મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ગાડીમાં બેસવા ના દીધા ! વિપક્ષનું સોશિયલ મીડિયામાં હલ્લાબોલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-25 16:12:08

આ કોઈ નેતાનું નહીં મુખ્યમંત્રી પદની ગરિમાનું અપમાન છે 


પીએમ જયારે પણ પબ્લિક વચ્ચે જાય છે ત્યારે સતત કેમેરાથી ઘેરાયેલા રહે છે પરંતુ ક્યારેક ક્યારેક કેટલાક ન દર્શાવવા જેવા દ્રશ્યો પણ કેમેરામાં કેદ થઈને લોકો સમક્ષ પહોંચી જાય છે. અત્યારે એવો જ એક વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડાપ્રધાન મોદીની કારમાં બેસવા જાય છે પણ બેસવા દેવાતા નથી અને કાર ઉભી રખાતી નથી. મોદીનો કમાન્ડો પ્રયાસ કરે છે પણ ભૂપેન્દ્ર પટેલ બેસી શકતા નથી અથવા બેસવા દેવામાં આવતા નથી ભાજપ માટે આવા વર્તનની કોઈ નવાઈ નથી પરંતુ ભુપેન્દ્ર પટેલ માત્ર ભાજપના નેતા નથી ગુજરાતના મુખ્યમંત્રી છે. એટલે વડાપ્રધાન જ્યારે તેમને કારમાં નથી બેસવા દેતા ત્યારે ભૂપેન્દ્ર પટેલનું નહીં પણ ગુજરાતના મુખ્યમંત્રીનું અપમાન કરી રહ્યાં છે. મુખ્યમંત્રી પદની ગરીમા કેમ જાળવવી એટલી સજાગતા માનનીય નરેન્દ્ર મોદીમાં હોય તેવી ગુજરાતની પ્રજાની અપેક્ષા છે.જોકે કોંગ્રેસ અને aap દ્વારા આ વિડિઓને સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો છે.  

 ગુજરાત અને તેની વિનમ્રતા દેશભરમાં વખણાય છે

જો ગુજરાતમાં જ આવા દ્રશ્યો જોવા મળતા હોય તો ગુજરાત માટે આ વિડિઓ અત્યંત શર્મનાક છે આ વિડિઓ જોઈને કોઈ પણ લાગી આવે કે આવું તો ના હોય ! ભુપેન્દ્ર ભાઈ હશે તમારા પક્ષના પણ પહેલા એ અમારા મુખ્યમંત્રી છે ગુજરાતને આવું વર્તન ક્યારેય સહન નહિ થાય.ગુજરાતની સંસ્કૃતિ પર લાંછન લગાવે છે આવા દર્શ્યો.આ વિડિઓને જોઈને ભાજપ મહોડી મંડળના લોકો ભલે કહેતા હોય કે કમાન્ડોની ભૂલ હશે પણ આ ભૂલ નથી સરાજાહેર મુખ્યમંત્રીનું અપમાન છે ગુજરાતને આશા છે કે હવેથી તમારા આદેશો મુખ્યમંત્રીની ગરિમા સાચવી શકશે ...


સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"