મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તા 'સૂરજ'નું મોત, 4 મહિનામાં 8 ચિત્તાઓ મોતને ભેટ્યાં


  • Published By :
  • Published Date : 2023-07-14 21:39:26

મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં આજે 14 જુલાઈના રોજ વધુ એક ચિત્તાનું મૃત્યુ થયું છે, મૃત્યુ પામેલા ચિતાનું નામ સૂરજ હતું. અધિકારીઓનું કહેવું છે કે દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા સૂરજના મોતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, ડોક્ટરોની ટીમ તપાસમાં લાગેલી છે. આ વર્ષે માર્ચથી, શ્યોપુર જિલ્લાના કુનો નેશનલ પાર્ક (KNP)માં મૃત્યુ પામનાર ચિત્તાની સંખ્યા 8 થઈ ગઈ છે. નેશનલ પાર્કમાં છેલ્લા 4 મહિનામાં આ આઠમો ચિત્તો મૃત્યુ પામ્યો છે, જેમાં 5 પુખ્ત અને 3 બચ્ચાનો સમાવેશ થાય છે. આફ્રિકાથી લાવવામાં આવેલ તેજસ નામનો નર ચિત્તો ત્રણ દિવસ પહેલા જ પાર્કમાં મૃત્યુ પામ્યો હતો.


કેવી રીતે મોત થયું?


કુનો નેશનલ પાર્કના અધિકારીએ જણાવ્યું કે શુક્રવાર સવારે સર્વેલન્સ ટીમ દ્વારા પાલપુર પૂર્વ વન રેન્જના મસાવની બીટમાં સૂરજ નામનો ચિત્તો સવારે 9 વાગ્યે મૃત હાલતમાં મળી આવ્યો હતો. પશુ ચિકિત્સકો અને વન અધિકારીઓની એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તેમણે કહ્યું કે, ફ્રી ઝોનમાં દીપડાનું મોત થયું હોય તેવી આ પહેલી ઘટના છે. અધિકારીએ કહ્યું કે તેની પીઠ અને ગરદન પર ઈજાના નિશાન છે.

  

ચિત્તાઓના અકાળે મોતે ચિંતા વધારી


અત્રે ઉલ્લેખનિય છે કે તાજેતરમાં 25 જૂને દક્ષિણ આફ્રિકાના આ નર ચિત્તા સૂરજને જંગલમાં છોડવામાં આવ્યો હતો. પરંતુ આજે વન વિભાગના કર્મચારીઓને તે જંગલમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ અંગે વન વિભાગના અધિકારીઓને જાણ થતાં દોડધામ મચી ગઈ હતી. મૃત નર ચિતા સૂરજનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે અને તે પછી તેના મૃત્યુનું કારણ શું છે તે સ્પષ્ટ થશે. મધ્યપ્રદેશના કુનો અભયારણ્યમાં ચિત્તાઓના મૃત્યુએ ચિંતા જગાવી છે. પરંતુ હજુ સુધી સત્ય સામે આવ્યું નથી કે શા માટે આટલી જલ્દી ચિત્તાઓ મરી રહ્યા છે અને તેની પાછળનું કારણ શું છે. આ અંગે વન વિભાગના અધિકારીઓ પણ કંઈ કહેવાનો ઈન્કાર કરી રહ્યા છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.