આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, ભગવાન કેદારનાથના જયઘોષ સાથે ખુલ્યા Kedarnath ધામના કપાટ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-05-10 10:43:36

હિન્દુ ધર્મમાં યાત્રાધામનો વિશેષ મહિમા રહેલો હોય છે, અને તેમાં પણ ઉત્તરાખંડના ચારધામોના દર્શનનો તો માહાત્મ્ય અલગ હોય છે... ચારધામના દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ જતા હોય છે.. 6 મહિના માટે ચારધામના કપાટ ભક્તો માટે બંધ રહે છે.. અખાત્રીજના દિવસથી ચારધામ યાત્રાની શરૂઆત થઈ જતી હોય છે.. સવારે શુભ મુહુર્તમાં કેદારનાથ ધામના કપાટ ભક્તો માટે ખોલવામાં આવ્યા છે.. કેદારનાથ ધામના કપાટ 7 વાગ્યે ખુલ્યા જ્યારે યમુનોત્રીના દ્વાર 10.29 વાગ્યે ખુલ્યા.જ્યારે ગંગોત્રી ધામના દ્વાર બપોરે 12.20 વાગ્યે ભક્તો માટે ખુલ્લા મુકાશે.. 12 મેના રોજ બદ્રીનાથ ધામના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવશે.. કેદારનાથ ધામના કપાટ ખુલ્યા ત્યારે હર હર મહાદેવના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું...

     

અખાત્રીજના દિવસથી થાય છે ચારધામ યાત્રાનો પ્રારંભ

ઉત્તરાખંડના ચારધામમાં કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી તેમજ યમુનોત્રી ધામનો સમાવેશ થાય છે.. અનેક લોકોને ઈચ્છા હોય છે કે જીવનમાં એક વખત તો ચારધામના દર્શન કરવા જોઈએ.. ચારધામના દર્શન કરવાનો લ્હાવો પણ અલગ હોય છે... ભક્તો માટે અનેક મહિના સુધી ચારધામના કપાટ બંધ રહે છે... અખાત્રીજના શુભ દિવસથી ચારધામ યાત્રાની શરૂઆત થાય છે. આજે કેદારનાથ ધામ, ગંગોત્રી ધામના તેમજ યમુનોત્રી ધામના કપાટ ભક્તો માટે ખુલ્લા મૂકાયા છે જ્યારે 12મી તારીખે બદ્રીનાથ ધામના દ્વાર ભક્તો માટે ખુલ્લા મૂકાશે..


દર્શનનો લાભ લેવા આવતા હોય છે લાખો શ્રદ્ધાળુઓ

જ્યારે કેદારનાથ મંદિરના દ્વાર ખુલ્લા મૂકવામાં આવ્યા ત્યારે હેલીકોપ્ટરથી પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. હજારો ભક્તોએ હર હર મહાદેવનો જયઘોષ કર્યો હતો. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પણ તેમની પત્ની સાથે જ્યારે દ્વાર ખુલ્યા ત્યારે હાજર હતા અને ભક્તોનું સ્વાગત કર્યું હતું... મહત્વનું છે કે ચારધામ સાથે અનેક ભક્તોની આસ્થા જોડાયેલી હોય છે.. ચારધામ યાત્રા શરૂ થવાની ભક્તો રાહ જોતા હોય છે, ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે.. લાખો શ્રદ્ધાળુઓ ચારધામના દર્શન કરી પોતાને ધન્ય માને છે... અનેક કિલોમીટર સુધી લાંબી લાઈનો પણ જોવા મળતી હોય છે..   




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .