મહેસાણાના માણેકપુરા ગામનો ચૌધરી પરિવાર વિખેરાયો, કેનેડામાંથી અમેરિકામાં ઘૂસણખોરી કરતાં બોટ પલટી, 4 સભ્યોના મોત


  • Published By :
  • Published Date : 2023-04-02 13:45:22

અમેરિકા જવાની લાયમાં અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે, ગુજરાતીઓમાં અમેરિકા જવાનો ક્રેઝ જીવલેણ બની રહ્યો છે. ડિંગુચા ગામનો પટેલ પરિવાર વિખેરાયો તે ઘટનાની યાદ હજુ તાજી જ છે ત્યારે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના માણેકપુરા ગામનો ચૌધરી પરિવારના 4 લોકોનાં મોતથી ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ પરિવાર જે બોટમાં બેસીને જઈ રહ્યો રહ્યો હતો તે બોટ ઘણી નાની હતી અને ભારે વરસાદ અને તેજ પવનને કારણે બોટ નદીમાં પલટી ગઈ હોય તેવી આશંકા છે.


અમેરિકામાં ઘૂસણખોરી કરતા મોત મળ્યું


પ્રવીણભાઈ વેલજીભાઈ ચૌધરી તેમના પરિવાર સાથે કેનેડા ફરવા ગયા હતા. જ્યાં ગેરકાયદેસર બોટમાં બેસી અન્ય એક પરિવાર સાથે અમેરિકામાં ઘૂસણખોરી કરતા સમયે તેમની બોટ પલટી મારી જતા 8 લોકોનાં મોત નીપજ્યા હતાં. મહેસાણા જિલ્લાના ચૌધરી પરિવારના કુલ 4 લોકો પાણીમાં ડૂબી જવાના આ સમાચાર વાયુવેગે ફેલાતા આખુ ગામ શોકમગ્ન બન્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે ખેતીનો વ્યવસાય કરતા 50 વર્ષીય ચૌધરી પ્રવીણભાઈ વેલજીભાઈ તેમની પત્ની દક્ષાબેન ઉંમર 45, તેમજ પુત્રી વિધિબેન ઉંમર 23, અને પુત્ર મિત, (ઉંમર 20) સાથે બે મહિના અગાઉ કેનેડા ગયા હતા.  


જીવના જોખમે પણ USAમાં ઘુસણખોરી


અમેરિકામાં ગેરકાયદે ઘુશણખોરી સતત વધી રહી છે, વિવિધ દેશોના નાગરિકો મેકિ્સકો અને કેનેડાનાથી જીવના જોખમે ઘુશપેઠ કરે છે. તેમાં પણ કેનેડાની ક્યુબેક-ઓન્ટારિયો બોર્ડર માનવ તસ્કરોમાં હોટ ફેવરીટ છે. આ સરહદ નજીક એક્વાસાસ્ને પ્રદેશમાં સેન્ટ લોરેન્સ નદીમાં બોટ મારફતે ઘુશણખોરી કરવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી અહીંથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવાની ઘટનાઓમાં વધારો થયો છે. અગાઉનાં વર્ષોની તુલનામાં 2022માં કેનેડાથી અમેરિકામાં જવાનો પ્રયાસ કરતા લોકોની સંખ્યામાં આઠ ગણાથી વધુનો વધારો જોવા મળ્યો છે. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .