Chhotaudepur: બે નેતાઓ તો ભાજપમાં આવી ગયા હવે આ નેતા આવે તો ત્રિપુટી રાજ આવી જાય!Pavijetpur પ્રમુખે સોશીયલ મીડીયામાં કહ્યું ખુરશીઓ ગોઠવીશું


  • Published By :
  • Published Date : 2024-02-28 17:02:01

છોટાઉદેપુરમાં ત્રિપુટીને જ રાજ કરવાનું વરદાન ભગવાને લખી આપેલું છે પક્ષ ચાહે ગમે તે હોય. આ પોસ્ટ લખી છે બાબુભાઈ રાઠવાએ. બાબુભાઈ રાઠવાએ Pavijetpurના પ્રમુખ છે. ત્રણ નેતાઓની વાત જે થઈ રહી છે તે સંભવત: નેતા છે સુખરામ રાઠવા, નારણ રાઠવા અને મોહનસિંહ રાઠવા. મોહનસિંહ રાઠવા પહેલા કોંગ્રેસમાં હતા પરંતુ તેમણે પક્ષ પલટો કરી લીધો. તે બાદ ગઈકાલે કોંગ્રેસના દિગ્ગજ નેતા નારણ રાઠવા પણ ભાજપમાં જોડાઈ ગયા. ત્યારે જે ત્રિપુટીની વાત થઈ રહી છે તેમાં માત્ર સુખરામસિંહ રાઠવા જ બાકી છે જે ભાજપમાં નથી જોડાયા. બાબુભાઈ રાઠવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર છે અને લખ્યું કે હવે સુખરામભાઈ આવી જાય એટલે ફરી વરસો જુનું ત્રિપુટી રાજ આવી જાય.

કોંગ્રેસના બે દિગ્ગજ નેતા પહેલા કોંગ્રેસમાં હતા અને... 

એક સમય છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસનું વર્ચસ્વ હતું. પરંતુ ધીરે ધીરે કોંગ્રેસનું વર્ચસ્વ ઘટતું ગયું અને કોંગ્રેસના અસ્તિત્વ પર પણ પ્રશ્ન ઉભા થયા છે. ગઈકાલે કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા નારણ રાઠવાએ કોંગ્રેસને રામ રામ કહી દીધું છે અને ભાજપમાં જોડાઈ ગયા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા મોહનસિંહ રાઠવા કોંગ્રેસમાં હતા પરંતુ તે બાદ તે ભાજપમાં આવી ગયા. ભાજપ જાણે કોંગ્રેસ યુક્ત થઈ રહી છે અને ગુજરાત કોંગ્રેસ મુક્ત થઈ રહી છે તેવું લાગે છે. હજી સુધી એવું જોવામાં આવ્યું છે કે બીજા પક્ષમાંથી ભાજપમાં જે આવે છે તેમને ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવે છે. ઉલ્લેખનિય છે કે જે લોકો, કાર્યકર્તાઓ પહેલેથી પક્ષમાં રહ્યા હોય અને પછી કોઈ બહારનું આવેલું વ્યક્તિ ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવે તો દુ:ખ થાય.!


પોસ્ટમાં લખ્યું કે... 

સોશિયલ મીડિયા પર બાબુભાઈ રાઠવાએ પોસ્ટ કરી છે જેમાં તેમણે પોતાની વેદના ઠાલવી છે તેવું લાગે છે. સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે છોટાઉદેપુરમાં ત્રિપુટીને જ રાજ કરવાનું ભગવાન વરદાન લખી આપેલું છે પક્ષ ચાહે ગમે તે હોય. બસ હવે સુખરામભાઈ આવી જાય એટલે ફરી વરસો જુંનું ત્રિપુટી રાજ આવી જાય. કેટલું સરસ કામ પાછું થઈ જશે પહેલાં હતું એવું નય, અને જુના ભાજપા વાળાને અયોધ્યા જવાનું અને નવ યુવાનોને ઘર ઘર સંપર્કમાં જવાનું કેટલું સુંદર આયોજન.


આંખલાં તો લીલા ખેતરો....

વધુમાં તે લખે છે કે અને મિટિંગો આવે ને પાછા એમાં મોટા મોટા ડિગ્રીધારી સાહેબો આવે એમના માટે ખુરશીઓ મૂકવાનું કામ કરવાનુંએ કેટલી મોટી સેવા જુના ભાજપવાળા માટે. અને હાં મંજીરાં અને ઘુઘરાંનો ઓર્ડર વડોદરાની બજારમાં રશ્મિકાંતભાઈ અને રાજેશભાઈ આપવાનું આયોજન નજીકના દિવસોમાં વિચારી રહ્યા છે. બાકી આંખલાં તો લીલા ખેતરો ચરશે, અને દોંહલી ગાયો ભૂખે મરશે. એ નક્કી.. જય જય શ્રી રામ 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.