Chirag Patel ભાજપમાં જોડાયા, કાર્યક્રમમાં હાજર સી.આર.પાટીલે શું કામ કહ્યું કે 2027 સુધી હું પ્રમુખ નહીં હોઉં? સાંભળો તેમના નિવેદનને


  • Published By :
  • Published Date : 2024-02-05 16:37:27

લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. અનેક ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે અને કેસરિયો ધારણ કરી રહ્યા છે. શનિવારે આમ આદમી પાર્ટીના વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણી ભાજપમાં જોડાયા હતા અને ગઈકાલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ અનેક કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પક્ષમાં જોડાતા જ નેતાઓના બોલ બદલાઈ જતા હોય છે. આ બધા વચ્ચે ગઈકાલે સી.આર.પાટીલે નિવેદન આપ્યું હતું કે 2027 સુધી હું પ્રમુખ નહીં હોઉં તમે 182 જીતાડજો.

ચિરાગ પટેલ ગઈકાલે ભાજપમાં જોડાયા  

પક્ષ છોડી અનેક નેતાઓ, કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યા છે. થોડા સમય પહેલા કોંગ્રેસના બે ધારાસભ્યોએ જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્યે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. ત્રણમાંથી બે ધારાસભ્ય ભાજપમાં જોડાઈ ગયા છે જ્યારે ટૂંક સમયમાં બાકી રહેલા ધારાસભ્ય જોડાઈ શકે છે તેવું લાગી રહ્યું છે. ગઈકાલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ ભાજપમાં જોડાયા હતા અને પ્રદેશ પ્રમુખે તેમનું સ્વાગત કર્યું હતું.


નિવેદન આપતા સી.આર.પાટીલે કહ્યું કે... 

 આ બધા વચ્ચે સી.આર.પાટીલે એક નિવેદન આપ્યું છે તેમાં તે કહી રહ્યા છે કે 2027 સુધી હું પ્રમુખ નહીં હોઉં. 2027 સુધી હું પ્રમુખ નહીં હોઉં તો તમે 182 જીતાડજો. વિકાસમાં ખંભાત પાછળ નહીં રહે. ચિરાગભાઈ અને તેમના સાથીઓને અભિનંદન. પૂર્વ ધારાસભ્યએ પણ ખૂબ કામ કર્યું છે. મને કાર્યકરોની તાકાત પર વિશ્વાસ છે. 156 બેઠક આવી પરંતુ 26 બેઠક રહી ગઈ છે. ઉમેદવારોના નામ જાહેર થયા પહેલા કાર્યાલય ખુલ્યા છે.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"