ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ થયું જાહેર, ગયા વર્ષ કરતા આ વર્ષે પરિણામમાં નોંધાયો ઘટાડો, જાણો કયા જિલ્લાનું સૌથી ઓછું નોંધાયું પરિણામ


  • Published By :
  • Published Date : 2023-05-31 09:05:25

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે 73.27 ટકા પરિણામ આવ્યું છે. જો વર્ષ 2022ની વાત કરીએ તો 86.91 ટકા પરિણામ આવ્યું હતું જ્યારે આ વખતના પરિણામમાં ઘટાડો નોંધાયો છે. આ વર્ષે ગયા વર્ષ કરતા 13.64 ટકા જેટલું પરિણામ ઓછું આવ્યું છે. વિદ્યાર્થીઓ www.gseb.org પર પરિણામ જોઈ શકે છે અથવા તો 6357300971 પર વિદ્યાર્થી સીટ નંબર મોકલી પોતાનું પરિણામ મેળવી શકે છે. 


દાહોદ જિલ્લામાં નોંધાયું સૌથી ઓછું પરિણામ!

જો જિલ્લા વાઈસ પરિણામની વાત કરીએ તો સૌથી વધારે પરિણામ ધરાવતો જિલ્લો કચ્છ બન્યો છે. કચ્છ જિલ્લામાં પરિણામ 84.59 ટકા નોંધાયું છે. સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો દાહોદ છે. ત્યાંનું પરિણામ 54.67 ટકા નોંધાયું છે.  રાજ્યના 311 સ્કૂલો એવી છે જેનું પરિણામ 100 ટકા નોંધાયું છે. સૌથી વધારે પરિણામ ધરાવતું કેન્દ્ર વાગઘ્રા છે જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર દેવગઢબારીયા છે. જો વિદ્યાર્થીઓના પરિણામની વાત કરીએ તો 67.03 ટકા આવ્યું છે જ્યારે 80.39 ટકા પરિણામ વિદ્યાર્થીનીનું આવ્યું છે. મહત્વનું છે કે ધોરણ 12 સાયન્સનું પરિણામ દાહોદમાં સૌથી ઓછું નોંધાયું હતું. ધોરણ 10 બોર્ડનું પરિણામ પણ દાહોદ જિલ્લામાં સૌથી ઓછું નોંધાયું હતું.  


આટલા વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા!

માર્ચ મહિનામાં યોજાયેલી પરીક્ષામાં 479298 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી પરીક્ષા આપવા 477392 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. નિયમીત ઉમેદવારોનું પરિણામ 73.27 ટકા આવ્યું છે. પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 29974 વિદ્યાર્થીઓ બેઠા હતા જેમાંથી 28321 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 39.56 ટકા નોંધાયું છે. 482 કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી.  

 

ગ્રેડવાઈઝ પરિણામ આ મુજબ છે: 

ગ્રેડવાઈઝ પરિણામની વાત કરીએ તો 1874 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. 20896 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. B1 ગ્રેડ 51,607 વિદ્યાર્થીઓએ મેળવ્યો છે જ્યારે 82,527 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે. C1 ગ્રેડ 1,00,690 વિદ્યાર્થીઓનો આવ્યો છે. 76532 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ હાંસલ કર્યો છે. D ગ્રેડ 11936 વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યો છે. E1 ગ્રેડ 131 વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યો છે. 


માધ્યમો વાઈઝ પરિણામ!

ગુજરાતી માધ્યમનું પરિણામ 72.83 ટકા નોંધાયું છે, હિન્દી માધ્યમનું 67.45 ટકા પરિણામ નોંધાયું છે. મરાઠી માધ્યમનું પરિણામ 72.58 ટકા નોંધાયું છે. ઉર્દુ માધ્યમનું પરિણામ 82.67 ટકા નોંધાયું છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ 79.16 ટકા નોંધાયું છે.    

   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.