મુંબઈ એરપોર્ટ પર ચાર્ટર્ડ પ્લેન ક્રેશ: 8 ઘાયલ: વિમાન ઘડાકાભેર રનવે પર પડ્યું, બે ભાગમાં તૂટી ગયું, VIDEO વાયરલ


  • Published By :
  • Published Date : 2023-09-14 21:43:21

મુંબઈ એરપોર્ટ પર આજે ગુરુવાર, 14 સપ્ટેમ્બરના રોજ, એક ચાર્ટર્ડ પ્લેન રનવે પર લેન્ડિંગ દરમિયાન સાંજે 5.08 વાગ્યે ફસડાઈને ક્રેશ થયું હતું. દુર્ઘટનાની સાથે જ પ્લેન બે ભાગમાં તૂટી ગયું અને આગ લાગી ગઈ. વિમાનમાં 6 મુસાફરો અને 2 ક્રૂ મેમ્બર સવાર હતા, આ તમામને ઈજા થઈ છે. તમામ ઘાટલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિમાને વિશાખાપટ્ટનમથી ઉડાન ભરી હતી. વિમાનમાં  જેએમ બૈક્સી કંપનીના માલિક કોટક અને તેમના પરિવારના સભ્યો સવાર હતા. જેએમ બૈક્સી કંપની લોજિસ્ટિક્સ સેક્ટરમાં કાર્યરત છે.


લો વિઝિબિલિટીના કારણે સર્જાઈ દુર્ઘટના


ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ જણાવ્યું કે પ્લેન VSR વેન્ચર્સનું Learjet 45 VT-DBL છે. તે મુંબઈના રનવે 27 પર લપસી ગયું હતું.આ ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. મુંબઈમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે વિઝિબિલિટી ઘટીને 700 મીટર થઈ ગઈ છે.જેના કારણે આ ઘટના બની છે. દુર્ઘટના બાદ મુંબઈ એરપોર્ટના બે રનવે બંધ કરી દેવામાં આવ્યા હતા, જે સાંજે 6.45 કલાકે ફરી ખોલવામાં આવ્યા હતા.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .