કૂનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તા ધાત્રી (તિબ્લિસી)નું મોત, 11 મહિનામાં 3 બચ્ચા સહિત 9 ચિત્તા મોતને ભેટ્યા


  • Published By :
  • Published Date : 2023-08-02 17:42:16

મધ્ય પ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં વધુ એક ચિંતાનું મોત થયું છે. મધ્ય પ્રદેશ વન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે સવારે માદા ચિત્તાઓમાંથી એક ધાત્રી (તિબ્લિસી) મૃત હાલતમાં મળી આવી હતી. કૂનો નેશનલ પાર્કમાં 11 મહિનામાં વિવિધ કારણોથી સુધીમાં ચિંતાના 3 બચ્ચા સહિત 9 ચિત્તાનું મોત થઈ ચુક્યું છે. ગત વર્ષે 17 સપ્ટેમ્બરના રોજ PM મોદી સૌથી પહેલા નામિબિયાથી લાવવામાં આવેલા ચિત્તાને છોડવામાં આવ્યા હતા. ત્યારથી આ ચિત્તાઓને ખાસ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. 


પોસ્ટમોર્ટમ બાદ મોતનું કારણ સામે આવશે


મધ્ય પ્રદેશ વન વિભાગના જણાવ્યા પ્રમાણે કૂનો નેશનલ પાર્કના કેયર ટેકર છેલ્લા બે દિવસથી ગાયબ માદા ચિત્તા તિબ્લિસીને શોધવામાં લાગ્યા હતા. બે દિવસની રઝળપાટ બાદ તિબ્લિસી (ધાત્રી)ની લાશ મળી આવી હતી. ધાત્રીને નામીબિયાથી લાવીને આ પાર્કમાં છોડવામાં આવી હતી. આ માદા ચિત્તાના મોતનું કારણ જાણી શકાયું નથી. જો કે મૃત્યુનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. કુનો પાર્કમાં 14 ચિત્તા છે. જેમાં સાત નર, છ માદા અને એક માદા બચ્ચા રાખવામાં આવ્યા છે. એક માદા ચિત્તા ખુલ્લામાં છે, એક ટીમ દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. વન વિભાગે એક નિવેદનમાં કહ્યું છે કે તેને સ્વાસ્થ્ય તપાસ માટે પરત લાવવાના પ્રયાસો ચાલુ છે.


6 ચિત્તા અને 3 બચ્ચા મૃત્યુ પામ્યા


મધ્ય પ્રદેશના શ્યોપુર સ્થિત કુનો નેશનલ પાર્કમાં ખુલ્લા જંગલમાં  26 જૂનના રોજ‘સૂરજ’ ચિત્તાને મોટા બંધમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. કુનો નેશનલ પાર્કના ખુલ્લા જંગલમાં છોડવામાં આવેલ સૂરજ 10મો ચિત્તા હતો. નર ચિત્તા ‘તેજસ’, જે દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવ્યો હતો અને 6 નંબરના બંધમાં રાખવામાં આવ્યો હતો, તેનું પણ 11 જુલાઈના રોજ મૃત્યુ થયું હતું. કુનો પાર્ક મેનેજમેન્ટની દેખરેખ દરમિયાન આ ચિત્તા ઘાયલ અવસ્થામાં મળી આવી હતી. તેજસના ગળાના ઉપરના ભાગમાં ઈજાના નિશાન જોવા મળ્યા હતા. કુનો નેશનલ પાર્કમાં અત્યાર સુધીમાં 6 ચિત્તા અને 3 બચ્ચા મૃત્યુ પામ્યા છે.


વિદેશથી 20 ચિત્તા લાવવામાં આવ્યા


ભારતમાં લુપ્ત થઈ ગયેલા ચિત્તાઓના પુનર્વસન માટે કેન્દ્ર સરકાર દ્વારા પહેલ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી 20 ચિત્તા લાવવામાં આવ્યા હતા. કુનો નેશનલ પાર્કમાં તમામ ચિત્તાઓને છોડવામાં આવ્યા હતા. આ પછી માદા ચિત્તાએ 4 બચ્ચાને જન્મ આપ્યો. જેના કારણે કુલ સંખ્યા 24 થઈ ગઈ હતી. પરંતુ તેમાંથી અત્યાર સુધીમાં 3 બચ્ચા અને 6 પુખ્ત ચિત્તાના મોત થયા છે.



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.