10મા ધોરણમાં ભણતી વિદ્યાર્થિની પર લંપટ આચાર્યનું દુષ્કર્મ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-11 14:51:26

ભરૂચની સરસ્વતી વિદ્યાલયના આચાર્યે દસમા ધોરણમાં ભણતી વિદ્યાર્થિની પર નજર બગાડી દુષ્કર્મ કર્યું. વિદ્યાર્થિનીના પરિવારને ખબર પડતા ભરૂચ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ભરૂચ પોલીસે સરસ્વતી વિદ્યાલયના લંપટ આચાર્યની ધરપકડ કરી. 


વિદ્યાર્થિનીને ધમકાવી દુષ્કર્મ આચર્યું 

સરસ્વતી વિદ્યાલયની વિદ્યાર્થિનીને નાપાસ કરવાની ધમકી આપી આચાર્યએ દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે પહેલીવાર આ ઘટના ઘટી ત્યારે વિદ્યાર્થિનીએ પોતાના પરિવારને જાણ નહોતી કરી. ફરીવાર આચાર્યએ વિદ્યાર્થિની સામે નજર બગાડતા વિદ્યાર્થિનીએ પરિવારને જાણ કરી દીધી હતી અને પરિવારે ભરૂચ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ભરૂચ પોલીસ સમગ્ર મામલે આચાર્ય સામે તપાસ ચલાવી રહી છે. 


આપણા ધાર્મિક ગ્રંથો-શાસ્ત્રોમાં શિખવવામાં આવ્યું છે, गुरू ब्रह्मा गुरू विष्णु, गुरु देवो महेश्वरा गुरु साक्षात परब्रह्म, तस्मै श्री गुरुवे नमः પરંતુ આપણા સમાજમાં અત્યારે જે ઘટનાઓ સામે આવી રહી છે તે ઘૃણાસ્પદ છે. પ્રતિદિન સોશિયલ મીડિયા, ન્યૂઝપેપર અને ટીવીની હેડલાઈન આવા સમાચારોથી ભરાઈ રહી છે તે સંવેદનશીલ વિષય છે. માતા બાદ વિદ્યાર્થીનું ઘડતર કરનાર શિક્ષક હોય છે. શિક્ષક જો આવા ધંધા કરવા લાગશે તો ભારતીય સંસ્કૃતિ પર લાંછન લાગશે. વિદ્યાર્થીઓને શાળા અને ઘરે બંને જગ્યા પર સારા સ્પર્શ અને ખરાબ સ્પર્શ મામલે સમજણ આપવી જોઈએ. જેથી બાળક જાગૃત થઈ શકે અને સમાજમાં દાખલો બેસાડવા માટે કૃત્ય કરનારને કડકમાં કડક સજા થવી જોઈએ.     



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.