માતા -પિતાના ઠપકાને કારણે બાળકો કરી રહ્યા છે આત્મહત્યા! સુરતમાં બની આપઘાતની ઘટના


  • Published By :
  • Published Date : 2023-03-15 11:14:31

આજકાલ એવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં માતા પિતાના ઠપકાને કારણે બાળકો આપઘાત જેવું મોટું પગલું ભરી જીવન ટૂંકાવી રહ્યા છે. કોઈ વખત મોબાઈલ ન આપવાને કારણે તો કોઈ વખત આગળ ભણવાનું કહેવામાં આવતા આજની પેઢી આત્મહત્યાના રસ્તે ચઢી રહી છે. સુરતથી એક આપઘાતના સમાચાર સામે આવ્યા છે જેમાં પિતાએ ઠપકો આપતા યુવકે મોતને વ્હાલું કર્યું છે. હીરા કારખાનના બાથરૂમમાં જઈ ઝેરી દવા પીધી અને જે બાદ સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું છે. 


સારવાર દરમિયાન થયું યુવકનું મોત

આપઘાત કરનારાઓની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓ આપઘાત કરી રહ્યા છે. એક ઘટના એવી સામે આવી હતી જેમાં મોબાઈલ ફોન ન આપવાને કારણે જીવન ટૂંકાવ્યું, તો બીજી એક ઘટનામાં ધોરણ 10 પાસ કરવાનું કહેતા વિદ્યાર્થીએ મોતને વ્હાલું કર્યું. આજની જનરેશનમાં ધીરજની કમી હોય તેવું લાગી રહ્યું છે. નાની નાની વાતને દિલ પર લઈ મોટા મોટા પગલાં યુવાનો લઈ રહ્યા છે. માતા પિતા દ્વારા આપવામાં આવતા ઠપકાને દિલ પર લઈ સુરતના એક યુવકે મોતને વ્હાલું કરવાનું પસંદ કર્યું છે. હીરા કારખાનના બાથરૂમમાં જઈ ઝેરી દવા પીધી જીવનને ટૂંકાવ્યું હતું. સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં યુવકનું મોત થઈ ગયું હતું. 


શા માટે બાળકો ભરી રહ્યા છે આટલું મોટુ પગલું? 

તે સિવાય સુરતથી જ આવી એક ઘટના સામે આવી છે. જેમાં 12 વર્ષીય છોકરો સ્કુલેથી ઘરે પરત ન ફર્યો. પિતાએ ઠપકો આપ્યો હતો. એ વાતથી નારાજ થઈ બાળકે ઘરને ત્યજી દીધું. ભારે શોધખોળ બાદ કિશોર દિલ્હીથી મળી આવ્યો હતો. પિતાના ઠપકા બાદ શાળાએથી બાળક ભાગી ગયો હતો. ત્યારે માતા પિતાના ઠપકાથી બાળકો કેમ આ પ્રકારનું પગલું ભરી રહ્યા છે?     



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.