છોટા ઉદેપુર : Shaktisinh Gohilએ કર્યો Chaitar Vasava અને સુખરામ રાઠવા માટે પ્રચાર, કાર્યકર્તાઓને સંબોધતા શું કહ્યું સાંભળો?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-29 10:38:24

લોકસભા ચૂંટણી નજીક આવતા ઉમેદવારોએ પ્રચારની શરૂઆત કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા 26 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે જ્યારે કોંગ્રેસે અનેક બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત નથી કરી. ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે. ગઠબંધન અંતર્ગત 24 બેઠકો પર કોંગ્રેસ ઉમેદવાર ઉતારશે જ્યારે 2 બેઠકો પર આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઉતાર્યા છે. ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે ગઈકાલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ચૈતર વસાવા માટે પ્રચાર કર્યો હતો.   

ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને બનાવાયા છે ભરૂચના ઉમેદવાર 

ગુજરાતની અનેક બેઠકો એવી છે જેની ચર્ચાઓ અવાર-નવાર થતી હોય છે. ઉમેદવારો વચ્ચે થતા વાક્યુદ્ધ ચર્ચાનો વિષય બનતા હોય છે, બનાસકાંઠામાં બેન વિરૂદ્ધ દીકરીનો જંગ જોવા મળવાનો છે જ્યારે ભરૂચમાં વસાવા વિરૂદ્ધ વસાવાનો જંગ જોવા મળવાનો છે. ભરૂચ લોકસભા બેઠક આમ પણ રસપ્રદ છે કારણ કે ત્યાં ઉમેદવાર દ્વારા આપવામાં આવતા નિવેદનની ચર્ચા થતી હોય છે. ભાજપે મનસુખ વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે. 


શક્તિસિંહ ગોહિલે ચૈતર વસાવા અને સુખરામ રાઠવા માટે કર્યો પ્રચાર 

ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પહોંચ્યા હતા અને ત્યાં તેમણે ચૈતર વસાવા અને સુખરામ રાઠવા માટે પ્રચાર કર્યો હતો. છોટા ઉદેપુરના ક્વાંટમાં શક્તિસિંહ પહોંચ્યા હતા. સંબોધનમાં તેમણે ચૈતર વસાવા તેમજ સુખરામ રાઠવાને સંસદ સુધી પહોંચાડવાની વાત કરી હતી. તે ઉપરાંત આદિવાસી વિસ્તારને લઈને પણ તેમણે વાત કરી હતી.       



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.