Chirag Patel ભાજપમાં જોડાયા, કાર્યક્રમમાં હાજર સી.આર.પાટીલે શું કામ કહ્યું કે 2027 સુધી હું પ્રમુખ નહીં હોઉં? સાંભળો તેમના નિવેદનને


  • Published By :
  • Published Date : 2024-02-05 16:37:27

લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. અનેક ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે અને કેસરિયો ધારણ કરી રહ્યા છે. શનિવારે આમ આદમી પાર્ટીના વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણી ભાજપમાં જોડાયા હતા અને ગઈકાલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ અનેક કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પક્ષમાં જોડાતા જ નેતાઓના બોલ બદલાઈ જતા હોય છે. આ બધા વચ્ચે ગઈકાલે સી.આર.પાટીલે નિવેદન આપ્યું હતું કે 2027 સુધી હું પ્રમુખ નહીં હોઉં તમે 182 જીતાડજો.

ચિરાગ પટેલ ગઈકાલે ભાજપમાં જોડાયા  

પક્ષ છોડી અનેક નેતાઓ, કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યા છે. થોડા સમય પહેલા કોંગ્રેસના બે ધારાસભ્યોએ જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્યે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. ત્રણમાંથી બે ધારાસભ્ય ભાજપમાં જોડાઈ ગયા છે જ્યારે ટૂંક સમયમાં બાકી રહેલા ધારાસભ્ય જોડાઈ શકે છે તેવું લાગી રહ્યું છે. ગઈકાલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ ભાજપમાં જોડાયા હતા અને પ્રદેશ પ્રમુખે તેમનું સ્વાગત કર્યું હતું.


નિવેદન આપતા સી.આર.પાટીલે કહ્યું કે... 

 આ બધા વચ્ચે સી.આર.પાટીલે એક નિવેદન આપ્યું છે તેમાં તે કહી રહ્યા છે કે 2027 સુધી હું પ્રમુખ નહીં હોઉં. 2027 સુધી હું પ્રમુખ નહીં હોઉં તો તમે 182 જીતાડજો. વિકાસમાં ખંભાત પાછળ નહીં રહે. ચિરાગભાઈ અને તેમના સાથીઓને અભિનંદન. પૂર્વ ધારાસભ્યએ પણ ખૂબ કામ કર્યું છે. મને કાર્યકરોની તાકાત પર વિશ્વાસ છે. 156 બેઠક આવી પરંતુ 26 બેઠક રહી ગઈ છે. ઉમેદવારોના નામ જાહેર થયા પહેલા કાર્યાલય ખુલ્યા છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.