એશિયાના સૌથી મોટા ચારણકા સોલાર પાર્કમાં ભયાનક આગ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં


  • Published By :
  • Published Date : 2023-02-13 18:29:00

એશિયાના સૌથી મોટા સોલાર પાર્કમાં પાવર ઉત્પાદન કરતી કંપનીનાં ઈલેક્ટ્રીક રૂમમાં અચાનક બપોરના સમયે આગ લાગી હતી. પાટણ જિલ્લાના સરહદી તાલુકા સાંતલપુરના ચારણકા સોલાર પાર્ક ખાતે બનાવવામાં આવેલા સોલાર પાર્કમાં આગની ઘટનાને લઈને કંપનીના કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. વિકરાળ આગને કાબુમાં લેવા માટે તાત્કાલિક સાંતલપુરથી ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી. ફાયર ફાઈટરોએ આગને નિયંત્રિત કરવા માટે યુધ્ધના ધોરણે કાર્યવાહી શરૂ કરી હતી.


શા માટે આગ લાગી?


ચારણકા સોલાર પાર્કમાં આવેલા ભેલ કંપનીના 15 મેગાવોટના પ્લાન્ટમાં આગની ઘટના બની છે. ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી આગના ગોટે ગોટા જોવા મળ્યા હતા. સોલાર પાર્કમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી જો કે  શોક સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સદનસીબે સોલાર પાર્કમાં લાગેલી આગથી કોઈ મોટી જાનહાનિ સર્જાઈ ન હતી. તેમ છતાં આ આગની ઘટનાથી કંપનીને લાખોનું નુકશાન થવા પામ્યું છે. ચોંકાવનારી બાબત તો એ છે કે ચારણકા સોલાર પાર્કમાં ફાયર ફાઈટરની કોઈ સુવિધા જ નથી. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.