એશિયાના સૌથી મોટા ચારણકા સોલાર પાર્કમાં ભયાનક આગ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં


  • Published By :
  • Published Date : 2023-02-13 18:29:00

એશિયાના સૌથી મોટા સોલાર પાર્કમાં પાવર ઉત્પાદન કરતી કંપનીનાં ઈલેક્ટ્રીક રૂમમાં અચાનક બપોરના સમયે આગ લાગી હતી. પાટણ જિલ્લાના સરહદી તાલુકા સાંતલપુરના ચારણકા સોલાર પાર્ક ખાતે બનાવવામાં આવેલા સોલાર પાર્કમાં આગની ઘટનાને લઈને કંપનીના કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. વિકરાળ આગને કાબુમાં લેવા માટે તાત્કાલિક સાંતલપુરથી ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી. ફાયર ફાઈટરોએ આગને નિયંત્રિત કરવા માટે યુધ્ધના ધોરણે કાર્યવાહી શરૂ કરી હતી.


શા માટે આગ લાગી?


ચારણકા સોલાર પાર્કમાં આવેલા ભેલ કંપનીના 15 મેગાવોટના પ્લાન્ટમાં આગની ઘટના બની છે. ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી આગના ગોટે ગોટા જોવા મળ્યા હતા. સોલાર પાર્કમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી જો કે  શોક સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સદનસીબે સોલાર પાર્કમાં લાગેલી આગથી કોઈ મોટી જાનહાનિ સર્જાઈ ન હતી. તેમ છતાં આ આગની ઘટનાથી કંપનીને લાખોનું નુકશાન થવા પામ્યું છે. ચોંકાવનારી બાબત તો એ છે કે ચારણકા સોલાર પાર્કમાં ફાયર ફાઈટરની કોઈ સુવિધા જ નથી. 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.