ચીને આપ્યો અમેરિકાને મોટો ઝટકો, Appleના 20 હજાર કરોડ ડોલર સ્વાહા, જાણો સમગ્ર મામલો શું છે?


  • Published By :
  • Published Date : 2023-09-09 10:12:10

હવે ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ખટરાગના કારણે અમેરિકાની કંપનીઓને નુકસાન સહન કરવું પડી રહ્યું છે. આઇફોન બનાવતી અગ્રણી અમેરિકન કંપની એપલને છેલ્લા બે દિવસમાં મોટો આર્થિક ફટકો પડ્યો છે. આ સમગ્ર મામલો iPhone સાથે જોડાયેલો છે. કેટલાક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનના સરકારી અધિકારીઓ પર iPhones રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સમાચારની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પરંતુ તેની અસર એપલના શેર પર જોવા મળી રહી છે. ઉલ્લેખનિય છે કે, ચીનના સરકારી અધિકારીઓ દ્વારા આઈફોનના ઉપયોગ પર પ્રતિબંધના સમાચાર મંગળવારે આવ્યા હતા.


એપલના શેરમાં લગભગ 4 ટકાનો કડાકો


મીડિયા રિપોર્ટ બાદ બુધવારે એપલના શેરમાં લગભગ 4 ટકાનો ઘટાડો થયો હતો. ત્યારબાદ ગુરુવારે પણ શેરમાં 3 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ બે દિવસના ઘટાડાથી એપલના માર્કેટ કેપમાં લગભગ 20 હજાર કરોડ ડોલર (એટલે ​​કે રૂ. 16.61 લાખ કરોડ)નો ઘટાડો થયો છે.  હાલમાં ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માર્કેટ કેપને બે દિવસમાં એપલના માર્કેટકેપ જેટલી જ ફટકો પડ્યો છે. શુક્રવારે RILનું માર્કેટ કેપ 16.57 લાખ કરોડ રૂપિયા હતું. દરમિયાન, ગુરુવારે Appleનો શેર Nasdaq પર ઘટીને 177.56 ડોલર પર બંધ થયો હતો. 5 સપ્ટેમ્બરે તેની કિંમત 189.7 ડોલર હતી. હાલમાં એપલનું માર્કેટ કેપ 2.80 ટ્રિલિયન ડોલર છે. 


આઇફોન પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય શા માટે? 


વોલ સ્ટ્રીટ જર્નલમાં છપાયેલા અહેવાલ મુજબ સરકારી ઓફિસોમાં અધિકારીઓના આઈફોન પ્રતિબંધ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ રિપોર્ટનું માનીએ તો અધિકારીઓને ઓફિસમાં આઇફોન ન લાવવા અને ઓફિસમાં ઓફિસિયલ કામ માટે આઇફોનનો ઉપયોગ ન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો કે, તમામ સરકારી ઓફિસોમાં આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે કે કેમ તે હજુ સુધી જાણવા મળ્યું નથી. 


Appleને મોટો ફટકો 


જો ચીનમાં તમામ સરકારી કર્મચારીઓ પર આઈફોન રાખવા પર પ્રતિબંધ લગાવવામાં આવે તો તેના વેચાણમાં લગભગ 5 ટકાનો ઘટાડો થઈ શકે છે, જે આર્થિક રીતે એક મોટો આંકડો હશે. ઉલ્લેખનીય છે કે આઇફોન બનાવનારી કંપની અમેરિકન છે. પરંતુ ચીન આ કંપની માટે મોટું બજાર છે. એક રિપોર્ટ અનુસાર ચીન, હોંગકોંગ અને તાઈવાન એપલ માટે દુનિયામાં ત્રીજા નંબરનું સૌથી મોટું માર્કેટ છે. એપલનો ચીનમાં મોટો બિઝનેસ છે. Appleની મોટાભાગની પ્રોડક્ટ્સ અહીં એસેમ્બલ કરવામાં આવે છે. જો ચીન હવે સરકારી અધિકારીઓને આઈફોનનો ઉપયોગ કરતા અટકાવે છે, તો આવનારા દિવસોમાં તે જનતા માટે પણ ફરમાન બહાર પાડી શકે છે. જો કે ચીનના આ પ્રતિબંધ પાછળ કોઈ હેતુ હોઈ શકે છે, તેવું નિષ્ણાતોનું માનવું છે.



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?