ચીનને કોરોના સુનામીથી નહીં મળે મુક્તિ, સતત આવતા રહેશે નવા વેરિયેન્ટ


  • Published By :
  • Published Date : 2023-01-02 20:42:54

ચીનમાં કોરોના વિષ્ફોટથી લાખો લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમિયાન સોમવારે વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે ચીનમાં ઓમિક્રોનના સબ વેરિયેન્ટ સતત આવતા જ રહેશે તેથી ચીનને હાલ તુરંત તો સંક્રમણથી મુક્તી મળવાની કોઈ જ શક્યતા નથી.


પેકિંગ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકે આપી ચેતવણી


પેકિંગ યુનિવર્સિટીના બાયોકેમિસ્ટ કા ઓ યૂનલોંન્ગે ચેતવણી આપતા કહ્યું કે ચીનમાં હાલની સ્થીતીમાં કોરોના લહેર તેની ચરમસીમામાં પહોંચ્યા બાદ એક્સબીબી મોટા પ્રમાણમાં સંક્રમણના એક નવા તબક્કામાં દેશ પ્રવેશી શકે છે. વર્તમાનમાં દેશમાં એવી પરિસ્થીતી પેદા થઈ છે કે તેને રોકવી મુશ્કેલ છે. સંસોધકોએ ભારપૂર્વક કહ્યું છે કે ચીન કોવિડ સંક્રમણની અનેક લહેરોનો સામનો કરતું રહેશે કેમ કે ઓમિક્રોન વેરિયેન્ટમાં સતત પરિવર્તન થતું રહે છે. અત્રે ઉલ્લેખનિય છે કે બ્રિટન સ્થિત ફર્મ એયરફિનિટીએ એપ્રિલ 2023ના અંત સુધીમાં સમગ્ર ચીનમાં 17 લાખ લોકોના મોતની ભવિષ્યવાણી કરી છે.



ઉત્તર ગુજરાતમાં આજકાલ એક અસામાજિક તત્વનું નામ ખુબ ચર્ચામાં છે તે છે , ભાવેશ રબારી. આ એજ ભાવેશ રબારી છે કે જેના રામાધણી નામના ફાર્મ હાઉસ પર પોલીસ પર ૧૮ જેટલા અસામાજિક તત્વોએ પોલીસ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ , આ ૧૮ જેટલા અસામાજિક તત્વોનો વરઘોડો ચાણસ્માના બજારમાં કાઢવામાં આવ્યો હતો. આ પછી , ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી નાખવામાં આવે છે. આજે ભાવેશ રબારી અને તેના સાગરીતોની સામે નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આપણી બંધારણીય સંસ્થા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલેકે , GPSCને ગુજરાતની વડી અદાલત દ્વારા વેધક ટિપ્પણીઓ કરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે GPSCને આપખુદ ગણાવી છે. આ ઉપરાંત, GPSCના પેપર સેંટરને લઇને ફરી સવાલ ઉભા થયા છે. હવે હાઇકોર્ટે GPSCને પેપર સેંટરના નામ પણ ડિસ્કલોઝ કરવાનો આદેશ આપ્યો છે.

વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.

ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.