મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રપિતાને આપી શ્રદ્ધાંજલિ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 15:56:00

મહાત્મા ગાંધીની આજે 153મી જન્મ જયંતી છે. અનેક દિગ્ગજ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિત કોંગ્રેસના અનેક નેતાઓએ ગાંધી બાપુને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પિત કર્યા છે. ગુજરાતના મુખ્યમંત્રીએ પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પી હતી. 

મુખ્યમંત્રી સિટી બસને બતાવશે લીલઝંડી  

પોરબંદર ખાતે આવેલા કિર્તી મંદિરે હાજર રહી મુખ્યમંત્રીએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે સર્વધર્મ પ્રાર્થના સભામાં પણ હાજરી આપી હતી. 2021માં પણ પોરબંદર ખાતે તેઓ ઉપસ્થિત રહ્યા હતા. કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, પોરબંદરના ધારાસભ્ય તેમજ અનેક પદાધિકારીઓ મુખ્યમંત્રીની સાથે ઉપસ્થિત રહ્યા હતા. ગાંધી બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે સિટી બસ સેવાને લીલીઝંડી બતાવશે.     



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે