Chardham Yatra : દર્શન કરવા ઉમટી ભાવિકોની ભીડ, મંદિર પરિસરના આટલા મીટર ફરતે ભક્તો નહીં બનાવી શકે રિલ્સ, VIP દર્શનને લઈ લેવાયો આ નિર્ણય


  • Published By :
  • Published Date : 2024-05-17 13:10:33

ઉત્તરાખંડના ચારધામના દર્શન કરવાનો અનેરો મહિમા રહેલો હોય છે.. કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમનોત્રીના દર્શન માટે લાખો ભક્તો જતા હોય છે. જેમ જેમ દિવસો વિતી રહ્યા છે તેમ તેમ શ્રદ્ધાળુઓની સંખ્યા વધતી જઈ રહી છે.. ત્યાંથી જે વીડિયો સામે આવ્યા છે તે જોઈને અંદાજો લગાવી શકાય છે કે ત્યાં કેટલી ભીડ છે. અનેક ભક્તો મંદિરની આસપાસ રીલ અથવા તો બ્લોગ બનાવતા હોય છે, ફોટો પાડતા હોય છે જેને કારણે અનેક વખત બનતું હોય છે કે વ્યવસ્થા ખોરવાઈ જાય છે. ત્યારે ઉત્તરાખંડ પ્રશાસન દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જે મુજબ ચારધામના મંદિર પરિસરની 50 મીટરની ત્રિજ્યામાં રીલ્સ અથવા વિડિયો બનાવવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.. એવી પણ માહિતી સામે આવી છે કે મંદિર પરિસરના 200 મીટરની અંદર ફોનને નહીં વાપરી શકાય.

    

વીઆઈપી દર્શન પર આ તારીખ સુધી વધારાયો પ્રતિબંધ  

ચારધામના દર્શન કરવાનો લ્હાવો અનેરો હોય છે.. અનેક લોકોની ઈચ્છા હોય છે જીવનમાં એક વખત તો ઉત્તરાખંડના ચારધામ યાત્રાના દર્શન કરવાની... ચારધામના દ્વાર ખુલતા જ હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ત્યાં આવી પહોંચ્યા છે જેને કારણે વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે... અનેક લોકો મોબાઈલમાં રિલ બનાવતા હોય છે જેને કારણે ભીડ જામી જતી હોય છે. ત્યારે વ્યવસ્થા ના ખોરવાય તે માટે પ્રશાસન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચારધામના મંદિર પરિસરની 50 મીટરની ત્રિજ્યામાં રીલ્સ અથવા વિડિયો બનાવવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.. તે સિવાય 31 મે સુધી વીઆઈપી દર્શનની વ્યવસ્થા પણ બંધ કરી દેવામાં આવી છે.. 

અનેક ભક્તો વીડિયો અને રિલ્સ બનાવવામાં હોય છે વ્યસ્ત

આપણે જ્યારે ધાર્મિક સ્થાનો પર જતા હોઈએ છીએ ત્યારે અનેક વખત જોવા મળતું હોય છે કે દર્શન કરવા કરતા વધારે ધ્યાન ભક્તોનું ફોટો પાડવામાં હોય છે.. મોબાઈલમાં તે ક્ષણને કેપ્ચર કરતા હોય છે પરંતુ દર્શન કરવાનું ભૂલી જતા હોય છે..! તે ઉપરાંત સોશિયલ મીડિયા પર મૂકવા માટે પણ અનેક ભક્તો રીલ બનાવતા હોય છે. રીલ્સ અને ફોટોના ચક્કરમાં બીજા અનેક ભક્તોને અગવડ પડતી હોય છે ઉપરાંત ભીડ પણ વધારે થઈ જતી હોય છે.. 



મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી ભાવિકોની ભીડ

ચારધામના કપાટ ખૂલતા જ મોટી સંખ્યામાં ભક્તો ત્યાં આવી પહોંચ્યા છે.. જેને કારણે વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. ત્યારે મંદિર પરિસરની 50 મીટરની ત્રિજ્યામાં રીલ્સ અથવા વિડીયો બનાવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. એવી માહિતી સામે આવી છે ફોન લઈ જવા પર પ્રતિબંધ નથી મૂકવામાં આવ્યો.. ફોન રાખી શકાશે વીડિયો શૂટ નહીં કરી શકાય અને રીલ નહીં બનાવી શકાય તેવી માહિતી સામે આવી છે...   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.