અઠવાડિયાના દિવસ અનુસાર રંગોની પસંદગી કરવાથી મળે છે ઈશ્વરની વિશેષ કૃપા


  • Published By :
  • Published Date : 2023-01-03 17:09:36

કહેવાય છે કે દરેક રંગનો પ્રભાવ આપણા જીવન પર પડતો હોય છે. દેરક રંગના વાયબ્રેશન ફઆપણા જીવનને પ્રભાવિત કરતા હોય છે. વાર અને કલરને પણ વિશેષ નાતો રહેલો છે. એવું માનવામાં આવે છે દિવસ પ્રમાણે એ કલરના કપડા પહેરવાથી લાભ થાય છે. ત્યારે આવો જોઈએ કયા દિવસે કયા રંગના કપડા ધારણ કરવા જોઈએ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહના પોતાનો રંગ હોય છે જેની સીધી અસર આપણા જીવન પર પડતી હોય છે. દિવસ પ્રમાણે તે રંગના કપડાં પહેરવાથી અનેક ફાયદાઓ થાય છે. 


જાણો, ભગવાન શિવજીના હાથમાં ડમરૂ, ત્રિશૂલ અને ગળામાં નાગ કેમ છે? |  importance of lord shivas damru trishul other things


સોમવારને ભગવાન શંકરનો દિવસ માનવામાં આવે છે. ભગવાન શંકરની સાથે સાથે સોમવારનો દિવસ ચંદ્ર દેવ સાથે પણ જોડાયેલો છે. ત્યારે સોમવારે હળવા રંગના અથવા તો સફેદ કપડા પહેરવાનું શુભ માનવામાં આવે છે. સફેદ રંગને શાંતિ અને સરળતાનું પ્રતીક માનવામાં આવે છે. સફેદ રંગના કપડા પહેરવાથી મન શાંત રહે છે. 

મંગળવારના દિવસે ઓરેન્જ અથવા તો ભગવા રંગના કપડા પહેરવા જોઈએ. મંગળવારને હનુમાનજીનો વાર માનવામાં આવે છે. આ દિવસનો સ્વામી મંગળ છે. મંગળને લાલ, કેસરિયો અને સિંદુરી રંગ પ્રિય છે. મંગળવારના દિવસે આ રંગના કપડા પહેરવાથી હનુમાનજી અને મંગળ ગ્રહ શાંત રહે છે. નારંગી રંગના કપડા પહેરવાથી તમારૂ જીવન ખુશીઓ ભરેલું રહે છે.


ગણના પતિ : ગણપતિ . | Counting husband: Ganapati

ગણપતિને બુધવાર તેમજ લીલો કલર અતિપ્રિય ગણાવામાં આવે છે. બુધવારનો સ્વામી બુધ્ર ગ્રહ છે. જેથી બુધવારના દિવસે લીલો કલરનો પહેરવો શુભ માનવામાં આવે છે. લીલા કલરના કપડાં પહેરવાથી બુધની કૃપા મળે છે. 

ગુરૂવારનો દિવસ એટલે દેવતાઓના ગુરૂ બ્રૃહસ્પતિનો દિવસ. ગુરૂવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. ગુરૂવારે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાનો દિવસ છે. ભગવાન નારાયણને પીળો રંગ અત્યંત પ્રિય છે. ગુરૂવારે પીળો રંગ પહેરવાથી ભગવાન વિષ્ણુની કૃપા ભક્તો પર રહે છે.

આ રીતે કરો માતા લક્ષ્મીની પૂજા, દરેક મનોકામના થશે પૂરી | Worship Maa Lakshmi  on this way on Friday every wish will be fulfilled

શુક્રવારનો દિવસ દૈત્યોના ગુરૂ શુક્રાચાર્યને સમર્પિત છે. તે ઉપરાંત માતા લક્ષ્મીનો વાર પણ શુક્રવાર માનવામાં આવે છે. શુક્રવારના દિવસે લાલ રંગ પહેરવાનો શુભ માનવામાં આવે છે. તે દિવસે લાલ રંગના કપડા પહેરવાથી દેવી જલ્દી પ્રસન્ન થાય છે.

સૂર્યપૂત્ર શનિ દેવને શનિવારનો દિવસ પ્રિય માનવામાં આવે છે. શનિ દેવને ન્યાયના દેવતા ગણવામાં આવે છે. શનિવારના દિવસે કાળા કપડાં પહેરવાથી શનિદેવની કૃપા મળે છે. શનિદેવની પૂજા વખતે જ કાળા રંગના કપડા પહેરવામાં આવે છે. તે સિવાય કોઈ પણ ધાર્મિક પ્રસંગમાં કાળા કલરના વસ્ત્ર નથી પહેરવામાં આવતા.

સૂર્ય (દેવ) - વિકિપીડિયા

રવિવારનો દિવસ ભગવાન સૂર્યનારાયણને સમર્પિત હોય છે. સૂર્યનારાયણ ભગવાનને ઉર્જાનો સ્તોત્ર માનવામાં આવે છે. સૂર્યનારાયણ દેવની કૃપા પ્રાપ્તિ માટે રવિવારના દિવસે ગુલાબી, સોનરી અથવા તો લાલ રંગની કપડાં પહેરવા જોઈએ.આ રંગના કપડા પહેરવાથી જીવનમાં માન તેમજ પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે.



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.