વૃક્ષારોપણ કરવા માટે CMએ લોકોને કર્યું આહવાન, પોસ્ટ શેર કરતા લખ્યું જીવનનો આધાર પૂરો પાડનાર ધરતીમાતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ...


  • Published By :
  • Published Date : 2024-07-02 13:53:43

આ વખતની ગરમીથી લોકો અતિશય પરેશાન થયા છે. ગરમીએ અનેક વર્ષોના રેકોર્ડ તોડ્યા છે. અનેક વખત આપણે સાંભળ્યું હશે કે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જોઈએ.. વૃક્ષો હશે તો ગરમીથી રાહત મળશે વગેરે વગેરે.. અનેક સંસ્થાઓ એવી છે જે વૃક્ષો લગાવાનું કાર્ય કરે છે.. વૃક્ષોનું જતન કરે છે.. ત્યારે સરકાર દ્વારા પણ એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે એક પેડ માં કે નામ.. અનેક નેતાઓએ પોતાની માંના નામ પર વૃક્ષારોપણ કર્યું છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે આ અભિયાનમાં લોકો જોડાય...

આગળ વધવાના ચક્કરમાં પ્રકૃતિને પહોંચાડ્યું છે નુકસાન!

આપણે ત્યાં પ્રકૃતિને પણ માતા માનવામાં આવે છે. આપણે ગાયને માતા કહીએ છીએ, નદીને માતા કહીએ છીએ, પૃથ્વીને માતા કહીએ.. જે આપણું ભરણ પોષણ કરે છે, જેના થકી આપણે જીવન જીવિયે છીએ તેને આપણે આદર આપીએ છીએ..પ્રકૃતિએ આપણને માત્ર આપ્યું જ છે, કંઈક મળશે તેની આશા રાખ્યા વગર.. આગળ વધવાના ચક્કરમાં આપણે પ્રકૃતિને કેટલું નુકસાન પહોંચાડ્યું છે તે કદાચ આપણે ભૂલી ગયા છીએ.. વૃક્ષો કપાઈ રહ્યા છે જેને કારણે enviornment imbalance થઈ ગયું છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. 


 

નરેન્દ્ર મોદીએ શરૂં કર્યું અભિયાન... 

વધારેમાં વધારે વૃક્ષો વાવવામાં આવે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મોદી સરકાર દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.. "એક પેડ માં કે નામ.." માતાના સન્માનમાં વૃક્ષો વાવવામાં આવે તે માટે આહવાન કરવામાં આવ્યું છે.. અનેક મંત્રીઓએ આ અભિયાનમાં સહયોગ કર્યો છે.ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પણ લોકોને આ અભિયાનમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે. જીવનનો આધાર પૂરો પાડનાર ધરતીમાતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ તેવી વાત સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે.



વૃક્ષોનું જતન કરવું અધરૂં સાબિત થાય છે...!

મહત્વનું છે કે ઝાડનું રોપણ કરવું તો સહેલું છે પરંતુ તેની સાર સંભાળ રાખવી ઘણી વખત અઘરી થઈ જતી હોય છે.. અનેક વખત વૃક્ષો ધરાશાયી થઈ જાય છે તો કોઈ વખત વૃક્ષોને કાપવામાં આવે છે. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.