આજે સિનેમેટિક ટુરિઝમ પોલીસી જાહેર કરશે, પણ એ શું હોય છે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 10:29:14



મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સિનેમેટિક ટુરિઝમ પોલીસી જાહેર કરશે, જે કાર્યક્રમમાં એક્ટર અજય દેવગન ઉપસ્થિત રહેશે. ગુજરાતમાં ફિલ્મ શૂટિંગને મજબૂત કરવા અને બોલિવુડ સિવાયની બહારની ફિલ્મો પણ ગુજરાતમાં બને તેવું માળખું ઉભું કરવા માટે કામ કરવામાં આવશે. 


ગુજરાતના સ્થાપત્યો અને સંસ્કૃતિને પ્રોમોટ કરાશે 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે પોલીસી જાહેર કરશે જેમાં ગુજરાતને પ્રવાસન સ્થળ અને ફિલ્મ ઉદ્યોગના વિકાસ માટે સ્થળ બને તેના માટે કામગીરી કરવામાં આવશે. ગુજરાતના ઐતિહાસિક સ્થળો, હેરિટેજ વિસ્તારો, પ્રાકૃતિક સૌંદર્યોનો દેશ અને વિદેશની ફિલ્મોમાં થાય અને ગુજરાતને પ્રોમોટ કરવાનો પ્લાન ઘડવામાં આવશે. 


ફિલ્મ મેકર્સને ગુજરાતમાં ફિલ્મ બનાવવા માટે આકર્ષવામાં આવશે

ફિલ્મનિર્માતાઓને ગુજરાતમાં આકર્ષવા માટે તેમને માળખાકીય સુવિધા આપવામાં આવશે. હોટલમાં ડિસ્કાઉન્ટ આપવું એડમિનિસ્ટ્રેટિવ સપોર્ટ કરવો વગેરે વસ્તુનો સમાવેશ કરવામાં આવશે. ગુજરાતમાં કાઈપો છે, રામલીલા, ડી-ડે, 2 સ્ટોટ, મોહેંજોદારો, લગાન જેવી ફિલ્મો બની ચૂકી છે.  



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"