માતા -પિતાના ઠપકાને કારણે બાળકો કરી રહ્યા છે આત્મહત્યા! સુરતમાં બની આપઘાતની ઘટના


  • Published By :
  • Published Date : 2023-03-15 11:14:31

આજકાલ એવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં માતા પિતાના ઠપકાને કારણે બાળકો આપઘાત જેવું મોટું પગલું ભરી જીવન ટૂંકાવી રહ્યા છે. કોઈ વખત મોબાઈલ ન આપવાને કારણે તો કોઈ વખત આગળ ભણવાનું કહેવામાં આવતા આજની પેઢી આત્મહત્યાના રસ્તે ચઢી રહી છે. સુરતથી એક આપઘાતના સમાચાર સામે આવ્યા છે જેમાં પિતાએ ઠપકો આપતા યુવકે મોતને વ્હાલું કર્યું છે. હીરા કારખાનના બાથરૂમમાં જઈ ઝેરી દવા પીધી અને જે બાદ સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું છે. 


સારવાર દરમિયાન થયું યુવકનું મોત

આપઘાત કરનારાઓની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓ આપઘાત કરી રહ્યા છે. એક ઘટના એવી સામે આવી હતી જેમાં મોબાઈલ ફોન ન આપવાને કારણે જીવન ટૂંકાવ્યું, તો બીજી એક ઘટનામાં ધોરણ 10 પાસ કરવાનું કહેતા વિદ્યાર્થીએ મોતને વ્હાલું કર્યું. આજની જનરેશનમાં ધીરજની કમી હોય તેવું લાગી રહ્યું છે. નાની નાની વાતને દિલ પર લઈ મોટા મોટા પગલાં યુવાનો લઈ રહ્યા છે. માતા પિતા દ્વારા આપવામાં આવતા ઠપકાને દિલ પર લઈ સુરતના એક યુવકે મોતને વ્હાલું કરવાનું પસંદ કર્યું છે. હીરા કારખાનના બાથરૂમમાં જઈ ઝેરી દવા પીધી જીવનને ટૂંકાવ્યું હતું. સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં યુવકનું મોત થઈ ગયું હતું. 


શા માટે બાળકો ભરી રહ્યા છે આટલું મોટુ પગલું? 

તે સિવાય સુરતથી જ આવી એક ઘટના સામે આવી છે. જેમાં 12 વર્ષીય છોકરો સ્કુલેથી ઘરે પરત ન ફર્યો. પિતાએ ઠપકો આપ્યો હતો. એ વાતથી નારાજ થઈ બાળકે ઘરને ત્યજી દીધું. ભારે શોધખોળ બાદ કિશોર દિલ્હીથી મળી આવ્યો હતો. પિતાના ઠપકા બાદ શાળાએથી બાળક ભાગી ગયો હતો. ત્યારે માતા પિતાના ઠપકાથી બાળકો કેમ આ પ્રકારનું પગલું ભરી રહ્યા છે?     



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.