ચીનમાં કોરોનાનો ફફડાટ, દેશના 74 શહેરોમાં લોકડાઉન, 30 લાખથી પણ વધુ લોકો પ્રભાવિત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 16:15:07

ચીનમાં ફરીથી કડક લોકડાઉન લગાવવામાં આવ્યું છે, કોરોનાના કેસ વધવાના કારણે 20 ઓગસ્ટથી અત્યાર સુધીમાં દેશના 74 શહેરોમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. આમાંથી 25 તો રાજ્યના પાટનગર છે. એક રિપોર્ટ મુજબ 33 શહેરોમાં આંશિક કે સંપુર્ણ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. આ લોકડાઉનના કારણે લગભગ 30 કરોડથી પણ વધુ લોકો પ્રભાવિત થયા છે. છેલ્લા 100 દિવસમાં કોવિડ સંક્રમણના કારણે એક પણ મોત થયું નથી. ચીનની સરકારની ઝીરો કોવિડ નીતિના કારણે આ લોકડાઉન લગાવવામાં આવ્યું છે જો કે તેના કારણે ચીનના અર્થતંત્રને જોરદાર ફટકો પડી રહ્યો છે.


ચીનના ગોઈઝોઉ રાજ્યના ગુઈયાંગ શહેરમાંમાં 5 સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 132 કેસ નોંધાઈ ચુક્યા છે. જેના કારણે સરકારને લોકડાઉનની જાહેર કરવાની ફરજ પડી. આ શહેરમાં 61 લાખ લોકો નિવાસ કરે છે. ટેકનોલોજીનું હબ મનાતા શેન્જેનમાં પણ લોકોની અવરજવર પર રોક લગાવવામાં આવી છે.


ચીનમાં કોરોનાના અનેક નવા વેરિયેન્ટ મળી આવવાના કારણે લોકડાઉન લગાવવું અનિવાર્ય બન્યું છે. શાંઘાઈ બાદ લોકોની અવરજવર પર પ્રતિબંધિત કરનારૂ ચેંગદુ દેશનું બીજુ શહેર છે. ચેંગદુમાં 2.1 કરોડ લોકોનું સામુહિક ટેસ્ટિગ કરવામાં આવી રહ્યું છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.