અઠવાડિયાના દિવસ અનુસાર રંગોની પસંદગી કરવાથી મળે છે ઈશ્વરની વિશેષ કૃપા


  • Published By :
  • Published Date : 2023-01-03 17:09:36

કહેવાય છે કે દરેક રંગનો પ્રભાવ આપણા જીવન પર પડતો હોય છે. દેરક રંગના વાયબ્રેશન ફઆપણા જીવનને પ્રભાવિત કરતા હોય છે. વાર અને કલરને પણ વિશેષ નાતો રહેલો છે. એવું માનવામાં આવે છે દિવસ પ્રમાણે એ કલરના કપડા પહેરવાથી લાભ થાય છે. ત્યારે આવો જોઈએ કયા દિવસે કયા રંગના કપડા ધારણ કરવા જોઈએ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહના પોતાનો રંગ હોય છે જેની સીધી અસર આપણા જીવન પર પડતી હોય છે. દિવસ પ્રમાણે તે રંગના કપડાં પહેરવાથી અનેક ફાયદાઓ થાય છે. 


જાણો, ભગવાન શિવજીના હાથમાં ડમરૂ, ત્રિશૂલ અને ગળામાં નાગ કેમ છે? |  importance of lord shivas damru trishul other things


સોમવારને ભગવાન શંકરનો દિવસ માનવામાં આવે છે. ભગવાન શંકરની સાથે સાથે સોમવારનો દિવસ ચંદ્ર દેવ સાથે પણ જોડાયેલો છે. ત્યારે સોમવારે હળવા રંગના અથવા તો સફેદ કપડા પહેરવાનું શુભ માનવામાં આવે છે. સફેદ રંગને શાંતિ અને સરળતાનું પ્રતીક માનવામાં આવે છે. સફેદ રંગના કપડા પહેરવાથી મન શાંત રહે છે. 

મંગળવારના દિવસે ઓરેન્જ અથવા તો ભગવા રંગના કપડા પહેરવા જોઈએ. મંગળવારને હનુમાનજીનો વાર માનવામાં આવે છે. આ દિવસનો સ્વામી મંગળ છે. મંગળને લાલ, કેસરિયો અને સિંદુરી રંગ પ્રિય છે. મંગળવારના દિવસે આ રંગના કપડા પહેરવાથી હનુમાનજી અને મંગળ ગ્રહ શાંત રહે છે. નારંગી રંગના કપડા પહેરવાથી તમારૂ જીવન ખુશીઓ ભરેલું રહે છે.


ગણના પતિ : ગણપતિ . | Counting husband: Ganapati

ગણપતિને બુધવાર તેમજ લીલો કલર અતિપ્રિય ગણાવામાં આવે છે. બુધવારનો સ્વામી બુધ્ર ગ્રહ છે. જેથી બુધવારના દિવસે લીલો કલરનો પહેરવો શુભ માનવામાં આવે છે. લીલા કલરના કપડાં પહેરવાથી બુધની કૃપા મળે છે. 

ગુરૂવારનો દિવસ એટલે દેવતાઓના ગુરૂ બ્રૃહસ્પતિનો દિવસ. ગુરૂવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. ગુરૂવારે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાનો દિવસ છે. ભગવાન નારાયણને પીળો રંગ અત્યંત પ્રિય છે. ગુરૂવારે પીળો રંગ પહેરવાથી ભગવાન વિષ્ણુની કૃપા ભક્તો પર રહે છે.

આ રીતે કરો માતા લક્ષ્મીની પૂજા, દરેક મનોકામના થશે પૂરી | Worship Maa Lakshmi  on this way on Friday every wish will be fulfilled

શુક્રવારનો દિવસ દૈત્યોના ગુરૂ શુક્રાચાર્યને સમર્પિત છે. તે ઉપરાંત માતા લક્ષ્મીનો વાર પણ શુક્રવાર માનવામાં આવે છે. શુક્રવારના દિવસે લાલ રંગ પહેરવાનો શુભ માનવામાં આવે છે. તે દિવસે લાલ રંગના કપડા પહેરવાથી દેવી જલ્દી પ્રસન્ન થાય છે.

સૂર્યપૂત્ર શનિ દેવને શનિવારનો દિવસ પ્રિય માનવામાં આવે છે. શનિ દેવને ન્યાયના દેવતા ગણવામાં આવે છે. શનિવારના દિવસે કાળા કપડાં પહેરવાથી શનિદેવની કૃપા મળે છે. શનિદેવની પૂજા વખતે જ કાળા રંગના કપડા પહેરવામાં આવે છે. તે સિવાય કોઈ પણ ધાર્મિક પ્રસંગમાં કાળા કલરના વસ્ત્ર નથી પહેરવામાં આવતા.

સૂર્ય (દેવ) - વિકિપીડિયા

રવિવારનો દિવસ ભગવાન સૂર્યનારાયણને સમર્પિત હોય છે. સૂર્યનારાયણ ભગવાનને ઉર્જાનો સ્તોત્ર માનવામાં આવે છે. સૂર્યનારાયણ દેવની કૃપા પ્રાપ્તિ માટે રવિવારના દિવસે ગુલાબી, સોનરી અથવા તો લાલ રંગની કપડાં પહેરવા જોઈએ.આ રંગના કપડા પહેરવાથી જીવનમાં માન તેમજ પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.