ચીનનો ઈન્ટરનેટ ક્ષેત્રે વર્લ્ડ રેકોર્ડ, સૌથી ઝડપી ઈન્ટરનેટ કર્યુ લોન્ચ, 1.2TB પ્રતિ સેકન્ડની છે સ્પિડ


  • Published By :
  • Published Date : 2023-11-15 17:27:57

ચીને ઈન્ટરનેટ ક્ષેત્રે નવો રેકોર્ડ સર્જ્યો છે, ચીનની કંપનીઓએ દુનિયાનું સૌથી ઝડપી ઈન્ટરનેટ નેટવર્ક લોન્ચ કર્યું છે. આ પ્રોજેક્ટ સિંધુઆ યુનિવર્સિટી, ચાઈના મોબાઈલ, હુઆવેઈ ટેકનોલોજીસ, અને સેર્નેટ કોર્પોરેશનના સહયોગથી પુરો થયો છે. તેમનો દાવો છે કે લોન્ચ કરવામાં આવેલા ઈન્ટરનેટથી 1.2 ટેરાબિટ ડેટા પ્રતિ સેકન્ડ ટ્રાન્સમિટ થઈ શકે છે. ઈન્ટરનેટની આ સ્પિડ વર્તમાનમાં વિશ્વની અગ્રણી કંપનીઓ દ્વારા આપવામાં આવતા ઈન્ટરનેટ રૂટ્સની તુલનામાં 10 ગણાથી પણ વધુ છે. એવું અનુમાન હતું કે ચીનની આ ઈન્ટરનેટ સ્પિડ 2025માં પ્રાપ્ત કરી શકશે પરંતું આ સમય પહેલા જ આ સિધ્ધી હાંસલ કરી લીધી છે. 


ઈન્ટરનેટ ક્ષેત્રે મોટી ક્રાંતિ 


ચીનના મીડિયા રિપોર્ટસ મુજબ આ સમયે ઈન્ટરનેટથી દશ ગણાથી પણ વધુ ઝડપી ઈન્ટરનેટ આવવું આ દિશામાં એક મોટી ક્રાંતિ છે. આ નેકસ્ટ જનરેશન ઈન્ટરનેટ સર્વિસ છે. ચીનનું નવું બેકબોન નેટવર્ક દેશના અગ્રણી શહેરોને જોડતું એક ડેટા નેટવર્ક છે. 3 હજાર કિલોમીટરથી વધુ ફેલાયેલું આ નેટવર્ક એક વ્યાપક ઓપ્ટિકલ ફાઈબર કેબલિંગ સિસ્ટમના માધ્યમથી બીજિંગ, વુહાન અને ગુઆન્ગઝોને જોડે છે. આ ઈન્ટરનેટ સિસ્ટમ પ્રતિ સેકન્ડ 1.2 ટેરાબિટ્સ એટલે કે 1,200 ગીગાબાઈટ્ની આશ્ચર્યજનક સ્પિડ આપે છે. દુનિયાની મોટાભાગનું ઈન્ટરનેટ બેકબોન નેટવર્ક માત્ર 100 ગીગાબાઈટ પ્રતિ સેકન્ડ પર કામ કરે છે. અમેરિકાએ તાજેતરમાં જ 400 ગીગાબાઈટ પ્રતિ સેકન્ડ પર તેની ફિફ્થ જનરેશન ઈન્ટરનેટનો પુરી કરી છે. જો કે ચીનની આ સ્પિડ અમેરિકાની ફિફ્થ જનરેશન ઈન્ટરનેટથી ઘણું આગળ છે.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.