અઠવાડિયાના દિવસ અનુસાર રંગોની પસંદગી કરવાથી મળે છે ઈશ્વરની વિશેષ કૃપા


  • Published By :
  • Published Date : 2023-01-03 17:09:36

કહેવાય છે કે દરેક રંગનો પ્રભાવ આપણા જીવન પર પડતો હોય છે. દેરક રંગના વાયબ્રેશન ફઆપણા જીવનને પ્રભાવિત કરતા હોય છે. વાર અને કલરને પણ વિશેષ નાતો રહેલો છે. એવું માનવામાં આવે છે દિવસ પ્રમાણે એ કલરના કપડા પહેરવાથી લાભ થાય છે. ત્યારે આવો જોઈએ કયા દિવસે કયા રંગના કપડા ધારણ કરવા જોઈએ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહના પોતાનો રંગ હોય છે જેની સીધી અસર આપણા જીવન પર પડતી હોય છે. દિવસ પ્રમાણે તે રંગના કપડાં પહેરવાથી અનેક ફાયદાઓ થાય છે. 


જાણો, ભગવાન શિવજીના હાથમાં ડમરૂ, ત્રિશૂલ અને ગળામાં નાગ કેમ છે? |  importance of lord shivas damru trishul other things


સોમવારને ભગવાન શંકરનો દિવસ માનવામાં આવે છે. ભગવાન શંકરની સાથે સાથે સોમવારનો દિવસ ચંદ્ર દેવ સાથે પણ જોડાયેલો છે. ત્યારે સોમવારે હળવા રંગના અથવા તો સફેદ કપડા પહેરવાનું શુભ માનવામાં આવે છે. સફેદ રંગને શાંતિ અને સરળતાનું પ્રતીક માનવામાં આવે છે. સફેદ રંગના કપડા પહેરવાથી મન શાંત રહે છે. 

મંગળવારના દિવસે ઓરેન્જ અથવા તો ભગવા રંગના કપડા પહેરવા જોઈએ. મંગળવારને હનુમાનજીનો વાર માનવામાં આવે છે. આ દિવસનો સ્વામી મંગળ છે. મંગળને લાલ, કેસરિયો અને સિંદુરી રંગ પ્રિય છે. મંગળવારના દિવસે આ રંગના કપડા પહેરવાથી હનુમાનજી અને મંગળ ગ્રહ શાંત રહે છે. નારંગી રંગના કપડા પહેરવાથી તમારૂ જીવન ખુશીઓ ભરેલું રહે છે.


ગણના પતિ : ગણપતિ . | Counting husband: Ganapati

ગણપતિને બુધવાર તેમજ લીલો કલર અતિપ્રિય ગણાવામાં આવે છે. બુધવારનો સ્વામી બુધ્ર ગ્રહ છે. જેથી બુધવારના દિવસે લીલો કલરનો પહેરવો શુભ માનવામાં આવે છે. લીલા કલરના કપડાં પહેરવાથી બુધની કૃપા મળે છે. 

ગુરૂવારનો દિવસ એટલે દેવતાઓના ગુરૂ બ્રૃહસ્પતિનો દિવસ. ગુરૂવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. ગુરૂવારે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાનો દિવસ છે. ભગવાન નારાયણને પીળો રંગ અત્યંત પ્રિય છે. ગુરૂવારે પીળો રંગ પહેરવાથી ભગવાન વિષ્ણુની કૃપા ભક્તો પર રહે છે.

આ રીતે કરો માતા લક્ષ્મીની પૂજા, દરેક મનોકામના થશે પૂરી | Worship Maa Lakshmi  on this way on Friday every wish will be fulfilled

શુક્રવારનો દિવસ દૈત્યોના ગુરૂ શુક્રાચાર્યને સમર્પિત છે. તે ઉપરાંત માતા લક્ષ્મીનો વાર પણ શુક્રવાર માનવામાં આવે છે. શુક્રવારના દિવસે લાલ રંગ પહેરવાનો શુભ માનવામાં આવે છે. તે દિવસે લાલ રંગના કપડા પહેરવાથી દેવી જલ્દી પ્રસન્ન થાય છે.

સૂર્યપૂત્ર શનિ દેવને શનિવારનો દિવસ પ્રિય માનવામાં આવે છે. શનિ દેવને ન્યાયના દેવતા ગણવામાં આવે છે. શનિવારના દિવસે કાળા કપડાં પહેરવાથી શનિદેવની કૃપા મળે છે. શનિદેવની પૂજા વખતે જ કાળા રંગના કપડા પહેરવામાં આવે છે. તે સિવાય કોઈ પણ ધાર્મિક પ્રસંગમાં કાળા કલરના વસ્ત્ર નથી પહેરવામાં આવતા.

સૂર્ય (દેવ) - વિકિપીડિયા

રવિવારનો દિવસ ભગવાન સૂર્યનારાયણને સમર્પિત હોય છે. સૂર્યનારાયણ ભગવાનને ઉર્જાનો સ્તોત્ર માનવામાં આવે છે. સૂર્યનારાયણ દેવની કૃપા પ્રાપ્તિ માટે રવિવારના દિવસે ગુલાબી, સોનરી અથવા તો લાલ રંગની કપડાં પહેરવા જોઈએ.આ રંગના કપડા પહેરવાથી જીવનમાં માન તેમજ પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે.



એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પરિણામ આવી ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠક પર 26,196 ઉમેદવારના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જેમાં મહાનગરપાલિકાઓ , નગરપાલિકાઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.