Ciplaમાં 33 ટકા હિસ્સો ખરીદવાની તૈયારીમાં બ્લેકસ્ટોન, કંપનીના શેરોમાં તેજી, જયરામ રમેશે દુઃખ વ્યક્ત કર્યું


  • Published By :
  • Published Date : 2023-08-04 17:00:03

દેશની અગ્રણી ફાર્મા કંપની સિપ્લા વેચાવા જઈ રહી છે. વિશ્વનું સૌથી મોટું પ્રાઈવેટ ઈક્વિટી ફંડ બ્લેક સ્ટોન સિપ્લામાં 33 ટકાથી વધુનો હિસ્સો ખરીવાનું છે. મીડિયા રિપોર્ટ મુજબ જો બ્લેક સ્ટોન સિપ્લામાં 33 ટકાથી વધુ પ્રમોટર હોલ્ડિંગ હસ્તગત કરવામાં સફળ થશે તો હમિદ પરિવારનું કંપનીના મેનેજમેન્ટ પરનું વર્ચસ્વ ખતમ થઈ જશે. જો બ્લેકસ્ટોન કંપનીમાં પ્રમોટરનો હિસ્સો હસ્તગત કરે છે, તો તે ઓફર ફોર સેલ (OFS) હેઠળ કંપનીમાં વધારાના 26 ટકા હિસ્સાનો દાવો પણ કરી શકશે. આ સ્થિતિમાં બ્લેકસ્ટોન ટેકનિકલી રીતે સિપ્લામાં 59.4% હિસ્સો હસ્તગત કરશે. સિપ્લાનું વર્તમાન બજાર મૂલ્ય રૂ. 94,043 કરોડ છે. આ કિંમતની દ્રષ્ટિએ એકલા પ્રમોટરનો હિસ્સો રૂ. 31,476 કરોડનો છે. જો OFS સંપૂર્ણપણે સબ્સ્ક્રાઇબ થઈ જાય, તો બ્લેકસ્ટોને લગભગ રૂ. 55,926 કરોડ ચૂકવવા પડશે.


જયરામ રમેશે જણાવ્યું હતું


સિપ્લા અંગેના સમાચાર બાદ કોંગ્રેસના અગ્રણી નેતા જયરામ રમેશે ટ્વિટર પર લખ્યું હતું કે, "દુનિયાનું સૌથી મોટું પ્રાઇવેટ ઇક્વિટી ફંડ, બ્લેકસ્ટોન, ભારતની સૌથી જૂની ફાર્મા કંપની સિપ્લામાં સમગ્ર 33.47 ટકા પ્રમોટર હિસ્સો હસ્તગત કરવા માટે વાતચીત કરી રહ્યું છે તે જાણીને દુઃખ થયું." તેમણે કહ્યું કે સિપ્લાની સ્થાપના 1935માં ખ્વાજા અબ્દુલ હમીદ દ્વારા કરવામાં આવી હતી, જેઓ મહાત્મા ગાંધી, નેહરુ, સરદાર પટેલ અને મૌલાના આઝાદથી ખૂબ પ્રભાવિત હતા. કોંગ્રેસ નેતાએ કહ્યું, "તેમણે CSIRની રચનામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી." રમેશે વધુમાં સિપ્લાને 'ભારતીય રાષ્ટ્રવાદનું એક ચમકતું ઉદાહરણ' અને ભારતના રાજકીય, આર્થિક અને સામાજિક ઇતિહાસના અભિન્ન અંગ તરીકે વર્ણવ્યું હતું.


સમાચાર બાદ શેરમાં ઉછાળો આવ્યો


સિપ્લા વિશેના આ સમાચારની કંપનીના શેર પર સકારાત્મક અસર થઈ રહી છે. સમાચાર લખાય છે ત્યાં સુધી, કંપનીના શેર લગભગ 4%ના ઉછાળા સાથે રૂ. 1,206.95 પર ટ્રેડ કરી રહ્યો હતો. બજાર ખુલ્યાના થોડા સમય બાદ, સિપ્લાના શેરે છથી વધુનો ઉછાળો કરીને 52 સપ્તાહનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. જોકે, પાછળથી વૃદ્ધિના આ માર્જિનમાં થોડો ઘટાડો થયો. આ શેરે છેલ્લા 5 ટ્રેડિંગ દિવસોમાં 2.90% નું વળતર આપ્યું છે. જ્યારે 1 મહિનામાં આ આંકડો 19.41% રહ્યો છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.