વભાવિક છે પણ કોઈ પણ કારણે આવી રીતે સયંમ ન ગુમાવો જોઈએ. આ વીડિયો બાદ ઘણા બધા લોકોએ આની ટીકા પણ કરી છે. મુસાફરની ઓળખ સાહિલ કટારિયા તરીકે થઈ છે. ઈન્ડિગોએ પેસેન્જર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ઘટના બાદ તરત જ સાહિલ કટારિયાને પ્લેનમાંથી બહાર કાઢીને અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો.

પવન ખેડાએ સોશિયલ મીડિયા પર લખ્યું...

કોંગ્રેસના નેતા પવન ખેડાએ X પર લખ્યું- સોશિયલ મીડિયા ગુસ્સે ભરાયેલા મુસાફરોની ફરિયાદોથી ભરેલું છે, જેઓ પ્લેન, એરપોર્ટ અને એરોબ્રિજની અંદર કલાકો સુધી ફસાયેલા છે. વધુ પડતું મોડું થવું, નબળી ગ્રાહક સેવા અને એરલાઇન્સની બેજવાબદારી મુસાફરોને પરેશાન કરી રહી છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે