મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ગાડીમાં બેસવા ના દીધા ! વિપક્ષનું સોશિયલ મીડિયામાં હલ્લાબોલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-25 16:12:08

આ કોઈ નેતાનું નહીં મુખ્યમંત્રી પદની ગરિમાનું અપમાન છે 


પીએમ જયારે પણ પબ્લિક વચ્ચે જાય છે ત્યારે સતત કેમેરાથી ઘેરાયેલા રહે છે પરંતુ ક્યારેક ક્યારેક કેટલાક ન દર્શાવવા જેવા દ્રશ્યો પણ કેમેરામાં કેદ થઈને લોકો સમક્ષ પહોંચી જાય છે. અત્યારે એવો જ એક વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડાપ્રધાન મોદીની કારમાં બેસવા જાય છે પણ બેસવા દેવાતા નથી અને કાર ઉભી રખાતી નથી. મોદીનો કમાન્ડો પ્રયાસ કરે છે પણ ભૂપેન્દ્ર પટેલ બેસી શકતા નથી અથવા બેસવા દેવામાં આવતા નથી ભાજપ માટે આવા વર્તનની કોઈ નવાઈ નથી પરંતુ ભુપેન્દ્ર પટેલ માત્ર ભાજપના નેતા નથી ગુજરાતના મુખ્યમંત્રી છે. એટલે વડાપ્રધાન જ્યારે તેમને કારમાં નથી બેસવા દેતા ત્યારે ભૂપેન્દ્ર પટેલનું નહીં પણ ગુજરાતના મુખ્યમંત્રીનું અપમાન કરી રહ્યાં છે. મુખ્યમંત્રી પદની ગરીમા કેમ જાળવવી એટલી સજાગતા માનનીય નરેન્દ્ર મોદીમાં હોય તેવી ગુજરાતની પ્રજાની અપેક્ષા છે.જોકે કોંગ્રેસ અને aap દ્વારા આ વિડિઓને સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો છે.  

 ગુજરાત અને તેની વિનમ્રતા દેશભરમાં વખણાય છે

જો ગુજરાતમાં જ આવા દ્રશ્યો જોવા મળતા હોય તો ગુજરાત માટે આ વિડિઓ અત્યંત શર્મનાક છે આ વિડિઓ જોઈને કોઈ પણ લાગી આવે કે આવું તો ના હોય ! ભુપેન્દ્ર ભાઈ હશે તમારા પક્ષના પણ પહેલા એ અમારા મુખ્યમંત્રી છે ગુજરાતને આવું વર્તન ક્યારેય સહન નહિ થાય.ગુજરાતની સંસ્કૃતિ પર લાંછન લગાવે છે આવા દર્શ્યો.આ વિડિઓને જોઈને ભાજપ મહોડી મંડળના લોકો ભલે કહેતા હોય કે કમાન્ડોની ભૂલ હશે પણ આ ભૂલ નથી સરાજાહેર મુખ્યમંત્રીનું અપમાન છે ગુજરાતને આશા છે કે હવેથી તમારા આદેશો મુખ્યમંત્રીની ગરિમા સાચવી શકશે ...


રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.