Chennai Super Kingsના ફેન્સને મળ્યો મોટો ઝટકો, M.S Dhoniએ છોડી CSKની કેપ્ટનશીપ અને હવેથી સંભાળશે આ ટીમની કેપ્ટનશીપ...


  • Published By :
  • Published Date : 2024-03-21 18:39:11

આવતી કાલથી આઈપીએલની શરૂઆત થવાની છે. ક્રિકેટ પ્રેમીઓ આ મેચને લઈ ઉત્સુક છે. અનેક ચાહકો એવા હોય છે જે તેમના પસંદીદા પ્લેયરને રમતા જોવા માટે મેચ જોતા હોય છે. અનેક ખેલાડીઓનો અલગ જ ફેન ફોલોઈંગ બેઝ છે. એમાંના એક છે ચેન્નાઈ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની. ચેન્નાઈ સુપરકિંગ્સના કેપ્ટન તરીકે ધોની હજી દેખાતા હતા પરંતુ આ વખતે તે કેપ્ટની નહીં કરે. આઈપીએલના ઓફિશિલ સોશિયલ એકાઉન્ટ પરથી એક ફોટો શેર કરવામાં આવ્યો છે જેમાં દરેક ટીમના કેપ્ટન છે. ટ્રોફી સાથેનો ફોટો છે જેમાં ધોનીની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડ દેખાયા હતા. તે ઉપરાંત ટીમના ઓફિશિયલ પ્લેટફોર્મ પરથી પણ આ અંગેની માહિતી આપવામાં આવી છે.

થોડા દિવસ પહેલા ધોની દ્વારા કરવામાં આવી હતી પોસ્ટ

આઈપીએલની શરૂઆત થાય તે પહેલા ક્રિકેટ પ્રેમી માટે એક શોકિંગ ન્યુઝ સામે આવ્યા છે. આ વખતની મેચમાં ચેન્નઈ સુપરકિંગ્સની કમાન મહેન્દ્રસિંહ ધોની નથી સંભાળવાના.આ સમાચાર સાંભળી ટીમના ફેન્સને મોટો ઝટકો લાગ્યો છે. આવતીકાલથી મેચ શરૂ થવાની છે અને તેની પહેલા ટીમ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આ વખતે મહેન્દ્રસિંહ ધોનીની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડ કેપ્શનશીપ સંભાળશે. ટીમના ઓફિશિયલ પેજ પર આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. તે ઉપરાંત મહેન્દ્રસિંહ ધોનીએ પણ થોડા દિવસો પહેલા એક પોસ્ટ કરી હતી કે નવા સિઝન અને નવા રોલ માટે વધારે રાહ નહીં જોઈ શકું. જોડાયેલા રહો...

આ વખતે ચેન્નઈ સુપર કિંગ્સની કેપ્શનશીપ સંભાળશે ઋતુરાજ 

આ પહેલી વાર નથી જ્યારે મહેન્દ્રસિંહ ધોનીએ કેપ્ટનશીપ છોડી હોય. આની પહેલા પણ વર્ષ 2022માં એમએસ ધોનીએ આઈપીએલની કેપ્ટનશિપ છોડી દીધી હતી, તે વખતે રવિન્દ્ર જાડેજા ટીમના કેપ્ટન બન્યા હતા. ટીમના ખરાબ પ્રદર્શનને કારણે ધોનીએ ફરીથી ટીમની કેપ્ટનશિપ સંભાળી લીધી હતી. પરંતુ તે સિઝનમાં સીએસકેનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. પરંતુ વર્ષ 2023માં પણ તેમણે કેપ્ટનશીપ સંભાળી હતી અને ટીમને જીતાડી હતી. આ વખતે પણ ધોની કેપ્શનશીપ સંભાળી રહ્યા હતા એટલે લાગી રહ્યું હતું કે આ વખતે પણ આ ટીમ જીતી જશે પરંતુ મેચ શરૂ થાય તેની પહેલા ટીમ દ્વારા મોટો ધડાકો કરવામાં આવ્યો છે. ત્યારે જોઈએ ઋતુરાજની આગેવાની હેઠળની ટીમ કેવું પ્રદર્શન કરે છે.? 




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .