Chhotaudepur: બે નેતાઓ તો ભાજપમાં આવી ગયા હવે આ નેતા આવે તો ત્રિપુટી રાજ આવી જાય!Pavijetpur પ્રમુખે સોશીયલ મીડીયામાં કહ્યું ખુરશીઓ ગોઠવીશું


  • Published By :
  • Published Date : 2024-02-28 17:02:01

છોટાઉદેપુરમાં ત્રિપુટીને જ રાજ કરવાનું વરદાન ભગવાને લખી આપેલું છે પક્ષ ચાહે ગમે તે હોય. આ પોસ્ટ લખી છે બાબુભાઈ રાઠવાએ. બાબુભાઈ રાઠવાએ Pavijetpurના પ્રમુખ છે. ત્રણ નેતાઓની વાત જે થઈ રહી છે તે સંભવત: નેતા છે સુખરામ રાઠવા, નારણ રાઠવા અને મોહનસિંહ રાઠવા. મોહનસિંહ રાઠવા પહેલા કોંગ્રેસમાં હતા પરંતુ તેમણે પક્ષ પલટો કરી લીધો. તે બાદ ગઈકાલે કોંગ્રેસના દિગ્ગજ નેતા નારણ રાઠવા પણ ભાજપમાં જોડાઈ ગયા. ત્યારે જે ત્રિપુટીની વાત થઈ રહી છે તેમાં માત્ર સુખરામસિંહ રાઠવા જ બાકી છે જે ભાજપમાં નથી જોડાયા. બાબુભાઈ રાઠવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર છે અને લખ્યું કે હવે સુખરામભાઈ આવી જાય એટલે ફરી વરસો જુનું ત્રિપુટી રાજ આવી જાય.

કોંગ્રેસના બે દિગ્ગજ નેતા પહેલા કોંગ્રેસમાં હતા અને... 

એક સમય છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસનું વર્ચસ્વ હતું. પરંતુ ધીરે ધીરે કોંગ્રેસનું વર્ચસ્વ ઘટતું ગયું અને કોંગ્રેસના અસ્તિત્વ પર પણ પ્રશ્ન ઉભા થયા છે. ગઈકાલે કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા નારણ રાઠવાએ કોંગ્રેસને રામ રામ કહી દીધું છે અને ભાજપમાં જોડાઈ ગયા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા મોહનસિંહ રાઠવા કોંગ્રેસમાં હતા પરંતુ તે બાદ તે ભાજપમાં આવી ગયા. ભાજપ જાણે કોંગ્રેસ યુક્ત થઈ રહી છે અને ગુજરાત કોંગ્રેસ મુક્ત થઈ રહી છે તેવું લાગે છે. હજી સુધી એવું જોવામાં આવ્યું છે કે બીજા પક્ષમાંથી ભાજપમાં જે આવે છે તેમને ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવે છે. ઉલ્લેખનિય છે કે જે લોકો, કાર્યકર્તાઓ પહેલેથી પક્ષમાં રહ્યા હોય અને પછી કોઈ બહારનું આવેલું વ્યક્તિ ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવે તો દુ:ખ થાય.!


પોસ્ટમાં લખ્યું કે... 

સોશિયલ મીડિયા પર બાબુભાઈ રાઠવાએ પોસ્ટ કરી છે જેમાં તેમણે પોતાની વેદના ઠાલવી છે તેવું લાગે છે. સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે છોટાઉદેપુરમાં ત્રિપુટીને જ રાજ કરવાનું ભગવાન વરદાન લખી આપેલું છે પક્ષ ચાહે ગમે તે હોય. બસ હવે સુખરામભાઈ આવી જાય એટલે ફરી વરસો જુંનું ત્રિપુટી રાજ આવી જાય. કેટલું સરસ કામ પાછું થઈ જશે પહેલાં હતું એવું નય, અને જુના ભાજપા વાળાને અયોધ્યા જવાનું અને નવ યુવાનોને ઘર ઘર સંપર્કમાં જવાનું કેટલું સુંદર આયોજન.


આંખલાં તો લીલા ખેતરો....

વધુમાં તે લખે છે કે અને મિટિંગો આવે ને પાછા એમાં મોટા મોટા ડિગ્રીધારી સાહેબો આવે એમના માટે ખુરશીઓ મૂકવાનું કામ કરવાનુંએ કેટલી મોટી સેવા જુના ભાજપવાળા માટે. અને હાં મંજીરાં અને ઘુઘરાંનો ઓર્ડર વડોદરાની બજારમાં રશ્મિકાંતભાઈ અને રાજેશભાઈ આપવાનું આયોજન નજીકના દિવસોમાં વિચારી રહ્યા છે. બાકી આંખલાં તો લીલા ખેતરો ચરશે, અને દોંહલી ગાયો ભૂખે મરશે. એ નક્કી.. જય જય શ્રી રામ 




ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .