શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી અનેક શાળાઓની મુલાકાત, વિદ્યાર્થીઓ સાથે કરી વાત


  • Published By :
  • Published Date : 2024-06-28 18:31:36

બાળક ભણશે તો બાળકનું ભવિષ્ય ઉજજવળ બનશે.. બાળકોને ભણાવવા માટે માતા પિતા ઘણી મહેનત કરતા હોય છે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી જેવી યોજનાઓ સરકાર દ્વારા લાવવામાં આવી.. પ્રવેશોત્સવમાં હાજરી આપવા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે ગુજરાતના મુખ્યમંત્રી અનેક સરકારી શાળાની મુલાકાત લઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓ સાથે વાત કરી રહ્યા છે. આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાની સરોડી પ્રાથમિક શાળા પહોંચ્યા હતા અને બાળકોનો શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. 

શાળામાં ચાલી રહ્યો છે પ્રવેશોત્સવ કાર્યક્રમ 

નાના બાળકોમાં દેશનું ભાવિ રહેલું છે. બાળકોનું ભવિષ્ય જેટલું વિકસીત હશે, જેટલું વિશાળ હશે  તેટલું જ ભવિષ્ય દેશનું પણ ઉજ્જવળ હશે.. ભણતર બાળકના ઘડતર માટે જરૂરી છે. શાળામાં આપવામાં આવતું શિક્ષણ બાળકને કામમાં લાગે છે. શાળામાં આવી બાળકો શિક્ષણ મેળવે તે માટે સરકાર દ્વારા ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અનેક અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. હાલ શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. વિદ્યાર્થીઓને શાળામાં આવકારવામાં આવી રહ્યા છે. અલગ અલગ શાળાની મંત્રીઓ મુલાકાત લઈ રહ્યા છે.

અનેક શાળાઓની મુખ્યમંત્રીએ લીધી મુલાકાત 

ગુજરાતના મુખ્યમંત્રી પણ અલગ અલગ વિસ્તારમાં આવેલી શાળાઓની મુલાકાત લઈ રહ્યા છે. પ્રવેશોત્સવના કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ ડાંગ જિલ્લાના બીબીઆંબા ગામમાં આવેલી પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. બાળકો સાથે વાત કરી હતી. તે ઉપરાંત તેમણે છોટા ઉદેપુરરની પી.એમ.શ્રી તાલુકા શાળા નંબર-1ની મુલાકાત લીધી હતી. આંગણવાડી, બાલવાટિકા, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ શાળા પ્રવેશ કરાવ્યો હતો. ત્રીજા દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઠ તાલુકાની સરોડી પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. 



અનેક શાળાઓ એવી છે જે ઝર્ઝરિત હાલતમાં છે

મહત્વનું છે કે અનેક શાળાઓ એવી છે જ્યાં શિક્ષકોની ઘટ છે. ભણવા માટે વિદ્યાર્થીઓ પાસે ઓરડા નથી..ઝર્ઝરિત શાળામાં વિદ્યાર્થીઓ ભણવા માટે મજબૂર બન્યા છે. અનેક શાળાઓ એવી છે જ્યાં સારી સુવિધાઓ છે, ટેક્નોલોજીથી સજ્જ છે પરંતુ અંતરિયાળ વિસ્તારોમાં આવેલી શાળા ઝર્ઝરિત હાલતમાં છે.. ભયના છાયા નીચે બાળકોના ભણે અને દરેક શાળામાં સારી વ્યવસ્થા હોય તેવી આશા..   

પ્રવેશોત્સવમાં હાજરી આપવા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે ગુજરાતના મુખ્યમંત્રી અનેક સરકારી શાળાની મુલાકાત લઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓ સાથે વાત કરી રહ્યા છે. આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાની સરોડી પ્રાથમિક શાળા પહોંચ્યા હતા અને બાળકોનો શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.


ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.