Gujaratમાં સબ સલામતના દાવા પોકળ સાબિત થયા! Mahisagarમાં નિવૃત્ત CRPF જવાન પર બુટલેગરે કર્યો હુમલો, જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2024-02-07 11:35:08

ગુજરાતમાં સબ સલામતના દાવા અનેક વખત કરવામાં આવતા હોય છે. ગુજરાતને સુરક્ષિત રાજ્ય તરીકે બતાવવામાં આવે છે પરંતુ અનેક એવી ઘટનાઓ સામે આવતી હોય છે જે આ વાતને ખોટી સાબિત કરતી હોય છે. મહીસાગરથી એક ઘટના સામે આવી જેમાં નિવૃત્ત CRPF પર હુમલો કરવામાં આવ્યો છે. બાલાસિનોર નગરના રાજપૂરી દરવાજા પાસે નિવૃત્ત CRPF પર હુમલો કરવામાં આવ્યો છે. પાવડા તેમજ લાકડી વડે હુમલો કરવામાં આવ્યો છે.



નિવૃત્ત સી.આર.પી.એફ જવાન પર બુટલેગરે કર્યો હુમલો!

રાજ્યમાં દારૂબંધીનો કાયદો છે તે આપણે જાણીએ છીએ. પરંતુ તે કાયદાનું પાલન કેટલું થાય છે તે વાત પણ આપણાથી છુપી નથી. દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડતા અનેક વખત જોયા છે. એવા અનેક એવા કિસ્સાઓ જોયા છે જેમાં બુટલેગરો બેફામ બની ગયા છે. કાયદાનો ડર તો રહ્યો જ નથી હોતો પરંતુ અનેક બુટલેગરો એવા હોય છે જે પોલીસ જવાન પર હુમલો કરતા હોય છે. ત્યારે મહીસાગરના બાલાસિનોરમાં નિવૃત્ત સી.આર.પી.એફ પર બુટલેગરે હુમલો કર્યો છે. બાલાસિનોર નગરના સોમા બુટલેગરે ભાથલા ગામના નિવૃત્ત CRPF જવાન પર પાવડા વડે હુમલો કર્યો છે જેને લઈ બળવંતસિંહને ઈજાઓ પહોંચી છે.



ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

ભાથલા ગામના નિવૃત CRPF જવાન બળવંતસિંહ પર બૂટલેગરો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે જેને કારણે માથા અને મોના ભાગ પર ઈજાઓ પહોંચી છે. બાઈક મૂકવા બાબતને લઈ નિવૃત્ત સી.આર.પી.એફ જવાન પર હુમલો કરવામાં આવ્યો છે. પાવડા તેમજ લાકડી દ્વારા નિવૃત્ત સી.આર.પી.એફ જવાન પર હુમલો કરવામાં આવ્યો હતો અને સોમા બુટલેગર દ્વારા બળવંતસિંહને જાનથી મારી નાખવાની ધમકી આપી. ઈજા પહોંડતા બળવંતસિંહને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી દીધી છે. મહત્વનું છે કે ગુજરાતમાં આવા હુમલાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે