સુરત મનપાની લાલિયાવાડી : ભુવો રીપેર કર્યાની થોડી જ મિનિટમાં ત્યાં ફરી ભૂવો પડ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 11:50:31

સુરતના રાંદેરના એલપી સવાણી રોડ પર ગઈકાલે ભૂવો પાડવાની ઘટના બની.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ભુવો ઉતાવળમાં બુરી દીધો અને વાહન ચલાવવા માટે રોડ ખુલ્લો મૂકી દીધો હતો.ભુવો રીપેર કર્યાના થોડાજ સમયમાં ફરી એજ જગ્યાએ ભુવો પડ્યો અને એક ફોરવ્લીહ ભૂવામાં ફસાઈ અને તંત્રની ફરી પોલ ખુલી ગઈ.


ફોરવ્લીહ ભૂવામાં ફસાઈ જતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. આવી લાલિયાવાડી વચ્ચે સ્થાનિકોનું કહેવું હતું કે સુરત મનપાના અધિકારીઓએ રોડ બનાવનાર કોન્ટ્રેક્ટરનો બચાવ કર્યો હતો. 


એકવાર ભુવો પડે અને તેને રિપેર કરવામાં આવે અને ફરીથી ત્યાં જ ભુવો પડીને ગાડી ફસાઈ જાય તો સ્વાભાવિક રીતે જ રાંદેસણના અધિકારીઓની કામગીરી કેટલી હદે નકામી હશે તે સમજાય છે.

રોડ બનાવતી વખતે પણ કોન્ટ્રાક્ટરો સાથે આ જ અધિકારીઓ નરમ વલણ રાખતા હોય છે. ઘણી વખત તો રોડ બનાવવાની કામગીરીને લઈને ફરિયાદ પણ આવતી હોય છે, પરંતુ, આ અધિકારીઓ કેવી રીતે તેનો રસ્તો કાઢી લેવામાં પોતાની હોશિયારી વાપરતા હોય છે. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટરોને દંડ ફટકારવા ને બદલે તેમાંથી તેમને બચાવવા કયો રસ્તો અપનાવો તેમાં વધારે ફોકસ કરે છે 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .