Chirag Patel ભાજપમાં જોડાયા, કાર્યક્રમમાં હાજર સી.આર.પાટીલે શું કામ કહ્યું કે 2027 સુધી હું પ્રમુખ નહીં હોઉં? સાંભળો તેમના નિવેદનને


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-05 16:37:27

લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. અનેક ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે અને કેસરિયો ધારણ કરી રહ્યા છે. શનિવારે આમ આદમી પાર્ટીના વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણી ભાજપમાં જોડાયા હતા અને ગઈકાલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ અનેક કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પક્ષમાં જોડાતા જ નેતાઓના બોલ બદલાઈ જતા હોય છે. આ બધા વચ્ચે ગઈકાલે સી.આર.પાટીલે નિવેદન આપ્યું હતું કે 2027 સુધી હું પ્રમુખ નહીં હોઉં તમે 182 જીતાડજો.

ચિરાગ પટેલ ગઈકાલે ભાજપમાં જોડાયા  

પક્ષ છોડી અનેક નેતાઓ, કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યા છે. થોડા સમય પહેલા કોંગ્રેસના બે ધારાસભ્યોએ જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્યે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. ત્રણમાંથી બે ધારાસભ્ય ભાજપમાં જોડાઈ ગયા છે જ્યારે ટૂંક સમયમાં બાકી રહેલા ધારાસભ્ય જોડાઈ શકે છે તેવું લાગી રહ્યું છે. ગઈકાલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ ભાજપમાં જોડાયા હતા અને પ્રદેશ પ્રમુખે તેમનું સ્વાગત કર્યું હતું.


નિવેદન આપતા સી.આર.પાટીલે કહ્યું કે... 

 આ બધા વચ્ચે સી.આર.પાટીલે એક નિવેદન આપ્યું છે તેમાં તે કહી રહ્યા છે કે 2027 સુધી હું પ્રમુખ નહીં હોઉં. 2027 સુધી હું પ્રમુખ નહીં હોઉં તો તમે 182 જીતાડજો. વિકાસમાં ખંભાત પાછળ નહીં રહે. ચિરાગભાઈ અને તેમના સાથીઓને અભિનંદન. પૂર્વ ધારાસભ્યએ પણ ખૂબ કામ કર્યું છે. મને કાર્યકરોની તાકાત પર વિશ્વાસ છે. 156 બેઠક આવી પરંતુ 26 બેઠક રહી ગઈ છે. ઉમેદવારોના નામ જાહેર થયા પહેલા કાર્યાલય ખુલ્યા છે.



મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક વૃદ્ધ ની અનોખી ઘટના સામે આવી છે. ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક 75 વર્ષીય દાદાએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. ગામના લોકોએ તેમના લગ્ન કરાવી દીધા હતા.

ગુજરાતમાં એક તરફ કમસોમી વરસાદની આગહી કરવામાં આવી છે તો બીજી તરફ રાજ્યના અનેક ભાગો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. 17 તારીખ સુધી અનેક ભાગો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે.

મહીસાગરથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં કેનાલ લિકેજના કારણે ખેતરો જાણે તળાવ બની ગયા છે... મહીસાગરના લુણાવાડાના, અરીઠા, કડિયાવાડ, અને કોઠા ગામના ખેડૂતો માટે કેનાલ આફત સમાન સાબિત થઈ રહી છે..

માતા પિતા પણ સાથે નથી રહેતા હતા હવે તો.. અનેક લોકો એવા હોય છે જે માતા પિતાની સાથે તો રહે છે પરંતુ તેમને દુ:ખી કરે છે.. બાળકના વ્યવહારથી માતા પિતાનું દિલ દુભાય છે.. પરિવારનું મહત્વ શું હોય છે તે જાણવું હોયને તો એક વખત અનાથાશ્રમની મુલાકાત લેવી જોઈએ..