ચીનને કોરોના સુનામીથી નહીં મળે મુક્તિ, સતત આવતા રહેશે નવા વેરિયેન્ટ


  • Published By :
  • Published Date : 2023-01-02 20:42:54

ચીનમાં કોરોના વિષ્ફોટથી લાખો લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમિયાન સોમવારે વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે ચીનમાં ઓમિક્રોનના સબ વેરિયેન્ટ સતત આવતા જ રહેશે તેથી ચીનને હાલ તુરંત તો સંક્રમણથી મુક્તી મળવાની કોઈ જ શક્યતા નથી.


પેકિંગ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકે આપી ચેતવણી


પેકિંગ યુનિવર્સિટીના બાયોકેમિસ્ટ કા ઓ યૂનલોંન્ગે ચેતવણી આપતા કહ્યું કે ચીનમાં હાલની સ્થીતીમાં કોરોના લહેર તેની ચરમસીમામાં પહોંચ્યા બાદ એક્સબીબી મોટા પ્રમાણમાં સંક્રમણના એક નવા તબક્કામાં દેશ પ્રવેશી શકે છે. વર્તમાનમાં દેશમાં એવી પરિસ્થીતી પેદા થઈ છે કે તેને રોકવી મુશ્કેલ છે. સંસોધકોએ ભારપૂર્વક કહ્યું છે કે ચીન કોવિડ સંક્રમણની અનેક લહેરોનો સામનો કરતું રહેશે કેમ કે ઓમિક્રોન વેરિયેન્ટમાં સતત પરિવર્તન થતું રહે છે. અત્રે ઉલ્લેખનિય છે કે બ્રિટન સ્થિત ફર્મ એયરફિનિટીએ એપ્રિલ 2023ના અંત સુધીમાં સમગ્ર ચીનમાં 17 લાખ લોકોના મોતની ભવિષ્યવાણી કરી છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .