ચીખલી:આચાર્યએ વિદ્યાર્થીનીને ઠપકો આપવા સાથે માર માર્યો:વિદ્યાર્થીનીએ ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-01 15:10:34

ચીખલી તાલુકાના મજીગામ ખાતે આવેલી શ્રીમતી નયનાબેન મકનભાઈ પટેલ હાઈસ્કુલમાં અપમાનજનક કૃત્ય બદલ વિદ્યાર્થીને દુષ પ્રેરણાથી ઘરે ફાંસો લીધા હોવાના આક્ષેપ પરિવારે કરી શાળા તથા આચાર્યના ઘરે હોબાળો મચાવ્યો હતો.


ચીખલી તાલુકાના મજીગામ ખાતે આવેલી શ્રીમતી નયનાબેન મકનભાઈ પટેલ હાઈસ્કુલમાં શાળામાં ધોરણ 12 ની વિદ્યાર્થીની દ્રષ્ટિ પટેલે એકમ કસોટી ની બુક ઘરે ભૂલી જતા શાળાના આચાર્યાએ તેને શાળામાં માર માર્યો હોવાના આક્ષેપો થયા હતા. જેને પગલે સંભવિત રીતે દ્રષ્ટિને માઠું લાગી આવતા તેણે ઘરના પાછળના ભાગે એકાતમાં ગળે ફાંસો લઈ જીવંત ટૂંકવતા મૃતક વિદ્યાર્થીનીના પરિવારજનોએ શાળાએ પહોંચી હોબાળો મચાવતા માહોલ ગરમ થયો.મૃતક યુવતીના પિતા પરિમલ કાંતિભાઈ પટેલ કે જે મલવાડામાં મજૂરી કરીને જીવન ગુજારે છે તેમણે ચીખલી પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવી છે.

 મૃતક વિધાર્થીની દ્રષ્ટિ પટેલની ફાઇલ તસવીર


તેમની 17 વર્ષીય દીકરી દ્રષ્ટિ શ્રીમતી નયનાબેન મકનભાઈ પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણતી હતી. ગત 28 મી એ શાળામાં યુનિટ ટેસ્ટ લેવામાં આવી હતી જેનું તેણે હોમવર્ક કર્યું ન હતું બીજા દિવસે વિદ્યાર્થીઓની બુક શાળામાં જમા કરાવવાની હતી જે બાબતે દ્રષ્ટિની મમ્મી હર્ષાબેનને સ્કૂલમાં આચાર્યા સમતા પટેલ બોલાવીને ખોટું કેમ બોલે છે તેવું કહેવા સાથે મારમાર્યો હતો જેથી દ્રષ્ટિને માઠું લાગી આવ્યું હતું જેથી તેણે મલવાડા માતા ફળિયામાં પોતાના ઘરની પાછળ આવેલા પેજારીમાં લાકડાના દંડા ઉપર દુપટ્ટો વડે ફાંસો લઈ જીવન ટૂંકાવતા શાળાએ જઈને વાલીઓએ હોબાળો મચાવતા માહોલ ગરમ થયો છે.


વિદ્યાર્થીને ને આચાર્ય મારે તે સાહજીક લાગે પરંતુ શાળામાં કોઈપણ જાતનો હોદ્દો ન ધરાવતા સમતા પટેલના પતિ અક્ષય પટેલે પણ વિદ્યાર્થી દર્ષ્ટિને સોટી થી ફટકારતા વિદ્યાર્થીને અપમાનજનક લાગતા તેણીએ આપઘાત કર્યાના આક્ષેપો પણ વાલીઓ દ્વારા કરવામાં આવ્યા છે.ચીખલી પોલીસે યુવતીએ આપઘાત કર્યાની નોંધ FIR માં કરવામાં આવી છે જોકે હોબાળો થતા હવે ટોળું ચીખલી પોલીસ સ્ટેશનને પહોંચીને બંને આરોપી પતિ પત્ની વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવાય તે માટેની ઉગ્ર માંગ કરી છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે