આજે સિનેમેટિક ટુરિઝમ પોલીસી જાહેર કરશે, પણ એ શું હોય છે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 10:29:14



મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સિનેમેટિક ટુરિઝમ પોલીસી જાહેર કરશે, જે કાર્યક્રમમાં એક્ટર અજય દેવગન ઉપસ્થિત રહેશે. ગુજરાતમાં ફિલ્મ શૂટિંગને મજબૂત કરવા અને બોલિવુડ સિવાયની બહારની ફિલ્મો પણ ગુજરાતમાં બને તેવું માળખું ઉભું કરવા માટે કામ કરવામાં આવશે. 


ગુજરાતના સ્થાપત્યો અને સંસ્કૃતિને પ્રોમોટ કરાશે 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે પોલીસી જાહેર કરશે જેમાં ગુજરાતને પ્રવાસન સ્થળ અને ફિલ્મ ઉદ્યોગના વિકાસ માટે સ્થળ બને તેના માટે કામગીરી કરવામાં આવશે. ગુજરાતના ઐતિહાસિક સ્થળો, હેરિટેજ વિસ્તારો, પ્રાકૃતિક સૌંદર્યોનો દેશ અને વિદેશની ફિલ્મોમાં થાય અને ગુજરાતને પ્રોમોટ કરવાનો પ્લાન ઘડવામાં આવશે. 


ફિલ્મ મેકર્સને ગુજરાતમાં ફિલ્મ બનાવવા માટે આકર્ષવામાં આવશે

ફિલ્મનિર્માતાઓને ગુજરાતમાં આકર્ષવા માટે તેમને માળખાકીય સુવિધા આપવામાં આવશે. હોટલમાં ડિસ્કાઉન્ટ આપવું એડમિનિસ્ટ્રેટિવ સપોર્ટ કરવો વગેરે વસ્તુનો સમાવેશ કરવામાં આવશે. ગુજરાતમાં કાઈપો છે, રામલીલા, ડી-ડે, 2 સ્ટોટ, મોહેંજોદારો, લગાન જેવી ફિલ્મો બની ચૂકી છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.