CM ભુપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ દિલ્લી જવા રવાના, દિલ્લીમાં ઉમેદવારોના નામોની ચર્ચા કરાશે બાદમાં આખરી મ્હોર લાગશે !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-07 19:00:19


ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખ જાહેર થયા પછી ભાજપ ,કોંગ્રેસ અને AAP ચૂંટણી જીતવા તૈયારીયો કરી રહ્યા છે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની એક પછી એક યાદી જાહેર કરી દીધી છે તો કોંગ્રેસ ગઈ કાલે 43 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આ બધાની વચ્ચે સૌ કોઈની નજર ભાજપ પર છે. બીજેપી ઉમેદવારો પસંદગી માટે વિવિધ પ્રક્રિયા માટે ધમધમાટ શરૂ કરી દીધા છે જેમાં ઉમેદવારોના નામ જાહેર કરવા સહિત ચૂંટણીલક્ષી મંથન કર્યું હતું. મંથનબાદ તે યાદીને દિલ્હી ખાતે મોકલવમાં આવી હતી. આજે  CM ભુપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ દિલ્લી જવા રવાના થયા છે જ્યાં ભાજપના ઉમેદવારોના નામોની ચર્ચા થશે


CM અને CR દિલ્હી જવા રવાના !!


ભાજપ ઉમેદવારો પસંદગીની કામકાજ શરૂ કરી દીધું છે જેમાં ઉમેદવારોના નામ જાહેર કરવા મંથન કર્યું હતું. જે મંથનબાદ તે યાદીને દિલ્હી ખાતે મોકલવમાં આવી હતી. દિલ્હીમા ખાતે ભાજપના ઉમેદવારોના નામની ચર્ચા થશે. જે ચર્ચા માટે આજે  CM ભુપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ દિલ્લી જવા રવાના થયા છે, જ્યાં ભાજપના ઉમેદવારોના નામોની ચર્ચા કરવામાં આવશે જે ચર્ચા બાદ ઉમેદવારોના નામની જાહેરાત થશે.


દિલ્હીમાં આખરી મોહર લાગશે !!!


વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાત ભાજપનું મંથન થયું હતું. અમિત શાહના અધ્યક્ષસ્થાને પ્રદેશ ભાજપની પર્લામેન્ટ્રી બોર્ડની 3 દિવસની બેઠક યોજાઈ હતી, જેમાં વિધાનસભાની તમામ 182 બેઠકોના ઉમેદવારો મુદ્દે ચર્ચા થઈ હતી. જેમાં દરેક બેઠક દીઠ 3થી 5 સંભવિત ઉમેદવારોના નામની પેનલ તૈયાર કરવામાં આવી હતી. જે ઉમેદવારોના નામની યાદી દિલ્હીમાં ચર્ચા કરવામાં આવશે જે બાદ દિલ્લીથી ઉમેદવારોના નામો પર આખરી મ્હોર લાગશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.