ચીનનો ઈન્ટરનેટ ક્ષેત્રે વર્લ્ડ રેકોર્ડ, સૌથી ઝડપી ઈન્ટરનેટ કર્યુ લોન્ચ, 1.2TB પ્રતિ સેકન્ડની છે સ્પિડ


  • Published By :
  • Published Date : 2023-11-15 17:27:57

ચીને ઈન્ટરનેટ ક્ષેત્રે નવો રેકોર્ડ સર્જ્યો છે, ચીનની કંપનીઓએ દુનિયાનું સૌથી ઝડપી ઈન્ટરનેટ નેટવર્ક લોન્ચ કર્યું છે. આ પ્રોજેક્ટ સિંધુઆ યુનિવર્સિટી, ચાઈના મોબાઈલ, હુઆવેઈ ટેકનોલોજીસ, અને સેર્નેટ કોર્પોરેશનના સહયોગથી પુરો થયો છે. તેમનો દાવો છે કે લોન્ચ કરવામાં આવેલા ઈન્ટરનેટથી 1.2 ટેરાબિટ ડેટા પ્રતિ સેકન્ડ ટ્રાન્સમિટ થઈ શકે છે. ઈન્ટરનેટની આ સ્પિડ વર્તમાનમાં વિશ્વની અગ્રણી કંપનીઓ દ્વારા આપવામાં આવતા ઈન્ટરનેટ રૂટ્સની તુલનામાં 10 ગણાથી પણ વધુ છે. એવું અનુમાન હતું કે ચીનની આ ઈન્ટરનેટ સ્પિડ 2025માં પ્રાપ્ત કરી શકશે પરંતું આ સમય પહેલા જ આ સિધ્ધી હાંસલ કરી લીધી છે. 


ઈન્ટરનેટ ક્ષેત્રે મોટી ક્રાંતિ 


ચીનના મીડિયા રિપોર્ટસ મુજબ આ સમયે ઈન્ટરનેટથી દશ ગણાથી પણ વધુ ઝડપી ઈન્ટરનેટ આવવું આ દિશામાં એક મોટી ક્રાંતિ છે. આ નેકસ્ટ જનરેશન ઈન્ટરનેટ સર્વિસ છે. ચીનનું નવું બેકબોન નેટવર્ક દેશના અગ્રણી શહેરોને જોડતું એક ડેટા નેટવર્ક છે. 3 હજાર કિલોમીટરથી વધુ ફેલાયેલું આ નેટવર્ક એક વ્યાપક ઓપ્ટિકલ ફાઈબર કેબલિંગ સિસ્ટમના માધ્યમથી બીજિંગ, વુહાન અને ગુઆન્ગઝોને જોડે છે. આ ઈન્ટરનેટ સિસ્ટમ પ્રતિ સેકન્ડ 1.2 ટેરાબિટ્સ એટલે કે 1,200 ગીગાબાઈટ્ની આશ્ચર્યજનક સ્પિડ આપે છે. દુનિયાની મોટાભાગનું ઈન્ટરનેટ બેકબોન નેટવર્ક માત્ર 100 ગીગાબાઈટ પ્રતિ સેકન્ડ પર કામ કરે છે. અમેરિકાએ તાજેતરમાં જ 400 ગીગાબાઈટ પ્રતિ સેકન્ડ પર તેની ફિફ્થ જનરેશન ઈન્ટરનેટનો પુરી કરી છે. જો કે ચીનની આ સ્પિડ અમેરિકાની ફિફ્થ જનરેશન ઈન્ટરનેટથી ઘણું આગળ છે.   



"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.