Gandhinagar કોલેરાને ઝપેટમાં! જિલ્લા કલેક્ટરે આ ચાર વિસ્તારોને કોલેરાગ્રસ્ત વિસ્તાર કર્યા જાહેર, જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-06-01 17:06:44

હિટવેવને કારણે અનેક લોકો બિમાર પડ્યા છે... અસહ્ય ગરમીને કારણે લોકો હિટસ્ટ્રોકનો શિકાર બની રહ્યા છે.. એક તરફ હિટસ્ટ્રોકના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે તો બીજી તરફ કોલેરાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.  ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં કોલેરા એ હદે ફાટી નિકળ્યો છે કે ગાંધીનગર જિલ્લા કલેક્ટરને ચાર વિસ્તારોને, ચાર સ્થળોને કોલેરાગ્રસ્ત જાહેર કરવો પડ્યો છે.. કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે..


ક્યા વિસ્તારને કરાયો કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર?  

જે વિસ્તારને કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે તે છે ગાંધીનગર જીલ્લાના દહેગામ, કલોલ, ચિલોડા,શિહોરી અને પેથાપુર વિસ્તાર... દેહગામનો અર્બન વિસ્તાર એસટી ડેપોથી બે કિલોમીટરનો વિસ્તારનો સમાવેશ થાય છે. તે સિવાય ચિલોડા સિહોલી જીઈબી રોડ વિસ્તારથી છાપરા સુધીના બે કિલોમીટરનો વિસ્તાર  પણ કોલેરાગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કર્યો છે. 


તે સિવાય કલોલના રામદેવપુરા વાસ, ગાયનો ટેકરાથી બે કિલોમીટરનો વિસ્તાર કોલેરાના ઝપેટમાં આવ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકા અંતર્ગત આવતા પેથાપુરમાં નવા વણકર વાસ આંબેડકર હોલ વિસ્તારથી બે કિલોમીટરનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે.


શું છે કોલેરાના લક્ષણો? 

કોલેરાના લક્ષણોની વાત કરીએ તો ઝાડા  ઉલ્ટી થવા, શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટતું જવું,થાક લાગવો... કોલેરા અનેક વખત દૂષિત પાણીને કારણે પણ થાય છે.. ઝાડા, ઉલ્ટી થવાને કારણે શરીરમાં પાણીની અછત થાય છે.  જો યોગ્ય સારવાર કોલેરાની ના કરવામાં આવે તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.. મહત્વનું છે કે કોલેરાના કેસો  ધીરે ધીરે માથું ઉચકી રહ્યા છે.. અનેક વખત દૂષિત પાણી પીવાને કારણે કોલેરા થવાનું સંકટ વધતું હોય છે. તમે તમારૂં અને તમારા પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો..     




ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.