મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તા 'સૂરજ'નું મોત, 4 મહિનામાં 8 ચિત્તાઓ મોતને ભેટ્યાં


  • Published By :
  • Published Date : 2023-07-14 21:39:26

મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં આજે 14 જુલાઈના રોજ વધુ એક ચિત્તાનું મૃત્યુ થયું છે, મૃત્યુ પામેલા ચિતાનું નામ સૂરજ હતું. અધિકારીઓનું કહેવું છે કે દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા સૂરજના મોતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, ડોક્ટરોની ટીમ તપાસમાં લાગેલી છે. આ વર્ષે માર્ચથી, શ્યોપુર જિલ્લાના કુનો નેશનલ પાર્ક (KNP)માં મૃત્યુ પામનાર ચિત્તાની સંખ્યા 8 થઈ ગઈ છે. નેશનલ પાર્કમાં છેલ્લા 4 મહિનામાં આ આઠમો ચિત્તો મૃત્યુ પામ્યો છે, જેમાં 5 પુખ્ત અને 3 બચ્ચાનો સમાવેશ થાય છે. આફ્રિકાથી લાવવામાં આવેલ તેજસ નામનો નર ચિત્તો ત્રણ દિવસ પહેલા જ પાર્કમાં મૃત્યુ પામ્યો હતો.


કેવી રીતે મોત થયું?


કુનો નેશનલ પાર્કના અધિકારીએ જણાવ્યું કે શુક્રવાર સવારે સર્વેલન્સ ટીમ દ્વારા પાલપુર પૂર્વ વન રેન્જના મસાવની બીટમાં સૂરજ નામનો ચિત્તો સવારે 9 વાગ્યે મૃત હાલતમાં મળી આવ્યો હતો. પશુ ચિકિત્સકો અને વન અધિકારીઓની એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તેમણે કહ્યું કે, ફ્રી ઝોનમાં દીપડાનું મોત થયું હોય તેવી આ પહેલી ઘટના છે. અધિકારીએ કહ્યું કે તેની પીઠ અને ગરદન પર ઈજાના નિશાન છે.

  

ચિત્તાઓના અકાળે મોતે ચિંતા વધારી


અત્રે ઉલ્લેખનિય છે કે તાજેતરમાં 25 જૂને દક્ષિણ આફ્રિકાના આ નર ચિત્તા સૂરજને જંગલમાં છોડવામાં આવ્યો હતો. પરંતુ આજે વન વિભાગના કર્મચારીઓને તે જંગલમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ અંગે વન વિભાગના અધિકારીઓને જાણ થતાં દોડધામ મચી ગઈ હતી. મૃત નર ચિતા સૂરજનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે અને તે પછી તેના મૃત્યુનું કારણ શું છે તે સ્પષ્ટ થશે. મધ્યપ્રદેશના કુનો અભયારણ્યમાં ચિત્તાઓના મૃત્યુએ ચિંતા જગાવી છે. પરંતુ હજુ સુધી સત્ય સામે આવ્યું નથી કે શા માટે આટલી જલ્દી ચિત્તાઓ મરી રહ્યા છે અને તેની પાછળનું કારણ શું છે. આ અંગે વન વિભાગના અધિકારીઓ પણ કંઈ કહેવાનો ઈન્કાર કરી રહ્યા છે.



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.