ચારધામ યાત્રા: કોરોનાના વધતા કેસ અને ખરાબ હવામાનને કારણે ઉત્તરાખંડ સરકારે જાહેર કરી એડવાઈઝરી


  • Published By :
  • Published Date : 2023-04-19 21:44:05

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા 22 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. ત્યારે હવામાન વિભાગે પર્વતીય વિસ્તારોમાં ખરાબ હવામાન માટે એલર્ટ જાહેર કર્યું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ સરકારે યાત્રા પર આવતા શ્રદ્ધાળુઓ માટે એડવાઈઝરી જારી કરી છે. બુધવારે આરોગ્ય વિભાગના સચિવ ડૉ. આર. રાજેશ કુમારે હેલ્થ એડવાઈઝરી જારી કરી છે.


આરોગ્ય સચિવે જાહેર કરી એડવાઈઝરી


ડૉ. આર. રાજેશ કુમારે કહ્યું કે ચારધામ યાત્રાના તમામ તીર્થ સ્થાનો ઉચ્ચ હિમાલય ક્ષેત્રમાં સ્થિત છે, જેની ઊંચાઈ સમુદ્ર સપાટીથી 2700 મીટરથી વધુ છે. તે સ્થળોએ પ્રવાસીઓ અતિશય ઠંડી, ઓછો ભેજ, નીચા હવાના દબાણ અને ઓછા ઓક્સિજન સામગ્રીને કારણે પ્રભાવિત થઈ શકે છે. એટલા માટે ચોક્કસપણે એડવાઈઝરીનું પાલન  કરો.


કોવિડ ગાઈડલાઈનનું પાલન કરો


દેશના ઘણા રાજ્યોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. રાજ્યમાં 22 એપ્રિલથી ચાર ધામ યાત્રા શરૂ થઈ રહી છે. જેમાં અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ યાત્રા માટે આવશે. કોરોના સંક્રમણને રોકવા માટે, યાત્રા પર આવતા યાત્રિકોએ કોવિડ અનુસાર નિયમોનું પાલન કરવું પડશે. જેમાં માસ્ક પહેરવા, સેનિટાઈઝર, કોવિડના લક્ષણો પરના ટેસ્ટનો સમાવેશ થાય છે.


મુસાફરોએ શું કાળજી લેવી 


(1) 55 વર્ષથી વધુ ઉંમરના પ્રવાસીઓ, સગર્ભા સ્ત્રીઓ, હૃદયરોગ, હાઈ બ્લડ પ્રેશર, અસ્થમા અને ડાયાબિટીસનો ઈતિહાસ ધરાવતા પ્રવાસીઓ જેઓ મેદસ્વી છે

(30 BMIથી વધુ)


(2)-કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત કટોકટીના કિસ્સામાં કૃપા કરીને હેલ્પલાઈન નંબર 104 પર અમારો સંપર્ક કરો.


(3)-મુસાફરી દરમિયાન આલ્કોહોલ, કેફીનયુક્ત પીણાં, ઊંઘની ગોળીઓ અને મજબૂત/શક્તિશાળી પીડા નિવારક દવાઓનું સેવન ન કરો, ધૂમ્રપાન પણ ટાળો.


(4)-મુસાફરી દરમિયાન ઓછામાં ઓછું બે લિટર પ્રવાહી પીવો અને પૌષ્ટિક આહાર લો.




અમદાવાદ ખાતે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમિત શાહને ગુજરાતમાં ચાલી રહેલા પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજના વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ચેનલના રિપોર્ટર દ્વારા ત્યારે તેમણે કહ્યું કે રૂપાલાનો વિરોધ ક્યાંય થઈ જ નથી રહ્યો....!

ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે કારણ કે ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. વાઘોડિયા બેઠક પર ત્રિ પાંખીયો જંગ જામવાનો છે કારણ કે દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે આજે અપક્ષ ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી છે...

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. નેતાઓ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચૂંટણીને અનુલક્ષીને લખાયેલા કવિતા... લોલીપોપની લ્હાણી..

ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને માગ કરાઈ રહી છે કે તેમની ટિકીટ રદ્દ કરવામાં આવે. આવતીકાલે અમદાવાદ ખાતે ક્ષત્રિય સમાજે મહાસંમેલનનું આયોજન કર્યું છે.