અધિકારીઓ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બગડ્યા? જાહેર મંચ પરથી કહી આ વાત જેને સાંભળી તમે પણ કહેશો કે.. સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-06-14 17:37:13

ગુજરાતના મૃદુ અને મક્કમ cmનું સ્વરૂપ બદલાતું દેખાય છે  રાજકોટ ગેમઝોન દુર્ઘટનામાં અધિકારીઓની મીલીભગત બહાર આવ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મિજાજ હવે સાતમા આસમાને પહોંચ્યો છે. મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી હવે કાર્યવાહીને લઈ કડક બની રહ્યા છે.  દાદા ફરી અધિકારીઓ પર ભડક્યા છે. આણંદના સારસામાં યોજાયેલા એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે અમે હવે કલેક્ટર ઓફિસે જઇશું…બધી જ કિટલીઓ હવે શાંત થઇ જવાની છે. અને ચા કરતાં વધારે કીટલી ગરમ નહીં જ ચાલે....   

રાજકોટ દુર્ઘટનાને લઈ મુખ્યમંત્રીએ આપી હતી પ્રતિક્રિયા

મુખ્યમંત્રી કઇ કિટલીઓ વિશે વાત કરી રહ્યા હતા તેની જનતાને ખબર છે. ગુજરાતીમાં કહેવત છે કે ચા કરતાં કિટલી ગરમ…અધિકારીઓની શરણમાં કેટલાક તત્વો કિટલી બનીને ફરતાં હોય છે તે વાત પણ જગજાહેર છે. હવે સરકાર આવી કિટલીઓને પણ શોધી શોધી ઠેકાણે પાડશે તેનો અંદાજ મુખ્યમંત્રીની આ વાત પરથી આવી શકે છે. મહત્વનું છે કે રાજકોટ અગ્નિકાંડને લઈ પણ મુખ્યમંત્રી દ્વારા આકરૂં વલણ અપનાવવામાં આવ્યું છે. ગઈકાલે જ મુખ્યમંત્રી રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ વિશે બોલ્યા હતા તેમણે કહ્યું હતું કે માણસનો જીવ મહત્વનો છે ત્યારે “જીવ બચાવવા કોઇ જ પ્રકારનું કોઇપણ પક્ષે સમાધાન ન થવું જોઇએ”અને સાથે જ કહ્યું કે વિચારવું જોઈએ કે ક્યાં ભૂલ થાય છે. 


એવી કાર્યવાહી થવી જોઈએ જેને લઈ દાખલો બેસે કે... 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે જે નિવેદન આપ્યું કે અમે હવે કલેક્ટર ઓફિસે જઇશું અને આજથી જ એની શરૂઆત પણ કરી દીધી આજે તે  અચાનક ખેડા પ્રાંત ઓફિસની મુલાકાતે પહોંચ્યા... મહત્વનું છે કે મુખ્યમંત્રી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું તેમાં તે દુ:ખ વ્યક્ત કરતા હોય તેવું લાગ્યું.. માણસ તરીકે તે દુ:ખ વ્યક્ત કરે તે માણસાઈની નિશાની છે પરંતુ જ્યારે સત્તા પર બેઠેલા વ્યક્તિ આવી દુર્ઘટનાને લઈ બોલે ત્યારે સવાલ થાય.. અહીંયા કાર્યવાહી એવી થવી જોઈએ કે દાખલો બેસે કે ખોટું કરવાની કોઈની હિંમત ના ચાલે. એ ગમે તે કેમ ના હોય તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવાની સત્તા તમારી પાસે છે.. હવે સરકાર સતત આ રીતે કામ કરે એ આશા..  



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.