માતા -પિતાના ઠપકાને કારણે બાળકો કરી રહ્યા છે આત્મહત્યા! સુરતમાં બની આપઘાતની ઘટના


  • Published By :
  • Published Date : 2023-03-15 11:14:31

આજકાલ એવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં માતા પિતાના ઠપકાને કારણે બાળકો આપઘાત જેવું મોટું પગલું ભરી જીવન ટૂંકાવી રહ્યા છે. કોઈ વખત મોબાઈલ ન આપવાને કારણે તો કોઈ વખત આગળ ભણવાનું કહેવામાં આવતા આજની પેઢી આત્મહત્યાના રસ્તે ચઢી રહી છે. સુરતથી એક આપઘાતના સમાચાર સામે આવ્યા છે જેમાં પિતાએ ઠપકો આપતા યુવકે મોતને વ્હાલું કર્યું છે. હીરા કારખાનના બાથરૂમમાં જઈ ઝેરી દવા પીધી અને જે બાદ સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું છે. 


સારવાર દરમિયાન થયું યુવકનું મોત

આપઘાત કરનારાઓની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓ આપઘાત કરી રહ્યા છે. એક ઘટના એવી સામે આવી હતી જેમાં મોબાઈલ ફોન ન આપવાને કારણે જીવન ટૂંકાવ્યું, તો બીજી એક ઘટનામાં ધોરણ 10 પાસ કરવાનું કહેતા વિદ્યાર્થીએ મોતને વ્હાલું કર્યું. આજની જનરેશનમાં ધીરજની કમી હોય તેવું લાગી રહ્યું છે. નાની નાની વાતને દિલ પર લઈ મોટા મોટા પગલાં યુવાનો લઈ રહ્યા છે. માતા પિતા દ્વારા આપવામાં આવતા ઠપકાને દિલ પર લઈ સુરતના એક યુવકે મોતને વ્હાલું કરવાનું પસંદ કર્યું છે. હીરા કારખાનના બાથરૂમમાં જઈ ઝેરી દવા પીધી જીવનને ટૂંકાવ્યું હતું. સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં યુવકનું મોત થઈ ગયું હતું. 


શા માટે બાળકો ભરી રહ્યા છે આટલું મોટુ પગલું? 

તે સિવાય સુરતથી જ આવી એક ઘટના સામે આવી છે. જેમાં 12 વર્ષીય છોકરો સ્કુલેથી ઘરે પરત ન ફર્યો. પિતાએ ઠપકો આપ્યો હતો. એ વાતથી નારાજ થઈ બાળકે ઘરને ત્યજી દીધું. ભારે શોધખોળ બાદ કિશોર દિલ્હીથી મળી આવ્યો હતો. પિતાના ઠપકા બાદ શાળાએથી બાળક ભાગી ગયો હતો. ત્યારે માતા પિતાના ઠપકાથી બાળકો કેમ આ પ્રકારનું પગલું ભરી રહ્યા છે?     



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.