કૂનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તા ધાત્રી (તિબ્લિસી)નું મોત, 11 મહિનામાં 3 બચ્ચા સહિત 9 ચિત્તા મોતને ભેટ્યા


  • Published By :
  • Published Date : 2023-08-02 17:42:16

મધ્ય પ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં વધુ એક ચિંતાનું મોત થયું છે. મધ્ય પ્રદેશ વન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે સવારે માદા ચિત્તાઓમાંથી એક ધાત્રી (તિબ્લિસી) મૃત હાલતમાં મળી આવી હતી. કૂનો નેશનલ પાર્કમાં 11 મહિનામાં વિવિધ કારણોથી સુધીમાં ચિંતાના 3 બચ્ચા સહિત 9 ચિત્તાનું મોત થઈ ચુક્યું છે. ગત વર્ષે 17 સપ્ટેમ્બરના રોજ PM મોદી સૌથી પહેલા નામિબિયાથી લાવવામાં આવેલા ચિત્તાને છોડવામાં આવ્યા હતા. ત્યારથી આ ચિત્તાઓને ખાસ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. 


પોસ્ટમોર્ટમ બાદ મોતનું કારણ સામે આવશે


મધ્ય પ્રદેશ વન વિભાગના જણાવ્યા પ્રમાણે કૂનો નેશનલ પાર્કના કેયર ટેકર છેલ્લા બે દિવસથી ગાયબ માદા ચિત્તા તિબ્લિસીને શોધવામાં લાગ્યા હતા. બે દિવસની રઝળપાટ બાદ તિબ્લિસી (ધાત્રી)ની લાશ મળી આવી હતી. ધાત્રીને નામીબિયાથી લાવીને આ પાર્કમાં છોડવામાં આવી હતી. આ માદા ચિત્તાના મોતનું કારણ જાણી શકાયું નથી. જો કે મૃત્યુનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. કુનો પાર્કમાં 14 ચિત્તા છે. જેમાં સાત નર, છ માદા અને એક માદા બચ્ચા રાખવામાં આવ્યા છે. એક માદા ચિત્તા ખુલ્લામાં છે, એક ટીમ દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. વન વિભાગે એક નિવેદનમાં કહ્યું છે કે તેને સ્વાસ્થ્ય તપાસ માટે પરત લાવવાના પ્રયાસો ચાલુ છે.


6 ચિત્તા અને 3 બચ્ચા મૃત્યુ પામ્યા


મધ્ય પ્રદેશના શ્યોપુર સ્થિત કુનો નેશનલ પાર્કમાં ખુલ્લા જંગલમાં  26 જૂનના રોજ‘સૂરજ’ ચિત્તાને મોટા બંધમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. કુનો નેશનલ પાર્કના ખુલ્લા જંગલમાં છોડવામાં આવેલ સૂરજ 10મો ચિત્તા હતો. નર ચિત્તા ‘તેજસ’, જે દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવ્યો હતો અને 6 નંબરના બંધમાં રાખવામાં આવ્યો હતો, તેનું પણ 11 જુલાઈના રોજ મૃત્યુ થયું હતું. કુનો પાર્ક મેનેજમેન્ટની દેખરેખ દરમિયાન આ ચિત્તા ઘાયલ અવસ્થામાં મળી આવી હતી. તેજસના ગળાના ઉપરના ભાગમાં ઈજાના નિશાન જોવા મળ્યા હતા. કુનો નેશનલ પાર્કમાં અત્યાર સુધીમાં 6 ચિત્તા અને 3 બચ્ચા મૃત્યુ પામ્યા છે.


વિદેશથી 20 ચિત્તા લાવવામાં આવ્યા


ભારતમાં લુપ્ત થઈ ગયેલા ચિત્તાઓના પુનર્વસન માટે કેન્દ્ર સરકાર દ્વારા પહેલ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી 20 ચિત્તા લાવવામાં આવ્યા હતા. કુનો નેશનલ પાર્કમાં તમામ ચિત્તાઓને છોડવામાં આવ્યા હતા. આ પછી માદા ચિત્તાએ 4 બચ્ચાને જન્મ આપ્યો. જેના કારણે કુલ સંખ્યા 24 થઈ ગઈ હતી. પરંતુ તેમાંથી અત્યાર સુધીમાં 3 બચ્ચા અને 6 પુખ્ત ચિત્તાના મોત થયા છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.