શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી અનેક શાળાઓની મુલાકાત, વિદ્યાર્થીઓ સાથે કરી વાત


  • Published By :
  • Published Date : 2024-06-28 18:31:36

બાળક ભણશે તો બાળકનું ભવિષ્ય ઉજજવળ બનશે.. બાળકોને ભણાવવા માટે માતા પિતા ઘણી મહેનત કરતા હોય છે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી જેવી યોજનાઓ સરકાર દ્વારા લાવવામાં આવી.. પ્રવેશોત્સવમાં હાજરી આપવા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે ગુજરાતના મુખ્યમંત્રી અનેક સરકારી શાળાની મુલાકાત લઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓ સાથે વાત કરી રહ્યા છે. આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાની સરોડી પ્રાથમિક શાળા પહોંચ્યા હતા અને બાળકોનો શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. 

શાળામાં ચાલી રહ્યો છે પ્રવેશોત્સવ કાર્યક્રમ 

નાના બાળકોમાં દેશનું ભાવિ રહેલું છે. બાળકોનું ભવિષ્ય જેટલું વિકસીત હશે, જેટલું વિશાળ હશે  તેટલું જ ભવિષ્ય દેશનું પણ ઉજ્જવળ હશે.. ભણતર બાળકના ઘડતર માટે જરૂરી છે. શાળામાં આપવામાં આવતું શિક્ષણ બાળકને કામમાં લાગે છે. શાળામાં આવી બાળકો શિક્ષણ મેળવે તે માટે સરકાર દ્વારા ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અનેક અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. હાલ શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. વિદ્યાર્થીઓને શાળામાં આવકારવામાં આવી રહ્યા છે. અલગ અલગ શાળાની મંત્રીઓ મુલાકાત લઈ રહ્યા છે.

અનેક શાળાઓની મુખ્યમંત્રીએ લીધી મુલાકાત 

ગુજરાતના મુખ્યમંત્રી પણ અલગ અલગ વિસ્તારમાં આવેલી શાળાઓની મુલાકાત લઈ રહ્યા છે. પ્રવેશોત્સવના કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ ડાંગ જિલ્લાના બીબીઆંબા ગામમાં આવેલી પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. બાળકો સાથે વાત કરી હતી. તે ઉપરાંત તેમણે છોટા ઉદેપુરરની પી.એમ.શ્રી તાલુકા શાળા નંબર-1ની મુલાકાત લીધી હતી. આંગણવાડી, બાલવાટિકા, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ શાળા પ્રવેશ કરાવ્યો હતો. ત્રીજા દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઠ તાલુકાની સરોડી પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. 



અનેક શાળાઓ એવી છે જે ઝર્ઝરિત હાલતમાં છે

મહત્વનું છે કે અનેક શાળાઓ એવી છે જ્યાં શિક્ષકોની ઘટ છે. ભણવા માટે વિદ્યાર્થીઓ પાસે ઓરડા નથી..ઝર્ઝરિત શાળામાં વિદ્યાર્થીઓ ભણવા માટે મજબૂર બન્યા છે. અનેક શાળાઓ એવી છે જ્યાં સારી સુવિધાઓ છે, ટેક્નોલોજીથી સજ્જ છે પરંતુ અંતરિયાળ વિસ્તારોમાં આવેલી શાળા ઝર્ઝરિત હાલતમાં છે.. ભયના છાયા નીચે બાળકોના ભણે અને દરેક શાળામાં સારી વ્યવસ્થા હોય તેવી આશા..   

પ્રવેશોત્સવમાં હાજરી આપવા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે ગુજરાતના મુખ્યમંત્રી અનેક સરકારી શાળાની મુલાકાત લઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓ સાથે વાત કરી રહ્યા છે. આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાની સરોડી પ્રાથમિક શાળા પહોંચ્યા હતા અને બાળકોનો શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.


રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.