આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, ભગવાન કેદારનાથના જયઘોષ સાથે ખુલ્યા Kedarnath ધામના કપાટ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-05-10 10:43:36

હિન્દુ ધર્મમાં યાત્રાધામનો વિશેષ મહિમા રહેલો હોય છે, અને તેમાં પણ ઉત્તરાખંડના ચારધામોના દર્શનનો તો માહાત્મ્ય અલગ હોય છે... ચારધામના દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ જતા હોય છે.. 6 મહિના માટે ચારધામના કપાટ ભક્તો માટે બંધ રહે છે.. અખાત્રીજના દિવસથી ચારધામ યાત્રાની શરૂઆત થઈ જતી હોય છે.. સવારે શુભ મુહુર્તમાં કેદારનાથ ધામના કપાટ ભક્તો માટે ખોલવામાં આવ્યા છે.. કેદારનાથ ધામના કપાટ 7 વાગ્યે ખુલ્યા જ્યારે યમુનોત્રીના દ્વાર 10.29 વાગ્યે ખુલ્યા.જ્યારે ગંગોત્રી ધામના દ્વાર બપોરે 12.20 વાગ્યે ભક્તો માટે ખુલ્લા મુકાશે.. 12 મેના રોજ બદ્રીનાથ ધામના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવશે.. કેદારનાથ ધામના કપાટ ખુલ્યા ત્યારે હર હર મહાદેવના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું...

     

અખાત્રીજના દિવસથી થાય છે ચારધામ યાત્રાનો પ્રારંભ

ઉત્તરાખંડના ચારધામમાં કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી તેમજ યમુનોત્રી ધામનો સમાવેશ થાય છે.. અનેક લોકોને ઈચ્છા હોય છે કે જીવનમાં એક વખત તો ચારધામના દર્શન કરવા જોઈએ.. ચારધામના દર્શન કરવાનો લ્હાવો પણ અલગ હોય છે... ભક્તો માટે અનેક મહિના સુધી ચારધામના કપાટ બંધ રહે છે... અખાત્રીજના શુભ દિવસથી ચારધામ યાત્રાની શરૂઆત થાય છે. આજે કેદારનાથ ધામ, ગંગોત્રી ધામના તેમજ યમુનોત્રી ધામના કપાટ ભક્તો માટે ખુલ્લા મૂકાયા છે જ્યારે 12મી તારીખે બદ્રીનાથ ધામના દ્વાર ભક્તો માટે ખુલ્લા મૂકાશે..


દર્શનનો લાભ લેવા આવતા હોય છે લાખો શ્રદ્ધાળુઓ

જ્યારે કેદારનાથ મંદિરના દ્વાર ખુલ્લા મૂકવામાં આવ્યા ત્યારે હેલીકોપ્ટરથી પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. હજારો ભક્તોએ હર હર મહાદેવનો જયઘોષ કર્યો હતો. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પણ તેમની પત્ની સાથે જ્યારે દ્વાર ખુલ્યા ત્યારે હાજર હતા અને ભક્તોનું સ્વાગત કર્યું હતું... મહત્વનું છે કે ચારધામ સાથે અનેક ભક્તોની આસ્થા જોડાયેલી હોય છે.. ચારધામ યાત્રા શરૂ થવાની ભક્તો રાહ જોતા હોય છે, ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે.. લાખો શ્રદ્ધાળુઓ ચારધામના દર્શન કરી પોતાને ધન્ય માને છે... અનેક કિલોમીટર સુધી લાંબી લાઈનો પણ જોવા મળતી હોય છે..   




મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.