મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્રને આવ્યો બ્રેઈન સ્ટ્રોક! સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, જાણો શું હોય છે બ્રેઈન સ્ટ્રોક અને કેવી રીતે મેળવી શકાય રક્ષણ!


  • Published By :
  • Published Date : 2023-05-01 17:34:56

રવિવાર સાંજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિકરા અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અમદાવાદ ખાતે આવેલી કે.ડી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. બપોરના સમયે તબિયત ખરાબ થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બ્રેઈન સ્ટ્રોક આવવાને કારણે અનુજ પટેલનું ઓપરેશન પણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીના પુત્રને વધુ સારવાર માટે રવિવારે અમદાવાદમાં આવેલી કેડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમની સર્જરી પણ કરવામાં આવી હતી. પરંતુ સોમવારે મુખ્યમંત્રીના પુત્રને મુંબઈની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જામનગર ખાતે આયોજીત કાર્યક્રમમાં પણ સીએમ ભૂપેન્દ્ર પટેલે હાજરી ન આપી હતી. એર એમ્બ્યુલન્સની મદદથી સીએમના પુત્રને મુંબઈ સારવાર ખાટે ખસેડવામાં આવ્યા છે. હિંદુજા હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર હર્ષ સંઘવી પણ મુંબઈની મુલાકાત લેવાના છે.   


કેવી રીતે થાય છે બ્રેઈન સ્ટ્રોક?     

જો બ્રેઈન સ્ટ્રોક આવવાના કારણની વાત કરીએ તો મગજમાં લોહીનો પુરવઠો ખોરવાઈ જાય અથવા તો મગજમાં રહેલી લોહીની નળીઓ ફાટી જાય છે. આ બંને પરિસ્થિતિઓમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મગજ સુધી પહોંચતો નથી. જેને લઈ મગજ યોગ્ય રીતે કામ કરતું નથી. મગજ સરખી રીતે કામ ન કરવાથી વ્યક્તિને પેરાલીસીસનો એટેક પણ આવી શકે છે. મગજમાં અલગ અલગ અંગનું સંચાલન કરતી ચેતના હોય છે. જો કોઈ નસને નુકસાન પહોંચે છે તો તે નસ સાથે જોડાયેલા અંગમાં લકવો થઈ શકે છે. ઉદાહરણ તરીકે જો મગજમાં હાથનું સંચાલન કરતી ચેતાને નુકસાન થાય છે તો હાથ લકવાગ્રસ્ત થઈ શકે છે. આવી જ રીતે પગ પણ લકવાગ્રસ્ત થઈ શકે છે. 


બ્રેઈન સ્ટ્રોક આવવાના લક્ષણો!

જો લક્ષણોની વાત કરીએ તો હાથ-પગ કે શરીરના કોઈ ભાગમાં નબળાઈ આવી જતી હોય છે. બોલવામાં અથવા તો સમજવામાં તકલીફ પડતી હોય છે. આંખોમાં પણ તકલીફ થતી હોય છે. તે ઉપરાંત ચાલવામાં તકલીફ થવી, શરીરનો ભાગ સૂન થઈ જવો, અચાનક ચક્કર પણ આવી જવા. માથામાં અસહ્ય દુખાવો થતો હોય છે. જો આવા લક્ષણો દેખાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. બ્રેઈન સ્ટ્રોકને બ્રેઈન એટેક પણ કહેવામાં આવે છે.  


બ્રેઈન એટેકથી બચવા શું કરવા જોઈએ ઉપાય! 

જો સ્ટ્રોક આવવાના મુખ્ય કારણોની વાત કરીએ તો તેમાં હાઈ બીપી, ડાયાબિટીસ, તમાકુનું સેવન કરવાથી બ્રેઈન સ્ટ્રોક આવી શકે છે. સ્ટ્રોકના સૌથી મોટા કારણની વાત કરીએ તો હાઈ બીપીને મોટું કારણ માનવામાં આવે છે. તે સિવાય ડાયાબિટીસને પણ સ્ટ્રોકનું કારણ માનવામાં આવે છે. ડાયાબિટીસ વાળા દર્દીઓએ એમ પણ પોતાના શરીરનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બીપી અને ડાયાબિટીસ વાળા વ્યક્તિઓને સ્ટ્રોક આવવાની સંભાવના વધારે હોય છે. તે ઉપરાંત વજન અને કસરત ન કરવાને કારણે પણ બ્રેઈન સ્ટ્રોક આવવાની સંભાવનાઓ પ્રબળ થઈ જતી હોય છે. ત્યારે અમુક બેદરકારીઓને કારણે બ્રેઈન સ્ટ્રોક આવે છે. જેમ કે સમય પર ભોજન ન કરવું, કસરત ન કરવી, ફાસ્ટ ફૂડ અથવા તો જંક ભૂડ ખાવું તેમજ સ્ટ્રેસ લેવું. બ્રેઈન સ્ટ્રોક અનેક વખત જીવલેણ પણ સાબિત થઈ શકે છે.         



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.