મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીએ પાઠવી દશેરાની શુભકામના


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 11:36:19

સમગ્ર દેશમાં વિજયા દશમીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. ભગવાન રામે રાવણનો વધ આ દિવસે કર્યો હતો. અસત્ય પર સત્યનો વિજય થવાથી આ દિવસને વિજયા દશમી તરીકે ઓળખવામાં આવે છે. વિજયાદશમીના દિવસે શસ્ત્રપૂજનનું વિશેષ મહત્વ રહેલું હોય છે. આ દિવસે શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીએ અને સુરત ખાતે હર્ષ સંઘવીએ શસ્ત્ર પૂજા કરી હતી.

ગાંધીનગર ખાતે સીએમએ કરી શસ્ત્રપૂજા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દશેરા પર્વની શુભેચ્છા પાઠવી હતી. શુભકામના પાઠવતા તેમણે કહ્યું કે અધર્મ પર ધર્મના, અસત્ય પર સત્યના, અન્યાય પર ન્યાયના અને દુર્ગુણો પર સદગુણોના વિજય પર્વ વિજયાદશમીની આપ સૌને હાર્દિક શુભકામના. મુખ્યમંત્રીએ તેમના નિવાસ સ્થાને શસ્ત્રપૂજા કરી હતી.

 

રાજ્યના ગૃહમંત્રી પણ થયા શસ્ત્રપૂજામાં સામેલ

હર્ષ સંઘવીએ સુરત ખાતે આયોજીત શસ્ત્રપૂજામાં ભાગ લીધો હતો. પરંપરા મુજબ પોલીસ હેડ ક્વાર્ટરમાં આ પૂજા રાખવામાં આવી હતી. આ પૂજામાં રાજ્યના ગૃહમંત્રી સામેલ થયા હતા. 

img           



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે