અઠવાડિયાના દિવસ અનુસાર રંગોની પસંદગી કરવાથી મળે છે ઈશ્વરની વિશેષ કૃપા


  • Published By :
  • Published Date : 2023-01-03 17:09:36

કહેવાય છે કે દરેક રંગનો પ્રભાવ આપણા જીવન પર પડતો હોય છે. દેરક રંગના વાયબ્રેશન ફઆપણા જીવનને પ્રભાવિત કરતા હોય છે. વાર અને કલરને પણ વિશેષ નાતો રહેલો છે. એવું માનવામાં આવે છે દિવસ પ્રમાણે એ કલરના કપડા પહેરવાથી લાભ થાય છે. ત્યારે આવો જોઈએ કયા દિવસે કયા રંગના કપડા ધારણ કરવા જોઈએ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહના પોતાનો રંગ હોય છે જેની સીધી અસર આપણા જીવન પર પડતી હોય છે. દિવસ પ્રમાણે તે રંગના કપડાં પહેરવાથી અનેક ફાયદાઓ થાય છે. 


જાણો, ભગવાન શિવજીના હાથમાં ડમરૂ, ત્રિશૂલ અને ગળામાં નાગ કેમ છે? |  importance of lord shivas damru trishul other things


સોમવારને ભગવાન શંકરનો દિવસ માનવામાં આવે છે. ભગવાન શંકરની સાથે સાથે સોમવારનો દિવસ ચંદ્ર દેવ સાથે પણ જોડાયેલો છે. ત્યારે સોમવારે હળવા રંગના અથવા તો સફેદ કપડા પહેરવાનું શુભ માનવામાં આવે છે. સફેદ રંગને શાંતિ અને સરળતાનું પ્રતીક માનવામાં આવે છે. સફેદ રંગના કપડા પહેરવાથી મન શાંત રહે છે. 

મંગળવારના દિવસે ઓરેન્જ અથવા તો ભગવા રંગના કપડા પહેરવા જોઈએ. મંગળવારને હનુમાનજીનો વાર માનવામાં આવે છે. આ દિવસનો સ્વામી મંગળ છે. મંગળને લાલ, કેસરિયો અને સિંદુરી રંગ પ્રિય છે. મંગળવારના દિવસે આ રંગના કપડા પહેરવાથી હનુમાનજી અને મંગળ ગ્રહ શાંત રહે છે. નારંગી રંગના કપડા પહેરવાથી તમારૂ જીવન ખુશીઓ ભરેલું રહે છે.


ગણના પતિ : ગણપતિ . | Counting husband: Ganapati

ગણપતિને બુધવાર તેમજ લીલો કલર અતિપ્રિય ગણાવામાં આવે છે. બુધવારનો સ્વામી બુધ્ર ગ્રહ છે. જેથી બુધવારના દિવસે લીલો કલરનો પહેરવો શુભ માનવામાં આવે છે. લીલા કલરના કપડાં પહેરવાથી બુધની કૃપા મળે છે. 

ગુરૂવારનો દિવસ એટલે દેવતાઓના ગુરૂ બ્રૃહસ્પતિનો દિવસ. ગુરૂવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. ગુરૂવારે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાનો દિવસ છે. ભગવાન નારાયણને પીળો રંગ અત્યંત પ્રિય છે. ગુરૂવારે પીળો રંગ પહેરવાથી ભગવાન વિષ્ણુની કૃપા ભક્તો પર રહે છે.

આ રીતે કરો માતા લક્ષ્મીની પૂજા, દરેક મનોકામના થશે પૂરી | Worship Maa Lakshmi  on this way on Friday every wish will be fulfilled

શુક્રવારનો દિવસ દૈત્યોના ગુરૂ શુક્રાચાર્યને સમર્પિત છે. તે ઉપરાંત માતા લક્ષ્મીનો વાર પણ શુક્રવાર માનવામાં આવે છે. શુક્રવારના દિવસે લાલ રંગ પહેરવાનો શુભ માનવામાં આવે છે. તે દિવસે લાલ રંગના કપડા પહેરવાથી દેવી જલ્દી પ્રસન્ન થાય છે.

સૂર્યપૂત્ર શનિ દેવને શનિવારનો દિવસ પ્રિય માનવામાં આવે છે. શનિ દેવને ન્યાયના દેવતા ગણવામાં આવે છે. શનિવારના દિવસે કાળા કપડાં પહેરવાથી શનિદેવની કૃપા મળે છે. શનિદેવની પૂજા વખતે જ કાળા રંગના કપડા પહેરવામાં આવે છે. તે સિવાય કોઈ પણ ધાર્મિક પ્રસંગમાં કાળા કલરના વસ્ત્ર નથી પહેરવામાં આવતા.

સૂર્ય (દેવ) - વિકિપીડિયા

રવિવારનો દિવસ ભગવાન સૂર્યનારાયણને સમર્પિત હોય છે. સૂર્યનારાયણ ભગવાનને ઉર્જાનો સ્તોત્ર માનવામાં આવે છે. સૂર્યનારાયણ દેવની કૃપા પ્રાપ્તિ માટે રવિવારના દિવસે ગુલાબી, સોનરી અથવા તો લાલ રંગની કપડાં પહેરવા જોઈએ.આ રંગના કપડા પહેરવાથી જીવનમાં માન તેમજ પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.