ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ થયું જાહેર, ગયા વર્ષ કરતા આ વર્ષે પરિણામમાં નોંધાયો ઘટાડો, જાણો કયા જિલ્લાનું સૌથી ઓછું નોંધાયું પરિણામ


  • Published By :
  • Published Date : 2023-05-31 09:05:25

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે 73.27 ટકા પરિણામ આવ્યું છે. જો વર્ષ 2022ની વાત કરીએ તો 86.91 ટકા પરિણામ આવ્યું હતું જ્યારે આ વખતના પરિણામમાં ઘટાડો નોંધાયો છે. આ વર્ષે ગયા વર્ષ કરતા 13.64 ટકા જેટલું પરિણામ ઓછું આવ્યું છે. વિદ્યાર્થીઓ www.gseb.org પર પરિણામ જોઈ શકે છે અથવા તો 6357300971 પર વિદ્યાર્થી સીટ નંબર મોકલી પોતાનું પરિણામ મેળવી શકે છે. 


દાહોદ જિલ્લામાં નોંધાયું સૌથી ઓછું પરિણામ!

જો જિલ્લા વાઈસ પરિણામની વાત કરીએ તો સૌથી વધારે પરિણામ ધરાવતો જિલ્લો કચ્છ બન્યો છે. કચ્છ જિલ્લામાં પરિણામ 84.59 ટકા નોંધાયું છે. સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો દાહોદ છે. ત્યાંનું પરિણામ 54.67 ટકા નોંધાયું છે.  રાજ્યના 311 સ્કૂલો એવી છે જેનું પરિણામ 100 ટકા નોંધાયું છે. સૌથી વધારે પરિણામ ધરાવતું કેન્દ્ર વાગઘ્રા છે જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર દેવગઢબારીયા છે. જો વિદ્યાર્થીઓના પરિણામની વાત કરીએ તો 67.03 ટકા આવ્યું છે જ્યારે 80.39 ટકા પરિણામ વિદ્યાર્થીનીનું આવ્યું છે. મહત્વનું છે કે ધોરણ 12 સાયન્સનું પરિણામ દાહોદમાં સૌથી ઓછું નોંધાયું હતું. ધોરણ 10 બોર્ડનું પરિણામ પણ દાહોદ જિલ્લામાં સૌથી ઓછું નોંધાયું હતું.  


આટલા વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા!

માર્ચ મહિનામાં યોજાયેલી પરીક્ષામાં 479298 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી પરીક્ષા આપવા 477392 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. નિયમીત ઉમેદવારોનું પરિણામ 73.27 ટકા આવ્યું છે. પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 29974 વિદ્યાર્થીઓ બેઠા હતા જેમાંથી 28321 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 39.56 ટકા નોંધાયું છે. 482 કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી.  

 

ગ્રેડવાઈઝ પરિણામ આ મુજબ છે: 

ગ્રેડવાઈઝ પરિણામની વાત કરીએ તો 1874 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. 20896 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. B1 ગ્રેડ 51,607 વિદ્યાર્થીઓએ મેળવ્યો છે જ્યારે 82,527 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે. C1 ગ્રેડ 1,00,690 વિદ્યાર્થીઓનો આવ્યો છે. 76532 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ હાંસલ કર્યો છે. D ગ્રેડ 11936 વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યો છે. E1 ગ્રેડ 131 વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યો છે. 


માધ્યમો વાઈઝ પરિણામ!

ગુજરાતી માધ્યમનું પરિણામ 72.83 ટકા નોંધાયું છે, હિન્દી માધ્યમનું 67.45 ટકા પરિણામ નોંધાયું છે. મરાઠી માધ્યમનું પરિણામ 72.58 ટકા નોંધાયું છે. ઉર્દુ માધ્યમનું પરિણામ 82.67 ટકા નોંધાયું છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ 79.16 ટકા નોંધાયું છે.    

   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.