Ciplaમાં 33 ટકા હિસ્સો ખરીદવાની તૈયારીમાં બ્લેકસ્ટોન, કંપનીના શેરોમાં તેજી, જયરામ રમેશે દુઃખ વ્યક્ત કર્યું


  • Published By :
  • Published Date : 2023-08-04 17:00:03

દેશની અગ્રણી ફાર્મા કંપની સિપ્લા વેચાવા જઈ રહી છે. વિશ્વનું સૌથી મોટું પ્રાઈવેટ ઈક્વિટી ફંડ બ્લેક સ્ટોન સિપ્લામાં 33 ટકાથી વધુનો હિસ્સો ખરીવાનું છે. મીડિયા રિપોર્ટ મુજબ જો બ્લેક સ્ટોન સિપ્લામાં 33 ટકાથી વધુ પ્રમોટર હોલ્ડિંગ હસ્તગત કરવામાં સફળ થશે તો હમિદ પરિવારનું કંપનીના મેનેજમેન્ટ પરનું વર્ચસ્વ ખતમ થઈ જશે. જો બ્લેકસ્ટોન કંપનીમાં પ્રમોટરનો હિસ્સો હસ્તગત કરે છે, તો તે ઓફર ફોર સેલ (OFS) હેઠળ કંપનીમાં વધારાના 26 ટકા હિસ્સાનો દાવો પણ કરી શકશે. આ સ્થિતિમાં બ્લેકસ્ટોન ટેકનિકલી રીતે સિપ્લામાં 59.4% હિસ્સો હસ્તગત કરશે. સિપ્લાનું વર્તમાન બજાર મૂલ્ય રૂ. 94,043 કરોડ છે. આ કિંમતની દ્રષ્ટિએ એકલા પ્રમોટરનો હિસ્સો રૂ. 31,476 કરોડનો છે. જો OFS સંપૂર્ણપણે સબ્સ્ક્રાઇબ થઈ જાય, તો બ્લેકસ્ટોને લગભગ રૂ. 55,926 કરોડ ચૂકવવા પડશે.


જયરામ રમેશે જણાવ્યું હતું


સિપ્લા અંગેના સમાચાર બાદ કોંગ્રેસના અગ્રણી નેતા જયરામ રમેશે ટ્વિટર પર લખ્યું હતું કે, "દુનિયાનું સૌથી મોટું પ્રાઇવેટ ઇક્વિટી ફંડ, બ્લેકસ્ટોન, ભારતની સૌથી જૂની ફાર્મા કંપની સિપ્લામાં સમગ્ર 33.47 ટકા પ્રમોટર હિસ્સો હસ્તગત કરવા માટે વાતચીત કરી રહ્યું છે તે જાણીને દુઃખ થયું." તેમણે કહ્યું કે સિપ્લાની સ્થાપના 1935માં ખ્વાજા અબ્દુલ હમીદ દ્વારા કરવામાં આવી હતી, જેઓ મહાત્મા ગાંધી, નેહરુ, સરદાર પટેલ અને મૌલાના આઝાદથી ખૂબ પ્રભાવિત હતા. કોંગ્રેસ નેતાએ કહ્યું, "તેમણે CSIRની રચનામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી." રમેશે વધુમાં સિપ્લાને 'ભારતીય રાષ્ટ્રવાદનું એક ચમકતું ઉદાહરણ' અને ભારતના રાજકીય, આર્થિક અને સામાજિક ઇતિહાસના અભિન્ન અંગ તરીકે વર્ણવ્યું હતું.


સમાચાર બાદ શેરમાં ઉછાળો આવ્યો


સિપ્લા વિશેના આ સમાચારની કંપનીના શેર પર સકારાત્મક અસર થઈ રહી છે. સમાચાર લખાય છે ત્યાં સુધી, કંપનીના શેર લગભગ 4%ના ઉછાળા સાથે રૂ. 1,206.95 પર ટ્રેડ કરી રહ્યો હતો. બજાર ખુલ્યાના થોડા સમય બાદ, સિપ્લાના શેરે છથી વધુનો ઉછાળો કરીને 52 સપ્તાહનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. જોકે, પાછળથી વૃદ્ધિના આ માર્જિનમાં થોડો ઘટાડો થયો. આ શેરે છેલ્લા 5 ટ્રેડિંગ દિવસોમાં 2.90% નું વળતર આપ્યું છે. જ્યારે 1 મહિનામાં આ આંકડો 19.41% રહ્યો છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .