Chirag Patel ભાજપમાં જોડાયા, કાર્યક્રમમાં હાજર સી.આર.પાટીલે શું કામ કહ્યું કે 2027 સુધી હું પ્રમુખ નહીં હોઉં? સાંભળો તેમના નિવેદનને


  • Published By :
  • Published Date : 2024-02-05 16:37:27

લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. અનેક ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે અને કેસરિયો ધારણ કરી રહ્યા છે. શનિવારે આમ આદમી પાર્ટીના વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણી ભાજપમાં જોડાયા હતા અને ગઈકાલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ અનેક કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પક્ષમાં જોડાતા જ નેતાઓના બોલ બદલાઈ જતા હોય છે. આ બધા વચ્ચે ગઈકાલે સી.આર.પાટીલે નિવેદન આપ્યું હતું કે 2027 સુધી હું પ્રમુખ નહીં હોઉં તમે 182 જીતાડજો.

ચિરાગ પટેલ ગઈકાલે ભાજપમાં જોડાયા  

પક્ષ છોડી અનેક નેતાઓ, કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યા છે. થોડા સમય પહેલા કોંગ્રેસના બે ધારાસભ્યોએ જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્યે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. ત્રણમાંથી બે ધારાસભ્ય ભાજપમાં જોડાઈ ગયા છે જ્યારે ટૂંક સમયમાં બાકી રહેલા ધારાસભ્ય જોડાઈ શકે છે તેવું લાગી રહ્યું છે. ગઈકાલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ ભાજપમાં જોડાયા હતા અને પ્રદેશ પ્રમુખે તેમનું સ્વાગત કર્યું હતું.


નિવેદન આપતા સી.આર.પાટીલે કહ્યું કે... 

 આ બધા વચ્ચે સી.આર.પાટીલે એક નિવેદન આપ્યું છે તેમાં તે કહી રહ્યા છે કે 2027 સુધી હું પ્રમુખ નહીં હોઉં. 2027 સુધી હું પ્રમુખ નહીં હોઉં તો તમે 182 જીતાડજો. વિકાસમાં ખંભાત પાછળ નહીં રહે. ચિરાગભાઈ અને તેમના સાથીઓને અભિનંદન. પૂર્વ ધારાસભ્યએ પણ ખૂબ કામ કર્યું છે. મને કાર્યકરોની તાકાત પર વિશ્વાસ છે. 156 બેઠક આવી પરંતુ 26 બેઠક રહી ગઈ છે. ઉમેદવારોના નામ જાહેર થયા પહેલા કાર્યાલય ખુલ્યા છે.



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે