Indigo Flightમાં થઈ બબાલ! Flight Delay થતાં ભડક્યો પેસેન્જર, રોષે ભરાયેલા પેસેન્જરે પાઈલટને લાફો માર્યો, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-15 18:38:47

અત્યાર સુધી આપણે અનેક એવા વીડિયો જોયા છે જેમાં ફ્લાઈટમાં પેસેન્જર ઝઘડતા હોય છે, એરહોસ્ટેસ્ટને મરજી પડે એમ બોલતા હોય છે, ઘણી વાર ધીરજ ગુમાવીને લોકો કંઈ પણ કરતાં હોય છે ફરી એક વાર ઈન્ડિગો ફ્લાઈટથી એવા દ્રશ્યો સામે આવ્યા છે. 

ઈન્ડિગો ફ્લાઈટનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે ઈન્ડિગો ફ્લાઇટનો છે. ઈન્ડિગો ફ્લાઈટ ડિલે થઈ તો પેસેન્જરનું મગજ ગયું અને પછી ઊભા થઈને પાઈલોટને લાફો મારી દીધો. ફ્લાઈટના વિલંબને કારણે ગુસ્સે થયેલા મુસાફરે જ્યારે પાઈલોટને લાફો માર્યો ત્યારે કોઈએ એ વીડિયો ઉતારી લીધો હતો જે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.   



ધુમ્મસને કારણે ફ્લાઈટમાં થઈ રહ્યો હતો ડિલે 

ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E-2175 સવારે 7.40 વાગ્યે દિલ્હીથી ગોવા માટે ટેકઓફ કરવાની હતી. દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે ફ્લાઈટ્સમાં સતત મોડું થઈ રહ્યું હતું. આ સિવાય મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે પાયલટ બદલવાના કારણે પણ ફ્લાઈટમાં થોડું મોડું થયું હતું. એટલે મુસાફરો અકડાય હતા.

સાહિલ કટારિયાને પ્લેનમાંથી નીચે ઉતાર્યો 

માણસ ફ્લાઇટમાં જાય કેમ કેમ પૈસા કેમ ખર્ચે ટાઈમ બચ્ચાવવા ક્યાંય જલ્દી પહોંચવું હોય એટલે પણ જો સતત આવી રીતે ફ્લાઇટ ડિલે થાય તો માણસને ગુસ્સો આવે એ સ્વભાવિક છે પણ કોઈ પણ કારણે આવી રીતે સયંમ ન ગુમાવો જોઈએ. આ વીડિયો બાદ ઘણા બધા લોકોએ આની ટીકા પણ કરી છે. મુસાફરની ઓળખ સાહિલ કટારિયા તરીકે થઈ છે. ઈન્ડિગોએ પેસેન્જર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ઘટના બાદ તરત જ સાહિલ કટારિયાને પ્લેનમાંથી બહાર કાઢીને અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો.

પવન ખેડાએ સોશિયલ મીડિયા પર લખ્યું...

કોંગ્રેસના નેતા પવન ખેડાએ X પર લખ્યું- સોશિયલ મીડિયા ગુસ્સે ભરાયેલા મુસાફરોની ફરિયાદોથી ભરેલું છે, જેઓ પ્લેન, એરપોર્ટ અને એરોબ્રિજની અંદર કલાકો સુધી ફસાયેલા છે. વધુ પડતું મોડું થવું, નબળી ગ્રાહક સેવા અને એરલાઇન્સની બેજવાબદારી મુસાફરોને પરેશાન કરી રહી છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.