આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, ભગવાન કેદારનાથના જયઘોષ સાથે ખુલ્યા Kedarnath ધામના કપાટ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-05-10 10:43:36

હિન્દુ ધર્મમાં યાત્રાધામનો વિશેષ મહિમા રહેલો હોય છે, અને તેમાં પણ ઉત્તરાખંડના ચારધામોના દર્શનનો તો માહાત્મ્ય અલગ હોય છે... ચારધામના દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ જતા હોય છે.. 6 મહિના માટે ચારધામના કપાટ ભક્તો માટે બંધ રહે છે.. અખાત્રીજના દિવસથી ચારધામ યાત્રાની શરૂઆત થઈ જતી હોય છે.. સવારે શુભ મુહુર્તમાં કેદારનાથ ધામના કપાટ ભક્તો માટે ખોલવામાં આવ્યા છે.. કેદારનાથ ધામના કપાટ 7 વાગ્યે ખુલ્યા જ્યારે યમુનોત્રીના દ્વાર 10.29 વાગ્યે ખુલ્યા.જ્યારે ગંગોત્રી ધામના દ્વાર બપોરે 12.20 વાગ્યે ભક્તો માટે ખુલ્લા મુકાશે.. 12 મેના રોજ બદ્રીનાથ ધામના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવશે.. કેદારનાથ ધામના કપાટ ખુલ્યા ત્યારે હર હર મહાદેવના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું...

     

અખાત્રીજના દિવસથી થાય છે ચારધામ યાત્રાનો પ્રારંભ

ઉત્તરાખંડના ચારધામમાં કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી તેમજ યમુનોત્રી ધામનો સમાવેશ થાય છે.. અનેક લોકોને ઈચ્છા હોય છે કે જીવનમાં એક વખત તો ચારધામના દર્શન કરવા જોઈએ.. ચારધામના દર્શન કરવાનો લ્હાવો પણ અલગ હોય છે... ભક્તો માટે અનેક મહિના સુધી ચારધામના કપાટ બંધ રહે છે... અખાત્રીજના શુભ દિવસથી ચારધામ યાત્રાની શરૂઆત થાય છે. આજે કેદારનાથ ધામ, ગંગોત્રી ધામના તેમજ યમુનોત્રી ધામના કપાટ ભક્તો માટે ખુલ્લા મૂકાયા છે જ્યારે 12મી તારીખે બદ્રીનાથ ધામના દ્વાર ભક્તો માટે ખુલ્લા મૂકાશે..


દર્શનનો લાભ લેવા આવતા હોય છે લાખો શ્રદ્ધાળુઓ

જ્યારે કેદારનાથ મંદિરના દ્વાર ખુલ્લા મૂકવામાં આવ્યા ત્યારે હેલીકોપ્ટરથી પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. હજારો ભક્તોએ હર હર મહાદેવનો જયઘોષ કર્યો હતો. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પણ તેમની પત્ની સાથે જ્યારે દ્વાર ખુલ્યા ત્યારે હાજર હતા અને ભક્તોનું સ્વાગત કર્યું હતું... મહત્વનું છે કે ચારધામ સાથે અનેક ભક્તોની આસ્થા જોડાયેલી હોય છે.. ચારધામ યાત્રા શરૂ થવાની ભક્તો રાહ જોતા હોય છે, ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે.. લાખો શ્રદ્ધાળુઓ ચારધામના દર્શન કરી પોતાને ધન્ય માને છે... અનેક કિલોમીટર સુધી લાંબી લાઈનો પણ જોવા મળતી હોય છે..   




૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.