વલસાડમાં કેમેસ્ટ્રીનું પેપર લિક, OMR શીટનું સોલ્યુસન પકડાયું !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 12:44:09

વલસાડમાં જિલ્લામાં ચાલી રહેલી સત્રાંત પરીક્ષામાં શુક્રવારે પેપપ લીકનો મુદો સામે આવ્યો હતો. પારડીની એક સ્કૂલમાં ધો.12ની વિદ્યાર્થિની પાસેથી 50 માર્કસના કેમેસ્ટ્રી પેપરનું ઓએમઆર શીટનું સોલ્યુશનનું કાપલુ સુપવાઇઝરે ઝડપી પાડયુ હતું. જેની જાણ વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગને કરાતાં નિરીક્ષકની ટીમ સ્કૂલમાં પહોંચી તપાસ હાથ ધરી હતી.


હાલ ધો.9થી 12ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે, ત્યારે શુક્રવારે સાંજે પારડી ડીસીઓ સ્કૂલમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહના કેમેસ્ટ્રીના પેપર દરમિયાન વર્ગના સુપરવાઇઝરે એક વિદ્યાર્થિની પાસેથી 50 માર્કસના સોલ્યુશન સાથેનું પેપર પકડી લીધું હતું . પેપરલિક અંગે શિક્ષકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. 


પેપર લિક મુદ્દો ચર્ચામાં  


આ વર્ષ સૌથી ચર્ચામાં રહેલો મુદ્દો હોય તો એ પેપરલિકનો મુદ્દો છે . ચૂંટણીમાં પણ પેપર લિકનો મુદો ચાલી રહ્યો છે. ત્યારે વલસાડ જિલ્લાની સત્રાંત પરીક્ષામાં પણ પેપર લીક અંગેની ફરિયાદ ઉઠી હતી. જેથી પેપર લિકનો મુદો હવે ચર્ચાનું કેન્દ્ર બનશે. જો કે કેટલાક શિક્ષકો એવું પણ જણાવી રહ્યાં છે કે સત્રાંત પરીક્ષામાં પેપરો શાળાએ જ તૈયાર કરવા જોઇએ. જેથી પેપર લિક જેવો વિવાદ ઊભો થવાની સંભાવના રહે નહિ. 


સમગ્ર મામલે તપાસ શરૂ 


સ્કૂલમાં જવાબની કાપલી મળી હતી  જેથી તરત જ નિરીક્ષકને મોકલી તપાસ હાથ ધરાઈ છે. મળેલા કાપલા અને પેપરની ચકાસણી કર્યા બાદ પેપર લીક અંગે માહિતી બહાર આવશે. આ ઘટનામાં  કેમેસ્ટ્રીના પેપરોના બંડલનું સિલ તુટેલુ હતુ,એક વિદ્યાર્થિની પાસે સોલ્યુશનનું કાગળ મળી આવતાં સુપરવાઇઝરે જાણ કરી હતી.




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"