વલસાડમાં કેમેસ્ટ્રીનું પેપર લિક, OMR શીટનું સોલ્યુસન પકડાયું !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 12:44:09

વલસાડમાં જિલ્લામાં ચાલી રહેલી સત્રાંત પરીક્ષામાં શુક્રવારે પેપપ લીકનો મુદો સામે આવ્યો હતો. પારડીની એક સ્કૂલમાં ધો.12ની વિદ્યાર્થિની પાસેથી 50 માર્કસના કેમેસ્ટ્રી પેપરનું ઓએમઆર શીટનું સોલ્યુશનનું કાપલુ સુપવાઇઝરે ઝડપી પાડયુ હતું. જેની જાણ વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગને કરાતાં નિરીક્ષકની ટીમ સ્કૂલમાં પહોંચી તપાસ હાથ ધરી હતી.


હાલ ધો.9થી 12ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે, ત્યારે શુક્રવારે સાંજે પારડી ડીસીઓ સ્કૂલમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહના કેમેસ્ટ્રીના પેપર દરમિયાન વર્ગના સુપરવાઇઝરે એક વિદ્યાર્થિની પાસેથી 50 માર્કસના સોલ્યુશન સાથેનું પેપર પકડી લીધું હતું . પેપરલિક અંગે શિક્ષકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. 


પેપર લિક મુદ્દો ચર્ચામાં  


આ વર્ષ સૌથી ચર્ચામાં રહેલો મુદ્દો હોય તો એ પેપરલિકનો મુદ્દો છે . ચૂંટણીમાં પણ પેપર લિકનો મુદો ચાલી રહ્યો છે. ત્યારે વલસાડ જિલ્લાની સત્રાંત પરીક્ષામાં પણ પેપર લીક અંગેની ફરિયાદ ઉઠી હતી. જેથી પેપર લિકનો મુદો હવે ચર્ચાનું કેન્દ્ર બનશે. જો કે કેટલાક શિક્ષકો એવું પણ જણાવી રહ્યાં છે કે સત્રાંત પરીક્ષામાં પેપરો શાળાએ જ તૈયાર કરવા જોઇએ. જેથી પેપર લિક જેવો વિવાદ ઊભો થવાની સંભાવના રહે નહિ. 


સમગ્ર મામલે તપાસ શરૂ 


સ્કૂલમાં જવાબની કાપલી મળી હતી  જેથી તરત જ નિરીક્ષકને મોકલી તપાસ હાથ ધરાઈ છે. મળેલા કાપલા અને પેપરની ચકાસણી કર્યા બાદ પેપર લીક અંગે માહિતી બહાર આવશે. આ ઘટનામાં  કેમેસ્ટ્રીના પેપરોના બંડલનું સિલ તુટેલુ હતુ,એક વિદ્યાર્થિની પાસે સોલ્યુશનનું કાગળ મળી આવતાં સુપરવાઇઝરે જાણ કરી હતી.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.