વિજાપુર બેઠકથી સી જે ચાવડાની ટિકિટ કન્ફર્મ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 19:10:44

ગુજરાતની વિધાનસભા ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ રાજકારણમાં નવા રૂપ સામે આવી રહ્યા છે રાજકીય પક્ષોનો માહોલ ગરમાઈ રહ્યો છે કોંગ્રેસના નેતાઓએ પણ સોગઠાં ગોઠવી દીધા છે. જેમાં કોંગ્રેસના નેતા સી. જે ચાવડા ગાંધીનગરની  ગાંધીનગરની ઉત્તર બેઠક છોડી અને મહેસાણા જિલ્લાની વિજાપુર બેઠક લડવા જશે તેવા સંકેત આપ્યા છે.

 

ઉપરાંત વિજાપુર બેઠક પર કોંગ્રેસના તમામ દાવેદારો સી જે ચાવડાને સમર્થન પણ આપ્યું છે. કોઈ પણ ઉમેદવારે વિજાપુર બેઠક પરથી કોઈ પણ દાવેદારોએ ઉમેદવારી ફોર્મ નથી ભર્યું. સી.જે ચાવડાએ મહેસાણાની એક સભા બાદ કહ્યું કે હું વિજાપુરથી ચૂંટણી લડીશ.


 

સી જે ચાવડાએ શું કહ્યું

સભા બાદ સી જે ચાવડાએ કહ્યું “ આગેવાનોએ વતનમાં ચૂંટણી લડવા કહ્યું
વિજાપુર તાલુકો કોંગ્રેસ સાથે સંકયાળેલો છે. બધા આગેવાનો એકઠા થઈ મને કહ્યું કે તમે તમારા વતનમાં ચૂંટણી લડવા માટે આવો અને એક પણ વ્યક્તિએ પોતાનું ફોર્મ નથી ભર્યું. પાર્ટીએ આદેશ આપ્યો કે ગાંધીનગરથી તો તમે જીતો છો પરંતુ વિજાપુરની બેઠક લડી અને કોંગ્રેસને વધુ બેઠક આવે આટલે વિજાપુર લડવા જાવ



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.