જૂનાગઢમાં બાળક કારમાં છુપાયું, કારનો દરવાજો લોક થતા ગુંગળાઈને મોતને ભેટ્યું, પરિવાર શોકમગ્ન


  • Published By :
  • Published Date : 2023-09-26 20:49:18

બાળકો ઘણી વખત તોફાન મસ્તી કરતા-કરતા મોતને ભેટતા હોય છે, આવી જ એક ઘટના જુનાગઢમાં બની હતી, માતાએ નહાવાનું કહેતા પાંચ  વર્ષનો આદિત્ય કારમાં છુપાઈ ગયો હતો. જો કે તે કારનો દરવાજો લોક થઈ જતા બાળકનું કારમાં જ ગુંગળાઈને મોત થતા અરેરાટી વ્યાપી ગઈ હતી. બાળકના પિતા બજારમાં ગયા હતા અને તેની માતા તથા પરિવારજનોએ આદિત્યને શોધવા માટે આજુબાજુમાં શોધખોળ હાથ ધરી હતી. હતી. જો કે બાદમાં નજીકના સીસીટીવી ચેક કરતાં આદિત્ય કાર પાસે આવ્યો હોવાનું નજરે પડ્યું હતું. જેથી પરિવારે સ્થાનિકો સાથે કારનો દરવાજો ખોલતાં આદિત્ય બેભાન હાલતમાં મળી આવ્યો હતો. પરિવારજનો પહેલાં જૂનાગઢ સિવિલ અને બાદમાં રાજકોટ સિવિલ બાળકને લઇ ગયા હતા. જોકે, બાળકનું કારમાં જ ગૂંગળાઇ જવાથી મોત થયું હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું. હાલ આ બાળકના મૃત્યુથી પરિવાર પર આભ ફાટ્યું છે અને રવિન્દ્ર ભારતી તેની પત્ની અને તેના બાળક સાથે પોતાના વતન ઉત્તર પ્રદેશ ચાલ્યા ગયા છે.


શું છે સમગ્ર ઘટના?


આ હ્રદયદ્રાવક ઘટના અંગે મળતી જાણકારી મુજબ જૂનાગઢ જીઆઇડીસી-2માં પ્લોટ નંબર 906ના પ્લાસ્ટિકના કારખાનામાં મૂળ ઉત્તર પ્રદેશના કંચનપુરનો રવિન્દ્ર ભારતી દસ વર્ષથી નોકરી કરતો હતો. ત્યારે થોડા સમય પહેલાં જ રવિન્દ્ર ભારતી પોતાની પત્ની અને બે બાળકોને વતન ઉત્તર પ્રદેશથી જૂનાગઢ લાવ્યો હતો. ત્યારે શુક્રવારે રવિન્દ્ર ભારતીની પત્નીએ તેના પાંચ વર્ષના બાળક આદિત્યને નાહવા જવાનું કહ્યું હતું. પરંતુ બાળકને નાહવાનું ગમતું ન હોવાને કારણે તે કારખાનામાં પડેલી એક કારમાં જઇને સંતાઇ ગયો હતો. કારમાં અંદર જતાંની સાથે દરવાજો અંદરથી બંધ થઇ ગયો હતો. માતાએ નાહવાનું કહ્યું ત્યારે બાળકે ન નાહવાની જીદ કરી હતી અને બાળક કારખાનામાં રહેતા પોતાના મકાનેથી રોડની બીજી બાજુએ જતો રહ્યો હતો. નાના બાળકને નવડાવ્યા બાદ માતા તેના બીજા પુત્ર આદિત્યને શોધવા માટે ગઈ હતી, પરંતુ આદિત્ય ન મળતા તેમને તેમના પતિને કહ્યું હતું અને ત્યારબાદ આસપાસના લોકોને જાણ કરી સીસીટીવી ફૂટેજમાં તપાસતા તે બાળક કારમાં હોવાનું જાણવા મળ્યું હતું.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.