Gujaratમાં સબ સલામતના દાવા પોકળ સાબિત થયા! Mahisagarમાં નિવૃત્ત CRPF જવાન પર બુટલેગરે કર્યો હુમલો, જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2024-02-07 11:35:08

ગુજરાતમાં સબ સલામતના દાવા અનેક વખત કરવામાં આવતા હોય છે. ગુજરાતને સુરક્ષિત રાજ્ય તરીકે બતાવવામાં આવે છે પરંતુ અનેક એવી ઘટનાઓ સામે આવતી હોય છે જે આ વાતને ખોટી સાબિત કરતી હોય છે. મહીસાગરથી એક ઘટના સામે આવી જેમાં નિવૃત્ત CRPF પર હુમલો કરવામાં આવ્યો છે. બાલાસિનોર નગરના રાજપૂરી દરવાજા પાસે નિવૃત્ત CRPF પર હુમલો કરવામાં આવ્યો છે. પાવડા તેમજ લાકડી વડે હુમલો કરવામાં આવ્યો છે.



નિવૃત્ત સી.આર.પી.એફ જવાન પર બુટલેગરે કર્યો હુમલો!

રાજ્યમાં દારૂબંધીનો કાયદો છે તે આપણે જાણીએ છીએ. પરંતુ તે કાયદાનું પાલન કેટલું થાય છે તે વાત પણ આપણાથી છુપી નથી. દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડતા અનેક વખત જોયા છે. એવા અનેક એવા કિસ્સાઓ જોયા છે જેમાં બુટલેગરો બેફામ બની ગયા છે. કાયદાનો ડર તો રહ્યો જ નથી હોતો પરંતુ અનેક બુટલેગરો એવા હોય છે જે પોલીસ જવાન પર હુમલો કરતા હોય છે. ત્યારે મહીસાગરના બાલાસિનોરમાં નિવૃત્ત સી.આર.પી.એફ પર બુટલેગરે હુમલો કર્યો છે. બાલાસિનોર નગરના સોમા બુટલેગરે ભાથલા ગામના નિવૃત્ત CRPF જવાન પર પાવડા વડે હુમલો કર્યો છે જેને લઈ બળવંતસિંહને ઈજાઓ પહોંચી છે.



ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

ભાથલા ગામના નિવૃત CRPF જવાન બળવંતસિંહ પર બૂટલેગરો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે જેને કારણે માથા અને મોના ભાગ પર ઈજાઓ પહોંચી છે. બાઈક મૂકવા બાબતને લઈ નિવૃત્ત સી.આર.પી.એફ જવાન પર હુમલો કરવામાં આવ્યો છે. પાવડા તેમજ લાકડી દ્વારા નિવૃત્ત સી.આર.પી.એફ જવાન પર હુમલો કરવામાં આવ્યો હતો અને સોમા બુટલેગર દ્વારા બળવંતસિંહને જાનથી મારી નાખવાની ધમકી આપી. ઈજા પહોંડતા બળવંતસિંહને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી દીધી છે. મહત્વનું છે કે ગુજરાતમાં આવા હુમલાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.