મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીએ પાઠવી દશેરાની શુભકામના


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 11:36:19

સમગ્ર દેશમાં વિજયા દશમીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. ભગવાન રામે રાવણનો વધ આ દિવસે કર્યો હતો. અસત્ય પર સત્યનો વિજય થવાથી આ દિવસને વિજયા દશમી તરીકે ઓળખવામાં આવે છે. વિજયાદશમીના દિવસે શસ્ત્રપૂજનનું વિશેષ મહત્વ રહેલું હોય છે. આ દિવસે શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીએ અને સુરત ખાતે હર્ષ સંઘવીએ શસ્ત્ર પૂજા કરી હતી.

ગાંધીનગર ખાતે સીએમએ કરી શસ્ત્રપૂજા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દશેરા પર્વની શુભેચ્છા પાઠવી હતી. શુભકામના પાઠવતા તેમણે કહ્યું કે અધર્મ પર ધર્મના, અસત્ય પર સત્યના, અન્યાય પર ન્યાયના અને દુર્ગુણો પર સદગુણોના વિજય પર્વ વિજયાદશમીની આપ સૌને હાર્દિક શુભકામના. મુખ્યમંત્રીએ તેમના નિવાસ સ્થાને શસ્ત્રપૂજા કરી હતી.

 

રાજ્યના ગૃહમંત્રી પણ થયા શસ્ત્રપૂજામાં સામેલ

હર્ષ સંઘવીએ સુરત ખાતે આયોજીત શસ્ત્રપૂજામાં ભાગ લીધો હતો. પરંપરા મુજબ પોલીસ હેડ ક્વાર્ટરમાં આ પૂજા રાખવામાં આવી હતી. આ પૂજામાં રાજ્યના ગૃહમંત્રી સામેલ થયા હતા. 

img           



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .