મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ગાડીમાં બેસવા ના દીધા ! વિપક્ષનું સોશિયલ મીડિયામાં હલ્લાબોલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-25 16:12:08

આ કોઈ નેતાનું નહીં મુખ્યમંત્રી પદની ગરિમાનું અપમાન છે 


પીએમ જયારે પણ પબ્લિક વચ્ચે જાય છે ત્યારે સતત કેમેરાથી ઘેરાયેલા રહે છે પરંતુ ક્યારેક ક્યારેક કેટલાક ન દર્શાવવા જેવા દ્રશ્યો પણ કેમેરામાં કેદ થઈને લોકો સમક્ષ પહોંચી જાય છે. અત્યારે એવો જ એક વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડાપ્રધાન મોદીની કારમાં બેસવા જાય છે પણ બેસવા દેવાતા નથી અને કાર ઉભી રખાતી નથી. મોદીનો કમાન્ડો પ્રયાસ કરે છે પણ ભૂપેન્દ્ર પટેલ બેસી શકતા નથી અથવા બેસવા દેવામાં આવતા નથી ભાજપ માટે આવા વર્તનની કોઈ નવાઈ નથી પરંતુ ભુપેન્દ્ર પટેલ માત્ર ભાજપના નેતા નથી ગુજરાતના મુખ્યમંત્રી છે. એટલે વડાપ્રધાન જ્યારે તેમને કારમાં નથી બેસવા દેતા ત્યારે ભૂપેન્દ્ર પટેલનું નહીં પણ ગુજરાતના મુખ્યમંત્રીનું અપમાન કરી રહ્યાં છે. મુખ્યમંત્રી પદની ગરીમા કેમ જાળવવી એટલી સજાગતા માનનીય નરેન્દ્ર મોદીમાં હોય તેવી ગુજરાતની પ્રજાની અપેક્ષા છે.જોકે કોંગ્રેસ અને aap દ્વારા આ વિડિઓને સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો છે.  

 ગુજરાત અને તેની વિનમ્રતા દેશભરમાં વખણાય છે

જો ગુજરાતમાં જ આવા દ્રશ્યો જોવા મળતા હોય તો ગુજરાત માટે આ વિડિઓ અત્યંત શર્મનાક છે આ વિડિઓ જોઈને કોઈ પણ લાગી આવે કે આવું તો ના હોય ! ભુપેન્દ્ર ભાઈ હશે તમારા પક્ષના પણ પહેલા એ અમારા મુખ્યમંત્રી છે ગુજરાતને આવું વર્તન ક્યારેય સહન નહિ થાય.ગુજરાતની સંસ્કૃતિ પર લાંછન લગાવે છે આવા દર્શ્યો.આ વિડિઓને જોઈને ભાજપ મહોડી મંડળના લોકો ભલે કહેતા હોય કે કમાન્ડોની ભૂલ હશે પણ આ ભૂલ નથી સરાજાહેર મુખ્યમંત્રીનું અપમાન છે ગુજરાતને આશા છે કે હવેથી તમારા આદેશો મુખ્યમંત્રીની ગરિમા સાચવી શકશે ...


પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.