મુંબઈ એરપોર્ટ પર ચાર્ટર્ડ પ્લેન ક્રેશ: 8 ઘાયલ: વિમાન ઘડાકાભેર રનવે પર પડ્યું, બે ભાગમાં તૂટી ગયું, VIDEO વાયરલ


  • Published By :
  • Published Date : 2023-09-14 21:43:21

મુંબઈ એરપોર્ટ પર આજે ગુરુવાર, 14 સપ્ટેમ્બરના રોજ, એક ચાર્ટર્ડ પ્લેન રનવે પર લેન્ડિંગ દરમિયાન સાંજે 5.08 વાગ્યે ફસડાઈને ક્રેશ થયું હતું. દુર્ઘટનાની સાથે જ પ્લેન બે ભાગમાં તૂટી ગયું અને આગ લાગી ગઈ. વિમાનમાં 6 મુસાફરો અને 2 ક્રૂ મેમ્બર સવાર હતા, આ તમામને ઈજા થઈ છે. તમામ ઘાટલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિમાને વિશાખાપટ્ટનમથી ઉડાન ભરી હતી. વિમાનમાં  જેએમ બૈક્સી કંપનીના માલિક કોટક અને તેમના પરિવારના સભ્યો સવાર હતા. જેએમ બૈક્સી કંપની લોજિસ્ટિક્સ સેક્ટરમાં કાર્યરત છે.


લો વિઝિબિલિટીના કારણે સર્જાઈ દુર્ઘટના


ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ જણાવ્યું કે પ્લેન VSR વેન્ચર્સનું Learjet 45 VT-DBL છે. તે મુંબઈના રનવે 27 પર લપસી ગયું હતું.આ ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. મુંબઈમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે વિઝિબિલિટી ઘટીને 700 મીટર થઈ ગઈ છે.જેના કારણે આ ઘટના બની છે. દુર્ઘટના બાદ મુંબઈ એરપોર્ટના બે રનવે બંધ કરી દેવામાં આવ્યા હતા, જે સાંજે 6.45 કલાકે ફરી ખોલવામાં આવ્યા હતા.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.