ચારધામ યાત્રા: કોરોનાના વધતા કેસ અને ખરાબ હવામાનને કારણે ઉત્તરાખંડ સરકારે જાહેર કરી એડવાઈઝરી


  • Published By :
  • Published Date : 2023-04-19 21:44:05

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા 22 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. ત્યારે હવામાન વિભાગે પર્વતીય વિસ્તારોમાં ખરાબ હવામાન માટે એલર્ટ જાહેર કર્યું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ સરકારે યાત્રા પર આવતા શ્રદ્ધાળુઓ માટે એડવાઈઝરી જારી કરી છે. બુધવારે આરોગ્ય વિભાગના સચિવ ડૉ. આર. રાજેશ કુમારે હેલ્થ એડવાઈઝરી જારી કરી છે.


આરોગ્ય સચિવે જાહેર કરી એડવાઈઝરી


ડૉ. આર. રાજેશ કુમારે કહ્યું કે ચારધામ યાત્રાના તમામ તીર્થ સ્થાનો ઉચ્ચ હિમાલય ક્ષેત્રમાં સ્થિત છે, જેની ઊંચાઈ સમુદ્ર સપાટીથી 2700 મીટરથી વધુ છે. તે સ્થળોએ પ્રવાસીઓ અતિશય ઠંડી, ઓછો ભેજ, નીચા હવાના દબાણ અને ઓછા ઓક્સિજન સામગ્રીને કારણે પ્રભાવિત થઈ શકે છે. એટલા માટે ચોક્કસપણે એડવાઈઝરીનું પાલન  કરો.


કોવિડ ગાઈડલાઈનનું પાલન કરો


દેશના ઘણા રાજ્યોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. રાજ્યમાં 22 એપ્રિલથી ચાર ધામ યાત્રા શરૂ થઈ રહી છે. જેમાં અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ યાત્રા માટે આવશે. કોરોના સંક્રમણને રોકવા માટે, યાત્રા પર આવતા યાત્રિકોએ કોવિડ અનુસાર નિયમોનું પાલન કરવું પડશે. જેમાં માસ્ક પહેરવા, સેનિટાઈઝર, કોવિડના લક્ષણો પરના ટેસ્ટનો સમાવેશ થાય છે.


મુસાફરોએ શું કાળજી લેવી 


(1) 55 વર્ષથી વધુ ઉંમરના પ્રવાસીઓ, સગર્ભા સ્ત્રીઓ, હૃદયરોગ, હાઈ બ્લડ પ્રેશર, અસ્થમા અને ડાયાબિટીસનો ઈતિહાસ ધરાવતા પ્રવાસીઓ જેઓ મેદસ્વી છે

(30 BMIથી વધુ)


(2)-કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત કટોકટીના કિસ્સામાં કૃપા કરીને હેલ્પલાઈન નંબર 104 પર અમારો સંપર્ક કરો.


(3)-મુસાફરી દરમિયાન આલ્કોહોલ, કેફીનયુક્ત પીણાં, ઊંઘની ગોળીઓ અને મજબૂત/શક્તિશાળી પીડા નિવારક દવાઓનું સેવન ન કરો, ધૂમ્રપાન પણ ટાળો.


(4)-મુસાફરી દરમિયાન ઓછામાં ઓછું બે લિટર પ્રવાહી પીવો અને પૌષ્ટિક આહાર લો.




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.