કૂનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તા ધાત્રી (તિબ્લિસી)નું મોત, 11 મહિનામાં 3 બચ્ચા સહિત 9 ચિત્તા મોતને ભેટ્યા


  • Published By :
  • Published Date : 2023-08-02 17:42:16

મધ્ય પ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં વધુ એક ચિંતાનું મોત થયું છે. મધ્ય પ્રદેશ વન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે સવારે માદા ચિત્તાઓમાંથી એક ધાત્રી (તિબ્લિસી) મૃત હાલતમાં મળી આવી હતી. કૂનો નેશનલ પાર્કમાં 11 મહિનામાં વિવિધ કારણોથી સુધીમાં ચિંતાના 3 બચ્ચા સહિત 9 ચિત્તાનું મોત થઈ ચુક્યું છે. ગત વર્ષે 17 સપ્ટેમ્બરના રોજ PM મોદી સૌથી પહેલા નામિબિયાથી લાવવામાં આવેલા ચિત્તાને છોડવામાં આવ્યા હતા. ત્યારથી આ ચિત્તાઓને ખાસ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. 


પોસ્ટમોર્ટમ બાદ મોતનું કારણ સામે આવશે


મધ્ય પ્રદેશ વન વિભાગના જણાવ્યા પ્રમાણે કૂનો નેશનલ પાર્કના કેયર ટેકર છેલ્લા બે દિવસથી ગાયબ માદા ચિત્તા તિબ્લિસીને શોધવામાં લાગ્યા હતા. બે દિવસની રઝળપાટ બાદ તિબ્લિસી (ધાત્રી)ની લાશ મળી આવી હતી. ધાત્રીને નામીબિયાથી લાવીને આ પાર્કમાં છોડવામાં આવી હતી. આ માદા ચિત્તાના મોતનું કારણ જાણી શકાયું નથી. જો કે મૃત્યુનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. કુનો પાર્કમાં 14 ચિત્તા છે. જેમાં સાત નર, છ માદા અને એક માદા બચ્ચા રાખવામાં આવ્યા છે. એક માદા ચિત્તા ખુલ્લામાં છે, એક ટીમ દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. વન વિભાગે એક નિવેદનમાં કહ્યું છે કે તેને સ્વાસ્થ્ય તપાસ માટે પરત લાવવાના પ્રયાસો ચાલુ છે.


6 ચિત્તા અને 3 બચ્ચા મૃત્યુ પામ્યા


મધ્ય પ્રદેશના શ્યોપુર સ્થિત કુનો નેશનલ પાર્કમાં ખુલ્લા જંગલમાં  26 જૂનના રોજ‘સૂરજ’ ચિત્તાને મોટા બંધમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. કુનો નેશનલ પાર્કના ખુલ્લા જંગલમાં છોડવામાં આવેલ સૂરજ 10મો ચિત્તા હતો. નર ચિત્તા ‘તેજસ’, જે દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવ્યો હતો અને 6 નંબરના બંધમાં રાખવામાં આવ્યો હતો, તેનું પણ 11 જુલાઈના રોજ મૃત્યુ થયું હતું. કુનો પાર્ક મેનેજમેન્ટની દેખરેખ દરમિયાન આ ચિત્તા ઘાયલ અવસ્થામાં મળી આવી હતી. તેજસના ગળાના ઉપરના ભાગમાં ઈજાના નિશાન જોવા મળ્યા હતા. કુનો નેશનલ પાર્કમાં અત્યાર સુધીમાં 6 ચિત્તા અને 3 બચ્ચા મૃત્યુ પામ્યા છે.


વિદેશથી 20 ચિત્તા લાવવામાં આવ્યા


ભારતમાં લુપ્ત થઈ ગયેલા ચિત્તાઓના પુનર્વસન માટે કેન્દ્ર સરકાર દ્વારા પહેલ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી 20 ચિત્તા લાવવામાં આવ્યા હતા. કુનો નેશનલ પાર્કમાં તમામ ચિત્તાઓને છોડવામાં આવ્યા હતા. આ પછી માદા ચિત્તાએ 4 બચ્ચાને જન્મ આપ્યો. જેના કારણે કુલ સંખ્યા 24 થઈ ગઈ હતી. પરંતુ તેમાંથી અત્યાર સુધીમાં 3 બચ્ચા અને 6 પુખ્ત ચિત્તાના મોત થયા છે.



સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વાલેવડા ગામે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું છે. આ મામલે , દસાડા પોલીસ મથકે એક વ્યક્તિ સામે ફરજમાં રુકાવટ અંગેની ફરિયાદ પોતે પોલીસ કર્મચારી દ્વારા નોંધાવવામાં આવી છે. બીજી બાજુ કોંગ્રેસના પૂર્વ MLA અને ગ્રામજનો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે , સ્થાનિક PI દ્વારા રિવોલ્વર મૂકીને ધમકી આપીને માર મારવામાં આવ્યો છે.

There is a lot of discussion on the relations between India and America, whether it is Donald Trump's tariff hike or calling PM Modi a special friend, everyone's eyes are on these relations between India and America. Amidst all this, US Ambassador to India Sergio Gore reached Mumbai and this visit is considered a very important one.

ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.