આજે સિનેમેટિક ટુરિઝમ પોલીસી જાહેર કરશે, પણ એ શું હોય છે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 10:29:14



મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સિનેમેટિક ટુરિઝમ પોલીસી જાહેર કરશે, જે કાર્યક્રમમાં એક્ટર અજય દેવગન ઉપસ્થિત રહેશે. ગુજરાતમાં ફિલ્મ શૂટિંગને મજબૂત કરવા અને બોલિવુડ સિવાયની બહારની ફિલ્મો પણ ગુજરાતમાં બને તેવું માળખું ઉભું કરવા માટે કામ કરવામાં આવશે. 


ગુજરાતના સ્થાપત્યો અને સંસ્કૃતિને પ્રોમોટ કરાશે 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે પોલીસી જાહેર કરશે જેમાં ગુજરાતને પ્રવાસન સ્થળ અને ફિલ્મ ઉદ્યોગના વિકાસ માટે સ્થળ બને તેના માટે કામગીરી કરવામાં આવશે. ગુજરાતના ઐતિહાસિક સ્થળો, હેરિટેજ વિસ્તારો, પ્રાકૃતિક સૌંદર્યોનો દેશ અને વિદેશની ફિલ્મોમાં થાય અને ગુજરાતને પ્રોમોટ કરવાનો પ્લાન ઘડવામાં આવશે. 


ફિલ્મ મેકર્સને ગુજરાતમાં ફિલ્મ બનાવવા માટે આકર્ષવામાં આવશે

ફિલ્મનિર્માતાઓને ગુજરાતમાં આકર્ષવા માટે તેમને માળખાકીય સુવિધા આપવામાં આવશે. હોટલમાં ડિસ્કાઉન્ટ આપવું એડમિનિસ્ટ્રેટિવ સપોર્ટ કરવો વગેરે વસ્તુનો સમાવેશ કરવામાં આવશે. ગુજરાતમાં કાઈપો છે, રામલીલા, ડી-ડે, 2 સ્ટોટ, મોહેંજોદારો, લગાન જેવી ફિલ્મો બની ચૂકી છે.  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.