રેવડી કલ્ચર પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-05 18:44:49



ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજનેતામાં ફીટ થયેલું 'ઈલેક્શન મોડ'નું બટન દબાઈ ગયું છે. આજે નડિયાદ જિલ્લાના કપંડવંજના વિસ્તારમાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અરવિંદ કેજરીવાલના રેડવી કલ્ચર પર પ્રહારો કરી રેવડી કલ્ચરના નુકસાન વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. 


ભૂપેન્દ્ર પટેલે કેજરીવાલના રેવડી કલ્ચર પર કર્યો પ્રહાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન દરમિયાન અરવિંદ કેજરીવાલ પર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, "ગુજરાત નંબર વન છે તેનું કારણ છે ગુજરાત જાણે છે રેવડી કલ્ચરથી કશું નથી થવાનું. આપણે જે પ્રકારે વિકાસ કરતા આવ્યા છીએ તેનું કારણ છે નરેન્દ્રભાઈ જાણતા હતા કે વિકાસ કરવા માટે નાણાકીય માળખું વ્યવસ્થિત કરવું પડે. પહેલાના સમયમાં બરોડાથી વાપી સુધીના ઉદ્યોગો સ્થપાતા હતા કારણે કે ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ પાણી અને લાઈટની વ્યવસ્થા નહોતી. નરેન્દ્ર ભાઈએ ગુજરાતમાં ખૂબ સારું વ્યવસ્થાપન કર્યું છે."


ચૂંટણી પહેલા ભાજપે ભૂપેન્દ્ર પટેલને આગળ ધકેલ્યા?

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામાન્ય રીતે મૃદુભાષી નેતા છે. તેઓ આમ તો વાદ-વિવાદમાં આવ્યા નથી. ચૂંટણી અગાઉ ભાજપ ભૂપેન્દ્ર પટેલના ચહેરાનો યશ ખાટવા માગે છે. ભૂપેન્દ્ર પટેલની સારી છબીનો લાભ તો લેવાઈ રહ્યો છે પરંતુ આવા નિવેદનોથી લાગી રહ્યું છે કે હવે ભાજપ ભૂપેન્દ્ર પટેલને વિવાદિત નિવેદનો આપવા માટે આગળ લાવી રહ્યું છે. 


કેમ કોંગ્રેસને પડતી મૂકીને ભાજપ આપ પર આક્રામક થઈ રહી છે?

ગુજરાતની 25 વર્ષની રાજનીતિ જોઈએ તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જ યુદ્ધ જોવા મળ્યું છે. ગુજરાતમાં 30 વર્ષની અંદર અનેક નાની પાર્ટી મોટો અને ત્રીજો પક્ષ બન્યો પરંતુ ફેલ રહ્યો છે. આ વખતની વાત અલગ છે. આમ આદમી પાર્ટીના કામના કારણે આ વિધાનસભા ચૂંટણી અલગ નજરે પડે છે. આમ આદમી પાર્ટીની ચોક્કસ મુદ્દાઓ પર અને ભાજપ જે વિભાગમાં કામ કરવામાં કાચી પડે છે તે જ મુદ્દાઓ પર આપ ભાજપને ગેરંટીના આધારે ઘેરી રહી છે. ચૂંટણી અગાઉ પોલીસ, તલાટી, બસ કન્ડક્ટરો વગેરે એવા લોકો છે જે ભાજપથી નારાજ છે અને આપે તેમના પર જ આપે નિશાન બનાવ્યું હતું. લોકો આપની ગેરંટીના જોરે કોંગ્રેસનો વિકલ્પ છોડી રહ્યા છે તેવું લાગી રહ્યું છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.