Chennai Super Kingsના ફેન્સને મળ્યો મોટો ઝટકો, M.S Dhoniએ છોડી CSKની કેપ્ટનશીપ અને હવેથી સંભાળશે આ ટીમની કેપ્ટનશીપ...


  • Published By :
  • Published Date : 2024-03-21 18:39:11

આવતી કાલથી આઈપીએલની શરૂઆત થવાની છે. ક્રિકેટ પ્રેમીઓ આ મેચને લઈ ઉત્સુક છે. અનેક ચાહકો એવા હોય છે જે તેમના પસંદીદા પ્લેયરને રમતા જોવા માટે મેચ જોતા હોય છે. અનેક ખેલાડીઓનો અલગ જ ફેન ફોલોઈંગ બેઝ છે. એમાંના એક છે ચેન્નાઈ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની. ચેન્નાઈ સુપરકિંગ્સના કેપ્ટન તરીકે ધોની હજી દેખાતા હતા પરંતુ આ વખતે તે કેપ્ટની નહીં કરે. આઈપીએલના ઓફિશિલ સોશિયલ એકાઉન્ટ પરથી એક ફોટો શેર કરવામાં આવ્યો છે જેમાં દરેક ટીમના કેપ્ટન છે. ટ્રોફી સાથેનો ફોટો છે જેમાં ધોનીની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડ દેખાયા હતા. તે ઉપરાંત ટીમના ઓફિશિયલ પ્લેટફોર્મ પરથી પણ આ અંગેની માહિતી આપવામાં આવી છે.

થોડા દિવસ પહેલા ધોની દ્વારા કરવામાં આવી હતી પોસ્ટ

આઈપીએલની શરૂઆત થાય તે પહેલા ક્રિકેટ પ્રેમી માટે એક શોકિંગ ન્યુઝ સામે આવ્યા છે. આ વખતની મેચમાં ચેન્નઈ સુપરકિંગ્સની કમાન મહેન્દ્રસિંહ ધોની નથી સંભાળવાના.આ સમાચાર સાંભળી ટીમના ફેન્સને મોટો ઝટકો લાગ્યો છે. આવતીકાલથી મેચ શરૂ થવાની છે અને તેની પહેલા ટીમ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આ વખતે મહેન્દ્રસિંહ ધોનીની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડ કેપ્શનશીપ સંભાળશે. ટીમના ઓફિશિયલ પેજ પર આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. તે ઉપરાંત મહેન્દ્રસિંહ ધોનીએ પણ થોડા દિવસો પહેલા એક પોસ્ટ કરી હતી કે નવા સિઝન અને નવા રોલ માટે વધારે રાહ નહીં જોઈ શકું. જોડાયેલા રહો...

આ વખતે ચેન્નઈ સુપર કિંગ્સની કેપ્શનશીપ સંભાળશે ઋતુરાજ 

આ પહેલી વાર નથી જ્યારે મહેન્દ્રસિંહ ધોનીએ કેપ્ટનશીપ છોડી હોય. આની પહેલા પણ વર્ષ 2022માં એમએસ ધોનીએ આઈપીએલની કેપ્ટનશિપ છોડી દીધી હતી, તે વખતે રવિન્દ્ર જાડેજા ટીમના કેપ્ટન બન્યા હતા. ટીમના ખરાબ પ્રદર્શનને કારણે ધોનીએ ફરીથી ટીમની કેપ્ટનશિપ સંભાળી લીધી હતી. પરંતુ તે સિઝનમાં સીએસકેનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. પરંતુ વર્ષ 2023માં પણ તેમણે કેપ્ટનશીપ સંભાળી હતી અને ટીમને જીતાડી હતી. આ વખતે પણ ધોની કેપ્શનશીપ સંભાળી રહ્યા હતા એટલે લાગી રહ્યું હતું કે આ વખતે પણ આ ટીમ જીતી જશે પરંતુ મેચ શરૂ થાય તેની પહેલા ટીમ દ્વારા મોટો ધડાકો કરવામાં આવ્યો છે. ત્યારે જોઈએ ઋતુરાજની આગેવાની હેઠળની ટીમ કેવું પ્રદર્શન કરે છે.? 




ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."