મુંબઈ એરપોર્ટ પર ચાર્ટર્ડ પ્લેન ક્રેશ: 8 ઘાયલ: વિમાન ઘડાકાભેર રનવે પર પડ્યું, બે ભાગમાં તૂટી ગયું, VIDEO વાયરલ


  • Published By :
  • Published Date : 2023-09-14 21:43:21

મુંબઈ એરપોર્ટ પર આજે ગુરુવાર, 14 સપ્ટેમ્બરના રોજ, એક ચાર્ટર્ડ પ્લેન રનવે પર લેન્ડિંગ દરમિયાન સાંજે 5.08 વાગ્યે ફસડાઈને ક્રેશ થયું હતું. દુર્ઘટનાની સાથે જ પ્લેન બે ભાગમાં તૂટી ગયું અને આગ લાગી ગઈ. વિમાનમાં 6 મુસાફરો અને 2 ક્રૂ મેમ્બર સવાર હતા, આ તમામને ઈજા થઈ છે. તમામ ઘાટલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિમાને વિશાખાપટ્ટનમથી ઉડાન ભરી હતી. વિમાનમાં  જેએમ બૈક્સી કંપનીના માલિક કોટક અને તેમના પરિવારના સભ્યો સવાર હતા. જેએમ બૈક્સી કંપની લોજિસ્ટિક્સ સેક્ટરમાં કાર્યરત છે.


લો વિઝિબિલિટીના કારણે સર્જાઈ દુર્ઘટના


ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ જણાવ્યું કે પ્લેન VSR વેન્ચર્સનું Learjet 45 VT-DBL છે. તે મુંબઈના રનવે 27 પર લપસી ગયું હતું.આ ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. મુંબઈમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે વિઝિબિલિટી ઘટીને 700 મીટર થઈ ગઈ છે.જેના કારણે આ ઘટના બની છે. દુર્ઘટના બાદ મુંબઈ એરપોર્ટના બે રનવે બંધ કરી દેવામાં આવ્યા હતા, જે સાંજે 6.45 કલાકે ફરી ખોલવામાં આવ્યા હતા.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.