આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, ભગવાન કેદારનાથના જયઘોષ સાથે ખુલ્યા Kedarnath ધામના કપાટ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-05-10 10:43:36

હિન્દુ ધર્મમાં યાત્રાધામનો વિશેષ મહિમા રહેલો હોય છે, અને તેમાં પણ ઉત્તરાખંડના ચારધામોના દર્શનનો તો માહાત્મ્ય અલગ હોય છે... ચારધામના દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ જતા હોય છે.. 6 મહિના માટે ચારધામના કપાટ ભક્તો માટે બંધ રહે છે.. અખાત્રીજના દિવસથી ચારધામ યાત્રાની શરૂઆત થઈ જતી હોય છે.. સવારે શુભ મુહુર્તમાં કેદારનાથ ધામના કપાટ ભક્તો માટે ખોલવામાં આવ્યા છે.. કેદારનાથ ધામના કપાટ 7 વાગ્યે ખુલ્યા જ્યારે યમુનોત્રીના દ્વાર 10.29 વાગ્યે ખુલ્યા.જ્યારે ગંગોત્રી ધામના દ્વાર બપોરે 12.20 વાગ્યે ભક્તો માટે ખુલ્લા મુકાશે.. 12 મેના રોજ બદ્રીનાથ ધામના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવશે.. કેદારનાથ ધામના કપાટ ખુલ્યા ત્યારે હર હર મહાદેવના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું...

     

અખાત્રીજના દિવસથી થાય છે ચારધામ યાત્રાનો પ્રારંભ

ઉત્તરાખંડના ચારધામમાં કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી તેમજ યમુનોત્રી ધામનો સમાવેશ થાય છે.. અનેક લોકોને ઈચ્છા હોય છે કે જીવનમાં એક વખત તો ચારધામના દર્શન કરવા જોઈએ.. ચારધામના દર્શન કરવાનો લ્હાવો પણ અલગ હોય છે... ભક્તો માટે અનેક મહિના સુધી ચારધામના કપાટ બંધ રહે છે... અખાત્રીજના શુભ દિવસથી ચારધામ યાત્રાની શરૂઆત થાય છે. આજે કેદારનાથ ધામ, ગંગોત્રી ધામના તેમજ યમુનોત્રી ધામના કપાટ ભક્તો માટે ખુલ્લા મૂકાયા છે જ્યારે 12મી તારીખે બદ્રીનાથ ધામના દ્વાર ભક્તો માટે ખુલ્લા મૂકાશે..


દર્શનનો લાભ લેવા આવતા હોય છે લાખો શ્રદ્ધાળુઓ

જ્યારે કેદારનાથ મંદિરના દ્વાર ખુલ્લા મૂકવામાં આવ્યા ત્યારે હેલીકોપ્ટરથી પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. હજારો ભક્તોએ હર હર મહાદેવનો જયઘોષ કર્યો હતો. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પણ તેમની પત્ની સાથે જ્યારે દ્વાર ખુલ્યા ત્યારે હાજર હતા અને ભક્તોનું સ્વાગત કર્યું હતું... મહત્વનું છે કે ચારધામ સાથે અનેક ભક્તોની આસ્થા જોડાયેલી હોય છે.. ચારધામ યાત્રા શરૂ થવાની ભક્તો રાહ જોતા હોય છે, ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે.. લાખો શ્રદ્ધાળુઓ ચારધામના દર્શન કરી પોતાને ધન્ય માને છે... અનેક કિલોમીટર સુધી લાંબી લાઈનો પણ જોવા મળતી હોય છે..   




સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .