Chhota Udepur વિદ્યાર્થિની છેડતી મામલો: શિક્ષણ મંત્રી Kuber Dindorએ વિદ્યાર્થિનીઓ સાથે કરી મુલાકાત, દીકરીની બહાદુરીને મંત્રીએ બિરદાવી


  • Published By :
  • Published Date : 2024-01-09 09:18:54

થોડા સમય પહેલા છોટાઉદેપુરથી એક કિસ્સો સામે આવ્યો જેમાં ચાલુ પિકઅપ વાનમાં દીકરીઓની છેડતી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. છેડતી કરવાનો પ્રયાસ કરવામાં આવતા 6થી 7 જેટલી દીકરીઓએ ચાલુ ગાડીમાંથી છલાંગ લગાવી હતી. વાનમાંથી છલાંગ લગાવવામાં આવતા દીકરીઓને ઈજા પહોંચી હતી. સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી. ત્યારે સારવાર લઈ રહેલી વિદ્યાર્થિનીની મુલાકાત શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે લીધી હતી. આ મુલાકાત દરમિયાન શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે પૂરા ગુજરાતમાં ઘણાં વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે. એમના માટે બસની વ્યવસ્થા કરવા સરકારે વિચારણા કરી છે.

ચાલુ ગાડીમાં વિદ્યાર્થિનીઓની છેડતી કરવાનો કરાયો હતો પ્રયત્ન 

ગુજરાતને મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું, પરંતુ છેલ્લા થોડા સમયથી જે પ્રકારના કિસ્સાઓ સામે આવી રહ્યા તે જોતા વાત કદાચ ખોટી સાબિત થાય. અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં મહિલાઓની, દીકરીઓની છેડતી કરવામાં આવતી હોય છે. કોઈને કોઈ સ્ત્રી હવસનો શિકાર બનતી હોય છે. ત્યારે થોડા સમય પહેલા છોટાઉદેપુરમાં શાળાએથી પરત ફરી રહેલી વિદ્યાર્થિનીઓની છેડતી કરવાનો પ્રયાસ કરવામાં આવ્ચો અને એ પણ ચાલુ પિકઅપ વાનમાં. ઈજ્જત બચાવવા માટે 6થી 7 જેટલી દીકરીઓએ ચાલુ ગાડીમાંથી છલાંગ લગાવી હતી. ચાલુ પીકઅપ વાનમાંથી છલાંગ મારવાને કારણે દીકરીઓને ઈજા પણ પહોંચી હતી અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા. તે કિસ્સો સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. 

શિક્ષણ મંત્રીએ છાત્રાઓ સાથે કરી હતી મુલાકાત 

સારવાર લઈ રહેલી વિદ્યાર્થિનીની મુલાકાત લેવા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પહોંચ્યા હતા. સૌથી પહેલાં બોડેલી ખાતે હજી પણ હોસ્પિટલમાં દાખલ એક છાત્રાની મુલાકાત લીધી હતી. ત્યાંથી શિક્ષણ મંત્રી સંખેડા તાલુકાના વિદ્યાર્થિનીઓના ગામે પહોંચ્યા હતા. જ્યાં પાંચ છાત્રા સાથે મુલાકાત કરી તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી. એવી પણ માહિતી સામે આવી છે કે દીકરીઓની બહાદુરીને બિરદાવવામાં આવી છે, તેમનું સન્માન કરવામાં આવ્યું છે. પોલીસની કામગીરીના વખાણ કરતા તેમણે કહ્યું કે કોસીન્દ્રાની હાઈસ્કૂલની વિદ્યાર્થિની સાથે જે ઘટના બની એમાં જે કોઈ આરોપી હતા. એમને પોલીસે દબોચી લીધા છે અને એને જેલના હવાલે કર્યા છે.      

An incident of molestation of female students in Chhota Udepur છોટાઉદેપુર: ચાલુ જીપમાં વિદ્યાર્થિનીઓની છેડતી, જીપમાંથી કૂદતા ઈજાગ્રસ્ત

એસટી બસની કરાશે યોગ્ય વ્યવસ્થા!

આ ઘટના બની ત્યારે એવું સામે આવ્યું હતું કે એસટી બસની અછત છે તે વાત ખોટી છે. જ્યાં ઘટના બની ત્યાં એસટી બસ ચાલે છે, એસટી બસની ફ્રિક્વન્સી પણ છે તેવી વાત સામે આવી હતી. પરંતુ આ મુલાકાત દરમિયાન શિક્ષણમંત્રીએ જણાવ્યું કે એસ.ટી.ડેપો તરફથી બસની વ્યવસ્થા નહોતી એ પણ કરાવાઈ છે. આ જ ગામ પૂરતી નહીં પણ આવનારા સમયમાં બીજા આવા અંતરિયાળ વિસ્તારમાં જ્યાં આપણા વિદ્યાર્થી ભાઈ-બહેનો જે અભ્યાસ માટે અપડાઉન કરે છે. 


રાજ્ય સરકાર મંગાવશે સારવારના ખર્ચ અંગેનો રિપોર્ટ 

વધુમાં કુબેર ડિંડોરે કહ્યું કે એમની શાળા શરૂ થવાના અને છૂટવાના ટાઈમનો શિડ્યુલ મંગાવ્યો છે અને આગામી દિવસોમાં જે કંઈ હશે એ વાહન વ્યવહાર મંત્રી અને ડેપો સાથે મળીને એનો નિર્ણય લેવાશે. ઉપરાંત એવું પણ જણાવ્યું કે હોસ્પિટલમાં દાખલ વિદ્યાર્થિની અને રજા અપાયેલ વિદ્યાર્થિનીઓની સારવારનો જે કંઈ ખર્ચ હશે એ માટે અમે રાજ્ય સરકાર તરફથી એ બાબતે રિપોર્ટ લઈશું,એની વ્યવસ્થા કરીશું. 


દીકરી ડર વગર ફરી શકે તેવી થવી જોઈએ વ્યવસ્થા!

મહત્વનું છે કે જે કિસ્સો આ દીકરી સાથે બન્યો છે તે કોઈની સાથે પણ બની શકે છે. આ દીકરી પોતાની ઈજ્જત બચાવવા સફળ થઈ પરંતુ  અનેક એવા કિસ્સાઓ હોય છે જેમાં દીકરીની આબરૂ લૂંટાઈ જાય છે અને દીકરી કંઈ કરી પણ નથી શક્તી. સરકારે આવા કિસ્સાઓ ન બને તે માટેનો પ્રયાસ કરવો જોઈએ. દીકરી ડર વગર ફરી શકે તે જોવાની જવાબદારી સરકારની છે....   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.