CM ભૂપેન્દ્ર પટેલની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને કડક સુચના, 'ભેળસેળિયા તત્વો સામે આકરા હાથે કામ લો'


  • Published By :
  • Published Date : 2023-11-07 16:48:14

રાજ્યમાં દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ખાદ્ય ચીજોમાં ભેળસેળનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. તમામ પ્રકારની વસ્તુઓમાં ભેળસેળ થઈ રહી છે. ડેરી પ્રોડક્ટ જેવી કે ઘી, પનીર, ચીઝ, માવો-મીઠાઈઓ, ફરસાણ, ખાદ્યતેલ, અનાજ, કઠોળ, મુખવાસ સહિતની જીવન જરૂરીયાતની ચીજોમાં ભેળસેળના કિસ્સાઓ અવારનવાર સામે આવી રહ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ખાદ્યચીજોમાં ભેળસેળ મુદ્દે ચિંતા વ્યકત કરી અને અને રાજ્યમાં બેફામ બનેલા ભેળસેળીયા તત્વો પર લગામ કસવા માટે  અધિકારીઓને આદેશ કર્યો છે.


કેબિનેટની બેઠકમાં કર્યો આદેશ


રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભેળસેળિયા તત્વો સામે આકરા હાથે કામ લેવા રાજ્યમંત્રી મંડળની બેઠકમાં આદેશ આપ્યા છે. સીએમ ભુપેન્દ્ર પટેલે કેબિનેટની બેઠકમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને આ મામલે કડક સુચના આપી છે. તેમણે કહ્યું કે ખાદ્ય સામગ્રીની ભેળસેળ બિલકુલ ચલાવી લેવામા નહીં આવે. ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરતાં વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવાની સ્પષ્ટ સૂચના આપી છે. આ ડ્રાઇવ માત્ર તહેવાર પૂરતી નહીં પણ નિયમિત ડ્રાઇવ કરવાની મુખ્યમંત્રી પટેલે સૂચના આપી છે.


ભેળસેળિયા તત્વો સામે તવાઇ 

 

રાજ્યમાં ભેળસેળીયા તત્વો દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળના પરિણામે જન આરોગ્ય સામે મોટો ખતરો ઉભો થયો છે તેને પહોંચી વળવા માટે થઈને હવે મુખ્યમંત્રીએ રાજ્યના ઔષધ નિયમન તંત્રને છૂટા હાથનો દોર આપ્યો છે અને આવા તત્વો સામે કાર્યવાહી કરવા આજે કેબિનેટની બેઠકમાં આદેશ આપ્યા છે. હવે ટૂંક સમયમાં ભેળસેળિયા તત્વો સામે તવાઇ નિશ્ચિત બની છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી