શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી અનેક શાળાઓની મુલાકાત, વિદ્યાર્થીઓ સાથે કરી વાત


  • Published By :
  • Published Date : 2024-06-28 18:31:36

બાળક ભણશે તો બાળકનું ભવિષ્ય ઉજજવળ બનશે.. બાળકોને ભણાવવા માટે માતા પિતા ઘણી મહેનત કરતા હોય છે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી જેવી યોજનાઓ સરકાર દ્વારા લાવવામાં આવી.. પ્રવેશોત્સવમાં હાજરી આપવા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે ગુજરાતના મુખ્યમંત્રી અનેક સરકારી શાળાની મુલાકાત લઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓ સાથે વાત કરી રહ્યા છે. આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાની સરોડી પ્રાથમિક શાળા પહોંચ્યા હતા અને બાળકોનો શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. 

શાળામાં ચાલી રહ્યો છે પ્રવેશોત્સવ કાર્યક્રમ 

નાના બાળકોમાં દેશનું ભાવિ રહેલું છે. બાળકોનું ભવિષ્ય જેટલું વિકસીત હશે, જેટલું વિશાળ હશે  તેટલું જ ભવિષ્ય દેશનું પણ ઉજ્જવળ હશે.. ભણતર બાળકના ઘડતર માટે જરૂરી છે. શાળામાં આપવામાં આવતું શિક્ષણ બાળકને કામમાં લાગે છે. શાળામાં આવી બાળકો શિક્ષણ મેળવે તે માટે સરકાર દ્વારા ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અનેક અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. હાલ શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. વિદ્યાર્થીઓને શાળામાં આવકારવામાં આવી રહ્યા છે. અલગ અલગ શાળાની મંત્રીઓ મુલાકાત લઈ રહ્યા છે.

અનેક શાળાઓની મુખ્યમંત્રીએ લીધી મુલાકાત 

ગુજરાતના મુખ્યમંત્રી પણ અલગ અલગ વિસ્તારમાં આવેલી શાળાઓની મુલાકાત લઈ રહ્યા છે. પ્રવેશોત્સવના કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ ડાંગ જિલ્લાના બીબીઆંબા ગામમાં આવેલી પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. બાળકો સાથે વાત કરી હતી. તે ઉપરાંત તેમણે છોટા ઉદેપુરરની પી.એમ.શ્રી તાલુકા શાળા નંબર-1ની મુલાકાત લીધી હતી. આંગણવાડી, બાલવાટિકા, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ શાળા પ્રવેશ કરાવ્યો હતો. ત્રીજા દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઠ તાલુકાની સરોડી પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. 



અનેક શાળાઓ એવી છે જે ઝર્ઝરિત હાલતમાં છે

મહત્વનું છે કે અનેક શાળાઓ એવી છે જ્યાં શિક્ષકોની ઘટ છે. ભણવા માટે વિદ્યાર્થીઓ પાસે ઓરડા નથી..ઝર્ઝરિત શાળામાં વિદ્યાર્થીઓ ભણવા માટે મજબૂર બન્યા છે. અનેક શાળાઓ એવી છે જ્યાં સારી સુવિધાઓ છે, ટેક્નોલોજીથી સજ્જ છે પરંતુ અંતરિયાળ વિસ્તારોમાં આવેલી શાળા ઝર્ઝરિત હાલતમાં છે.. ભયના છાયા નીચે બાળકોના ભણે અને દરેક શાળામાં સારી વ્યવસ્થા હોય તેવી આશા..   

પ્રવેશોત્સવમાં હાજરી આપવા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે ગુજરાતના મુખ્યમંત્રી અનેક સરકારી શાળાની મુલાકાત લઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓ સાથે વાત કરી રહ્યા છે. આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાની સરોડી પ્રાથમિક શાળા પહોંચ્યા હતા અને બાળકોનો શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.


હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.