છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણની પોલ ખોલતા રિપોર્ટથી હાહાકાર, IAS ડૉ. ધવલ પટેલે સડેલા શિક્ષણનો પર્દાફાશ કર્યો


  • Published By :
  • Published Date : 2023-06-26 16:24:00

ગુજરાતમાં શિક્ષણનું સ્તર ચિંતાજનક હદે કથળ્યું છે, અત્યાર સુધી રાજ્યની ભાજપ સરકાર આ સત્ય સ્વિકારતી નહોંતી પરંતું હવે એક IAS અધિકારીએ ડૉ. ધવલ પટેલે તેમના એક રિપોર્ટ દ્વારા રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકાર હકીકત રજુ કરી છે. છોટાઉદેપુર જિલ્લામાં કથળેલા શિક્ષણ પર IAS ડૉ. ધવલ પટેલના રિપોર્ટ અંગે  જમાવટે સૌપ્રથમ વખત વીડિયોના માધ્યમથી સમગ્ર ચિતાર રજુ કર્યો ત્યાર બાદ તંત્ર સફાળું જાગ્યું છે, જમાવટના અહેવાલથી ખળભળાટ મચી ગયો છે. વિરોધ પક્ષો રાજ્ય સરકારને આ મામલે આકરા સવાલો કરી રહ્યા છે. રાજ્ય સરકાર પણ હાલ બચાવની સ્થિતીમાં આવી ગઈ છે.  


રિપોર્ટથી હોબાળો મચ્યો


રાજ્ય સરકારે  ડૉ. ધવલ પટેલને છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણની સ્થિતી પર એક રિપોર્ટ તૈયાર કરવા માટે જણાવ્યું હતું. IAS અધિકારી ડૉ. ધવલ પટેલે શાળા પ્રવેશોત્સવ દરમિયાન છોટાઉદેપુર જિલ્લાની 6 જેટલી શાળાઓની લીધેલી જાત મુલાકાતના આધારે પ્રાથમિક શિક્ષણ વિભાગના સચિવને લખેલા પત્રથી રાજ્ય સરકારમાં હાહાકાર મચી ગયો છે.  ધવલ પટેલે જાણે કે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. તેમણે પત્રમાં જે ઉલ્લેખ કર્યા છે તે અત્યંત ચિંતાજનક બાબત છે. રાજ્યની ભાજપ સરકારની મોટી મોટી વાતોના આ એક માત્ર રિપોર્ટે વટાણા વેરી નાખ્યા છે. 




બાળકોને સડેલું શિક્ષણ મળી રહ્યું છે


IAS અધિકારી ડૉ. ધવલ પટેલે તેમના રિપોર્ટમાં છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણની કથળેલી હાલત અંગે જે વાસ્તવિક ચિત્ર રજુ કર્યું છે તે કોઈ પણ વ્યક્તિને હચમચાવી દે તેવું છે. તેમણે રિપોર્ટમાં ત્યાં સુધી લખ્યું હતું કે છોટાઉદેપુરના વિસ્તારના આદિવાસી બાળકોને સડેલું શિક્ષણ આપવામાં આવે છે. ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને સડેલું શિક્ષણ ગણાવનાર IAS અધિકારી ધવલ પટેલના લેટર અંગે પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જવાબ આપ્યો પડ્યો છે. છોટા ઉદેપુર જિલ્લામાં શિક્ષણના સત્યાનાશ પર IAS ડૉ. ધવલ પટેલના વાયરલ પત્રથી ખળભળાટ મચી ગયો હતો. શાળાના અનુભવો અંગે શિક્ષણ સચિવને તેમણે પત્ર લખ્યો હતો. વાયરલ પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે વિદ્યાર્થીઓમાં પાયાનું જ્ઞાન પણ નથી. અલગ અલગ છ શાળાનો ચકાસણી કર્યાનો પત્રમાં ઉલ્લેખ કરાયો હતો. 


મંત્રી ઋષિકેશ પટેલના ડેમેજ કન્ટ્રોલના પ્રયાસો 


ડૉ. ધવલ પટેલના રિપોર્ટ બાદ મચેલા ખળભળાટ બાદ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ડેમેજ કન્ટ્રોલના પ્રયાસો કર્યા હતા. તેમણે આ રિપોર્ટ અંગે જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ પૂર્ણ થયો એટલે તમામ સ્થળેથી રિપોર્ટ આવ્યા છે. મુખ્યમંત્રીએ સારી વાત સાંભળવાના બદલે સાચી વાત સાંભળવાનો આગ્રહ રાખ્યો હતો.  મુખ્યમંત્રીના આગ્રહ મુજબ ધવલભાઈએ તેના અનુભવના આધારે રિપોર્ટ આપ્યો છે.  કોવિડકાળ દરમિયાન શિક્ષણ બગડ્યું છે. શબ્દ કદાચ સડેલો હોય શકે છે. સમગ્ર ગુજરાતનું શિક્ષણ આવું ના હોઇ શકે. ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું હતું કે વિદ્યાર્થીઓને સારૂ શિક્ષણ આપવાનો સરકારનો પ્રયાસ છે. જ્યાં પણ ક્ષતિ હશે ત્યાં સુધારો કરાશે. શાળાઓ રહેલી ક્ષતિઓ દૂર કરવાની સૂચના આપવામાં આવી છે. ધવલભાઇએ લીધેલી મુલાકાતમાં તેમના અનુભવની વાત કરી છે.


શિક્ષણ મંત્રી પણ હકીકતથી અજાણ


ડૉ. ધવલ પટેલના વાયરલ રિપોર્ટ મામલે હાહાકાર મચતા શિક્ષણ મંત્રી કુબેર ભાઈ ડિંડોરે નિવેદન આપ્યું હતું. ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપવા આવેલા મંત્રી કુબેર ભાઈ ડિંડોરે કહ્યું કે મને પણ મીડિયાનાં માધ્યમથી જ આ રિપોર્ટ અંગે જાણ થઈ છે. હું પણ એ જ વિસ્તારમાંથી આવું છું. શિક્ષણ સુધારા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે. શિક્ષણ માટે સારું શું કરી શકાય તે માટેના અમારા પ્રયત્નો રહેશે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.