છોટુ વસાવાએ Chaitar Vasavaનું સમર્થન કર્યું? Mahesh Vasava BJPમાં જોડાયા તે બાદ છોટુ વસાવાની આવી પ્રતિક્રિયા,પોતાના જ છોકરાને શું કામ ઉંદર કહ્યો?


  • Published By :
  • Published Date : 2024-03-12 09:12:06

થોડા સમય પહેલા છોટુ વસાવાએ એક નિવેદન આપ્યું હતું કે કશુંક ચાટી ખાવાનું હશે એટલે એ લોકો બીજા પક્ષમાં જતા હશે, એમણે એ પણ કહ્યું કે આદિવાસીનો પરસેવો નહીં ગમતો હોય એટલે બીજા પક્ષમાં જતા હશે. ત્યારે ગઈકાલે છોટુ વસાવાના દીકરા મહેશ વસાવા જ ભાજપમાં જોડાઈ ગયા હતા. હકિકત એ સામે આવીને ઉભી રહી કે છોટુ વસાવાના પરિવારમાં જે તે સમયના એમના રાજકીય વારસદાર મહેશ વસાવા જ ભાજપમાં જોડાયા છે. મહેશ વસાવા જ્યારે ભાજપમાં જોડાયા તે બાદ છોટુ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે. છોટુ વસાવાએ કહ્યું ભાજપ કોઢ ઉંદર જેવી પાર્ટી બની ચૂકી છે. ચોરો અને લુટારૂઓને ભેગા કરી ભાજપ દેશ અને સંવિધાનને કોતરી રહી છે. 

ભાજપની વિચારધારા સામે લડતા આવ્યા છે છોટુ વસાવા!

છોટુ વસાવાએ આખુ જીવન એવો દાવો કર્યો કે એ સતત ભાજપ અને સંઘની વિચારધારા સામે લડતા આવ્યા છે, સતત કટ્ટર વાતો સાથે ઝઘડીયા અને ડેડીયાપાડામાં પોતાની સત્તા કાયમ રાખી, પણ વારો જ્યારે બીજા કોઈને એટલે કે ચૈતર વસાવાને મોકો આપવાનો આવ્યો તો એ ના કરી શક્યા, પરિણામ એવુ આવ્યું કે ઝઘડીયામાં ભારતીય જનતા પાર્ટી અને ડેડીયાપાડામાં આમ આદમી પાર્ટી જીતી, આંધળા પુત્રપ્રેમમાં વેરવિખેર થયેલી સત્તાના ઉદાહરણોમાં નાનું પણ ભારતીય રાજનીતિનું મહત્વનું ચેપ્ટર ઉમેરાઈ ગયુ છે. આજે પણ જ્યારે ભરૂચના અનેક વિસ્તારોમાં જ્યારે જઈએ ત્યારે લાગે કે આપણે 50 વર્ષ પાછળ આવી ગયા હોય. સમયની રફતાર સાથે આપણે ચાલ્યા, છોટુ વસાવા ચાલ્યા તેમના વારસદાર ચાલ્યા પરંતુ ભરૂચને તે આગળ વધારી ના શક્યા! જે સ્થળની મુલાકાત લઈએ ત્યારે સમજાય છે કે એ લોકો સાથે તો માણસ જેવું વર્તન પણ નથી કરતા. 

મનસુખ વસાવાને જીતાડવા માટે ભાજપ મહેશ વસાવાને લાવી!

એક સમયે બીજેપીની વિચારધારા સામે લડનારા હવે બીજેપીમાં સામેલ થઈ રહ્યા છે. એ જોતા લાગે કે રાજનીતિમાં વિચારધારા સાથે કોઈ વધારે મતલબ હોતો નથી. મનસુખ વસાવાને ભાજપમાં લાવવા પાછળ પણ ભાજપ દ્વારા ગણિત લગાવવામાં આવ્યું હશે. મનસુખ વસાવા જીતી શકે તે માટે કદાચ મહેશ વસાવાને ભાજપમાં લાવવામાં આવ્યા છે તેવું લાગી રહ્યું છે. મહેશ વસાવા ભાજપમાં જોડાયા તે બાદ છોટુ વસાવાની પ્રતિક્રિયા સામે આવી હતી.


ભાજપ કોઢ ઉંદર જેવી પાર્ટી - છોટુ વસાવા

પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે ભાજપ કોઢ ઉંદર જેવી પાર્ટી બની ચૂકી છે. ચોરો અને લુટારૂઓને ભેગા કરી ભાજપ દેશ અને સંવિધાનને કોતરી રહી છે. ઝઘડિયા અને વાલિયા તાલુકામાંથી જે કોલસો મળવાનો છે તેની ચોરી માટે મારા પુત્ર સહિતના ઓગેવાનો ગાંધીનગર ખાતે ભાજપના ભરતીમેળામાં ગયા છે. ભરતીમેળો ખરેખર કાર્યક્રમ નથી પણ આપણી ધરતી અને આપણું ખનીજ લૂંટવા માટે મોટા મોટા કોઢ ઉંદરોને સહકાર આપીને થોડો ભાગ પડાવવાની સાજીશ છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.