ચીનમાં કોરોનાનો ફફડાટ, દેશના 74 શહેરોમાં લોકડાઉન, 30 લાખથી પણ વધુ લોકો પ્રભાવિત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 16:15:07

ચીનમાં ફરીથી કડક લોકડાઉન લગાવવામાં આવ્યું છે, કોરોનાના કેસ વધવાના કારણે 20 ઓગસ્ટથી અત્યાર સુધીમાં દેશના 74 શહેરોમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. આમાંથી 25 તો રાજ્યના પાટનગર છે. એક રિપોર્ટ મુજબ 33 શહેરોમાં આંશિક કે સંપુર્ણ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. આ લોકડાઉનના કારણે લગભગ 30 કરોડથી પણ વધુ લોકો પ્રભાવિત થયા છે. છેલ્લા 100 દિવસમાં કોવિડ સંક્રમણના કારણે એક પણ મોત થયું નથી. ચીનની સરકારની ઝીરો કોવિડ નીતિના કારણે આ લોકડાઉન લગાવવામાં આવ્યું છે જો કે તેના કારણે ચીનના અર્થતંત્રને જોરદાર ફટકો પડી રહ્યો છે.


ચીનના ગોઈઝોઉ રાજ્યના ગુઈયાંગ શહેરમાંમાં 5 સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 132 કેસ નોંધાઈ ચુક્યા છે. જેના કારણે સરકારને લોકડાઉનની જાહેર કરવાની ફરજ પડી. આ શહેરમાં 61 લાખ લોકો નિવાસ કરે છે. ટેકનોલોજીનું હબ મનાતા શેન્જેનમાં પણ લોકોની અવરજવર પર રોક લગાવવામાં આવી છે.


ચીનમાં કોરોનાના અનેક નવા વેરિયેન્ટ મળી આવવાના કારણે લોકડાઉન લગાવવું અનિવાર્ય બન્યું છે. શાંઘાઈ બાદ લોકોની અવરજવર પર પ્રતિબંધિત કરનારૂ ચેંગદુ દેશનું બીજુ શહેર છે. ચેંગદુમાં 2.1 કરોડ લોકોનું સામુહિક ટેસ્ટિગ કરવામાં આવી રહ્યું છે.



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?