છોટુ વસાવાએ Chaitar Vasavaનું સમર્થન કર્યું? Mahesh Vasava BJPમાં જોડાયા તે બાદ છોટુ વસાવાની આવી પ્રતિક્રિયા,પોતાના જ છોકરાને શું કામ ઉંદર કહ્યો?


  • Published By :
  • Published Date : 2024-03-12 09:12:06

થોડા સમય પહેલા છોટુ વસાવાએ એક નિવેદન આપ્યું હતું કે કશુંક ચાટી ખાવાનું હશે એટલે એ લોકો બીજા પક્ષમાં જતા હશે, એમણે એ પણ કહ્યું કે આદિવાસીનો પરસેવો નહીં ગમતો હોય એટલે બીજા પક્ષમાં જતા હશે. ત્યારે ગઈકાલે છોટુ વસાવાના દીકરા મહેશ વસાવા જ ભાજપમાં જોડાઈ ગયા હતા. હકિકત એ સામે આવીને ઉભી રહી કે છોટુ વસાવાના પરિવારમાં જે તે સમયના એમના રાજકીય વારસદાર મહેશ વસાવા જ ભાજપમાં જોડાયા છે. મહેશ વસાવા જ્યારે ભાજપમાં જોડાયા તે બાદ છોટુ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે. છોટુ વસાવાએ કહ્યું ભાજપ કોઢ ઉંદર જેવી પાર્ટી બની ચૂકી છે. ચોરો અને લુટારૂઓને ભેગા કરી ભાજપ દેશ અને સંવિધાનને કોતરી રહી છે. 

ભાજપની વિચારધારા સામે લડતા આવ્યા છે છોટુ વસાવા!

છોટુ વસાવાએ આખુ જીવન એવો દાવો કર્યો કે એ સતત ભાજપ અને સંઘની વિચારધારા સામે લડતા આવ્યા છે, સતત કટ્ટર વાતો સાથે ઝઘડીયા અને ડેડીયાપાડામાં પોતાની સત્તા કાયમ રાખી, પણ વારો જ્યારે બીજા કોઈને એટલે કે ચૈતર વસાવાને મોકો આપવાનો આવ્યો તો એ ના કરી શક્યા, પરિણામ એવુ આવ્યું કે ઝઘડીયામાં ભારતીય જનતા પાર્ટી અને ડેડીયાપાડામાં આમ આદમી પાર્ટી જીતી, આંધળા પુત્રપ્રેમમાં વેરવિખેર થયેલી સત્તાના ઉદાહરણોમાં નાનું પણ ભારતીય રાજનીતિનું મહત્વનું ચેપ્ટર ઉમેરાઈ ગયુ છે. આજે પણ જ્યારે ભરૂચના અનેક વિસ્તારોમાં જ્યારે જઈએ ત્યારે લાગે કે આપણે 50 વર્ષ પાછળ આવી ગયા હોય. સમયની રફતાર સાથે આપણે ચાલ્યા, છોટુ વસાવા ચાલ્યા તેમના વારસદાર ચાલ્યા પરંતુ ભરૂચને તે આગળ વધારી ના શક્યા! જે સ્થળની મુલાકાત લઈએ ત્યારે સમજાય છે કે એ લોકો સાથે તો માણસ જેવું વર્તન પણ નથી કરતા. 

મનસુખ વસાવાને જીતાડવા માટે ભાજપ મહેશ વસાવાને લાવી!

એક સમયે બીજેપીની વિચારધારા સામે લડનારા હવે બીજેપીમાં સામેલ થઈ રહ્યા છે. એ જોતા લાગે કે રાજનીતિમાં વિચારધારા સાથે કોઈ વધારે મતલબ હોતો નથી. મનસુખ વસાવાને ભાજપમાં લાવવા પાછળ પણ ભાજપ દ્વારા ગણિત લગાવવામાં આવ્યું હશે. મનસુખ વસાવા જીતી શકે તે માટે કદાચ મહેશ વસાવાને ભાજપમાં લાવવામાં આવ્યા છે તેવું લાગી રહ્યું છે. મહેશ વસાવા ભાજપમાં જોડાયા તે બાદ છોટુ વસાવાની પ્રતિક્રિયા સામે આવી હતી.


ભાજપ કોઢ ઉંદર જેવી પાર્ટી - છોટુ વસાવા

પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે ભાજપ કોઢ ઉંદર જેવી પાર્ટી બની ચૂકી છે. ચોરો અને લુટારૂઓને ભેગા કરી ભાજપ દેશ અને સંવિધાનને કોતરી રહી છે. ઝઘડિયા અને વાલિયા તાલુકામાંથી જે કોલસો મળવાનો છે તેની ચોરી માટે મારા પુત્ર સહિતના ઓગેવાનો ગાંધીનગર ખાતે ભાજપના ભરતીમેળામાં ગયા છે. ભરતીમેળો ખરેખર કાર્યક્રમ નથી પણ આપણી ધરતી અને આપણું ખનીજ લૂંટવા માટે મોટા મોટા કોઢ ઉંદરોને સહકાર આપીને થોડો ભાગ પડાવવાની સાજીશ છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.