રેવડી કલ્ચર પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-05 18:44:49



ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજનેતામાં ફીટ થયેલું 'ઈલેક્શન મોડ'નું બટન દબાઈ ગયું છે. આજે નડિયાદ જિલ્લાના કપંડવંજના વિસ્તારમાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અરવિંદ કેજરીવાલના રેડવી કલ્ચર પર પ્રહારો કરી રેવડી કલ્ચરના નુકસાન વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. 


ભૂપેન્દ્ર પટેલે કેજરીવાલના રેવડી કલ્ચર પર કર્યો પ્રહાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન દરમિયાન અરવિંદ કેજરીવાલ પર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, "ગુજરાત નંબર વન છે તેનું કારણ છે ગુજરાત જાણે છે રેવડી કલ્ચરથી કશું નથી થવાનું. આપણે જે પ્રકારે વિકાસ કરતા આવ્યા છીએ તેનું કારણ છે નરેન્દ્રભાઈ જાણતા હતા કે વિકાસ કરવા માટે નાણાકીય માળખું વ્યવસ્થિત કરવું પડે. પહેલાના સમયમાં બરોડાથી વાપી સુધીના ઉદ્યોગો સ્થપાતા હતા કારણે કે ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ પાણી અને લાઈટની વ્યવસ્થા નહોતી. નરેન્દ્ર ભાઈએ ગુજરાતમાં ખૂબ સારું વ્યવસ્થાપન કર્યું છે."


ચૂંટણી પહેલા ભાજપે ભૂપેન્દ્ર પટેલને આગળ ધકેલ્યા?

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામાન્ય રીતે મૃદુભાષી નેતા છે. તેઓ આમ તો વાદ-વિવાદમાં આવ્યા નથી. ચૂંટણી અગાઉ ભાજપ ભૂપેન્દ્ર પટેલના ચહેરાનો યશ ખાટવા માગે છે. ભૂપેન્દ્ર પટેલની સારી છબીનો લાભ તો લેવાઈ રહ્યો છે પરંતુ આવા નિવેદનોથી લાગી રહ્યું છે કે હવે ભાજપ ભૂપેન્દ્ર પટેલને વિવાદિત નિવેદનો આપવા માટે આગળ લાવી રહ્યું છે. 


કેમ કોંગ્રેસને પડતી મૂકીને ભાજપ આપ પર આક્રામક થઈ રહી છે?

ગુજરાતની 25 વર્ષની રાજનીતિ જોઈએ તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જ યુદ્ધ જોવા મળ્યું છે. ગુજરાતમાં 30 વર્ષની અંદર અનેક નાની પાર્ટી મોટો અને ત્રીજો પક્ષ બન્યો પરંતુ ફેલ રહ્યો છે. આ વખતની વાત અલગ છે. આમ આદમી પાર્ટીના કામના કારણે આ વિધાનસભા ચૂંટણી અલગ નજરે પડે છે. આમ આદમી પાર્ટીની ચોક્કસ મુદ્દાઓ પર અને ભાજપ જે વિભાગમાં કામ કરવામાં કાચી પડે છે તે જ મુદ્દાઓ પર આપ ભાજપને ગેરંટીના આધારે ઘેરી રહી છે. ચૂંટણી અગાઉ પોલીસ, તલાટી, બસ કન્ડક્ટરો વગેરે એવા લોકો છે જે ભાજપથી નારાજ છે અને આપે તેમના પર જ આપે નિશાન બનાવ્યું હતું. લોકો આપની ગેરંટીના જોરે કોંગ્રેસનો વિકલ્પ છોડી રહ્યા છે તેવું લાગી રહ્યું છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .