કૃષિ મંત્રી રાઘવજી પટેલના દાવાથી વિપરીત રાજ્યમાં ખાતર માટે ખેડૂતોની બૂમરાળ, ઠેર ઠેર દેખાવો


  • Published By :
  • Published Date : 2023-07-25 21:35:53

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રાસાયણિક ખાતર ન મળવાથી ખેડૂતોમાં ભારે આક્રોશ છે. જેમ કે જામનગરમાં ખેડૂતોએ ખાતર ન મળતાં દેખાવો કર્યા. મોરબીમાં પણ ત્રણ દિવસ પહેલાં ખેડૂતોએ મોરબી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ઑફિસ સામે દેખાવો કર્યા હતા. ભરૂચના જંબુસરમાં પણ ખેડૂતોની પણ ફરિયાદ હતી કે યુરિયા નથી મળી રહ્યું. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ખાતર માટે ખેડૂતોની લાંબી કતાર લાગી હતી. આ મામલે જાણકારોનું કહેવું છે કે ખરીફ પાકની સિઝનમાં યુરિયા ખાતરની અછત ખેડૂતોને નુકસાન કરાવી શકે છે. ખેડૂતોનો દાવો છે કે આ મામલે કૃષિ અધિકારીઓને વારંવાર રજૂઆત કરી હોવા છતાં પગલાં ભરાતાં નથી. ખેડૂતોનો આરોપ છે કે કેટલાક લોકો સંગ્રહખોરી કરે છે તેને કારણે યુરિયા ખેડૂતોને મળતું નથી.


ખેડૂતોના સરકાર પર ગંભીર આરોપ


ખેડૂતો અને ખેડૂત આગેવાનો સરકાર પર આરોપ છે કે સરકાર ખેડૂતોને જરૂર હોય ત્યારે ખાતર પૂરું પાડવામાં નિષ્ફળ રહી છે. તેમનો આરોપ હતો કે હાલની સિઝન ખેડૂતો માટે ખેતરોમાં કામ કરવાની છે. હાલ ભારે વરસાદ પડી રહ્યો છે તેને કારણે વાવણીની સિઝન છે, પરંતુ યુરિયા તેમને મળતું નથી. ખેડૂતોનો આરોપ છે કે ખાતર ખાનગી કેમિકલ કંપનીમાં જાય છે કારણકે આ યુરિયા સબસિડી રેટમાં તેમને સસ્તું પડે છે. ખેડૂતો સરકાર પર બીજો એવો પણ આરોપ છે કે યુરિયાની સાથે નેનો યુરિયા લેવા માટે ખેડૂતો પર દબાણ કરવામાં આવી રહ્યું છે. ખેડૂતો એવું પણ કહે છે કે જો તેઓ નેનો યુરિયા નહીં લે તો યુરિયા આપવામાં આવતું નથી.


કૃષિ મંત્રીનો દાવો યુરીયા ખાતરનો પૂરતો જથ્થો 


કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં જરૂરીયાત મુજબનો યુરીયા ખાતરનો જથ્થો પૂરતા પ્રામાણમાં ઉપલબ્ધ છે, અને આ જથ્થો પૂરતો જળવાઈ રહે તે મુજબ અમલવારી પણ કરવામાં આવી રહી છે. ખેડૂતમિત્રોએ કોઈપણ અફવાઓથી પ્રેરાવવું નહિ તેમજ જરૂરીયાત મુજબ યુરીયા ખાતરની ખરીદી કરી બીનજરૂરી સંગ્રહ કરવો નહિ. તેમ છતાં યુરીયા ખાતરના જથ્થા બાબતે કોઇપણ પ્રશ્ન હોય તો સંબંધિત જિલ્લાના નાયબ ખેતી નિયામક(વિસ્તરણ) ની કચેરીનો સંપર્ક કરવા મંત્રીએ જણાવ્યું હતું.


રાજ્યના ખેડૂતોને સમયસર અને પૂરતા પ્રમાણમાં યુરીયા ખાતરનો જથ્થો મળી રહે તે માટે મુખ્ય ખાતર વિતરક સંસ્થાઓ ગુજકોમાસોલ અને ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશેનને યુરીયા ખાતરનું વિતરણ સુવ્યવસ્થિત રીતે થાય અને ખાતરની ખેંચ ન પડે તે મુજબનું આયોજન અને તેની ચુસ્તપણે અમલવારી થાય તે સુનિશ્ચિત કરવા મંત્રીશ્રીએ સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત મંત્રીએ ખાતર વિતરણ વ્યવસ્થાનું મોનીટરીંગ કરવા પણ અધિકારીઓને જણાવ્યું હતું.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.