જૂનાગઢમાં બાળક કારમાં છુપાયું, કારનો દરવાજો લોક થતા ગુંગળાઈને મોતને ભેટ્યું, પરિવાર શોકમગ્ન


  • Published By :
  • Published Date : 2023-09-26 20:49:18

બાળકો ઘણી વખત તોફાન મસ્તી કરતા-કરતા મોતને ભેટતા હોય છે, આવી જ એક ઘટના જુનાગઢમાં બની હતી, માતાએ નહાવાનું કહેતા પાંચ  વર્ષનો આદિત્ય કારમાં છુપાઈ ગયો હતો. જો કે તે કારનો દરવાજો લોક થઈ જતા બાળકનું કારમાં જ ગુંગળાઈને મોત થતા અરેરાટી વ્યાપી ગઈ હતી. બાળકના પિતા બજારમાં ગયા હતા અને તેની માતા તથા પરિવારજનોએ આદિત્યને શોધવા માટે આજુબાજુમાં શોધખોળ હાથ ધરી હતી. હતી. જો કે બાદમાં નજીકના સીસીટીવી ચેક કરતાં આદિત્ય કાર પાસે આવ્યો હોવાનું નજરે પડ્યું હતું. જેથી પરિવારે સ્થાનિકો સાથે કારનો દરવાજો ખોલતાં આદિત્ય બેભાન હાલતમાં મળી આવ્યો હતો. પરિવારજનો પહેલાં જૂનાગઢ સિવિલ અને બાદમાં રાજકોટ સિવિલ બાળકને લઇ ગયા હતા. જોકે, બાળકનું કારમાં જ ગૂંગળાઇ જવાથી મોત થયું હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું. હાલ આ બાળકના મૃત્યુથી પરિવાર પર આભ ફાટ્યું છે અને રવિન્દ્ર ભારતી તેની પત્ની અને તેના બાળક સાથે પોતાના વતન ઉત્તર પ્રદેશ ચાલ્યા ગયા છે.


શું છે સમગ્ર ઘટના?


આ હ્રદયદ્રાવક ઘટના અંગે મળતી જાણકારી મુજબ જૂનાગઢ જીઆઇડીસી-2માં પ્લોટ નંબર 906ના પ્લાસ્ટિકના કારખાનામાં મૂળ ઉત્તર પ્રદેશના કંચનપુરનો રવિન્દ્ર ભારતી દસ વર્ષથી નોકરી કરતો હતો. ત્યારે થોડા સમય પહેલાં જ રવિન્દ્ર ભારતી પોતાની પત્ની અને બે બાળકોને વતન ઉત્તર પ્રદેશથી જૂનાગઢ લાવ્યો હતો. ત્યારે શુક્રવારે રવિન્દ્ર ભારતીની પત્નીએ તેના પાંચ વર્ષના બાળક આદિત્યને નાહવા જવાનું કહ્યું હતું. પરંતુ બાળકને નાહવાનું ગમતું ન હોવાને કારણે તે કારખાનામાં પડેલી એક કારમાં જઇને સંતાઇ ગયો હતો. કારમાં અંદર જતાંની સાથે દરવાજો અંદરથી બંધ થઇ ગયો હતો. માતાએ નાહવાનું કહ્યું ત્યારે બાળકે ન નાહવાની જીદ કરી હતી અને બાળક કારખાનામાં રહેતા પોતાના મકાનેથી રોડની બીજી બાજુએ જતો રહ્યો હતો. નાના બાળકને નવડાવ્યા બાદ માતા તેના બીજા પુત્ર આદિત્યને શોધવા માટે ગઈ હતી, પરંતુ આદિત્ય ન મળતા તેમને તેમના પતિને કહ્યું હતું અને ત્યારબાદ આસપાસના લોકોને જાણ કરી સીસીટીવી ફૂટેજમાં તપાસતા તે બાળક કારમાં હોવાનું જાણવા મળ્યું હતું.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.