મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તા 'સૂરજ'નું મોત, 4 મહિનામાં 8 ચિત્તાઓ મોતને ભેટ્યાં


  • Published By :
  • Published Date : 2023-07-14 21:39:26

મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં આજે 14 જુલાઈના રોજ વધુ એક ચિત્તાનું મૃત્યુ થયું છે, મૃત્યુ પામેલા ચિતાનું નામ સૂરજ હતું. અધિકારીઓનું કહેવું છે કે દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા સૂરજના મોતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, ડોક્ટરોની ટીમ તપાસમાં લાગેલી છે. આ વર્ષે માર્ચથી, શ્યોપુર જિલ્લાના કુનો નેશનલ પાર્ક (KNP)માં મૃત્યુ પામનાર ચિત્તાની સંખ્યા 8 થઈ ગઈ છે. નેશનલ પાર્કમાં છેલ્લા 4 મહિનામાં આ આઠમો ચિત્તો મૃત્યુ પામ્યો છે, જેમાં 5 પુખ્ત અને 3 બચ્ચાનો સમાવેશ થાય છે. આફ્રિકાથી લાવવામાં આવેલ તેજસ નામનો નર ચિત્તો ત્રણ દિવસ પહેલા જ પાર્કમાં મૃત્યુ પામ્યો હતો.


કેવી રીતે મોત થયું?


કુનો નેશનલ પાર્કના અધિકારીએ જણાવ્યું કે શુક્રવાર સવારે સર્વેલન્સ ટીમ દ્વારા પાલપુર પૂર્વ વન રેન્જના મસાવની બીટમાં સૂરજ નામનો ચિત્તો સવારે 9 વાગ્યે મૃત હાલતમાં મળી આવ્યો હતો. પશુ ચિકિત્સકો અને વન અધિકારીઓની એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તેમણે કહ્યું કે, ફ્રી ઝોનમાં દીપડાનું મોત થયું હોય તેવી આ પહેલી ઘટના છે. અધિકારીએ કહ્યું કે તેની પીઠ અને ગરદન પર ઈજાના નિશાન છે.

  

ચિત્તાઓના અકાળે મોતે ચિંતા વધારી


અત્રે ઉલ્લેખનિય છે કે તાજેતરમાં 25 જૂને દક્ષિણ આફ્રિકાના આ નર ચિત્તા સૂરજને જંગલમાં છોડવામાં આવ્યો હતો. પરંતુ આજે વન વિભાગના કર્મચારીઓને તે જંગલમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ અંગે વન વિભાગના અધિકારીઓને જાણ થતાં દોડધામ મચી ગઈ હતી. મૃત નર ચિતા સૂરજનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે અને તે પછી તેના મૃત્યુનું કારણ શું છે તે સ્પષ્ટ થશે. મધ્યપ્રદેશના કુનો અભયારણ્યમાં ચિત્તાઓના મૃત્યુએ ચિંતા જગાવી છે. પરંતુ હજુ સુધી સત્ય સામે આવ્યું નથી કે શા માટે આટલી જલ્દી ચિત્તાઓ મરી રહ્યા છે અને તેની પાછળનું કારણ શું છે. આ અંગે વન વિભાગના અધિકારીઓ પણ કંઈ કહેવાનો ઈન્કાર કરી રહ્યા છે.



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.