Gujaratમાં સબ સલામતના દાવા પોકળ સાબિત થયા! Mahisagarમાં નિવૃત્ત CRPF જવાન પર બુટલેગરે કર્યો હુમલો, જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2024-02-07 11:35:08

ગુજરાતમાં સબ સલામતના દાવા અનેક વખત કરવામાં આવતા હોય છે. ગુજરાતને સુરક્ષિત રાજ્ય તરીકે બતાવવામાં આવે છે પરંતુ અનેક એવી ઘટનાઓ સામે આવતી હોય છે જે આ વાતને ખોટી સાબિત કરતી હોય છે. મહીસાગરથી એક ઘટના સામે આવી જેમાં નિવૃત્ત CRPF પર હુમલો કરવામાં આવ્યો છે. બાલાસિનોર નગરના રાજપૂરી દરવાજા પાસે નિવૃત્ત CRPF પર હુમલો કરવામાં આવ્યો છે. પાવડા તેમજ લાકડી વડે હુમલો કરવામાં આવ્યો છે.



નિવૃત્ત સી.આર.પી.એફ જવાન પર બુટલેગરે કર્યો હુમલો!

રાજ્યમાં દારૂબંધીનો કાયદો છે તે આપણે જાણીએ છીએ. પરંતુ તે કાયદાનું પાલન કેટલું થાય છે તે વાત પણ આપણાથી છુપી નથી. દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડતા અનેક વખત જોયા છે. એવા અનેક એવા કિસ્સાઓ જોયા છે જેમાં બુટલેગરો બેફામ બની ગયા છે. કાયદાનો ડર તો રહ્યો જ નથી હોતો પરંતુ અનેક બુટલેગરો એવા હોય છે જે પોલીસ જવાન પર હુમલો કરતા હોય છે. ત્યારે મહીસાગરના બાલાસિનોરમાં નિવૃત્ત સી.આર.પી.એફ પર બુટલેગરે હુમલો કર્યો છે. બાલાસિનોર નગરના સોમા બુટલેગરે ભાથલા ગામના નિવૃત્ત CRPF જવાન પર પાવડા વડે હુમલો કર્યો છે જેને લઈ બળવંતસિંહને ઈજાઓ પહોંચી છે.



ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

ભાથલા ગામના નિવૃત CRPF જવાન બળવંતસિંહ પર બૂટલેગરો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે જેને કારણે માથા અને મોના ભાગ પર ઈજાઓ પહોંચી છે. બાઈક મૂકવા બાબતને લઈ નિવૃત્ત સી.આર.પી.એફ જવાન પર હુમલો કરવામાં આવ્યો છે. પાવડા તેમજ લાકડી દ્વારા નિવૃત્ત સી.આર.પી.એફ જવાન પર હુમલો કરવામાં આવ્યો હતો અને સોમા બુટલેગર દ્વારા બળવંતસિંહને જાનથી મારી નાખવાની ધમકી આપી. ઈજા પહોંડતા બળવંતસિંહને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી દીધી છે. મહત્વનું છે કે ગુજરાતમાં આવા હુમલાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.