10મા ધોરણમાં ભણતી વિદ્યાર્થિની પર લંપટ આચાર્યનું દુષ્કર્મ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-11 14:51:26

ભરૂચની સરસ્વતી વિદ્યાલયના આચાર્યે દસમા ધોરણમાં ભણતી વિદ્યાર્થિની પર નજર બગાડી દુષ્કર્મ કર્યું. વિદ્યાર્થિનીના પરિવારને ખબર પડતા ભરૂચ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ભરૂચ પોલીસે સરસ્વતી વિદ્યાલયના લંપટ આચાર્યની ધરપકડ કરી. 


વિદ્યાર્થિનીને ધમકાવી દુષ્કર્મ આચર્યું 

સરસ્વતી વિદ્યાલયની વિદ્યાર્થિનીને નાપાસ કરવાની ધમકી આપી આચાર્યએ દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે પહેલીવાર આ ઘટના ઘટી ત્યારે વિદ્યાર્થિનીએ પોતાના પરિવારને જાણ નહોતી કરી. ફરીવાર આચાર્યએ વિદ્યાર્થિની સામે નજર બગાડતા વિદ્યાર્થિનીએ પરિવારને જાણ કરી દીધી હતી અને પરિવારે ભરૂચ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ભરૂચ પોલીસ સમગ્ર મામલે આચાર્ય સામે તપાસ ચલાવી રહી છે. 


આપણા ધાર્મિક ગ્રંથો-શાસ્ત્રોમાં શિખવવામાં આવ્યું છે, गुरू ब्रह्मा गुरू विष्णु, गुरु देवो महेश्वरा गुरु साक्षात परब्रह्म, तस्मै श्री गुरुवे नमः પરંતુ આપણા સમાજમાં અત્યારે જે ઘટનાઓ સામે આવી રહી છે તે ઘૃણાસ્પદ છે. પ્રતિદિન સોશિયલ મીડિયા, ન્યૂઝપેપર અને ટીવીની હેડલાઈન આવા સમાચારોથી ભરાઈ રહી છે તે સંવેદનશીલ વિષય છે. માતા બાદ વિદ્યાર્થીનું ઘડતર કરનાર શિક્ષક હોય છે. શિક્ષક જો આવા ધંધા કરવા લાગશે તો ભારતીય સંસ્કૃતિ પર લાંછન લાગશે. વિદ્યાર્થીઓને શાળા અને ઘરે બંને જગ્યા પર સારા સ્પર્શ અને ખરાબ સ્પર્શ મામલે સમજણ આપવી જોઈએ. જેથી બાળક જાગૃત થઈ શકે અને સમાજમાં દાખલો બેસાડવા માટે કૃત્ય કરનારને કડકમાં કડક સજા થવી જોઈએ.     



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .