Chennai Super Kingsના ફેન્સને મળ્યો મોટો ઝટકો, M.S Dhoniએ છોડી CSKની કેપ્ટનશીપ અને હવેથી સંભાળશે આ ટીમની કેપ્ટનશીપ...


  • Published By :
  • Published Date : 2024-03-21 18:39:11

આવતી કાલથી આઈપીએલની શરૂઆત થવાની છે. ક્રિકેટ પ્રેમીઓ આ મેચને લઈ ઉત્સુક છે. અનેક ચાહકો એવા હોય છે જે તેમના પસંદીદા પ્લેયરને રમતા જોવા માટે મેચ જોતા હોય છે. અનેક ખેલાડીઓનો અલગ જ ફેન ફોલોઈંગ બેઝ છે. એમાંના એક છે ચેન્નાઈ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની. ચેન્નાઈ સુપરકિંગ્સના કેપ્ટન તરીકે ધોની હજી દેખાતા હતા પરંતુ આ વખતે તે કેપ્ટની નહીં કરે. આઈપીએલના ઓફિશિલ સોશિયલ એકાઉન્ટ પરથી એક ફોટો શેર કરવામાં આવ્યો છે જેમાં દરેક ટીમના કેપ્ટન છે. ટ્રોફી સાથેનો ફોટો છે જેમાં ધોનીની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડ દેખાયા હતા. તે ઉપરાંત ટીમના ઓફિશિયલ પ્લેટફોર્મ પરથી પણ આ અંગેની માહિતી આપવામાં આવી છે.

થોડા દિવસ પહેલા ધોની દ્વારા કરવામાં આવી હતી પોસ્ટ

આઈપીએલની શરૂઆત થાય તે પહેલા ક્રિકેટ પ્રેમી માટે એક શોકિંગ ન્યુઝ સામે આવ્યા છે. આ વખતની મેચમાં ચેન્નઈ સુપરકિંગ્સની કમાન મહેન્દ્રસિંહ ધોની નથી સંભાળવાના.આ સમાચાર સાંભળી ટીમના ફેન્સને મોટો ઝટકો લાગ્યો છે. આવતીકાલથી મેચ શરૂ થવાની છે અને તેની પહેલા ટીમ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આ વખતે મહેન્દ્રસિંહ ધોનીની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડ કેપ્શનશીપ સંભાળશે. ટીમના ઓફિશિયલ પેજ પર આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. તે ઉપરાંત મહેન્દ્રસિંહ ધોનીએ પણ થોડા દિવસો પહેલા એક પોસ્ટ કરી હતી કે નવા સિઝન અને નવા રોલ માટે વધારે રાહ નહીં જોઈ શકું. જોડાયેલા રહો...

આ વખતે ચેન્નઈ સુપર કિંગ્સની કેપ્શનશીપ સંભાળશે ઋતુરાજ 

આ પહેલી વાર નથી જ્યારે મહેન્દ્રસિંહ ધોનીએ કેપ્ટનશીપ છોડી હોય. આની પહેલા પણ વર્ષ 2022માં એમએસ ધોનીએ આઈપીએલની કેપ્ટનશિપ છોડી દીધી હતી, તે વખતે રવિન્દ્ર જાડેજા ટીમના કેપ્ટન બન્યા હતા. ટીમના ખરાબ પ્રદર્શનને કારણે ધોનીએ ફરીથી ટીમની કેપ્ટનશિપ સંભાળી લીધી હતી. પરંતુ તે સિઝનમાં સીએસકેનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. પરંતુ વર્ષ 2023માં પણ તેમણે કેપ્ટનશીપ સંભાળી હતી અને ટીમને જીતાડી હતી. આ વખતે પણ ધોની કેપ્શનશીપ સંભાળી રહ્યા હતા એટલે લાગી રહ્યું હતું કે આ વખતે પણ આ ટીમ જીતી જશે પરંતુ મેચ શરૂ થાય તેની પહેલા ટીમ દ્વારા મોટો ધડાકો કરવામાં આવ્યો છે. ત્યારે જોઈએ ઋતુરાજની આગેવાની હેઠળની ટીમ કેવું પ્રદર્શન કરે છે.? 




યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .

થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .