ચીનમાં કોરોનાનો ફફડાટ, દેશના 74 શહેરોમાં લોકડાઉન, 30 લાખથી પણ વધુ લોકો પ્રભાવિત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 16:15:07

ચીનમાં ફરીથી કડક લોકડાઉન લગાવવામાં આવ્યું છે, કોરોનાના કેસ વધવાના કારણે 20 ઓગસ્ટથી અત્યાર સુધીમાં દેશના 74 શહેરોમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. આમાંથી 25 તો રાજ્યના પાટનગર છે. એક રિપોર્ટ મુજબ 33 શહેરોમાં આંશિક કે સંપુર્ણ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. આ લોકડાઉનના કારણે લગભગ 30 કરોડથી પણ વધુ લોકો પ્રભાવિત થયા છે. છેલ્લા 100 દિવસમાં કોવિડ સંક્રમણના કારણે એક પણ મોત થયું નથી. ચીનની સરકારની ઝીરો કોવિડ નીતિના કારણે આ લોકડાઉન લગાવવામાં આવ્યું છે જો કે તેના કારણે ચીનના અર્થતંત્રને જોરદાર ફટકો પડી રહ્યો છે.


ચીનના ગોઈઝોઉ રાજ્યના ગુઈયાંગ શહેરમાંમાં 5 સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 132 કેસ નોંધાઈ ચુક્યા છે. જેના કારણે સરકારને લોકડાઉનની જાહેર કરવાની ફરજ પડી. આ શહેરમાં 61 લાખ લોકો નિવાસ કરે છે. ટેકનોલોજીનું હબ મનાતા શેન્જેનમાં પણ લોકોની અવરજવર પર રોક લગાવવામાં આવી છે.


ચીનમાં કોરોનાના અનેક નવા વેરિયેન્ટ મળી આવવાના કારણે લોકડાઉન લગાવવું અનિવાર્ય બન્યું છે. શાંઘાઈ બાદ લોકોની અવરજવર પર પ્રતિબંધિત કરનારૂ ચેંગદુ દેશનું બીજુ શહેર છે. ચેંગદુમાં 2.1 કરોડ લોકોનું સામુહિક ટેસ્ટિગ કરવામાં આવી રહ્યું છે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.