મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીએ પાઠવી દશેરાની શુભકામના


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 11:36:19

સમગ્ર દેશમાં વિજયા દશમીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. ભગવાન રામે રાવણનો વધ આ દિવસે કર્યો હતો. અસત્ય પર સત્યનો વિજય થવાથી આ દિવસને વિજયા દશમી તરીકે ઓળખવામાં આવે છે. વિજયાદશમીના દિવસે શસ્ત્રપૂજનનું વિશેષ મહત્વ રહેલું હોય છે. આ દિવસે શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીએ અને સુરત ખાતે હર્ષ સંઘવીએ શસ્ત્ર પૂજા કરી હતી.

ગાંધીનગર ખાતે સીએમએ કરી શસ્ત્રપૂજા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દશેરા પર્વની શુભેચ્છા પાઠવી હતી. શુભકામના પાઠવતા તેમણે કહ્યું કે અધર્મ પર ધર્મના, અસત્ય પર સત્યના, અન્યાય પર ન્યાયના અને દુર્ગુણો પર સદગુણોના વિજય પર્વ વિજયાદશમીની આપ સૌને હાર્દિક શુભકામના. મુખ્યમંત્રીએ તેમના નિવાસ સ્થાને શસ્ત્રપૂજા કરી હતી.

 

રાજ્યના ગૃહમંત્રી પણ થયા શસ્ત્રપૂજામાં સામેલ

હર્ષ સંઘવીએ સુરત ખાતે આયોજીત શસ્ત્રપૂજામાં ભાગ લીધો હતો. પરંપરા મુજબ પોલીસ હેડ ક્વાર્ટરમાં આ પૂજા રાખવામાં આવી હતી. આ પૂજામાં રાજ્યના ગૃહમંત્રી સામેલ થયા હતા. 

img           



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .