મહેસાણાના માણેકપુરા ગામનો ચૌધરી પરિવાર વિખેરાયો, કેનેડામાંથી અમેરિકામાં ઘૂસણખોરી કરતાં બોટ પલટી, 4 સભ્યોના મોત


  • Published By :
  • Published Date : 2023-04-02 13:45:22

અમેરિકા જવાની લાયમાં અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે, ગુજરાતીઓમાં અમેરિકા જવાનો ક્રેઝ જીવલેણ બની રહ્યો છે. ડિંગુચા ગામનો પટેલ પરિવાર વિખેરાયો તે ઘટનાની યાદ હજુ તાજી જ છે ત્યારે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના માણેકપુરા ગામનો ચૌધરી પરિવારના 4 લોકોનાં મોતથી ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ પરિવાર જે બોટમાં બેસીને જઈ રહ્યો રહ્યો હતો તે બોટ ઘણી નાની હતી અને ભારે વરસાદ અને તેજ પવનને કારણે બોટ નદીમાં પલટી ગઈ હોય તેવી આશંકા છે.


અમેરિકામાં ઘૂસણખોરી કરતા મોત મળ્યું


પ્રવીણભાઈ વેલજીભાઈ ચૌધરી તેમના પરિવાર સાથે કેનેડા ફરવા ગયા હતા. જ્યાં ગેરકાયદેસર બોટમાં બેસી અન્ય એક પરિવાર સાથે અમેરિકામાં ઘૂસણખોરી કરતા સમયે તેમની બોટ પલટી મારી જતા 8 લોકોનાં મોત નીપજ્યા હતાં. મહેસાણા જિલ્લાના ચૌધરી પરિવારના કુલ 4 લોકો પાણીમાં ડૂબી જવાના આ સમાચાર વાયુવેગે ફેલાતા આખુ ગામ શોકમગ્ન બન્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે ખેતીનો વ્યવસાય કરતા 50 વર્ષીય ચૌધરી પ્રવીણભાઈ વેલજીભાઈ તેમની પત્ની દક્ષાબેન ઉંમર 45, તેમજ પુત્રી વિધિબેન ઉંમર 23, અને પુત્ર મિત, (ઉંમર 20) સાથે બે મહિના અગાઉ કેનેડા ગયા હતા.  


જીવના જોખમે પણ USAમાં ઘુસણખોરી


અમેરિકામાં ગેરકાયદે ઘુશણખોરી સતત વધી રહી છે, વિવિધ દેશોના નાગરિકો મેકિ્સકો અને કેનેડાનાથી જીવના જોખમે ઘુશપેઠ કરે છે. તેમાં પણ કેનેડાની ક્યુબેક-ઓન્ટારિયો બોર્ડર માનવ તસ્કરોમાં હોટ ફેવરીટ છે. આ સરહદ નજીક એક્વાસાસ્ને પ્રદેશમાં સેન્ટ લોરેન્સ નદીમાં બોટ મારફતે ઘુશણખોરી કરવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી અહીંથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવાની ઘટનાઓમાં વધારો થયો છે. અગાઉનાં વર્ષોની તુલનામાં 2022માં કેનેડાથી અમેરિકામાં જવાનો પ્રયાસ કરતા લોકોની સંખ્યામાં આઠ ગણાથી વધુનો વધારો જોવા મળ્યો છે. 



૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા .

ઇન્દોરના રાજા રઘુવંશી કેસમાં આરોપીઓનું કબુલનામું સામે આવ્યું છે . ચારેય આરોપીઓએ સોનમ રઘુવંશીને જ માસ્ટમાઈન્ડ ગણાવી છે કેમ કે , સોનમ રાજા રઘુવંશી સાથે લગન કરવા નહોતી માંગતી . આ ખુબ ચોંકાવનારો ખુલાસો છે કેમ કે , સોનમ દ્વારા એવું કેહવામાં આવ્યું હતું કે , તેને ડ્રગ આપીને ગાઝીપુર લાવવામાં આવી હતી . સાથે જ આપણે જાણીશું કે રાજા રઘુવંશીના કેસમાં પોલીસ પાસે ક્યા મહત્વના પુરાવા છે?

કોઈ પણ કંપનીમાં જેમ એક ફાઉન્ડરની સાથે એક કો-ફાઉન્ડર હોય છે તેમ અમેરિકા માટે એવું કહેવાતું હતું કે , પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે એક કો પ્રેસિડન્ટ છે જે છે ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક . પરંતુ જ્યારથી તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાંથી રાજીનામુ આપી દીધું ત્યારથી જ બેઉ વચ્ચેના સંબંધોમાં જોરદાર તણાવ જોવા મળી રહ્યો છે. એક બાજુ પ્લેટફોર્મ એક્સ પર ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક વચ્ચેની અસેહમતીઓ બહાર આવી ગઈ. હવે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કના તણાવની અસર અમેરિકાની સિલિકોન વેલી પર પડવા જઈ રહી છે.

ઈંદોરના રાજા રઘુવંશીના હત્યાના કેસમાં હવે નવા ખુલાસા સામે આવ્યા છે . ઈંદોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી જયારે મેઘાલયની રાજધાની શિલોન્ગ ખાતે તેમની પત્ની સોનમ સાથે હનીમૂન મનાવવા ગયા ત્યારે પત્ની સોનમે જ તેમની હત્યા કરાવડાવી હતી . આ બાબતે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા અને મેઘાલયના ડીજીપીની પ્રતિક્રિયા સામે આવી છે.