ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ થયું જાહેર, ગયા વર્ષ કરતા આ વર્ષે પરિણામમાં નોંધાયો ઘટાડો, જાણો કયા જિલ્લાનું સૌથી ઓછું નોંધાયું પરિણામ


  • Published By :
  • Published Date : 2023-05-31 09:05:25

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે 73.27 ટકા પરિણામ આવ્યું છે. જો વર્ષ 2022ની વાત કરીએ તો 86.91 ટકા પરિણામ આવ્યું હતું જ્યારે આ વખતના પરિણામમાં ઘટાડો નોંધાયો છે. આ વર્ષે ગયા વર્ષ કરતા 13.64 ટકા જેટલું પરિણામ ઓછું આવ્યું છે. વિદ્યાર્થીઓ www.gseb.org પર પરિણામ જોઈ શકે છે અથવા તો 6357300971 પર વિદ્યાર્થી સીટ નંબર મોકલી પોતાનું પરિણામ મેળવી શકે છે. 


દાહોદ જિલ્લામાં નોંધાયું સૌથી ઓછું પરિણામ!

જો જિલ્લા વાઈસ પરિણામની વાત કરીએ તો સૌથી વધારે પરિણામ ધરાવતો જિલ્લો કચ્છ બન્યો છે. કચ્છ જિલ્લામાં પરિણામ 84.59 ટકા નોંધાયું છે. સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો દાહોદ છે. ત્યાંનું પરિણામ 54.67 ટકા નોંધાયું છે.  રાજ્યના 311 સ્કૂલો એવી છે જેનું પરિણામ 100 ટકા નોંધાયું છે. સૌથી વધારે પરિણામ ધરાવતું કેન્દ્ર વાગઘ્રા છે જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર દેવગઢબારીયા છે. જો વિદ્યાર્થીઓના પરિણામની વાત કરીએ તો 67.03 ટકા આવ્યું છે જ્યારે 80.39 ટકા પરિણામ વિદ્યાર્થીનીનું આવ્યું છે. મહત્વનું છે કે ધોરણ 12 સાયન્સનું પરિણામ દાહોદમાં સૌથી ઓછું નોંધાયું હતું. ધોરણ 10 બોર્ડનું પરિણામ પણ દાહોદ જિલ્લામાં સૌથી ઓછું નોંધાયું હતું.  


આટલા વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા!

માર્ચ મહિનામાં યોજાયેલી પરીક્ષામાં 479298 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી પરીક્ષા આપવા 477392 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. નિયમીત ઉમેદવારોનું પરિણામ 73.27 ટકા આવ્યું છે. પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 29974 વિદ્યાર્થીઓ બેઠા હતા જેમાંથી 28321 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 39.56 ટકા નોંધાયું છે. 482 કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી.  

 

ગ્રેડવાઈઝ પરિણામ આ મુજબ છે: 

ગ્રેડવાઈઝ પરિણામની વાત કરીએ તો 1874 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. 20896 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. B1 ગ્રેડ 51,607 વિદ્યાર્થીઓએ મેળવ્યો છે જ્યારે 82,527 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે. C1 ગ્રેડ 1,00,690 વિદ્યાર્થીઓનો આવ્યો છે. 76532 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ હાંસલ કર્યો છે. D ગ્રેડ 11936 વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યો છે. E1 ગ્રેડ 131 વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યો છે. 


માધ્યમો વાઈઝ પરિણામ!

ગુજરાતી માધ્યમનું પરિણામ 72.83 ટકા નોંધાયું છે, હિન્દી માધ્યમનું 67.45 ટકા પરિણામ નોંધાયું છે. મરાઠી માધ્યમનું પરિણામ 72.58 ટકા નોંધાયું છે. ઉર્દુ માધ્યમનું પરિણામ 82.67 ટકા નોંધાયું છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ 79.16 ટકા નોંધાયું છે.    

   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.