છોટા ઉદેપુર : Shaktisinh Gohilએ કર્યો Chaitar Vasava અને સુખરામ રાઠવા માટે પ્રચાર, કાર્યકર્તાઓને સંબોધતા શું કહ્યું સાંભળો?


  • Published By :
  • Published Date : 2024-03-29 10:38:24

લોકસભા ચૂંટણી નજીક આવતા ઉમેદવારોએ પ્રચારની શરૂઆત કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા 26 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે જ્યારે કોંગ્રેસે અનેક બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત નથી કરી. ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે. ગઠબંધન અંતર્ગત 24 બેઠકો પર કોંગ્રેસ ઉમેદવાર ઉતારશે જ્યારે 2 બેઠકો પર આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઉતાર્યા છે. ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે ગઈકાલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ચૈતર વસાવા માટે પ્રચાર કર્યો હતો.   

ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને બનાવાયા છે ભરૂચના ઉમેદવાર 

ગુજરાતની અનેક બેઠકો એવી છે જેની ચર્ચાઓ અવાર-નવાર થતી હોય છે. ઉમેદવારો વચ્ચે થતા વાક્યુદ્ધ ચર્ચાનો વિષય બનતા હોય છે, બનાસકાંઠામાં બેન વિરૂદ્ધ દીકરીનો જંગ જોવા મળવાનો છે જ્યારે ભરૂચમાં વસાવા વિરૂદ્ધ વસાવાનો જંગ જોવા મળવાનો છે. ભરૂચ લોકસભા બેઠક આમ પણ રસપ્રદ છે કારણ કે ત્યાં ઉમેદવાર દ્વારા આપવામાં આવતા નિવેદનની ચર્ચા થતી હોય છે. ભાજપે મનસુખ વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે. 


શક્તિસિંહ ગોહિલે ચૈતર વસાવા અને સુખરામ રાઠવા માટે કર્યો પ્રચાર 

ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પહોંચ્યા હતા અને ત્યાં તેમણે ચૈતર વસાવા અને સુખરામ રાઠવા માટે પ્રચાર કર્યો હતો. છોટા ઉદેપુરના ક્વાંટમાં શક્તિસિંહ પહોંચ્યા હતા. સંબોધનમાં તેમણે ચૈતર વસાવા તેમજ સુખરામ રાઠવાને સંસદ સુધી પહોંચાડવાની વાત કરી હતી. તે ઉપરાંત આદિવાસી વિસ્તારને લઈને પણ તેમણે વાત કરી હતી.       



ઇટાલી અને ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ વચ્ચે સ્ટારલિંકનું ઈન્ટરનેટ આપવાને લઇને વાર્તાલાપ પડી ભાંગ્યો છે . આ પાછળ ઇટાલીની સરકાર પર ત્યાંના વિરોધ પક્ષે જોરદાર દબાણ ઉભું કર્યું હતું . આ ઉપરાંત ઈલોન મસ્કની જે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે નિકટતા છે તેના લીધે પણ આ વાર્તાલાપ પડી ભાંગ્યો છે. ઈલોન મસ્ક હાલના સમયમાં સમગ્ર વિશ્વમાં જોરદાર વિરોધનો સામનો કરી રહ્યા છે.

વ્યક્તિ પોતાના ઘરમાં કેટલી રકમ રાખી શકે છે તેના પર કોઈ પ્રતિબંધ નથી. જ્યાં સુધી તમે સાબિત કરી શકો કે તે કાયદેસરના સ્ત્રોત માંથી કમાયા છે અને તમે તેને તમારા આવકવેરા રિટર્નમાં જાહેર કર્યું છે ત્યાં સુધી આ લાગુ રહેશે. જો તમે સાબિત કરી શકતા નથી કે પૈસા કાયદેસર નથી, તો તમને ગંભીર દંડનો સામનો કરવો પડી શકે છે.

6G ઈન્ટરનેટ માટે ચાઈનામાં તડામાર તૈયારીઓ શરુ થઇ ચુકી છે . તો આ બાજુ યુએસમાં નેક્સટજી નામનું અલાયન્સ બનાવવામાં આવ્યું છે . યુરોપમાં નોકિયા , ક્વાલકોમ , એટીએનટી આ 6G ઈન્ટરનેટ માટે કામ કરી રહ્યા છે . ભારત પણ આ રેસમાંથી બહાર નથી . ભારત ૨૦૩૦ના વર્ષ સુધી 6Gમાં ગ્લોબલ લીડર બનવા માંગે છે . આ માટે ભારતે "ભારત 6G પ્રોજેક્ટ" અમલમાં મુક્યો છે .

દિલ્હી હાઇકોર્ટના જજ યશવંત વર્મા જેમના ઘરે નોટોનો ઢગલો મળી આવ્યો છે . હવે દિલ્હી હાઈકૉર્ટે તેમને ફરજમાંથી મુક્ત કરી દીધા છે . આ બાજુ સુપ્રીમ કોર્ટે આ સંપૂર્ણ ઘટનાની તપાસ માટે ન્યાયિક કમિશન બેસાડ્યું છે . તો હવે જોઈએ કોલેજિયમ યશવંત વર્માને શું સજા ફટકારે છે.