ચીખલી:આચાર્યએ વિદ્યાર્થીનીને ઠપકો આપવા સાથે માર માર્યો:વિદ્યાર્થીનીએ ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-01 15:10:34

ચીખલી તાલુકાના મજીગામ ખાતે આવેલી શ્રીમતી નયનાબેન મકનભાઈ પટેલ હાઈસ્કુલમાં અપમાનજનક કૃત્ય બદલ વિદ્યાર્થીને દુષ પ્રેરણાથી ઘરે ફાંસો લીધા હોવાના આક્ષેપ પરિવારે કરી શાળા તથા આચાર્યના ઘરે હોબાળો મચાવ્યો હતો.


ચીખલી તાલુકાના મજીગામ ખાતે આવેલી શ્રીમતી નયનાબેન મકનભાઈ પટેલ હાઈસ્કુલમાં શાળામાં ધોરણ 12 ની વિદ્યાર્થીની દ્રષ્ટિ પટેલે એકમ કસોટી ની બુક ઘરે ભૂલી જતા શાળાના આચાર્યાએ તેને શાળામાં માર માર્યો હોવાના આક્ષેપો થયા હતા. જેને પગલે સંભવિત રીતે દ્રષ્ટિને માઠું લાગી આવતા તેણે ઘરના પાછળના ભાગે એકાતમાં ગળે ફાંસો લઈ જીવંત ટૂંકવતા મૃતક વિદ્યાર્થીનીના પરિવારજનોએ શાળાએ પહોંચી હોબાળો મચાવતા માહોલ ગરમ થયો.મૃતક યુવતીના પિતા પરિમલ કાંતિભાઈ પટેલ કે જે મલવાડામાં મજૂરી કરીને જીવન ગુજારે છે તેમણે ચીખલી પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવી છે.

 મૃતક વિધાર્થીની દ્રષ્ટિ પટેલની ફાઇલ તસવીર


તેમની 17 વર્ષીય દીકરી દ્રષ્ટિ શ્રીમતી નયનાબેન મકનભાઈ પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણતી હતી. ગત 28 મી એ શાળામાં યુનિટ ટેસ્ટ લેવામાં આવી હતી જેનું તેણે હોમવર્ક કર્યું ન હતું બીજા દિવસે વિદ્યાર્થીઓની બુક શાળામાં જમા કરાવવાની હતી જે બાબતે દ્રષ્ટિની મમ્મી હર્ષાબેનને સ્કૂલમાં આચાર્યા સમતા પટેલ બોલાવીને ખોટું કેમ બોલે છે તેવું કહેવા સાથે મારમાર્યો હતો જેથી દ્રષ્ટિને માઠું લાગી આવ્યું હતું જેથી તેણે મલવાડા માતા ફળિયામાં પોતાના ઘરની પાછળ આવેલા પેજારીમાં લાકડાના દંડા ઉપર દુપટ્ટો વડે ફાંસો લઈ જીવન ટૂંકાવતા શાળાએ જઈને વાલીઓએ હોબાળો મચાવતા માહોલ ગરમ થયો છે.


વિદ્યાર્થીને ને આચાર્ય મારે તે સાહજીક લાગે પરંતુ શાળામાં કોઈપણ જાતનો હોદ્દો ન ધરાવતા સમતા પટેલના પતિ અક્ષય પટેલે પણ વિદ્યાર્થી દર્ષ્ટિને સોટી થી ફટકારતા વિદ્યાર્થીને અપમાનજનક લાગતા તેણીએ આપઘાત કર્યાના આક્ષેપો પણ વાલીઓ દ્વારા કરવામાં આવ્યા છે.ચીખલી પોલીસે યુવતીએ આપઘાત કર્યાની નોંધ FIR માં કરવામાં આવી છે જોકે હોબાળો થતા હવે ટોળું ચીખલી પોલીસ સ્ટેશનને પહોંચીને બંને આરોપી પતિ પત્ની વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવાય તે માટેની ઉગ્ર માંગ કરી છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.