વિજાપુર બેઠકથી સી જે ચાવડાની ટિકિટ કન્ફર્મ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 19:10:44

ગુજરાતની વિધાનસભા ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ રાજકારણમાં નવા રૂપ સામે આવી રહ્યા છે રાજકીય પક્ષોનો માહોલ ગરમાઈ રહ્યો છે કોંગ્રેસના નેતાઓએ પણ સોગઠાં ગોઠવી દીધા છે. જેમાં કોંગ્રેસના નેતા સી. જે ચાવડા ગાંધીનગરની  ગાંધીનગરની ઉત્તર બેઠક છોડી અને મહેસાણા જિલ્લાની વિજાપુર બેઠક લડવા જશે તેવા સંકેત આપ્યા છે.

 

ઉપરાંત વિજાપુર બેઠક પર કોંગ્રેસના તમામ દાવેદારો સી જે ચાવડાને સમર્થન પણ આપ્યું છે. કોઈ પણ ઉમેદવારે વિજાપુર બેઠક પરથી કોઈ પણ દાવેદારોએ ઉમેદવારી ફોર્મ નથી ભર્યું. સી.જે ચાવડાએ મહેસાણાની એક સભા બાદ કહ્યું કે હું વિજાપુરથી ચૂંટણી લડીશ.


 

સી જે ચાવડાએ શું કહ્યું

સભા બાદ સી જે ચાવડાએ કહ્યું “ આગેવાનોએ વતનમાં ચૂંટણી લડવા કહ્યું
વિજાપુર તાલુકો કોંગ્રેસ સાથે સંકયાળેલો છે. બધા આગેવાનો એકઠા થઈ મને કહ્યું કે તમે તમારા વતનમાં ચૂંટણી લડવા માટે આવો અને એક પણ વ્યક્તિએ પોતાનું ફોર્મ નથી ભર્યું. પાર્ટીએ આદેશ આપ્યો કે ગાંધીનગરથી તો તમે જીતો છો પરંતુ વિજાપુરની બેઠક લડી અને કોંગ્રેસને વધુ બેઠક આવે આટલે વિજાપુર લડવા જાવ



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .