Chhotaudepur: બે નેતાઓ તો ભાજપમાં આવી ગયા હવે આ નેતા આવે તો ત્રિપુટી રાજ આવી જાય!Pavijetpur પ્રમુખે સોશીયલ મીડીયામાં કહ્યું ખુરશીઓ ગોઠવીશું


  • Published By :
  • Published Date : 2024-02-28 17:02:01

છોટાઉદેપુરમાં ત્રિપુટીને જ રાજ કરવાનું વરદાન ભગવાને લખી આપેલું છે પક્ષ ચાહે ગમે તે હોય. આ પોસ્ટ લખી છે બાબુભાઈ રાઠવાએ. બાબુભાઈ રાઠવાએ Pavijetpurના પ્રમુખ છે. ત્રણ નેતાઓની વાત જે થઈ રહી છે તે સંભવત: નેતા છે સુખરામ રાઠવા, નારણ રાઠવા અને મોહનસિંહ રાઠવા. મોહનસિંહ રાઠવા પહેલા કોંગ્રેસમાં હતા પરંતુ તેમણે પક્ષ પલટો કરી લીધો. તે બાદ ગઈકાલે કોંગ્રેસના દિગ્ગજ નેતા નારણ રાઠવા પણ ભાજપમાં જોડાઈ ગયા. ત્યારે જે ત્રિપુટીની વાત થઈ રહી છે તેમાં માત્ર સુખરામસિંહ રાઠવા જ બાકી છે જે ભાજપમાં નથી જોડાયા. બાબુભાઈ રાઠવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર છે અને લખ્યું કે હવે સુખરામભાઈ આવી જાય એટલે ફરી વરસો જુનું ત્રિપુટી રાજ આવી જાય.

કોંગ્રેસના બે દિગ્ગજ નેતા પહેલા કોંગ્રેસમાં હતા અને... 

એક સમય છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસનું વર્ચસ્વ હતું. પરંતુ ધીરે ધીરે કોંગ્રેસનું વર્ચસ્વ ઘટતું ગયું અને કોંગ્રેસના અસ્તિત્વ પર પણ પ્રશ્ન ઉભા થયા છે. ગઈકાલે કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા નારણ રાઠવાએ કોંગ્રેસને રામ રામ કહી દીધું છે અને ભાજપમાં જોડાઈ ગયા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા મોહનસિંહ રાઠવા કોંગ્રેસમાં હતા પરંતુ તે બાદ તે ભાજપમાં આવી ગયા. ભાજપ જાણે કોંગ્રેસ યુક્ત થઈ રહી છે અને ગુજરાત કોંગ્રેસ મુક્ત થઈ રહી છે તેવું લાગે છે. હજી સુધી એવું જોવામાં આવ્યું છે કે બીજા પક્ષમાંથી ભાજપમાં જે આવે છે તેમને ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવે છે. ઉલ્લેખનિય છે કે જે લોકો, કાર્યકર્તાઓ પહેલેથી પક્ષમાં રહ્યા હોય અને પછી કોઈ બહારનું આવેલું વ્યક્તિ ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવે તો દુ:ખ થાય.!


પોસ્ટમાં લખ્યું કે... 

સોશિયલ મીડિયા પર બાબુભાઈ રાઠવાએ પોસ્ટ કરી છે જેમાં તેમણે પોતાની વેદના ઠાલવી છે તેવું લાગે છે. સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે છોટાઉદેપુરમાં ત્રિપુટીને જ રાજ કરવાનું ભગવાન વરદાન લખી આપેલું છે પક્ષ ચાહે ગમે તે હોય. બસ હવે સુખરામભાઈ આવી જાય એટલે ફરી વરસો જુંનું ત્રિપુટી રાજ આવી જાય. કેટલું સરસ કામ પાછું થઈ જશે પહેલાં હતું એવું નય, અને જુના ભાજપા વાળાને અયોધ્યા જવાનું અને નવ યુવાનોને ઘર ઘર સંપર્કમાં જવાનું કેટલું સુંદર આયોજન.


આંખલાં તો લીલા ખેતરો....

વધુમાં તે લખે છે કે અને મિટિંગો આવે ને પાછા એમાં મોટા મોટા ડિગ્રીધારી સાહેબો આવે એમના માટે ખુરશીઓ મૂકવાનું કામ કરવાનુંએ કેટલી મોટી સેવા જુના ભાજપવાળા માટે. અને હાં મંજીરાં અને ઘુઘરાંનો ઓર્ડર વડોદરાની બજારમાં રશ્મિકાંતભાઈ અને રાજેશભાઈ આપવાનું આયોજન નજીકના દિવસોમાં વિચારી રહ્યા છે. બાકી આંખલાં તો લીલા ખેતરો ચરશે, અને દોંહલી ગાયો ભૂખે મરશે. એ નક્કી.. જય જય શ્રી રામ 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.