સુરત મનપાની લાલિયાવાડી : ભુવો રીપેર કર્યાની થોડી જ મિનિટમાં ત્યાં ફરી ભૂવો પડ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 11:50:31

સુરતના રાંદેરના એલપી સવાણી રોડ પર ગઈકાલે ભૂવો પાડવાની ઘટના બની.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ભુવો ઉતાવળમાં બુરી દીધો અને વાહન ચલાવવા માટે રોડ ખુલ્લો મૂકી દીધો હતો.ભુવો રીપેર કર્યાના થોડાજ સમયમાં ફરી એજ જગ્યાએ ભુવો પડ્યો અને એક ફોરવ્લીહ ભૂવામાં ફસાઈ અને તંત્રની ફરી પોલ ખુલી ગઈ.


ફોરવ્લીહ ભૂવામાં ફસાઈ જતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. આવી લાલિયાવાડી વચ્ચે સ્થાનિકોનું કહેવું હતું કે સુરત મનપાના અધિકારીઓએ રોડ બનાવનાર કોન્ટ્રેક્ટરનો બચાવ કર્યો હતો. 


એકવાર ભુવો પડે અને તેને રિપેર કરવામાં આવે અને ફરીથી ત્યાં જ ભુવો પડીને ગાડી ફસાઈ જાય તો સ્વાભાવિક રીતે જ રાંદેસણના અધિકારીઓની કામગીરી કેટલી હદે નકામી હશે તે સમજાય છે.

રોડ બનાવતી વખતે પણ કોન્ટ્રાક્ટરો સાથે આ જ અધિકારીઓ નરમ વલણ રાખતા હોય છે. ઘણી વખત તો રોડ બનાવવાની કામગીરીને લઈને ફરિયાદ પણ આવતી હોય છે, પરંતુ, આ અધિકારીઓ કેવી રીતે તેનો રસ્તો કાઢી લેવામાં પોતાની હોશિયારી વાપરતા હોય છે. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટરોને દંડ ફટકારવા ને બદલે તેમાંથી તેમને બચાવવા કયો રસ્તો અપનાવો તેમાં વધારે ફોકસ કરે છે 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .