જૂનાગઢમાં બાળક કારમાં છુપાયું, કારનો દરવાજો લોક થતા ગુંગળાઈને મોતને ભેટ્યું, પરિવાર શોકમગ્ન


  • Published By :
  • Published Date : 2023-09-26 20:49:18

બાળકો ઘણી વખત તોફાન મસ્તી કરતા-કરતા મોતને ભેટતા હોય છે, આવી જ એક ઘટના જુનાગઢમાં બની હતી, માતાએ નહાવાનું કહેતા પાંચ  વર્ષનો આદિત્ય કારમાં છુપાઈ ગયો હતો. જો કે તે કારનો દરવાજો લોક થઈ જતા બાળકનું કારમાં જ ગુંગળાઈને મોત થતા અરેરાટી વ્યાપી ગઈ હતી. બાળકના પિતા બજારમાં ગયા હતા અને તેની માતા તથા પરિવારજનોએ આદિત્યને શોધવા માટે આજુબાજુમાં શોધખોળ હાથ ધરી હતી. હતી. જો કે બાદમાં નજીકના સીસીટીવી ચેક કરતાં આદિત્ય કાર પાસે આવ્યો હોવાનું નજરે પડ્યું હતું. જેથી પરિવારે સ્થાનિકો સાથે કારનો દરવાજો ખોલતાં આદિત્ય બેભાન હાલતમાં મળી આવ્યો હતો. પરિવારજનો પહેલાં જૂનાગઢ સિવિલ અને બાદમાં રાજકોટ સિવિલ બાળકને લઇ ગયા હતા. જોકે, બાળકનું કારમાં જ ગૂંગળાઇ જવાથી મોત થયું હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું. હાલ આ બાળકના મૃત્યુથી પરિવાર પર આભ ફાટ્યું છે અને રવિન્દ્ર ભારતી તેની પત્ની અને તેના બાળક સાથે પોતાના વતન ઉત્તર પ્રદેશ ચાલ્યા ગયા છે.


શું છે સમગ્ર ઘટના?


આ હ્રદયદ્રાવક ઘટના અંગે મળતી જાણકારી મુજબ જૂનાગઢ જીઆઇડીસી-2માં પ્લોટ નંબર 906ના પ્લાસ્ટિકના કારખાનામાં મૂળ ઉત્તર પ્રદેશના કંચનપુરનો રવિન્દ્ર ભારતી દસ વર્ષથી નોકરી કરતો હતો. ત્યારે થોડા સમય પહેલાં જ રવિન્દ્ર ભારતી પોતાની પત્ની અને બે બાળકોને વતન ઉત્તર પ્રદેશથી જૂનાગઢ લાવ્યો હતો. ત્યારે શુક્રવારે રવિન્દ્ર ભારતીની પત્નીએ તેના પાંચ વર્ષના બાળક આદિત્યને નાહવા જવાનું કહ્યું હતું. પરંતુ બાળકને નાહવાનું ગમતું ન હોવાને કારણે તે કારખાનામાં પડેલી એક કારમાં જઇને સંતાઇ ગયો હતો. કારમાં અંદર જતાંની સાથે દરવાજો અંદરથી બંધ થઇ ગયો હતો. માતાએ નાહવાનું કહ્યું ત્યારે બાળકે ન નાહવાની જીદ કરી હતી અને બાળક કારખાનામાં રહેતા પોતાના મકાનેથી રોડની બીજી બાજુએ જતો રહ્યો હતો. નાના બાળકને નવડાવ્યા બાદ માતા તેના બીજા પુત્ર આદિત્યને શોધવા માટે ગઈ હતી, પરંતુ આદિત્ય ન મળતા તેમને તેમના પતિને કહ્યું હતું અને ત્યારબાદ આસપાસના લોકોને જાણ કરી સીસીટીવી ફૂટેજમાં તપાસતા તે બાળક કારમાં હોવાનું જાણવા મળ્યું હતું.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી