વૃક્ષારોપણ કરવા માટે CMએ લોકોને કર્યું આહવાન, પોસ્ટ શેર કરતા લખ્યું જીવનનો આધાર પૂરો પાડનાર ધરતીમાતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ...


  • Published By :
  • Published Date : 2024-07-02 13:53:43

આ વખતની ગરમીથી લોકો અતિશય પરેશાન થયા છે. ગરમીએ અનેક વર્ષોના રેકોર્ડ તોડ્યા છે. અનેક વખત આપણે સાંભળ્યું હશે કે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જોઈએ.. વૃક્ષો હશે તો ગરમીથી રાહત મળશે વગેરે વગેરે.. અનેક સંસ્થાઓ એવી છે જે વૃક્ષો લગાવાનું કાર્ય કરે છે.. વૃક્ષોનું જતન કરે છે.. ત્યારે સરકાર દ્વારા પણ એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે એક પેડ માં કે નામ.. અનેક નેતાઓએ પોતાની માંના નામ પર વૃક્ષારોપણ કર્યું છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે આ અભિયાનમાં લોકો જોડાય...

આગળ વધવાના ચક્કરમાં પ્રકૃતિને પહોંચાડ્યું છે નુકસાન!

આપણે ત્યાં પ્રકૃતિને પણ માતા માનવામાં આવે છે. આપણે ગાયને માતા કહીએ છીએ, નદીને માતા કહીએ છીએ, પૃથ્વીને માતા કહીએ.. જે આપણું ભરણ પોષણ કરે છે, જેના થકી આપણે જીવન જીવિયે છીએ તેને આપણે આદર આપીએ છીએ..પ્રકૃતિએ આપણને માત્ર આપ્યું જ છે, કંઈક મળશે તેની આશા રાખ્યા વગર.. આગળ વધવાના ચક્કરમાં આપણે પ્રકૃતિને કેટલું નુકસાન પહોંચાડ્યું છે તે કદાચ આપણે ભૂલી ગયા છીએ.. વૃક્ષો કપાઈ રહ્યા છે જેને કારણે enviornment imbalance થઈ ગયું છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. 


 

નરેન્દ્ર મોદીએ શરૂં કર્યું અભિયાન... 

વધારેમાં વધારે વૃક્ષો વાવવામાં આવે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મોદી સરકાર દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.. "એક પેડ માં કે નામ.." માતાના સન્માનમાં વૃક્ષો વાવવામાં આવે તે માટે આહવાન કરવામાં આવ્યું છે.. અનેક મંત્રીઓએ આ અભિયાનમાં સહયોગ કર્યો છે.ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પણ લોકોને આ અભિયાનમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે. જીવનનો આધાર પૂરો પાડનાર ધરતીમાતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ તેવી વાત સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે.



વૃક્ષોનું જતન કરવું અધરૂં સાબિત થાય છે...!

મહત્વનું છે કે ઝાડનું રોપણ કરવું તો સહેલું છે પરંતુ તેની સાર સંભાળ રાખવી ઘણી વખત અઘરી થઈ જતી હોય છે.. અનેક વખત વૃક્ષો ધરાશાયી થઈ જાય છે તો કોઈ વખત વૃક્ષોને કાપવામાં આવે છે. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .