CM ભૂપેન્દ્ર પટેલની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને કડક સુચના, 'ભેળસેળિયા તત્વો સામે આકરા હાથે કામ લો'


  • Published By :
  • Published Date : 2023-11-07 16:48:14

રાજ્યમાં દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ખાદ્ય ચીજોમાં ભેળસેળનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. તમામ પ્રકારની વસ્તુઓમાં ભેળસેળ થઈ રહી છે. ડેરી પ્રોડક્ટ જેવી કે ઘી, પનીર, ચીઝ, માવો-મીઠાઈઓ, ફરસાણ, ખાદ્યતેલ, અનાજ, કઠોળ, મુખવાસ સહિતની જીવન જરૂરીયાતની ચીજોમાં ભેળસેળના કિસ્સાઓ અવારનવાર સામે આવી રહ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ખાદ્યચીજોમાં ભેળસેળ મુદ્દે ચિંતા વ્યકત કરી અને અને રાજ્યમાં બેફામ બનેલા ભેળસેળીયા તત્વો પર લગામ કસવા માટે  અધિકારીઓને આદેશ કર્યો છે.


કેબિનેટની બેઠકમાં કર્યો આદેશ


રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભેળસેળિયા તત્વો સામે આકરા હાથે કામ લેવા રાજ્યમંત્રી મંડળની બેઠકમાં આદેશ આપ્યા છે. સીએમ ભુપેન્દ્ર પટેલે કેબિનેટની બેઠકમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને આ મામલે કડક સુચના આપી છે. તેમણે કહ્યું કે ખાદ્ય સામગ્રીની ભેળસેળ બિલકુલ ચલાવી લેવામા નહીં આવે. ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરતાં વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવાની સ્પષ્ટ સૂચના આપી છે. આ ડ્રાઇવ માત્ર તહેવાર પૂરતી નહીં પણ નિયમિત ડ્રાઇવ કરવાની મુખ્યમંત્રી પટેલે સૂચના આપી છે.


ભેળસેળિયા તત્વો સામે તવાઇ 

 

રાજ્યમાં ભેળસેળીયા તત્વો દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળના પરિણામે જન આરોગ્ય સામે મોટો ખતરો ઉભો થયો છે તેને પહોંચી વળવા માટે થઈને હવે મુખ્યમંત્રીએ રાજ્યના ઔષધ નિયમન તંત્રને છૂટા હાથનો દોર આપ્યો છે અને આવા તત્વો સામે કાર્યવાહી કરવા આજે કેબિનેટની બેઠકમાં આદેશ આપ્યા છે. હવે ટૂંક સમયમાં ભેળસેળિયા તત્વો સામે તવાઇ નિશ્ચિત બની છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.