ચીને આપ્યો અમેરિકાને મોટો ઝટકો, Appleના 20 હજાર કરોડ ડોલર સ્વાહા, જાણો સમગ્ર મામલો શું છે?


  • Published By :
  • Published Date : 2023-09-09 10:12:10

હવે ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ખટરાગના કારણે અમેરિકાની કંપનીઓને નુકસાન સહન કરવું પડી રહ્યું છે. આઇફોન બનાવતી અગ્રણી અમેરિકન કંપની એપલને છેલ્લા બે દિવસમાં મોટો આર્થિક ફટકો પડ્યો છે. આ સમગ્ર મામલો iPhone સાથે જોડાયેલો છે. કેટલાક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનના સરકારી અધિકારીઓ પર iPhones રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સમાચારની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પરંતુ તેની અસર એપલના શેર પર જોવા મળી રહી છે. ઉલ્લેખનિય છે કે, ચીનના સરકારી અધિકારીઓ દ્વારા આઈફોનના ઉપયોગ પર પ્રતિબંધના સમાચાર મંગળવારે આવ્યા હતા.


એપલના શેરમાં લગભગ 4 ટકાનો કડાકો


મીડિયા રિપોર્ટ બાદ બુધવારે એપલના શેરમાં લગભગ 4 ટકાનો ઘટાડો થયો હતો. ત્યારબાદ ગુરુવારે પણ શેરમાં 3 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ બે દિવસના ઘટાડાથી એપલના માર્કેટ કેપમાં લગભગ 20 હજાર કરોડ ડોલર (એટલે ​​કે રૂ. 16.61 લાખ કરોડ)નો ઘટાડો થયો છે.  હાલમાં ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માર્કેટ કેપને બે દિવસમાં એપલના માર્કેટકેપ જેટલી જ ફટકો પડ્યો છે. શુક્રવારે RILનું માર્કેટ કેપ 16.57 લાખ કરોડ રૂપિયા હતું. દરમિયાન, ગુરુવારે Appleનો શેર Nasdaq પર ઘટીને 177.56 ડોલર પર બંધ થયો હતો. 5 સપ્ટેમ્બરે તેની કિંમત 189.7 ડોલર હતી. હાલમાં એપલનું માર્કેટ કેપ 2.80 ટ્રિલિયન ડોલર છે. 


આઇફોન પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય શા માટે? 


વોલ સ્ટ્રીટ જર્નલમાં છપાયેલા અહેવાલ મુજબ સરકારી ઓફિસોમાં અધિકારીઓના આઈફોન પ્રતિબંધ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ રિપોર્ટનું માનીએ તો અધિકારીઓને ઓફિસમાં આઇફોન ન લાવવા અને ઓફિસમાં ઓફિસિયલ કામ માટે આઇફોનનો ઉપયોગ ન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો કે, તમામ સરકારી ઓફિસોમાં આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે કે કેમ તે હજુ સુધી જાણવા મળ્યું નથી. 


Appleને મોટો ફટકો 


જો ચીનમાં તમામ સરકારી કર્મચારીઓ પર આઈફોન રાખવા પર પ્રતિબંધ લગાવવામાં આવે તો તેના વેચાણમાં લગભગ 5 ટકાનો ઘટાડો થઈ શકે છે, જે આર્થિક રીતે એક મોટો આંકડો હશે. ઉલ્લેખનીય છે કે આઇફોન બનાવનારી કંપની અમેરિકન છે. પરંતુ ચીન આ કંપની માટે મોટું બજાર છે. એક રિપોર્ટ અનુસાર ચીન, હોંગકોંગ અને તાઈવાન એપલ માટે દુનિયામાં ત્રીજા નંબરનું સૌથી મોટું માર્કેટ છે. એપલનો ચીનમાં મોટો બિઝનેસ છે. Appleની મોટાભાગની પ્રોડક્ટ્સ અહીં એસેમ્બલ કરવામાં આવે છે. જો ચીન હવે સરકારી અધિકારીઓને આઈફોનનો ઉપયોગ કરતા અટકાવે છે, તો આવનારા દિવસોમાં તે જનતા માટે પણ ફરમાન બહાર પાડી શકે છે. જો કે ચીનના આ પ્રતિબંધ પાછળ કોઈ હેતુ હોઈ શકે છે, તેવું નિષ્ણાતોનું માનવું છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.