છોટા ઉદેપુર : Shaktisinh Gohilએ કર્યો Chaitar Vasava અને સુખરામ રાઠવા માટે પ્રચાર, કાર્યકર્તાઓને સંબોધતા શું કહ્યું સાંભળો?


  • Published By :
  • Published Date : 2024-03-29 10:38:24

લોકસભા ચૂંટણી નજીક આવતા ઉમેદવારોએ પ્રચારની શરૂઆત કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા 26 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે જ્યારે કોંગ્રેસે અનેક બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત નથી કરી. ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે. ગઠબંધન અંતર્ગત 24 બેઠકો પર કોંગ્રેસ ઉમેદવાર ઉતારશે જ્યારે 2 બેઠકો પર આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઉતાર્યા છે. ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે ગઈકાલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ચૈતર વસાવા માટે પ્રચાર કર્યો હતો.   

ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને બનાવાયા છે ભરૂચના ઉમેદવાર 

ગુજરાતની અનેક બેઠકો એવી છે જેની ચર્ચાઓ અવાર-નવાર થતી હોય છે. ઉમેદવારો વચ્ચે થતા વાક્યુદ્ધ ચર્ચાનો વિષય બનતા હોય છે, બનાસકાંઠામાં બેન વિરૂદ્ધ દીકરીનો જંગ જોવા મળવાનો છે જ્યારે ભરૂચમાં વસાવા વિરૂદ્ધ વસાવાનો જંગ જોવા મળવાનો છે. ભરૂચ લોકસભા બેઠક આમ પણ રસપ્રદ છે કારણ કે ત્યાં ઉમેદવાર દ્વારા આપવામાં આવતા નિવેદનની ચર્ચા થતી હોય છે. ભાજપે મનસુખ વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે. 


શક્તિસિંહ ગોહિલે ચૈતર વસાવા અને સુખરામ રાઠવા માટે કર્યો પ્રચાર 

ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પહોંચ્યા હતા અને ત્યાં તેમણે ચૈતર વસાવા અને સુખરામ રાઠવા માટે પ્રચાર કર્યો હતો. છોટા ઉદેપુરના ક્વાંટમાં શક્તિસિંહ પહોંચ્યા હતા. સંબોધનમાં તેમણે ચૈતર વસાવા તેમજ સુખરામ રાઠવાને સંસદ સુધી પહોંચાડવાની વાત કરી હતી. તે ઉપરાંત આદિવાસી વિસ્તારને લઈને પણ તેમણે વાત કરી હતી.       



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે