માતા -પિતાના ઠપકાને કારણે બાળકો કરી રહ્યા છે આત્મહત્યા! સુરતમાં બની આપઘાતની ઘટના


  • Published By :
  • Published Date : 2023-03-15 11:14:31

આજકાલ એવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં માતા પિતાના ઠપકાને કારણે બાળકો આપઘાત જેવું મોટું પગલું ભરી જીવન ટૂંકાવી રહ્યા છે. કોઈ વખત મોબાઈલ ન આપવાને કારણે તો કોઈ વખત આગળ ભણવાનું કહેવામાં આવતા આજની પેઢી આત્મહત્યાના રસ્તે ચઢી રહી છે. સુરતથી એક આપઘાતના સમાચાર સામે આવ્યા છે જેમાં પિતાએ ઠપકો આપતા યુવકે મોતને વ્હાલું કર્યું છે. હીરા કારખાનના બાથરૂમમાં જઈ ઝેરી દવા પીધી અને જે બાદ સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું છે. 


સારવાર દરમિયાન થયું યુવકનું મોત

આપઘાત કરનારાઓની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓ આપઘાત કરી રહ્યા છે. એક ઘટના એવી સામે આવી હતી જેમાં મોબાઈલ ફોન ન આપવાને કારણે જીવન ટૂંકાવ્યું, તો બીજી એક ઘટનામાં ધોરણ 10 પાસ કરવાનું કહેતા વિદ્યાર્થીએ મોતને વ્હાલું કર્યું. આજની જનરેશનમાં ધીરજની કમી હોય તેવું લાગી રહ્યું છે. નાની નાની વાતને દિલ પર લઈ મોટા મોટા પગલાં યુવાનો લઈ રહ્યા છે. માતા પિતા દ્વારા આપવામાં આવતા ઠપકાને દિલ પર લઈ સુરતના એક યુવકે મોતને વ્હાલું કરવાનું પસંદ કર્યું છે. હીરા કારખાનના બાથરૂમમાં જઈ ઝેરી દવા પીધી જીવનને ટૂંકાવ્યું હતું. સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં યુવકનું મોત થઈ ગયું હતું. 


શા માટે બાળકો ભરી રહ્યા છે આટલું મોટુ પગલું? 

તે સિવાય સુરતથી જ આવી એક ઘટના સામે આવી છે. જેમાં 12 વર્ષીય છોકરો સ્કુલેથી ઘરે પરત ન ફર્યો. પિતાએ ઠપકો આપ્યો હતો. એ વાતથી નારાજ થઈ બાળકે ઘરને ત્યજી દીધું. ભારે શોધખોળ બાદ કિશોર દિલ્હીથી મળી આવ્યો હતો. પિતાના ઠપકા બાદ શાળાએથી બાળક ભાગી ગયો હતો. ત્યારે માતા પિતાના ઠપકાથી બાળકો કેમ આ પ્રકારનું પગલું ભરી રહ્યા છે?     



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.