CM ભુપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ દિલ્લી જવા રવાના, દિલ્લીમાં ઉમેદવારોના નામોની ચર્ચા કરાશે બાદમાં આખરી મ્હોર લાગશે !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-07 19:00:19


ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખ જાહેર થયા પછી ભાજપ ,કોંગ્રેસ અને AAP ચૂંટણી જીતવા તૈયારીયો કરી રહ્યા છે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની એક પછી એક યાદી જાહેર કરી દીધી છે તો કોંગ્રેસ ગઈ કાલે 43 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આ બધાની વચ્ચે સૌ કોઈની નજર ભાજપ પર છે. બીજેપી ઉમેદવારો પસંદગી માટે વિવિધ પ્રક્રિયા માટે ધમધમાટ શરૂ કરી દીધા છે જેમાં ઉમેદવારોના નામ જાહેર કરવા સહિત ચૂંટણીલક્ષી મંથન કર્યું હતું. મંથનબાદ તે યાદીને દિલ્હી ખાતે મોકલવમાં આવી હતી. આજે  CM ભુપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ દિલ્લી જવા રવાના થયા છે જ્યાં ભાજપના ઉમેદવારોના નામોની ચર્ચા થશે


CM અને CR દિલ્હી જવા રવાના !!


ભાજપ ઉમેદવારો પસંદગીની કામકાજ શરૂ કરી દીધું છે જેમાં ઉમેદવારોના નામ જાહેર કરવા મંથન કર્યું હતું. જે મંથનબાદ તે યાદીને દિલ્હી ખાતે મોકલવમાં આવી હતી. દિલ્હીમા ખાતે ભાજપના ઉમેદવારોના નામની ચર્ચા થશે. જે ચર્ચા માટે આજે  CM ભુપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ દિલ્લી જવા રવાના થયા છે, જ્યાં ભાજપના ઉમેદવારોના નામોની ચર્ચા કરવામાં આવશે જે ચર્ચા બાદ ઉમેદવારોના નામની જાહેરાત થશે.


દિલ્હીમાં આખરી મોહર લાગશે !!!


વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાત ભાજપનું મંથન થયું હતું. અમિત શાહના અધ્યક્ષસ્થાને પ્રદેશ ભાજપની પર્લામેન્ટ્રી બોર્ડની 3 દિવસની બેઠક યોજાઈ હતી, જેમાં વિધાનસભાની તમામ 182 બેઠકોના ઉમેદવારો મુદ્દે ચર્ચા થઈ હતી. જેમાં દરેક બેઠક દીઠ 3થી 5 સંભવિત ઉમેદવારોના નામની પેનલ તૈયાર કરવામાં આવી હતી. જે ઉમેદવારોના નામની યાદી દિલ્હીમાં ચર્ચા કરવામાં આવશે જે બાદ દિલ્લીથી ઉમેદવારોના નામો પર આખરી મ્હોર લાગશે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.