શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી અનેક શાળાઓની મુલાકાત, વિદ્યાર્થીઓ સાથે કરી વાત


  • Published By :
  • Published Date : 2024-06-28 18:31:36

બાળક ભણશે તો બાળકનું ભવિષ્ય ઉજજવળ બનશે.. બાળકોને ભણાવવા માટે માતા પિતા ઘણી મહેનત કરતા હોય છે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી જેવી યોજનાઓ સરકાર દ્વારા લાવવામાં આવી.. પ્રવેશોત્સવમાં હાજરી આપવા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે ગુજરાતના મુખ્યમંત્રી અનેક સરકારી શાળાની મુલાકાત લઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓ સાથે વાત કરી રહ્યા છે. આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાની સરોડી પ્રાથમિક શાળા પહોંચ્યા હતા અને બાળકોનો શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. 

શાળામાં ચાલી રહ્યો છે પ્રવેશોત્સવ કાર્યક્રમ 

નાના બાળકોમાં દેશનું ભાવિ રહેલું છે. બાળકોનું ભવિષ્ય જેટલું વિકસીત હશે, જેટલું વિશાળ હશે  તેટલું જ ભવિષ્ય દેશનું પણ ઉજ્જવળ હશે.. ભણતર બાળકના ઘડતર માટે જરૂરી છે. શાળામાં આપવામાં આવતું શિક્ષણ બાળકને કામમાં લાગે છે. શાળામાં આવી બાળકો શિક્ષણ મેળવે તે માટે સરકાર દ્વારા ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અનેક અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. હાલ શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. વિદ્યાર્થીઓને શાળામાં આવકારવામાં આવી રહ્યા છે. અલગ અલગ શાળાની મંત્રીઓ મુલાકાત લઈ રહ્યા છે.

અનેક શાળાઓની મુખ્યમંત્રીએ લીધી મુલાકાત 

ગુજરાતના મુખ્યમંત્રી પણ અલગ અલગ વિસ્તારમાં આવેલી શાળાઓની મુલાકાત લઈ રહ્યા છે. પ્રવેશોત્સવના કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ ડાંગ જિલ્લાના બીબીઆંબા ગામમાં આવેલી પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. બાળકો સાથે વાત કરી હતી. તે ઉપરાંત તેમણે છોટા ઉદેપુરરની પી.એમ.શ્રી તાલુકા શાળા નંબર-1ની મુલાકાત લીધી હતી. આંગણવાડી, બાલવાટિકા, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ શાળા પ્રવેશ કરાવ્યો હતો. ત્રીજા દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઠ તાલુકાની સરોડી પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. 



અનેક શાળાઓ એવી છે જે ઝર્ઝરિત હાલતમાં છે

મહત્વનું છે કે અનેક શાળાઓ એવી છે જ્યાં શિક્ષકોની ઘટ છે. ભણવા માટે વિદ્યાર્થીઓ પાસે ઓરડા નથી..ઝર્ઝરિત શાળામાં વિદ્યાર્થીઓ ભણવા માટે મજબૂર બન્યા છે. અનેક શાળાઓ એવી છે જ્યાં સારી સુવિધાઓ છે, ટેક્નોલોજીથી સજ્જ છે પરંતુ અંતરિયાળ વિસ્તારોમાં આવેલી શાળા ઝર્ઝરિત હાલતમાં છે.. ભયના છાયા નીચે બાળકોના ભણે અને દરેક શાળામાં સારી વ્યવસ્થા હોય તેવી આશા..   

પ્રવેશોત્સવમાં હાજરી આપવા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે ગુજરાતના મુખ્યમંત્રી અનેક સરકારી શાળાની મુલાકાત લઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓ સાથે વાત કરી રહ્યા છે. આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાની સરોડી પ્રાથમિક શાળા પહોંચ્યા હતા અને બાળકોનો શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.


ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.