એશિયાના સૌથી મોટા ચારણકા સોલાર પાર્કમાં ભયાનક આગ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં


  • Published By :
  • Published Date : 2023-02-13 18:29:00

એશિયાના સૌથી મોટા સોલાર પાર્કમાં પાવર ઉત્પાદન કરતી કંપનીનાં ઈલેક્ટ્રીક રૂમમાં અચાનક બપોરના સમયે આગ લાગી હતી. પાટણ જિલ્લાના સરહદી તાલુકા સાંતલપુરના ચારણકા સોલાર પાર્ક ખાતે બનાવવામાં આવેલા સોલાર પાર્કમાં આગની ઘટનાને લઈને કંપનીના કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. વિકરાળ આગને કાબુમાં લેવા માટે તાત્કાલિક સાંતલપુરથી ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી. ફાયર ફાઈટરોએ આગને નિયંત્રિત કરવા માટે યુધ્ધના ધોરણે કાર્યવાહી શરૂ કરી હતી.


શા માટે આગ લાગી?


ચારણકા સોલાર પાર્કમાં આવેલા ભેલ કંપનીના 15 મેગાવોટના પ્લાન્ટમાં આગની ઘટના બની છે. ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી આગના ગોટે ગોટા જોવા મળ્યા હતા. સોલાર પાર્કમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી જો કે  શોક સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સદનસીબે સોલાર પાર્કમાં લાગેલી આગથી કોઈ મોટી જાનહાનિ સર્જાઈ ન હતી. તેમ છતાં આ આગની ઘટનાથી કંપનીને લાખોનું નુકશાન થવા પામ્યું છે. ચોંકાવનારી બાબત તો એ છે કે ચારણકા સોલાર પાર્કમાં ફાયર ફાઈટરની કોઈ સુવિધા જ નથી. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.