મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્રને આવ્યો બ્રેઈન સ્ટ્રોક! સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, જાણો શું હોય છે બ્રેઈન સ્ટ્રોક અને કેવી રીતે મેળવી શકાય રક્ષણ!


  • Published By :
  • Published Date : 2023-05-01 17:34:56

રવિવાર સાંજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિકરા અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અમદાવાદ ખાતે આવેલી કે.ડી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. બપોરના સમયે તબિયત ખરાબ થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બ્રેઈન સ્ટ્રોક આવવાને કારણે અનુજ પટેલનું ઓપરેશન પણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીના પુત્રને વધુ સારવાર માટે રવિવારે અમદાવાદમાં આવેલી કેડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમની સર્જરી પણ કરવામાં આવી હતી. પરંતુ સોમવારે મુખ્યમંત્રીના પુત્રને મુંબઈની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જામનગર ખાતે આયોજીત કાર્યક્રમમાં પણ સીએમ ભૂપેન્દ્ર પટેલે હાજરી ન આપી હતી. એર એમ્બ્યુલન્સની મદદથી સીએમના પુત્રને મુંબઈ સારવાર ખાટે ખસેડવામાં આવ્યા છે. હિંદુજા હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર હર્ષ સંઘવી પણ મુંબઈની મુલાકાત લેવાના છે.   


કેવી રીતે થાય છે બ્રેઈન સ્ટ્રોક?     

જો બ્રેઈન સ્ટ્રોક આવવાના કારણની વાત કરીએ તો મગજમાં લોહીનો પુરવઠો ખોરવાઈ જાય અથવા તો મગજમાં રહેલી લોહીની નળીઓ ફાટી જાય છે. આ બંને પરિસ્થિતિઓમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મગજ સુધી પહોંચતો નથી. જેને લઈ મગજ યોગ્ય રીતે કામ કરતું નથી. મગજ સરખી રીતે કામ ન કરવાથી વ્યક્તિને પેરાલીસીસનો એટેક પણ આવી શકે છે. મગજમાં અલગ અલગ અંગનું સંચાલન કરતી ચેતના હોય છે. જો કોઈ નસને નુકસાન પહોંચે છે તો તે નસ સાથે જોડાયેલા અંગમાં લકવો થઈ શકે છે. ઉદાહરણ તરીકે જો મગજમાં હાથનું સંચાલન કરતી ચેતાને નુકસાન થાય છે તો હાથ લકવાગ્રસ્ત થઈ શકે છે. આવી જ રીતે પગ પણ લકવાગ્રસ્ત થઈ શકે છે. 


બ્રેઈન સ્ટ્રોક આવવાના લક્ષણો!

જો લક્ષણોની વાત કરીએ તો હાથ-પગ કે શરીરના કોઈ ભાગમાં નબળાઈ આવી જતી હોય છે. બોલવામાં અથવા તો સમજવામાં તકલીફ પડતી હોય છે. આંખોમાં પણ તકલીફ થતી હોય છે. તે ઉપરાંત ચાલવામાં તકલીફ થવી, શરીરનો ભાગ સૂન થઈ જવો, અચાનક ચક્કર પણ આવી જવા. માથામાં અસહ્ય દુખાવો થતો હોય છે. જો આવા લક્ષણો દેખાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. બ્રેઈન સ્ટ્રોકને બ્રેઈન એટેક પણ કહેવામાં આવે છે.  


બ્રેઈન એટેકથી બચવા શું કરવા જોઈએ ઉપાય! 

જો સ્ટ્રોક આવવાના મુખ્ય કારણોની વાત કરીએ તો તેમાં હાઈ બીપી, ડાયાબિટીસ, તમાકુનું સેવન કરવાથી બ્રેઈન સ્ટ્રોક આવી શકે છે. સ્ટ્રોકના સૌથી મોટા કારણની વાત કરીએ તો હાઈ બીપીને મોટું કારણ માનવામાં આવે છે. તે સિવાય ડાયાબિટીસને પણ સ્ટ્રોકનું કારણ માનવામાં આવે છે. ડાયાબિટીસ વાળા દર્દીઓએ એમ પણ પોતાના શરીરનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બીપી અને ડાયાબિટીસ વાળા વ્યક્તિઓને સ્ટ્રોક આવવાની સંભાવના વધારે હોય છે. તે ઉપરાંત વજન અને કસરત ન કરવાને કારણે પણ બ્રેઈન સ્ટ્રોક આવવાની સંભાવનાઓ પ્રબળ થઈ જતી હોય છે. ત્યારે અમુક બેદરકારીઓને કારણે બ્રેઈન સ્ટ્રોક આવે છે. જેમ કે સમય પર ભોજન ન કરવું, કસરત ન કરવી, ફાસ્ટ ફૂડ અથવા તો જંક ભૂડ ખાવું તેમજ સ્ટ્રેસ લેવું. બ્રેઈન સ્ટ્રોક અનેક વખત જીવલેણ પણ સાબિત થઈ શકે છે.         



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે