'બિકીની કિલર' ચાર્લ્સ શોભરાજ 19 વર્ષ પછી જેલમાંથી આવશે બહાર, નેપાળની સુપ્રીમ કોર્ટનો આદેશ


  • Published By :
  • Published Date : 2022-12-21 21:15:03

બિકિની કિલરના નામથી કુખ્યાત ચાર્લ્સ શોભરાજ નેપાળની જેલમાંથી 19 વર્ષ બાદ મુક્ત થશે. નેપાળની સુપ્રીમ કોર્ટે તેને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. ચાર્લ્સ શોભરાજની વર્ષ 2003માં ધરપકડ કરવામાં આવી હતી અને  ત્યારથી તે જેલમાં બંધ છે. નેપાળની સર્વોચ્ચ અદાલતે 15 દિવસની અંદર તેના ડિપોર્ટેશનનો પણ હુકમ આપ્યો છે. 


શોભરાજ શા માટે છુટ્યો? 


શોભરાજ દ્વારા જેલમાંથી મુક્ત થવા માટે અરજી કરવામાં આવી હતી, શોભરાજ નિર્ધારિત સમયગાળા કરતા કારાવાસ ભોગવ્યો હોવાથી તેણે મુક્તી માટે અરજી કરી હતી, આ અરજીને માન્ય રાખી તેને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ચાર્લ્સ શોભરાજ પર બે અમેરિકન પ્રવાસીઓની હત્યાનો આરોપ છે. આ આરોપમાં તે 2003થી નેપાળની જેલમાં બંધ છે. નેપાળની સુપ્રીમ કોર્ટે પણ તેની મુક્તિના 15 દિવસની અંદર તેને દેશનિકાલ કરવાનો આદેશ આપ્યો છે.


ચાર્લ્સ શોભરાજ કોણ છે?


વિયેતનામી મૂળના ચાર્લ્સ શોભરાજનો જન્મ 1944માં વિયેતનામના હો ચી મિન્હ શહેરમાં થયો હતો. તેની માતા વિયેતનામની હતી અને પિતા ભારતીય મૂળના હતા. ચાર્લ્સનું સાચું નામ હેતચંદ ભૌનાની ગુરુમુખ ચાર્લ્સ શોભરાજ છે. પરંતુ તે બિકીની કિલર અને સિરિયલ કિલર તરીકે જાણીતો છે. ચાર્લ્સના જીવનના કેટલાક વર્ષો એશિયા અને ફ્રાન્સમાં વિત્યા હતા. માતાપિતાના છૂટાછેડા પછી તેની માતાએ એક ફ્રેન્ચ લેફ્ટનન્ટ સાથે મળીને ઉછેર્યો હતો.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .