વૃક્ષારોપણ કરવા માટે CMએ લોકોને કર્યું આહવાન, પોસ્ટ શેર કરતા લખ્યું જીવનનો આધાર પૂરો પાડનાર ધરતીમાતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ...


  • Published By :
  • Published Date : 2024-07-02 13:53:43

આ વખતની ગરમીથી લોકો અતિશય પરેશાન થયા છે. ગરમીએ અનેક વર્ષોના રેકોર્ડ તોડ્યા છે. અનેક વખત આપણે સાંભળ્યું હશે કે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જોઈએ.. વૃક્ષો હશે તો ગરમીથી રાહત મળશે વગેરે વગેરે.. અનેક સંસ્થાઓ એવી છે જે વૃક્ષો લગાવાનું કાર્ય કરે છે.. વૃક્ષોનું જતન કરે છે.. ત્યારે સરકાર દ્વારા પણ એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે એક પેડ માં કે નામ.. અનેક નેતાઓએ પોતાની માંના નામ પર વૃક્ષારોપણ કર્યું છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે આ અભિયાનમાં લોકો જોડાય...

આગળ વધવાના ચક્કરમાં પ્રકૃતિને પહોંચાડ્યું છે નુકસાન!

આપણે ત્યાં પ્રકૃતિને પણ માતા માનવામાં આવે છે. આપણે ગાયને માતા કહીએ છીએ, નદીને માતા કહીએ છીએ, પૃથ્વીને માતા કહીએ.. જે આપણું ભરણ પોષણ કરે છે, જેના થકી આપણે જીવન જીવિયે છીએ તેને આપણે આદર આપીએ છીએ..પ્રકૃતિએ આપણને માત્ર આપ્યું જ છે, કંઈક મળશે તેની આશા રાખ્યા વગર.. આગળ વધવાના ચક્કરમાં આપણે પ્રકૃતિને કેટલું નુકસાન પહોંચાડ્યું છે તે કદાચ આપણે ભૂલી ગયા છીએ.. વૃક્ષો કપાઈ રહ્યા છે જેને કારણે enviornment imbalance થઈ ગયું છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. 


 

નરેન્દ્ર મોદીએ શરૂં કર્યું અભિયાન... 

વધારેમાં વધારે વૃક્ષો વાવવામાં આવે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મોદી સરકાર દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.. "એક પેડ માં કે નામ.." માતાના સન્માનમાં વૃક્ષો વાવવામાં આવે તે માટે આહવાન કરવામાં આવ્યું છે.. અનેક મંત્રીઓએ આ અભિયાનમાં સહયોગ કર્યો છે.ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પણ લોકોને આ અભિયાનમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે. જીવનનો આધાર પૂરો પાડનાર ધરતીમાતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ તેવી વાત સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે.



વૃક્ષોનું જતન કરવું અધરૂં સાબિત થાય છે...!

મહત્વનું છે કે ઝાડનું રોપણ કરવું તો સહેલું છે પરંતુ તેની સાર સંભાળ રાખવી ઘણી વખત અઘરી થઈ જતી હોય છે.. અનેક વખત વૃક્ષો ધરાશાયી થઈ જાય છે તો કોઈ વખત વૃક્ષોને કાપવામાં આવે છે. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.