એશિયાના સૌથી મોટા ચારણકા સોલાર પાર્કમાં ભયાનક આગ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં


  • Published By :
  • Published Date : 2023-02-13 18:29:00

એશિયાના સૌથી મોટા સોલાર પાર્કમાં પાવર ઉત્પાદન કરતી કંપનીનાં ઈલેક્ટ્રીક રૂમમાં અચાનક બપોરના સમયે આગ લાગી હતી. પાટણ જિલ્લાના સરહદી તાલુકા સાંતલપુરના ચારણકા સોલાર પાર્ક ખાતે બનાવવામાં આવેલા સોલાર પાર્કમાં આગની ઘટનાને લઈને કંપનીના કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. વિકરાળ આગને કાબુમાં લેવા માટે તાત્કાલિક સાંતલપુરથી ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી. ફાયર ફાઈટરોએ આગને નિયંત્રિત કરવા માટે યુધ્ધના ધોરણે કાર્યવાહી શરૂ કરી હતી.


શા માટે આગ લાગી?


ચારણકા સોલાર પાર્કમાં આવેલા ભેલ કંપનીના 15 મેગાવોટના પ્લાન્ટમાં આગની ઘટના બની છે. ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી આગના ગોટે ગોટા જોવા મળ્યા હતા. સોલાર પાર્કમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી જો કે  શોક સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સદનસીબે સોલાર પાર્કમાં લાગેલી આગથી કોઈ મોટી જાનહાનિ સર્જાઈ ન હતી. તેમ છતાં આ આગની ઘટનાથી કંપનીને લાખોનું નુકશાન થવા પામ્યું છે. ચોંકાવનારી બાબત તો એ છે કે ચારણકા સોલાર પાર્કમાં ફાયર ફાઈટરની કોઈ સુવિધા જ નથી. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.