Gandhinagar કોલેરાને ઝપેટમાં! જિલ્લા કલેક્ટરે આ ચાર વિસ્તારોને કોલેરાગ્રસ્ત વિસ્તાર કર્યા જાહેર, જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-06-01 17:06:44

હિટવેવને કારણે અનેક લોકો બિમાર પડ્યા છે... અસહ્ય ગરમીને કારણે લોકો હિટસ્ટ્રોકનો શિકાર બની રહ્યા છે.. એક તરફ હિટસ્ટ્રોકના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે તો બીજી તરફ કોલેરાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.  ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં કોલેરા એ હદે ફાટી નિકળ્યો છે કે ગાંધીનગર જિલ્લા કલેક્ટરને ચાર વિસ્તારોને, ચાર સ્થળોને કોલેરાગ્રસ્ત જાહેર કરવો પડ્યો છે.. કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે..


ક્યા વિસ્તારને કરાયો કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર?  

જે વિસ્તારને કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે તે છે ગાંધીનગર જીલ્લાના દહેગામ, કલોલ, ચિલોડા,શિહોરી અને પેથાપુર વિસ્તાર... દેહગામનો અર્બન વિસ્તાર એસટી ડેપોથી બે કિલોમીટરનો વિસ્તારનો સમાવેશ થાય છે. તે સિવાય ચિલોડા સિહોલી જીઈબી રોડ વિસ્તારથી છાપરા સુધીના બે કિલોમીટરનો વિસ્તાર  પણ કોલેરાગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કર્યો છે. 


તે સિવાય કલોલના રામદેવપુરા વાસ, ગાયનો ટેકરાથી બે કિલોમીટરનો વિસ્તાર કોલેરાના ઝપેટમાં આવ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકા અંતર્ગત આવતા પેથાપુરમાં નવા વણકર વાસ આંબેડકર હોલ વિસ્તારથી બે કિલોમીટરનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે.


શું છે કોલેરાના લક્ષણો? 

કોલેરાના લક્ષણોની વાત કરીએ તો ઝાડા  ઉલ્ટી થવા, શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટતું જવું,થાક લાગવો... કોલેરા અનેક વખત દૂષિત પાણીને કારણે પણ થાય છે.. ઝાડા, ઉલ્ટી થવાને કારણે શરીરમાં પાણીની અછત થાય છે.  જો યોગ્ય સારવાર કોલેરાની ના કરવામાં આવે તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.. મહત્વનું છે કે કોલેરાના કેસો  ધીરે ધીરે માથું ઉચકી રહ્યા છે.. અનેક વખત દૂષિત પાણી પીવાને કારણે કોલેરા થવાનું સંકટ વધતું હોય છે. તમે તમારૂં અને તમારા પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો..     




ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."