આજે સિનેમેટિક ટુરિઝમ પોલીસી જાહેર કરશે, પણ એ શું હોય છે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 10:29:14



મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સિનેમેટિક ટુરિઝમ પોલીસી જાહેર કરશે, જે કાર્યક્રમમાં એક્ટર અજય દેવગન ઉપસ્થિત રહેશે. ગુજરાતમાં ફિલ્મ શૂટિંગને મજબૂત કરવા અને બોલિવુડ સિવાયની બહારની ફિલ્મો પણ ગુજરાતમાં બને તેવું માળખું ઉભું કરવા માટે કામ કરવામાં આવશે. 


ગુજરાતના સ્થાપત્યો અને સંસ્કૃતિને પ્રોમોટ કરાશે 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે પોલીસી જાહેર કરશે જેમાં ગુજરાતને પ્રવાસન સ્થળ અને ફિલ્મ ઉદ્યોગના વિકાસ માટે સ્થળ બને તેના માટે કામગીરી કરવામાં આવશે. ગુજરાતના ઐતિહાસિક સ્થળો, હેરિટેજ વિસ્તારો, પ્રાકૃતિક સૌંદર્યોનો દેશ અને વિદેશની ફિલ્મોમાં થાય અને ગુજરાતને પ્રોમોટ કરવાનો પ્લાન ઘડવામાં આવશે. 


ફિલ્મ મેકર્સને ગુજરાતમાં ફિલ્મ બનાવવા માટે આકર્ષવામાં આવશે

ફિલ્મનિર્માતાઓને ગુજરાતમાં આકર્ષવા માટે તેમને માળખાકીય સુવિધા આપવામાં આવશે. હોટલમાં ડિસ્કાઉન્ટ આપવું એડમિનિસ્ટ્રેટિવ સપોર્ટ કરવો વગેરે વસ્તુનો સમાવેશ કરવામાં આવશે. ગુજરાતમાં કાઈપો છે, રામલીલા, ડી-ડે, 2 સ્ટોટ, મોહેંજોદારો, લગાન જેવી ફિલ્મો બની ચૂકી છે.  



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .