મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્રને આવ્યો બ્રેઈન સ્ટ્રોક! સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, જાણો શું હોય છે બ્રેઈન સ્ટ્રોક અને કેવી રીતે મેળવી શકાય રક્ષણ!


  • Published By :
  • Published Date : 2023-05-01 17:34:56

રવિવાર સાંજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિકરા અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અમદાવાદ ખાતે આવેલી કે.ડી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. બપોરના સમયે તબિયત ખરાબ થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બ્રેઈન સ્ટ્રોક આવવાને કારણે અનુજ પટેલનું ઓપરેશન પણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીના પુત્રને વધુ સારવાર માટે રવિવારે અમદાવાદમાં આવેલી કેડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમની સર્જરી પણ કરવામાં આવી હતી. પરંતુ સોમવારે મુખ્યમંત્રીના પુત્રને મુંબઈની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જામનગર ખાતે આયોજીત કાર્યક્રમમાં પણ સીએમ ભૂપેન્દ્ર પટેલે હાજરી ન આપી હતી. એર એમ્બ્યુલન્સની મદદથી સીએમના પુત્રને મુંબઈ સારવાર ખાટે ખસેડવામાં આવ્યા છે. હિંદુજા હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર હર્ષ સંઘવી પણ મુંબઈની મુલાકાત લેવાના છે.   


કેવી રીતે થાય છે બ્રેઈન સ્ટ્રોક?     

જો બ્રેઈન સ્ટ્રોક આવવાના કારણની વાત કરીએ તો મગજમાં લોહીનો પુરવઠો ખોરવાઈ જાય અથવા તો મગજમાં રહેલી લોહીની નળીઓ ફાટી જાય છે. આ બંને પરિસ્થિતિઓમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મગજ સુધી પહોંચતો નથી. જેને લઈ મગજ યોગ્ય રીતે કામ કરતું નથી. મગજ સરખી રીતે કામ ન કરવાથી વ્યક્તિને પેરાલીસીસનો એટેક પણ આવી શકે છે. મગજમાં અલગ અલગ અંગનું સંચાલન કરતી ચેતના હોય છે. જો કોઈ નસને નુકસાન પહોંચે છે તો તે નસ સાથે જોડાયેલા અંગમાં લકવો થઈ શકે છે. ઉદાહરણ તરીકે જો મગજમાં હાથનું સંચાલન કરતી ચેતાને નુકસાન થાય છે તો હાથ લકવાગ્રસ્ત થઈ શકે છે. આવી જ રીતે પગ પણ લકવાગ્રસ્ત થઈ શકે છે. 


બ્રેઈન સ્ટ્રોક આવવાના લક્ષણો!

જો લક્ષણોની વાત કરીએ તો હાથ-પગ કે શરીરના કોઈ ભાગમાં નબળાઈ આવી જતી હોય છે. બોલવામાં અથવા તો સમજવામાં તકલીફ પડતી હોય છે. આંખોમાં પણ તકલીફ થતી હોય છે. તે ઉપરાંત ચાલવામાં તકલીફ થવી, શરીરનો ભાગ સૂન થઈ જવો, અચાનક ચક્કર પણ આવી જવા. માથામાં અસહ્ય દુખાવો થતો હોય છે. જો આવા લક્ષણો દેખાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. બ્રેઈન સ્ટ્રોકને બ્રેઈન એટેક પણ કહેવામાં આવે છે.  


બ્રેઈન એટેકથી બચવા શું કરવા જોઈએ ઉપાય! 

જો સ્ટ્રોક આવવાના મુખ્ય કારણોની વાત કરીએ તો તેમાં હાઈ બીપી, ડાયાબિટીસ, તમાકુનું સેવન કરવાથી બ્રેઈન સ્ટ્રોક આવી શકે છે. સ્ટ્રોકના સૌથી મોટા કારણની વાત કરીએ તો હાઈ બીપીને મોટું કારણ માનવામાં આવે છે. તે સિવાય ડાયાબિટીસને પણ સ્ટ્રોકનું કારણ માનવામાં આવે છે. ડાયાબિટીસ વાળા દર્દીઓએ એમ પણ પોતાના શરીરનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બીપી અને ડાયાબિટીસ વાળા વ્યક્તિઓને સ્ટ્રોક આવવાની સંભાવના વધારે હોય છે. તે ઉપરાંત વજન અને કસરત ન કરવાને કારણે પણ બ્રેઈન સ્ટ્રોક આવવાની સંભાવનાઓ પ્રબળ થઈ જતી હોય છે. ત્યારે અમુક બેદરકારીઓને કારણે બ્રેઈન સ્ટ્રોક આવે છે. જેમ કે સમય પર ભોજન ન કરવું, કસરત ન કરવી, ફાસ્ટ ફૂડ અથવા તો જંક ભૂડ ખાવું તેમજ સ્ટ્રેસ લેવું. બ્રેઈન સ્ટ્રોક અનેક વખત જીવલેણ પણ સાબિત થઈ શકે છે.         



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.