Ciplaમાં 33 ટકા હિસ્સો ખરીદવાની તૈયારીમાં બ્લેકસ્ટોન, કંપનીના શેરોમાં તેજી, જયરામ રમેશે દુઃખ વ્યક્ત કર્યું


  • Published By :
  • Published Date : 2023-08-04 17:00:03

દેશની અગ્રણી ફાર્મા કંપની સિપ્લા વેચાવા જઈ રહી છે. વિશ્વનું સૌથી મોટું પ્રાઈવેટ ઈક્વિટી ફંડ બ્લેક સ્ટોન સિપ્લામાં 33 ટકાથી વધુનો હિસ્સો ખરીવાનું છે. મીડિયા રિપોર્ટ મુજબ જો બ્લેક સ્ટોન સિપ્લામાં 33 ટકાથી વધુ પ્રમોટર હોલ્ડિંગ હસ્તગત કરવામાં સફળ થશે તો હમિદ પરિવારનું કંપનીના મેનેજમેન્ટ પરનું વર્ચસ્વ ખતમ થઈ જશે. જો બ્લેકસ્ટોન કંપનીમાં પ્રમોટરનો હિસ્સો હસ્તગત કરે છે, તો તે ઓફર ફોર સેલ (OFS) હેઠળ કંપનીમાં વધારાના 26 ટકા હિસ્સાનો દાવો પણ કરી શકશે. આ સ્થિતિમાં બ્લેકસ્ટોન ટેકનિકલી રીતે સિપ્લામાં 59.4% હિસ્સો હસ્તગત કરશે. સિપ્લાનું વર્તમાન બજાર મૂલ્ય રૂ. 94,043 કરોડ છે. આ કિંમતની દ્રષ્ટિએ એકલા પ્રમોટરનો હિસ્સો રૂ. 31,476 કરોડનો છે. જો OFS સંપૂર્ણપણે સબ્સ્ક્રાઇબ થઈ જાય, તો બ્લેકસ્ટોને લગભગ રૂ. 55,926 કરોડ ચૂકવવા પડશે.


જયરામ રમેશે જણાવ્યું હતું


સિપ્લા અંગેના સમાચાર બાદ કોંગ્રેસના અગ્રણી નેતા જયરામ રમેશે ટ્વિટર પર લખ્યું હતું કે, "દુનિયાનું સૌથી મોટું પ્રાઇવેટ ઇક્વિટી ફંડ, બ્લેકસ્ટોન, ભારતની સૌથી જૂની ફાર્મા કંપની સિપ્લામાં સમગ્ર 33.47 ટકા પ્રમોટર હિસ્સો હસ્તગત કરવા માટે વાતચીત કરી રહ્યું છે તે જાણીને દુઃખ થયું." તેમણે કહ્યું કે સિપ્લાની સ્થાપના 1935માં ખ્વાજા અબ્દુલ હમીદ દ્વારા કરવામાં આવી હતી, જેઓ મહાત્મા ગાંધી, નેહરુ, સરદાર પટેલ અને મૌલાના આઝાદથી ખૂબ પ્રભાવિત હતા. કોંગ્રેસ નેતાએ કહ્યું, "તેમણે CSIRની રચનામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી." રમેશે વધુમાં સિપ્લાને 'ભારતીય રાષ્ટ્રવાદનું એક ચમકતું ઉદાહરણ' અને ભારતના રાજકીય, આર્થિક અને સામાજિક ઇતિહાસના અભિન્ન અંગ તરીકે વર્ણવ્યું હતું.


સમાચાર બાદ શેરમાં ઉછાળો આવ્યો


સિપ્લા વિશેના આ સમાચારની કંપનીના શેર પર સકારાત્મક અસર થઈ રહી છે. સમાચાર લખાય છે ત્યાં સુધી, કંપનીના શેર લગભગ 4%ના ઉછાળા સાથે રૂ. 1,206.95 પર ટ્રેડ કરી રહ્યો હતો. બજાર ખુલ્યાના થોડા સમય બાદ, સિપ્લાના શેરે છથી વધુનો ઉછાળો કરીને 52 સપ્તાહનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. જોકે, પાછળથી વૃદ્ધિના આ માર્જિનમાં થોડો ઘટાડો થયો. આ શેરે છેલ્લા 5 ટ્રેડિંગ દિવસોમાં 2.90% નું વળતર આપ્યું છે. જ્યારે 1 મહિનામાં આ આંકડો 19.41% રહ્યો છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.