Chennai Super Kingsના ફેન્સને મળ્યો મોટો ઝટકો, M.S Dhoniએ છોડી CSKની કેપ્ટનશીપ અને હવેથી સંભાળશે આ ટીમની કેપ્ટનશીપ...


  • Published By :
  • Published Date : 2024-03-21 18:39:11

આવતી કાલથી આઈપીએલની શરૂઆત થવાની છે. ક્રિકેટ પ્રેમીઓ આ મેચને લઈ ઉત્સુક છે. અનેક ચાહકો એવા હોય છે જે તેમના પસંદીદા પ્લેયરને રમતા જોવા માટે મેચ જોતા હોય છે. અનેક ખેલાડીઓનો અલગ જ ફેન ફોલોઈંગ બેઝ છે. એમાંના એક છે ચેન્નાઈ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની. ચેન્નાઈ સુપરકિંગ્સના કેપ્ટન તરીકે ધોની હજી દેખાતા હતા પરંતુ આ વખતે તે કેપ્ટની નહીં કરે. આઈપીએલના ઓફિશિલ સોશિયલ એકાઉન્ટ પરથી એક ફોટો શેર કરવામાં આવ્યો છે જેમાં દરેક ટીમના કેપ્ટન છે. ટ્રોફી સાથેનો ફોટો છે જેમાં ધોનીની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડ દેખાયા હતા. તે ઉપરાંત ટીમના ઓફિશિયલ પ્લેટફોર્મ પરથી પણ આ અંગેની માહિતી આપવામાં આવી છે.

થોડા દિવસ પહેલા ધોની દ્વારા કરવામાં આવી હતી પોસ્ટ

આઈપીએલની શરૂઆત થાય તે પહેલા ક્રિકેટ પ્રેમી માટે એક શોકિંગ ન્યુઝ સામે આવ્યા છે. આ વખતની મેચમાં ચેન્નઈ સુપરકિંગ્સની કમાન મહેન્દ્રસિંહ ધોની નથી સંભાળવાના.આ સમાચાર સાંભળી ટીમના ફેન્સને મોટો ઝટકો લાગ્યો છે. આવતીકાલથી મેચ શરૂ થવાની છે અને તેની પહેલા ટીમ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આ વખતે મહેન્દ્રસિંહ ધોનીની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડ કેપ્શનશીપ સંભાળશે. ટીમના ઓફિશિયલ પેજ પર આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. તે ઉપરાંત મહેન્દ્રસિંહ ધોનીએ પણ થોડા દિવસો પહેલા એક પોસ્ટ કરી હતી કે નવા સિઝન અને નવા રોલ માટે વધારે રાહ નહીં જોઈ શકું. જોડાયેલા રહો...

આ વખતે ચેન્નઈ સુપર કિંગ્સની કેપ્શનશીપ સંભાળશે ઋતુરાજ 

આ પહેલી વાર નથી જ્યારે મહેન્દ્રસિંહ ધોનીએ કેપ્ટનશીપ છોડી હોય. આની પહેલા પણ વર્ષ 2022માં એમએસ ધોનીએ આઈપીએલની કેપ્ટનશિપ છોડી દીધી હતી, તે વખતે રવિન્દ્ર જાડેજા ટીમના કેપ્ટન બન્યા હતા. ટીમના ખરાબ પ્રદર્શનને કારણે ધોનીએ ફરીથી ટીમની કેપ્ટનશિપ સંભાળી લીધી હતી. પરંતુ તે સિઝનમાં સીએસકેનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. પરંતુ વર્ષ 2023માં પણ તેમણે કેપ્ટનશીપ સંભાળી હતી અને ટીમને જીતાડી હતી. આ વખતે પણ ધોની કેપ્શનશીપ સંભાળી રહ્યા હતા એટલે લાગી રહ્યું હતું કે આ વખતે પણ આ ટીમ જીતી જશે પરંતુ મેચ શરૂ થાય તેની પહેલા ટીમ દ્વારા મોટો ધડાકો કરવામાં આવ્યો છે. ત્યારે જોઈએ ઋતુરાજની આગેવાની હેઠળની ટીમ કેવું પ્રદર્શન કરે છે.? 




ઇન્દોરના રાજા રઘુવંશી કેસમાં આરોપીઓનું કબુલનામું સામે આવ્યું છે . ચારેય આરોપીઓએ સોનમ રઘુવંશીને જ માસ્ટમાઈન્ડ ગણાવી છે કેમ કે , સોનમ રાજા રઘુવંશી સાથે લગન કરવા નહોતી માંગતી . આ ખુબ ચોંકાવનારો ખુલાસો છે કેમ કે , સોનમ દ્વારા એવું કેહવામાં આવ્યું હતું કે , તેને ડ્રગ આપીને ગાઝીપુર લાવવામાં આવી હતી . સાથે જ આપણે જાણીશું કે રાજા રઘુવંશીના કેસમાં પોલીસ પાસે ક્યા મહત્વના પુરાવા છે?

કોઈ પણ કંપનીમાં જેમ એક ફાઉન્ડરની સાથે એક કો-ફાઉન્ડર હોય છે તેમ અમેરિકા માટે એવું કહેવાતું હતું કે , પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે એક કો પ્રેસિડન્ટ છે જે છે ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક . પરંતુ જ્યારથી તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાંથી રાજીનામુ આપી દીધું ત્યારથી જ બેઉ વચ્ચેના સંબંધોમાં જોરદાર તણાવ જોવા મળી રહ્યો છે. એક બાજુ પ્લેટફોર્મ એક્સ પર ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક વચ્ચેની અસેહમતીઓ બહાર આવી ગઈ. હવે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કના તણાવની અસર અમેરિકાની સિલિકોન વેલી પર પડવા જઈ રહી છે.

ઈંદોરના રાજા રઘુવંશીના હત્યાના કેસમાં હવે નવા ખુલાસા સામે આવ્યા છે . ઈંદોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી જયારે મેઘાલયની રાજધાની શિલોન્ગ ખાતે તેમની પત્ની સોનમ સાથે હનીમૂન મનાવવા ગયા ત્યારે પત્ની સોનમે જ તેમની હત્યા કરાવડાવી હતી . આ બાબતે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા અને મેઘાલયના ડીજીપીની પ્રતિક્રિયા સામે આવી છે.

જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠકમાં અત્યારસુધીમાં માત્ર ને માત્ર નેતાઓ નિવેદનબાજીઓ કરતા હતા પરંતુ હવે થયું છે એવું કે , જયારે વિસાવદરના જીવાપરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જયારે સભા કરી રહ્યા હતા ત્યારે રાત્રી દરમ્યાન ભાજપના સમર્થકો દ્વારા તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો .