વૃક્ષારોપણ કરવા માટે CMએ લોકોને કર્યું આહવાન, પોસ્ટ શેર કરતા લખ્યું જીવનનો આધાર પૂરો પાડનાર ધરતીમાતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ...


  • Published By :
  • Published Date : 2024-07-02 13:53:43

આ વખતની ગરમીથી લોકો અતિશય પરેશાન થયા છે. ગરમીએ અનેક વર્ષોના રેકોર્ડ તોડ્યા છે. અનેક વખત આપણે સાંભળ્યું હશે કે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જોઈએ.. વૃક્ષો હશે તો ગરમીથી રાહત મળશે વગેરે વગેરે.. અનેક સંસ્થાઓ એવી છે જે વૃક્ષો લગાવાનું કાર્ય કરે છે.. વૃક્ષોનું જતન કરે છે.. ત્યારે સરકાર દ્વારા પણ એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે એક પેડ માં કે નામ.. અનેક નેતાઓએ પોતાની માંના નામ પર વૃક્ષારોપણ કર્યું છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે આ અભિયાનમાં લોકો જોડાય...

આગળ વધવાના ચક્કરમાં પ્રકૃતિને પહોંચાડ્યું છે નુકસાન!

આપણે ત્યાં પ્રકૃતિને પણ માતા માનવામાં આવે છે. આપણે ગાયને માતા કહીએ છીએ, નદીને માતા કહીએ છીએ, પૃથ્વીને માતા કહીએ.. જે આપણું ભરણ પોષણ કરે છે, જેના થકી આપણે જીવન જીવિયે છીએ તેને આપણે આદર આપીએ છીએ..પ્રકૃતિએ આપણને માત્ર આપ્યું જ છે, કંઈક મળશે તેની આશા રાખ્યા વગર.. આગળ વધવાના ચક્કરમાં આપણે પ્રકૃતિને કેટલું નુકસાન પહોંચાડ્યું છે તે કદાચ આપણે ભૂલી ગયા છીએ.. વૃક્ષો કપાઈ રહ્યા છે જેને કારણે enviornment imbalance થઈ ગયું છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. 


 

નરેન્દ્ર મોદીએ શરૂં કર્યું અભિયાન... 

વધારેમાં વધારે વૃક્ષો વાવવામાં આવે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મોદી સરકાર દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.. "એક પેડ માં કે નામ.." માતાના સન્માનમાં વૃક્ષો વાવવામાં આવે તે માટે આહવાન કરવામાં આવ્યું છે.. અનેક મંત્રીઓએ આ અભિયાનમાં સહયોગ કર્યો છે.ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પણ લોકોને આ અભિયાનમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે. જીવનનો આધાર પૂરો પાડનાર ધરતીમાતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ તેવી વાત સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે.



વૃક્ષોનું જતન કરવું અધરૂં સાબિત થાય છે...!

મહત્વનું છે કે ઝાડનું રોપણ કરવું તો સહેલું છે પરંતુ તેની સાર સંભાળ રાખવી ઘણી વખત અઘરી થઈ જતી હોય છે.. અનેક વખત વૃક્ષો ધરાશાયી થઈ જાય છે તો કોઈ વખત વૃક્ષોને કાપવામાં આવે છે. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.