10મા ધોરણમાં ભણતી વિદ્યાર્થિની પર લંપટ આચાર્યનું દુષ્કર્મ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-11 14:51:26

ભરૂચની સરસ્વતી વિદ્યાલયના આચાર્યે દસમા ધોરણમાં ભણતી વિદ્યાર્થિની પર નજર બગાડી દુષ્કર્મ કર્યું. વિદ્યાર્થિનીના પરિવારને ખબર પડતા ભરૂચ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ભરૂચ પોલીસે સરસ્વતી વિદ્યાલયના લંપટ આચાર્યની ધરપકડ કરી. 


વિદ્યાર્થિનીને ધમકાવી દુષ્કર્મ આચર્યું 

સરસ્વતી વિદ્યાલયની વિદ્યાર્થિનીને નાપાસ કરવાની ધમકી આપી આચાર્યએ દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે પહેલીવાર આ ઘટના ઘટી ત્યારે વિદ્યાર્થિનીએ પોતાના પરિવારને જાણ નહોતી કરી. ફરીવાર આચાર્યએ વિદ્યાર્થિની સામે નજર બગાડતા વિદ્યાર્થિનીએ પરિવારને જાણ કરી દીધી હતી અને પરિવારે ભરૂચ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ભરૂચ પોલીસ સમગ્ર મામલે આચાર્ય સામે તપાસ ચલાવી રહી છે. 


આપણા ધાર્મિક ગ્રંથો-શાસ્ત્રોમાં શિખવવામાં આવ્યું છે, गुरू ब्रह्मा गुरू विष्णु, गुरु देवो महेश्वरा गुरु साक्षात परब्रह्म, तस्मै श्री गुरुवे नमः પરંતુ આપણા સમાજમાં અત્યારે જે ઘટનાઓ સામે આવી રહી છે તે ઘૃણાસ્પદ છે. પ્રતિદિન સોશિયલ મીડિયા, ન્યૂઝપેપર અને ટીવીની હેડલાઈન આવા સમાચારોથી ભરાઈ રહી છે તે સંવેદનશીલ વિષય છે. માતા બાદ વિદ્યાર્થીનું ઘડતર કરનાર શિક્ષક હોય છે. શિક્ષક જો આવા ધંધા કરવા લાગશે તો ભારતીય સંસ્કૃતિ પર લાંછન લાગશે. વિદ્યાર્થીઓને શાળા અને ઘરે બંને જગ્યા પર સારા સ્પર્શ અને ખરાબ સ્પર્શ મામલે સમજણ આપવી જોઈએ. જેથી બાળક જાગૃત થઈ શકે અને સમાજમાં દાખલો બેસાડવા માટે કૃત્ય કરનારને કડકમાં કડક સજા થવી જોઈએ.     



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .