મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ગાડીમાં બેસવા ના દીધા ! વિપક્ષનું સોશિયલ મીડિયામાં હલ્લાબોલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-25 16:12:08

આ કોઈ નેતાનું નહીં મુખ્યમંત્રી પદની ગરિમાનું અપમાન છે 


પીએમ જયારે પણ પબ્લિક વચ્ચે જાય છે ત્યારે સતત કેમેરાથી ઘેરાયેલા રહે છે પરંતુ ક્યારેક ક્યારેક કેટલાક ન દર્શાવવા જેવા દ્રશ્યો પણ કેમેરામાં કેદ થઈને લોકો સમક્ષ પહોંચી જાય છે. અત્યારે એવો જ એક વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડાપ્રધાન મોદીની કારમાં બેસવા જાય છે પણ બેસવા દેવાતા નથી અને કાર ઉભી રખાતી નથી. મોદીનો કમાન્ડો પ્રયાસ કરે છે પણ ભૂપેન્દ્ર પટેલ બેસી શકતા નથી અથવા બેસવા દેવામાં આવતા નથી ભાજપ માટે આવા વર્તનની કોઈ નવાઈ નથી પરંતુ ભુપેન્દ્ર પટેલ માત્ર ભાજપના નેતા નથી ગુજરાતના મુખ્યમંત્રી છે. એટલે વડાપ્રધાન જ્યારે તેમને કારમાં નથી બેસવા દેતા ત્યારે ભૂપેન્દ્ર પટેલનું નહીં પણ ગુજરાતના મુખ્યમંત્રીનું અપમાન કરી રહ્યાં છે. મુખ્યમંત્રી પદની ગરીમા કેમ જાળવવી એટલી સજાગતા માનનીય નરેન્દ્ર મોદીમાં હોય તેવી ગુજરાતની પ્રજાની અપેક્ષા છે.જોકે કોંગ્રેસ અને aap દ્વારા આ વિડિઓને સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો છે.  

 ગુજરાત અને તેની વિનમ્રતા દેશભરમાં વખણાય છે

જો ગુજરાતમાં જ આવા દ્રશ્યો જોવા મળતા હોય તો ગુજરાત માટે આ વિડિઓ અત્યંત શર્મનાક છે આ વિડિઓ જોઈને કોઈ પણ લાગી આવે કે આવું તો ના હોય ! ભુપેન્દ્ર ભાઈ હશે તમારા પક્ષના પણ પહેલા એ અમારા મુખ્યમંત્રી છે ગુજરાતને આવું વર્તન ક્યારેય સહન નહિ થાય.ગુજરાતની સંસ્કૃતિ પર લાંછન લગાવે છે આવા દર્શ્યો.આ વિડિઓને જોઈને ભાજપ મહોડી મંડળના લોકો ભલે કહેતા હોય કે કમાન્ડોની ભૂલ હશે પણ આ ભૂલ નથી સરાજાહેર મુખ્યમંત્રીનું અપમાન છે ગુજરાતને આશા છે કે હવેથી તમારા આદેશો મુખ્યમંત્રીની ગરિમા સાચવી શકશે ...


ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.